Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મનમોહન સિંહ

મનમોહન સિંહ

મનમોહન સિંહ 2004 થી 2014 સુધી દેશના વડાપ્રધાન હતા. દેશની અર્થવ્યવસ્થામાં તેમનું યોગદાન મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તેમણે દેશના આર્થિક સુધારાને આગળ ધપાવવામાં મોટી ભૂમિકા ભજવી છે. મનમોહન સિંહનો જન્મ 26 સપ્ટેમ્બર 1932ના રોજ થયો હતો. 1947માં ભાગલા બાદ તેમનો પરિવાર ભારત આવ્યો હતો. મનમોહન સિંહે પંજાબ યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો. આ પછી તેણે ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી ડી.ફિલ કર્યું. ડિગ્રી લીધી.

મનમોહન સિંહની રાજકીય સફર 1990ના દાયકાની શરૂઆતમાં શરૂ થઈ હતી, જ્યારે તેઓ તત્કાલીન વડાપ્રધાન નરસિમ્હા રાવ સરકારમાં નાણામંત્રી બન્યા હતા. આ સમયગાળા દરમિયાન, તેમણે ભારતીય અર્થવ્યવસ્થાને ઉદાર બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. પ્રાઈવેટ એન્ટરપ્રાઈઝને પ્રોત્સાહિત કરતા સુધારાનો અમલ કર્યો.

તેમણે વર્ષ 1991માં દેશ સામેના ગંભીર આર્થિક સંકટને ઘટાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમની નીતિઓએ તેમની પ્રતિષ્ઠા મજબૂત કરી હોવાનું માનવામાં આવે છે. નાણા પ્રધાન તરીકેના તેમના કાર્યકાળ પછી, તેમણે વડા પ્રધાન તરીકે સત્તામાં પાછા ફરતાં પહેલાં રાજ્યસભામાં વિપક્ષના નેતા તરીકે સેવા આપી હતી.

Read More

21 Gun Salute: 21 તોપોની સલામી કેવી રીતે આપવામાં આવે છે, શું ખરેખર ફોડવામાં આવે છે અસલી ગોળા?

21 તોપોની સલામી આપવાની પરંપરા લગભગ 150 વર્ષ જૂની છે. જો કે, દેશની આઝાદી બાદ જ્યારે ડૉ. રાજેન્દ્ર પ્રસાદ 26 જાન્યુઆરી 1950ના રોજ દેશના પ્રથમ રાષ્ટ્રપતિ બન્યા ત્યારે તેમને 21 તોપોની સલામી આપવામાં આવી હતી. આ સન્માન 1721 ફિલ્ડ બેટરી દ્વારા આપવામાં આવે છે, જેનું મુખ્યાલય મેરઠમાં છે.

પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહનું બનશે સ્મારક, વિવાદ વચ્ચે કેન્દ્ર સરકારની મોટી જાહેરાત

પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહનું સ્મારક બનાવવાના વિવાદ વચ્ચે કેન્દ્ર સરકારે શુક્રવારે રાત્રે જાહેરાત કરી કે તે સ્મારક બનાવશે. આ માટે ટ્રસ્ટની રચના કરવામાં આવશે. આગામી 3-4 દિવસમાં સ્મારકનું સ્થળ નક્કી કરવામાં આવશે. સ્મારકને લઈને પરિવાર સરકાર સાથે સહમત થયો છે.

રાષ્ટ્રીય શોક કોના માટે જાહેર કરાય છે ? કેટલા દિવસનો હોય છે ? રાષ્ટ્રીય શોકમાં શું કરી શકાય અને શું ના કરાય ?

કેન્દ્ર સરકારે ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નિધન પર રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે. સામાન્ય રીતે કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલા શોકને રાષ્ટ્રીય શોક કહેવામાં આવે છે. હવે રાજ્ય સરકારોએ પણ રાષ્ટ્રીય શોકની જાહેરાત કરવાનું શરૂ કર્યું છે, તેથી તેને રાજ્ય શોક પણ કહેવામાં આવે છે. જાણો, કોના માટે રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવે છે, કેટલા દિવસ માટે હોય છે, આ સમયગાળા દરમિયાન કેવા કાર્યક્રમો પર પ્રતિબંધ છે ?

શું કાશ્મીર મુદ્દે મનમોહન સિંહ અને જનરલ પરવેઝ મુશર્રફ વચ્ચે ગુપ્ત સમજૂતી થઈ હતી ?

સ્વર્ગસ્થ ભૂતપૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહને લગતા વિકિલીક્સના અહેવાલમાં ખુલાસો થયો હતો કે, તેમણે પાકિસ્તાનના રાષ્ટ્રપતિ મુશર્રફ સાથે ગુપ્ત રીતે વાતચીત કરી હતી. આ વાતચીત દ્વારા કાશ્મીર મુદ્દે ઘણીબધી બાબતો પર સમજૂતી થઈ હતી, પરંતુ આ વાતચીત છેલ્લી ઘડીએ નિષ્ફળ ગઈ હતી.

પત્ની પ્રોફેસર, 3 દીકરીઓ જમાઈ, IPS ઓફિસર દીકરીએ આણંદમાં કર્યો છે અભ્યાસ જુઓ પૂર્વ પીએમ મનમોહન સિંહનો પરિવાર

દેશના પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહે 27 ડિસેમ્બરે દુનિયાને અલવિદા કહ્યું. તેમના નિધન પર આખો દેશ શોકમાં છે. તો આજે આપણે મનમોહન સિંહના પરિવાર વિશે જાણીએ.

Manmohan Singh : પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ પર બની હતી આ આઈકોનિક ફિલ્મ ! જેણે ભડકાવી રાજનીતિ, રસ્તા પર ઉતરી ગયા હતા લોકો

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ પર આધારિત આ બોલિવૂડ ફિલ્મ 5 વર્ષ પહેલા રિલીઝ થઈ હતી. 2019માં રિલીઝ થયી હતી. ચાલો જાણીએ તે કઈ ફિલ્મ હતી અને હિટ થઈ હતી કે ફ્લોપ ?

Manmohan Singh Death : ‘મેરા ઘર તો બહુત પહલે ખતમ હો ગયા ‘ મનમોહન સિંહની એવી ઈચ્છા જે ક્યારેય નહીં થઈ શકે પૂરી, જાણો

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું 92 વર્ષની વયે અવસાન થયું છે. તેમના અવસાનના સમાચાર મળતા જ તેમની કેટલીક ઈચ્છાઓ ચર્ચામાં આવી છે. જોકે હવે તેમની ઈચ્છાઓ પુરી થઈ શકે તેવી નથી. મનમોહન સિંહની આ ઈચ્છાનો ઉલ્લેખ કોંગ્રેસના નેતા રાજીવ શુક્લાએ તેમના એક ઈન્ટરવ્યુમાં કર્યો હતો.

g clip-path="url(#clip0_868_265)">