Health: તુલસી સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ જ ફાયદાકારક છે, પરંતુ કેટલીક સમસ્યાઓમાં તેનું સેવન ન કરવુ જોઇએ
આયુર્વેદમાં તુલસીને ઔષધીય ગુણોનો ભંડાર માનવામાં આવે છે. તુલસીનો ઉપયોગ તમામ રોગોની સારવાર માટે થાય છે. પરંતુ કેટલાક ખાસ સંજોગોમાં તુલસીનું સેવન તમારા માટે મુશ્કેલી વધારી શકે છે.


તુલસીનો છોડ દરેક ઘરમાં સરળતાથી મળી જશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તુલસીના ઘણા ફાયદા છે. આયુર્વેદમાં તુલસીના પાનનો ઉપયોગ તમામ રોગોને દૂર કરવા માટે કરવામાં આવે છે. પરંતુ કેટલીક બીમારીઓમાં તુલસીના સેવનથી સમસ્યા વધી શકે છે, જેના વિશે લોકો જાણતા નથી.

તુલસીના પાન લોહીને પાતળું કરે છે. જો તમને ઈજા થઈ હોય અને લોહી નીકળતું હોય તો તમારે તુલસીનું સેવન ન કરવું જોઈએ. આ સિવાય જો તમે કોઈ સર્જરી કરાવવા જઈ રહ્યા હોવ તો થોડા સમય પહેલા તુલસીનું સેવન બંધ કરી દો.

દરેક વસ્તુનું સેવન મર્યાદિત માત્રામાં કરવું જોઈએ. ઘણી વખત લોકો લાભ મેળવવા માટે તેનો વધુ ઉપયોગ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે તુલસીના વધુ પડતા સેવનથી સ્ત્રી અને પુરૂષ બંનેની પ્રજનન ક્ષમતા પર અસર પડી શકે છે. તેનાથી શુક્રાણુઓની સંખ્યા ઘટી શકે છે. તેમજ સ્ત્રીઓમાં ગર્ભાશયમાં ફળદ્રુપ ઇંડા રહેવાની સંભાવના પણ ઓછી થઈ શકે છે. જો તમે વંધ્યત્વની સારવાર કરાવી રહ્યા છો, તો તજજ્ઞની સલાહ લીધા પછી જ તુલસીનું સેવન કરો.

તુલસી પ્રકૃતિમાં ગરમ હોય છે, તેથી સગર્ભા સ્ત્રીઓએ તેનું વધુ પડતું સેવન ન કરવું જોઈએ. તુલસીમાં યુજેનોલ જોવા મળે છે, જેના કારણે ગર્ભાશયમાં સંકોચન થઈ શકે. તે કસુવાવડનું જોખમ પણ વધારી શકે છે. આવી સ્થિતિમાં, તુલસીનું સેવન કરતા પહેલા, ચોક્કસ તજજ્ઞની સલાહ લો.

તુલસીનું સેવન કરતા હોવ તો તેને ક્યારેય દાંત વડે ચાવવું નહીં. તુલસીના પાનમાં પારો હોય છે, તે દાંત માટે સારો માનવામાં આવતું નથી. તુલસીના પાનમાં આર્સેનિક પણ જોવા મળે છે, જે દાંતને નુકસાન પહોંચાડે છે. તુલસીનું સેવન હંમેશા પાણી અથવા અન્ય કોઈ વસ્તુ સાથે ગળી જઇને કરો અથવા તેને પાણી અથવા ચામાં ઉકાળો.

































































