AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ashes 2021 : ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ‘મડદાં’ ની રાખ ભરેલી ટ્રોફી માટે કેમ જામે છે ‘નાક’ ની લડાઇ, શુ છે એશિઝ સિરીઝ નો ઇતિહાસ? જાણો

એશિઝ શ્રેણી (Ashes Series) માત્ર ક્રિકેટ જ નહીં પરંતુ રમતગમતના ઈતિહાસની સૌથી જૂની સ્પર્ધા છે અને તેનો ઈતિહાસ પણ ઘણો રસપ્રદ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 08, 2021 | 11:38 AM
Share

 

ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ (Australia vs England) વચ્ચે 8 ડિસેમ્બરથી એશિઝ સિરીઝ (Ashes Series) શરૂ થઈ રહી છે. આ ક્રિકેટની સૌથી મોટી શ્રેણી કહેવાય છે જ્યાં લાગણીઓ ચરમસીમાએ હોય છે. ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ માટે ક્રિકેટમાં એશિઝ સિરીઝથી મોટું કંઈ નથી. આ શ્રેણી રમતગમતની દુનિયાની સૌથી જૂની અને સૌથી લાંબી ચાલતી સ્પર્ધાઓમાંની એક છે. એશિઝ શ્રેણી એકવાર ઈંગ્લેન્ડમાં અને એક વખત ઓસ્ટ્રેલિયામાં યોજાતી હોય છે. આ વખતે ઓસ્ટ્રેલિયામાં શ્રેણી યોજાઈ રહી છે અને પ્રથમ ટેસ્ટ બ્રિસ્બેનના ગાબા (Gabba Test)મેદાન પર રમાઇ રહી છે. એશિઝની આ 72મી શ્રેણી છે. બંને ટીમો દર બે વર્ષે સ્પર્ધા કરે છે અને એશિઝની વિજેતા, રમતની સૌથી ટૂંકી ટ્રોફી, પાંચ ટેસ્ટ મેચો દ્વારા નક્કી કરવામાં આવે છે. પરંતુ એશિઝની શરૂઆત ક્યાંથી થઈ અને શા માટે આ ટ્રોફી માટે ઈંગ્લેન્ડ-ઓસ્ટ્રેલિયામાં રોમાંચ ચરમ પર હોય છે.

ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ (Australia vs England) વચ્ચે 8 ડિસેમ્બરથી એશિઝ સિરીઝ (Ashes Series) શરૂ થઈ રહી છે. આ ક્રિકેટની સૌથી મોટી શ્રેણી કહેવાય છે જ્યાં લાગણીઓ ચરમસીમાએ હોય છે. ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ માટે ક્રિકેટમાં એશિઝ સિરીઝથી મોટું કંઈ નથી. આ શ્રેણી રમતગમતની દુનિયાની સૌથી જૂની અને સૌથી લાંબી ચાલતી સ્પર્ધાઓમાંની એક છે. એશિઝ શ્રેણી એકવાર ઈંગ્લેન્ડમાં અને એક વખત ઓસ્ટ્રેલિયામાં યોજાતી હોય છે. આ વખતે ઓસ્ટ્રેલિયામાં શ્રેણી યોજાઈ રહી છે અને પ્રથમ ટેસ્ટ બ્રિસ્બેનના ગાબા (Gabba Test)મેદાન પર રમાઇ રહી છે. એશિઝની આ 72મી શ્રેણી છે. બંને ટીમો દર બે વર્ષે સ્પર્ધા કરે છે અને એશિઝની વિજેતા, રમતની સૌથી ટૂંકી ટ્રોફી, પાંચ ટેસ્ટ મેચો દ્વારા નક્કી કરવામાં આવે છે. પરંતુ એશિઝની શરૂઆત ક્યાંથી થઈ અને શા માટે આ ટ્રોફી માટે ઈંગ્લેન્ડ-ઓસ્ટ્રેલિયામાં રોમાંચ ચરમ પર હોય છે.

