Telangana: ભદ્રકાલી મંદિરમાં પૂજા, ગાયોને ચારો ખવડાવ્યો, તેલંગાણામાં જોવા મળ્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભક્તિનો અનોખો નજારો
ભદ્રકાલી મંદિરમાં પૂજા અર્ચના કર્યા બાદ વડાપ્રધાન મોદીએ તેલંગાણાના લોકોને 6,100 રૂપિયાના પ્રોજેક્ટની ભેટ આપી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે તેલંગાણાની રાજધાની હૈદરાબાદ પહોંચ્યા હતા. અહીંથી તેઓ હેલિકોપ્ટર દ્વારા ઐતિહાસિક વારંગલ શહેર ગયા હતા.

આ દરમિયાન પીએમ સાથે કેન્દ્રીય પર્યટન મંત્રી અને તેલંગાણા BJP અધ્યક્ષ જી કિશન રેડ્ડી સહિત અન્ય નેતાઓ હાજર રહ્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારંગલ શહેરના ભદ્રકાલી મંદિર પહોંચ્યા હતા. અહીં ઘણા લોકો તેમનું સ્વાગત કરવા ઉભા જોવા મળ્યા હતા. પીએમએ પણ તેમનું અભિવાદન સ્વીકાર્યું હતું.

PM મોદીએ ભદ્રકાળી મંદિરમાં વિશેષ પૂજા-અર્ચના કરી હતી. આ દરમિયાન તેઓ લાલ શાલ ઓઢીને મંદિરની બાજુથી પસાર થયા હતા. પરંપરાગત વાદ્યો વગાડતા લોકો તેમની બંને બાજુ ઉભા હતા.

ભદ્રકાલી મંદિરમાં વિશેષ પૂજા કરતા પહેલા વડાપ્રધાન મોદીએ ગૌશાળાની મુલાકાત લીધી હતી. PM ગૌશાળામાં ગાયોને ઘાસચારો ખવડાવતા જોવા મળ્યા હતા.

વડાપ્રધાન મોદીની સાથે મંદિરના પૂજારીઓ પણ સાથે હતા અને તેમને ઘાસચારો આપી રહ્યા હતા. પીએમ મોદીએ ખૂબ જ પ્રેમથી ગાયોને ચારો ખવડાવ્યો હતો.

ગાયની સેવા કર્યા બાદ તેઓ મંદિરની અંદર પ્રવેશ્યા હતા. આ તસવીરમાં ભદ્રકાળી મંદિરમાં હાજર માતાની મૂર્તિના દર્શન થાય છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભદ્રકાળી મંદિરમાં વિશેષ પ્રાર્થના કરી હતી. તેમણે મંદિરમાં દીવો પ્રગટાવ્યો અને માતાના ચરણોમાં શીશ નમાવી આશીર્વાદ લીધા હતા.

ભદ્રકાલી મંદિરમાં પૂજા અર્ચના કર્યા બાદ વડાપ્રધાન મોદીએ તેલંગાણાના લોકોને 6,100 રૂપિયાના પ્રોજેક્ટની ભેટ આપી હતી.