
જયા કિશોરી
જયા કિશોરીને કોણ નથી જાણતું ? જયા કિશોરી તેમના ખાસ અંદાજમાં ભજન ગાવા અને કથા વાંચવા માટે ખૂબ જ પ્રખ્યાત છે. ભગવાન કૃષ્ણ પ્રત્યેના અપાર પ્રેમને કારણે તેમને ‘કિશોરી’નું બિરુદ મળ્યું છે.
જયા કિશોરીનો જન્મ 13 જુલાઈ 1995ના રોજ રાજસ્થાનના એક નાનકડા ગામ સુજાનગઢમાં થયો હતો, તે ગૌર બ્રાહ્મણ પરિવાર સાથે સંબંધ ધરાવે છે. જયા કિશોરીના પિતાનું નામ રાધે શ્યામ હરિતપાલ અને માતાનું નામ ગીતા દેવી હરિતપાલ છે. જયા કિશોરીને ચેતના શર્મા નામની એક બહેન છે. જયા કિશોરીએ હજુ લગ્ન કર્યા નથી. જયા કિશોરીના શિક્ષણ વિશે વાત કરીએ તો તેણે B.Com.નો અભ્યાસ કર્યો છે. આ સાથે તેણે આધ્યાત્મિકતાનું જ્ઞાન પણ મેળવ્યું છે.
2016માં જયા કિશોરીને ‘આદર્શ યુવા આધ્યાત્મિક ગુરુ એવોર્ડ’થી સન્માનિત કરવામાં આવી હતી. તેમજ ફેમ ઇન્ડિયા એશિયા પોસ્ટ સર્વે 2019 યુથ આઇકોનથી નવાજવામાં આવ્યા હતા. વર્ષ 2021માં જયા કિશોરીને ‘મોટિવેશનલ સ્પીકર ઑફ ધ યર’ના સન્માનથી નવાજવામાં આવ્યા હતા.
જયા કિશોરીનું સાચું નામ ‘જયા શર્મા’ છે. જયા કિશોરીના ગુરુનું નામ ગોવિંદ રામ મિશ્રા છે. જયા શર્માને ગુરુજી પાસેથી જ ‘કિશોરી’નું બિરુદ મળ્યું હતું. શ્રી કૃષ્ણ પ્રત્યેની તેમની ઊંડી શ્રદ્ધા અને પ્રેમને કારણે તેમને કિશોરીનું બિરુદ આપવામાં આવ્યું અને ત્યાર બાદ તેઓ જયા કિશોરી જી તરીકે ઓળખાવા લાગ્યા છે. જો કે જયા કિશોરી પોતાને એક સામાન્ય છોકરી માને છે અને તેને કોઈ સાધ્વી કે સંત કહે તે પસંદ નથી.
Jaya Kishori Statement : ‘રાવણ બળાત્કારી હતો, તેણે સીતાને સ્પર્શ કર્યો ન હતો કારણ કે…’ જયા કિશોરીના નિવેદને જગાવી ચર્ચા
કેટલાક લોકોએ જયા કિશોરીના નિવેદનનું સમર્થન કર્યું છે. જોકે, કેટલાક લોકોએ આનો વિરોધ કર્યો છે. કેટલીક છોકરીઓએ તેના વીડિયો પર ટિપ્પણી કરીને પ્રતિક્રિયા આપી છે. છોકરીઓને રામ જેવો નહીં, પણ રાવણ જેવો પતિ જોઈએ છે. કારણ કે તેણે ક્યારેય બીજી સ્ત્રીને સ્પર્શ કર્યો ન હતો. હાલમાં, જયા કિશોરીના નિવેદનની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે.
- Tanvi Soni
- Updated on: Mar 7, 2025
- 9:52 am
શું ગંગામાં ડૂબકી લગાવવાથી પાપો ધોઈ શકાય છે? મહાકુંભ સ્નાન વિશે જયા કિશોરીએ શું કહ્યું?
Kumbh mela 2025: પ્રખ્યાત કથાકાર જયા કિશોરે લખનઉમાં એક સાહિત્ય, આધ્યાત્મિકતા અને કલા મહોત્સવમાં હાજરી આપી હતી. જ્યાં તેમણે 'ભક્તિ, જીવન અને માયા' વિષય પર પોતાના વિચારો શેર કર્યા હતા.
- Meera Kansagara
- Updated on: Feb 18, 2025
- 9:44 am
Jaya Kishori Viral Video : ચામડાની મોંઘી બેગને લઈ ટ્રોલ થવા પર જયા કિશોરીએ આપ્યો જડબાતોડ જવાબ
લેધર બેગને લઈને ટ્રોલ થઈ રહેલા કથાકાર જયા કિશોરીએ ટ્રોલ કરનારાઓને જડબાતોડ જવાબ આપ્યો છે. તેણીએ કહ્યું કે તે કોઈ સંત નથી અને પોતાની મહેનતથી કમાયેલા પૈસા પોતાના પર ખર્ચે છે. જ્યાં સુધી બેગની વાત છે, તેમાં કોઈ લેસ કે લેધર નથી.
- Sagar Solanki
- Updated on: Oct 29, 2024
- 7:25 pm
જયા કિશોરીનો પરિવાર છે નાનું કુટુંબ સુખી કુટુંબ, એક કથા માટે લાખોનો ચાર્જ લે છે
જયા કિશોરીનું નામ આજે ફેમસ મોટિવેશનલ સ્પીકરમાં લેવામાં આવે છે. જયા કિશોરી ઈન્સ્ટાગ્રામ પર પણ ખુબ ફેમસ છે. તેની ફેન ફોલોઈંગ પણ ખુબ મોટી સંખ્યામાં છે. તેની લાઈફ વિશે પણ સૌ લોકો જાણવા માંગે છે તો આજે આપણે જયા કિશોરીના પરિવાર વિશે જાણીશું.
- Nirupa Duva
- Updated on: Apr 15, 2024
- 11:51 am
જયા કિશોરીના ઓલ ટાઈમ ફેવરિટ એક્ટર છે અમિતાભ બચ્ચન, કહ્યું- ફેવરિટ એક્ટર્સ બદલાતા રહે છે પણ…
જયા કિશોરીએ ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે, તેને ફિલ્મો જોવી ગમે છે. તેમના મનપસંદ કલાકારો દરેક ફિલ્મ સાથે બદલાતા રહે છે, પરંતુ અમિતાભ બચ્ચન તેમના ઓલ ટાઈમ ફેવરિટ છે.
- Meera Kansagara
- Updated on: Apr 14, 2024
- 1:27 pm