Breaking News: રેશનકાર્ડ ધારકોની લોટરી લાગી! એપ્રિલમાં મળશે 3 ગણું મફત અનાજ, મોદી સરકારની મોટી જાહેરાત
સરકારે રેશનકાર્ડ ધારકો માટે 'જેકપોટ' જાહેર કર્યો છે! એપ્રિલમાં જ આગામી 3 મહિનાનું રાશન મળી જશે. સાથે જ 41 લાખ નકલી કાર્ડ રદ કરીને સરકારે મોટી કાર્યવાહી કરી છે.

3 મહિનાનું રાશન એકસાથે, કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે એપ્રિલ 2026 માટે ઐતિહાસિક નિર્ણય લીધો છે. હવે લાભાર્થીઓને એપ્રિલ, મે અને જૂન મહિનાનું અનાજ એપ્રિલમાં જ એકસાથે આપી દેવામાં આવશે. આ અંગે ખાદ્ય વિભાગે સોશિયલ મીડિયા 'X' પર સત્તાવાર પુષ્ટિ કરી છે.

નકલી રેશનકાર્ડ પર સર્જિકલ સ્ટ્રાઈક, સરકારે વર્ષ 2025માં દેશભરમાંથી 41.41 લાખ અપાત્ર અને નકલી રેશનકાર્ડ રદ કર્યા છે. હરિયાણામાં સૌથી વધુ 13.43 લાખ કાર્ડ રદ થયા છે, જ્યારે રાજસ્થાન, યુપી અને પશ્ચિમ બંગાળમાં પણ હજારો લોકોના નામ યાદીમાંથી કમી કરવામાં આવ્યા છે.

જાહેર વિતરણ પ્રણાલી (PDS) હવે સંપૂર્ણપણે ડિજિટલ બની ગઈ છે. દેશના 99.2% લાભાર્થીઓના રેશનકાર્ડ આધાર સાથે લિંક કરી દેવામાં આવ્યા છે, જેના કારણે અનાજની ચોરી અટકાવવામાં સરકારને મોટી સફળતા મળી છે.

દેશની લગભગ તમામ વાજબી ભાવની દુકાનો (FPS) પર હવે ePOS મશીન દ્વારા જ અનાજ વિતરણ થાય છે. બાયોમેટ્રિક વેરિફિકેશનને કારણે હવે જેનું નામ છે તેને જ અનાજ મળે છે, વચેટિયાઓની ભૂમિકા ખતમ થઈ ગઈ છે.

એક તરફ રાશનની ખુશખબર છે, તો બીજી તરફ ઇન્ટરનેટ પર જોખમ તોળાઈ રહ્યું છે. 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ'માં જો દરિયાઈ કેબલ કપાય તો ડિજિટલ વ્યવહારો અને PDS સિસ્ટમ પર તેની ગંભીર અસર પડી શકે છે.
Breaking News: મોંઘવારીનો ડબલ ડોઝ: યુદ્ધના કારણે તમારા ખિસ્સા પર પડશે સીધો માર, AC થી લઈને દૂધ-પાણી બધું જ થશે મોંઘુ!, વાંચવા માટે અહીં ક્લિક કરો