1 / 6
એશિઝની શરૂઆત 1882 થી થઈ હતી. આ વર્ષે ઓવલમાં ઓસ્ટ્રેલિયાના હાથે ઈંગ્લેન્ડને પહેલીવાર હારનો સામનો કરવો પડ્યો હતો. આ હારથી બ્રિટિશ મીડિયા ચોંકી ઉઠ્યું હતું. ત્યાં ઈંગ્લેન્ડની ખૂબ ટીકા થઈ. એક અંગ્રેજી અખબારે એક શ્રદ્ધાંજલિ (કોઈના મૃત્યુ પછી શોક સંદેશ) પ્રકાશિત કર્યો અને તેની હેડલાઈન લખી - 'Death of English cricket' એટલે કે ઇંગ્લીશ ક્રિકેટનું મૃત્યુ. એ પણ લખ્યું કે મૃતદેહને દફનાવવામાં આવ્યો અને એશિઝ (રાખ) ઓસ્ટ્રેલિયા લઈ જવામાં આવશે.

એશિઝની શરૂઆત 1882 થી થઈ હતી. આ વર્ષે ઓવલમાં ઓસ્ટ્રેલિયાના હાથે ઈંગ્લેન્ડને પહેલીવાર હારનો સામનો કરવો પડ્યો હતો. આ હારથી બ્રિટિશ મીડિયા ચોંકી ઉઠ્યું હતું. ત્યાં ઈંગ્લેન્ડની ખૂબ ટીકા થઈ. એક અંગ્રેજી અખબારે એક શ્રદ્ધાંજલિ (કોઈના મૃત્યુ પછી શોક સંદેશ) પ્રકાશિત કર્યો અને તેની હેડલાઈન લખી - 'Death of English cricket' એટલે કે ઇંગ્લીશ ક્રિકેટનું મૃત્યુ. એ પણ લખ્યું કે મૃતદેહને દફનાવવામાં આવ્યો અને એશિઝ (રાખ) ઓસ્ટ્રેલિયા લઈ જવામાં આવશે.

2 / 6
આગળની વખતે જ્યારે ઈંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા પ્રવાસે ગયું ત્યારે એક મહિલાએ બેલ્સની જોડી સળગાવી અને તેની રાખ અત્તરની નાની બોટલમાં મૂકી દીધી. બાદમાં તે પરફ્યુમની બોટલના રૂપમાં નાની ટ્રોફી બની ગઈ. ત્યારથી માત્ર રાખ ધરાવતી આ નાની ટ્રોફી વિજેતાને આપવામાં આવે છે. દરમિયાન ખેલાડીઓને રેપ્લિકા આપવામાં આવે છે. મૂળ રાખ ધરાવતી ટ્રોફી લંડનમાં મેરીલબોન ક્રિકેટ ક્લબના મ્યુઝિયમમાં રાખવામાં આવી છે.

આગળની વખતે જ્યારે ઈંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા પ્રવાસે ગયું ત્યારે એક મહિલાએ બેલ્સની જોડી સળગાવી અને તેની રાખ અત્તરની નાની બોટલમાં મૂકી દીધી. બાદમાં તે પરફ્યુમની બોટલના રૂપમાં નાની ટ્રોફી બની ગઈ. ત્યારથી માત્ર રાખ ધરાવતી આ નાની ટ્રોફી વિજેતાને આપવામાં આવે છે. દરમિયાન ખેલાડીઓને રેપ્લિકા આપવામાં આવે છે. મૂળ રાખ ધરાવતી ટ્રોફી લંડનમાં મેરીલબોન ક્રિકેટ ક્લબના મ્યુઝિયમમાં રાખવામાં આવી છે.

3 / 6
છેલ્લી વખત એશિઝ સિરીઝ વર્ષ 2019માં ઈંગ્લેન્ડમાં યોજાઈ હતી. ત્યારે શ્રેણી 2-2 થી બરાબર થઈ હતી. 1972 પછી તે પહેલી વખત હતુ, જ્યારે શ્રેણી ટાઈ થઈ હતી. પરંતુ એશિઝ શ્રેણી ઓસ્ટ્રેલિયા પાસે રહી કારણ કે તેણે 2017માં આ ટ્રોફી જીતી હતી. ઇંગ્લેન્ડે છેલ્લી વખત 2015માં એશિઝ જીતી હતી. અત્યાર સુધીમાં 71 એશિઝ શ્રેણી રમાઈ છે. જેમાંથી ઓસ્ટ્રેલિયા 33 વખત અને ઈંગ્લેન્ડ 32 વખત જીત્યું છે. છ શ્રેણી ડ્રો રહી છે. તેથી, વર્ષ 2021 ની શ્રેણી ઘણી મહત્વપૂર્ણ રહેશે.

