IND vs BAN: નસીબ હોય તો વિરાટ કોહલી જેવું, બોલર 1 ફૂટ દૂરથી પણ રનઆઉટ ન કરી શક્યો, જુઓ Video

કાનપુર ટેસ્ટ મેચના ચોથા દિવસે ટીમ ઈન્ડિયા તેની પ્રથમ ઈનિંગમાં બેટિંગ કરવા ઉતરી અને આવતાની સાથે જ ભારતીય બેટ્સમેનોએ ઝડપથી રન બનાવવાનું શરૂ કર્યું. વિરાટ કોહલી અને રિષભ પંત પણ આ જ પ્રયાસ કરવા માંગતા હતા પરંતુ તે પહેલા જ તેમની વચ્ચે મોટી ગેરસમજ થઈ ગઈ, જેના કારણે ટીમ ઈન્ડિયાને નુકસાન થઈ શકે તેમ હતું, જોકે નસીબે વિરાટનો સાથે આપ્યો અને તે રનઆઉટ થવાથી બચી ગયો.

IND vs BAN: નસીબ હોય તો વિરાટ કોહલી જેવું, બોલર 1 ફૂટ દૂરથી પણ રનઆઉટ ન કરી શક્યો, જુઓ Video
Virat Kohli & Rishabh PantImage Credit source: AFP
Follow Us:
| Updated on: Sep 30, 2024 | 6:20 PM

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે કાનપુર ટેસ્ટમાં અઢી દિવસથી વધુ વરસાદ બાદ આખરે ચોથા દિવસે ક્રિકેટ એક્શન જોવા મળ્યું હતું. બાંગ્લાદેશને ઓલઆઉટ કર્યા બાદ કેપ્ટન રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલે વિસ્ફોટક બેટિંગ કરીને સ્કોરને બરાબરી કરી દીધો હતો. આ બધાની વચ્ચે એક એવો મોકો પણ આવ્યો જેણે ટીમ ઈન્ડિયા અને ફેન્સને ડરાવી દીધા. વિરાટ કોહલી અને રિષભ પંત વચ્ચે રનને લઈને થયેલી ગેરસમજને કારણે ટીમ ઈન્ડિયાને મોટું નુકસાન થયું હતું, પરંતુ બાંગ્લાદેશી ખેલાડીઓ તેનો ફાયદો ઉઠાવી શક્યા ન હતા અને વિરાટ કોહલીને જીવનદાન મળ્યું હતું.

ટીમ ઈન્ડિયાની આક્રમક બેટિંગ

ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં સોમવારે 30 સપ્ટેમ્બરે મેચના ચોથા દિવસે ચાહકોની રાહનો અંત આવ્યો અને ટીમ ઈન્ડિયાએ તેમને નિરાશ કર્યા નહીં. બાંગ્લાદેશનો પ્રથમ દાવ 233 રનમાં સમેટાયા બાદ રોહિત અને યશસ્વીએ પ્રથમ ઓવરથી જ આક્રમક બેટિંગ શરૂ કરી હતી. આ મેચ ડ્રો તરફ જવાની સંભાવનાને જોઈને ટીમ ઈન્ડિયાએ જીતવા માટે ઝડપી બેટિંગ શૈલી અપનાવી અને તેનો ફાયદો પણ તેને મળ્યો. રોહિત અને યશસ્વીએ ઝડપી શરૂઆત અપાવી, ત્યારબાદ શુભમન ગિલે પણ હાથ ખોલ્યા.

વજન પ્રમાણે દરરોજ કેટલું પાણી પીવું જોઈએ, જાણો
ઊભી પૂંછડીએ ઘરમાંથી ભાગી જશે ઉંદર, કરો ફક્ત આ 5 કામ
દૂધમાં ગોળ નાખીને પીવાથી જાણો શું થાય છે?
Vastu Tips: ઓશીકા નીચે કપૂર રાખીને સુવાના ચોંકાવનારા ફાયદા વિશે જાણો
સિંગરનો ફેવરિટ તહેવાર છે નવરાત્રી, ઢોલિવુડ અને બોલિવુડમાં આપ્યા છે હિટ ગીત
ધનની સમસ્યા દૂર કરવા માટે દેવરાહા બાબાએ જણાવ્યો સાબર મંત્ર, જુઓ Video

વિરાટ કોહલી-રિષભ પંત વચ્ચે અણસમજ

આ ત્રણના આઉટ થયા બાદ વિરાટ કોહલી અને રિષભ પંત ક્રિઝ પર હતા. બંનેએ પણ આ જ સ્ટાઈલમાં બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો પરંતુ તે પહેલા મોટી ઘટના ટળી હતી. કોહલીએ ઝડપી બોલર ખાલેદ અહેમદનો બોલ હળવા હાથે રમ્યો અને રન લેવા માટે ક્રીઝની બહાર આવ્યો. બીજી બાજુથી રિષભ પંત પણ દોડ્યો, પરંતુ અહેમદને બોલ તરફ જતો જોઈ પંતે ના પાડી અને કોહલી ચોંકી ગયો. અહેમદે બોલ પકડ્યો અને કોહલી પોતાને રન આઉટ માનીને ત્યાં જ અટકી ગયો.

વિરાટ રન આઉટ થતા બચી ગયો

હવે એવું લાગી રહ્યું હતું કે કોહલી રન આઉટ થશે કારણ કે તે ક્રિઝની બહાર હતો, પરંતુ અહેમદે આ સરળ તક ગુમાવી દીધી હતી. બોલ ઉપાડીને તેણે અંડરઆર્મ થ્રો કર્યો પરંતુ તેનો થ્રો સ્ટમ્પને ટચ ન થઈ શક્યો. કોહલી પણ તરત જ ક્રિઝ પર પાછો ફર્યો અને તેણે રાહતનો શ્વાસ લીધો. પરંતુ તેણે તરત જ પાછળ ફરીને આંખો અને હાથના ઈશારા દ્વારા પંત પ્રત્યે પોતાની નારાજગી વ્યક્ત કરી. પંતે પણ પોતાની ભૂલ સ્વીકારી લીધી અને તરત જ કોહલીને ગળે લગાવ્યો અને બંને હસવા લાગ્યા. તે સમયે કોહલીએ માત્ર 2 રન બનાવ્યા હતા.

કોહલીને ફરી જીવનદાન મળ્યું

પંત પોતે આઉટ થયા પછી પાછો ફર્યો હોવા છતાં, કોહલી મક્કમ રહ્યો અને તેને ફરીથી જીવનદાન મળ્યું. આ વખતે, તેણે તૈજુલ ઈસ્મલની બોલિંગમાં લોંગ ઓફ પર એક શાનદાર સિક્સર ફટકારી, પરંતુ બીજા જ બોલ પર તે જ શોટ ફરીથી રમવાનો પ્રયાસ કરતી વખતે સંપૂર્ણપણે ચૂકી ગયો. બાંગ્લાદેશી વિકેટકીપર લિટન દાસે તેને સ્ટમ્પ કરવાની તક ગુમાવી દીધી . તે સમયે કોહલીએ માત્ર 34 રન બનાવ્યા હતા. જો કે આ પછી કોહલી વધુ સમય ટકી શક્યો નહીં અને અડધી સદી ચૂકી ગયો. તે 47 રન બનાવીને આઉટ થયો હતો.

આ પણ વાંચો: IND vs BAN: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, તોડ્યો સચિન તેંડુલકરનો શાનદાર રેકોર્ડ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">