Iran Israel War Breaking: ખામેનીના મૃત્યુ પછી ઈરાને કહ્યું – યુદ્ધ ચાલુ રહેશે, અમે બદલો લઈશું
ઈઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધ ચાલુ છે. દરમિયાન, ઈરાની પ્રેસ ટીવીનો દાવો છે કે અત્યાર સુધીમાં 14 અમેરિકી ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા છે. ઈરાનના જવાબી હુમલામાં સેંકડો અમેરિકન સૈનિકો માર્યા ગયા છે. અમેરિકન મીડિયાએ પણ આ વાતની પુષ્ટિ કરી છે.

શનિવારે સવારે ઇઝરાયલે ઇરાનની રાજધાની તેહરાન સહિત અનેક શહેરો પર હુમલો કર્યો. હુમલાઓ બાદ શહેરમાં ધુમાડાના ગોટા દેખાતા હતા. આ હુમલાઓ ખાસ કરીને રાષ્ટ્રપતિને લક્ષ્ય બનાવીને કરવામાં આવ્યા હતા.
ઈરાને 14 અમેરિકી ઠેકાણાઓને નિશાન બનાવ્યા, જેમાં સેંકડો અમેરિકન સૈનિકો માર્યા ગયા
ઈઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધ ચાલુ છે. દરમિયાન, ઈરાની પ્રેસ ટીવીનો દાવો છે કે અત્યાર સુધીમાં 14 અમેરિકી ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા છે. ઈરાનના જવાબી હુમલામાં સેંકડો અમેરિકન સૈનિકો માર્યા ગયા છે. અમેરિકન મીડિયાએ પણ આ વાતની પુષ્ટિ કરી છે.
દુબઈ જતી ફ્લાઇટ્સ સ્થગિત કરવામાં આવી
ઇઝરાયલ-ઈરાની સંઘર્ષ વચ્ચે ઇટાલીના સંરક્ષણ પ્રધાન અને તેમનો પરિવાર દુબઈમાં ફસાયેલા છે. અમેરિકા અને ઇઝરાયલી દ્વારા ઈરાન પરના હુમલા બાદ, દુબઈ જતી ફ્લાઇટ્સ સ્થગિત કરવામાં આવી છે. દરમિયાન અહેવાલો બહાર આવી રહ્યા છે કે ઇટાલીના સંરક્ષણ પ્રધાન ગુઇડો ક્રોસાટો અને તેમનો પરિવાર દુબઈમાં ફસાયેલા છે. તેઓ તેમના પરિવારને મળવા માટે પ્રવાસ પર હતા. તેઓ હાલમાં દુબઈમાં સલામત સ્થળે તેમની સાથે રહી રહ્યા છે.
સુપ્રીમ લીડર ખામેનેઈની હત્યા, ઈરાન 40 દિવસનો પાળશે શોક
ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ ખામેનેઈની અમેરિકા-ઈઝરાયલ હુમલામાં હત્યા થઈ છે. ઈરાની પ્રેસ ટીવીએ આ વાતની પુષ્ટિ કરી છે. ખામેનીના મૃત્યુ બાદ ઈરાને 40 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે.
ખામેનેઈના મૃત્યુ બાદ, ઈરાને યુદ્ધ ચાલુ રાખવાની જાહેરાત કરી, બદલો લેશે
સર્વોચ્ચ લીડર આયાતુલ્લાહ અલી ખામેનેઈના મૃત્યુ બાદ, ઈરાને યુદ્ધ ચાલુ રાખવાની જાહેરાત કરી છે. ઈરાને કહ્યું છે કે તે ખામેનેઈના મૃત્યુનો બદલો લેશે. પરિણામે એવું માનવામાં આવે છે કે અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધ હજુ ઘણા દિવસો સુધી ચાલુ રહી શકે છે.
