New Year History : ન્યુ યર 1 જાન્યુઆરીએ જ કેમ ઉજવવામાં આવે ? જાણો ઈતિહાસ
નવા વર્ષની શુભકામનાઓની સાથે આજે જાણીએ કે, English (Gregorian) Calendar અનુસાર ન્યુયર સેલિબ્રેશનની પરંપરા ક્યારે અને કેવી રીતે ક્યાંથી શરુ થઈ તેના વિશે વિસ્તારથી જાણીએ.

1 જાન્યુઆરીએ નવા વર્ષની ઉજવણીનો ઇતિહાસ ખૂબ જ રસપ્રદ છે. પ્રાચીન રોમન કેલેન્ડરથી, જુલિયસ સીઝરના કેલેન્ડરથી અને ગ્રેગોરિયન કેલેન્ડરથી, આ તારીખ વર્ષની શરૂઆત બની.

તો ચાલો જાણીએ ન્યુયરની શરુઆત ક્યારથી થઈ? New Year સેલિબ્રેશનની પરંપરા પ્રાચીન રોમમાં મૂળ ધરાવે છે. સૌપ્રથમ સંગઠિત નવા વર્ષની ઉજવણી રોમનો દ્વારા 153 બીસીની આસપાસ શરૂ કરવામાં આવી હતી. તે સમયે 1 જાન્યુઆરીને નવા વર્ષનો દિવસ માનવામાં આવતો હતો કારણ કે તે દિવસે રોમન કોન્સલ (સરકારી અધિકારીઓ) પદ સંભાળતા હતા.

વર્ષના 12 મહિના છે તો જાન્યુઆરી 1 કેમ પસંદ કરવામાં આવી? તો જાન્યુઆરી મહિનાના નામ Roman God “Janus” થી લખવામાં આવ્યા છે. Janusને શરુઆત અને અંતના દેવતા, અતીત અને ભવિષ્યને જોનારા દેવતા માનવામાં આવતા હતા.Janusના 2 ચેહરા હતા, એક પાછળની તરફ અને એક આગળની તરફ આ પ્રતિકને કારણે નવા આરંભ માટે પ્રથમ જાન્યુઆરી પસંદ કરવામાં આવી હતી.

Julian Calendar અને New Year 46 BCમાં Julius Caesarએ Julian Calendar લાગુ કર્યો છે. આ કેલેન્ડરમાં 1 જાન્યુઆરીને ન્યુયર તરીકે જાહેર કરવામાં આવ્યું હતુ. રોમન સામ્રાજ્યના ફેલાવાની સાથે આ પરંપરા યુરોપમાં ફેલાય હતી.

Middle Agesમાં ફેરફાર થયો. મધ્યકાળમાં ઈસાઈ ચર્ચે ન્યુયરને અલગ અલગ તારીખો પર મનાવવાનું શરુ કર્યું જેમ કે,25 March, Easter વગેરે, આ માટે યુરોપના અલગ અલગ દેશોમાં અલગ અલગ ન્યુયર તારીખ પ્રચલિત થઈ હતી,

Gregorian Calendar અને આજનું New Year1582માં Pope Gregory XIIIએ Gregorian Calendar લાગુ કર્યો હતો. જેમાં 1 Januaryને ફરીથી New Year Day જાહેર કરવામાં આવ્યો હતો.ધીમે ધીમે યુરોપ પછી આખી દુનિયાએ આ કેલેન્ડરનો સ્વીકાર કર્યો હતો.

ભારતીય ફિલ્મોમાં New Year Celebration ની વાત કરીએ તો. રાજકપુર અને દેવ આનંદના કાળની ફિલ્મોમાં ન્યુયર પાર્ટીઓ અને વેસ્ટર્ન કલ્ચરની ઝલક જોવા મળી હતી. 1960ની આસપાસ હિન્દી ફિલ્મોમાં ન્યુયર સેલિબ્રેશનને એક શહેરી ઉત્સવના રુપમાં દેખાડ્યું.

ભારતીય સંસ્કૃતિમાં, વૈજ્ઞાનિક આધારો અને પ્રકૃતિમાં થતા ફેરફારોના આધારે, આવનારું નવું વર્ષ વર્ષના વિવિધ સમયે ઉજવવામાં આવે છે, જેમ કે ચૈત્ર પ્રતિપદા, વૈશાખી, ઉગાદી અને પોઈલા વૈશાખ. આ એવા સમય છે જ્યારે પ્રકૃતિમાં પરિવર્તન અને ગ્રહોની ગતિ થાય છે, જે ફક્ત દિવાલ પર લટકાવેલા કેલેન્ડરને જ નહીં, પરંતુ પૃથ્વી પરના દરેક જીવંત પ્રાણીને સીધી અસર કરે છે. (all photo : canva)
જનરલ નોલેજનો અર્થ છે વિવિધ વિષયો અને તથ્યોની વ્યાપક સમજ અને જાગૃતિ. જનરલ નોલેજમાં ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, સાહિત્ય, વર્તમાન બાબતો સહિતના વિષયોનો સમાવેશ થાય છે. અહી ક્લિક કરો