છેલ્લી વખત એશિઝ સિરીઝ વર્ષ 2019માં ઈંગ્લેન્ડમાં યોજાઈ હતી. ત્યારે શ્રેણી 2-2 થી બરાબર થઈ હતી. 1972 પછી તે પહેલી વખત હતુ, જ્યારે શ્રેણી ટાઈ થઈ હતી. પરંતુ એશિઝ શ્રેણી ઓસ્ટ્રેલિયા પાસે રહી કારણ કે તેણે 2017માં આ ટ્રોફી જીતી હતી. ઇંગ્લેન્ડે છેલ્લી વખત 2015માં એશિઝ જીતી હતી. અત્યાર સુધીમાં 71 એશિઝ શ્રેણી રમાઈ છે. જેમાંથી ઓસ્ટ્રેલિયા 33 વખત અને ઈંગ્લેન્ડ 32 વખત જીત્યું છે. છ શ્રેણી ડ્રો રહી છે. તેથી, વર્ષ 2021 ની શ્રેણી ઘણી મહત્વપૂર્ણ રહેશે.

4 / 6
 ઓસ્ટ્રેલિયાએ તાજેતરના વર્ષોમાં એશિઝમાં પ્રભુત્વ જમાવ્યું છે. આ ટીમે 2013-14માં શ્રેણી 5-0 થી જીતી હતી. અગાઉ 2006-07માં તેને 4-0 થી સફળતા મળી હતી. આ શ્રેણી પહેલા, તે 20 વર્ષ પહેલા સુધી પ્રભાવશાળી હતો. ત્યારબાદ 10 માંથી 9 વખત ઓસ્ટ્રેલિયાને સફળતા મળી. 2005 માં જ્યારે ઈંગ્લેન્ડે એશિઝ જીતી ત્યારે ભારે હોબાળો થયો હતો. કારણ કે આનાથી ઓસ્ટ્રેલિયાનું વર્ચસ્વ ખતમ થઈ ગયું હતું.

ઓસ્ટ્રેલિયાએ તાજેતરના વર્ષોમાં એશિઝમાં પ્રભુત્વ જમાવ્યું છે. આ ટીમે 2013-14માં શ્રેણી 5-0 થી જીતી હતી. અગાઉ 2006-07માં તેને 4-0 થી સફળતા મળી હતી. આ શ્રેણી પહેલા, તે 20 વર્ષ પહેલા સુધી પ્રભાવશાળી હતો. ત્યારબાદ 10 માંથી 9 વખત ઓસ્ટ્રેલિયાને સફળતા મળી. 2005 માં જ્યારે ઈંગ્લેન્ડે એશિઝ જીતી ત્યારે ભારે હોબાળો થયો હતો. કારણ કે આનાથી ઓસ્ટ્રેલિયાનું વર્ચસ્વ ખતમ થઈ ગયું હતું.

5 / 6
એશિઝ સિરીઝ 2021 ની શરુઆત ઇંગ્લેન્ડ માટે ખરાબ રહી છે. ટોસ જીતીને પ્રથમ દાવ લેતા ઇંગ્લેન્ડનો પ્રથમ દાવ માત્ર 147 રન ના સ્કોર પર જ સમેટાઇ ગયો હતો. રોરી બર્ન્સ, કેપ્ટન જો રૂટ શૂન્ય પર વિકેટ ગુમાવી બેસતા 29 રનમાંજ ઇંગ્લીશ ટીમે 4 વિકેટ ગુમાવી દીધી હતી. મેચમાં વરસાદે વિક્ષેપ સર્જ્યો છે.

એશિઝ સિરીઝ 2021 ની શરુઆત ઇંગ્લેન્ડ માટે ખરાબ રહી છે. ટોસ જીતીને પ્રથમ દાવ લેતા ઇંગ્લેન્ડનો પ્રથમ દાવ માત્ર 147 રન ના સ્કોર પર જ સમેટાઇ ગયો હતો. રોરી બર્ન્સ, કેપ્ટન જો રૂટ શૂન્ય પર વિકેટ ગુમાવી બેસતા 29 રનમાંજ ઇંગ્લીશ ટીમે 4 વિકેટ ગુમાવી દીધી હતી. મેચમાં વરસાદે વિક્ષેપ સર્જ્યો છે.

6 / 6

 

 

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">