AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સોમનાથ ટ્રસ્ટના પ્રમુખ એવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 74માં જન્મદિને સોમનાથમાં આયુષ્ય જાપ, મહાપૂજા અને 73 કિલો લાડુનો ભોગ ધરાવાયો- જુઓ Photos

Gir Somnath: સોમનાથ ટ્રસ્ટના પ્રમુખ એવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 74માં જન્મદિને સોમનાથમાં આયુષ્ય જાપ, મહાપૂજા, ધ્વજા પૂજા અને 73 કિલો લાડુનો ભોગ ધરાવવામાં આવ્યો અને આ લાડુનુ દિવ્યાંગ ગૃહ, ગૌશાળા અને ગૌ-હોસ્પિટલમાં વિતરણ કરાયુ હતુ. PM મોદીના જન્મદિને સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જેડી પરમારે ભારત માટે લખેલી કવિતા PM મોદીને સમર્પિત કરી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 17, 2023 | 6:38 PM
સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદી સમગ્ર તીર્થનો સર્વાંગી વિકાસ કરી રહ્યા છે, ત્યારે વિશ્વને નેતૃત્વ કરતો ભારત દેશ પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં સદાય અગ્રેસર રહે અને પ્રધાનમંત્રી  નરેન્દ્ર  મોદીને ભગવાન સોમનાથ દીર્ઘ અને નિરામય આયુષ્ય અર્પે તેમના ધારેલા કાર્યો સફળ રહે તેવી પ્રાર્થના સાથે સોમનાથ મહાદેવને સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જેડી પરમારના હસ્તે પૂજા સામગ્રી અને વસ્ત્ર પરિધાન અર્પણ કરવામાં આવ્યા હતા.

સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સમગ્ર તીર્થનો સર્વાંગી વિકાસ કરી રહ્યા છે, ત્યારે વિશ્વને નેતૃત્વ કરતો ભારત દેશ પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં સદાય અગ્રેસર રહે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ભગવાન સોમનાથ દીર્ઘ અને નિરામય આયુષ્ય અર્પે તેમના ધારેલા કાર્યો સફળ રહે તેવી પ્રાર્થના સાથે સોમનાથ મહાદેવને સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જેડી પરમારના હસ્તે પૂજા સામગ્રી અને વસ્ત્ર પરિધાન અર્પણ કરવામાં આવ્યા હતા.

1 / 8
સોમનાથ મંદિરના પૂજારીઓ તેમજ સ્થાનિક તીર્થ પુરોહિતો દ્વારા દેશના  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે તેમના દીર્ઘ આયુષ્ય અને કુશળક્ષેમની કામના સાથે આયુષ્ય મંત્ર જાપ કરવામાં આવ્યા હતા.

સોમનાથ મંદિરના પૂજારીઓ તેમજ સ્થાનિક તીર્થ પુરોહિતો દ્વારા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે તેમના દીર્ઘ આયુષ્ય અને કુશળક્ષેમની કામના સાથે આયુષ્ય મંત્ર જાપ કરવામાં આવ્યા હતા.

2 / 8
સોમનાથ મહાદેવની ધ્વજાપૂજા યશ આપનારી અને મનોકામના પૂર્ણ કરવાવાળી કહેવામાં આવે છે.

સોમનાથ મહાદેવની ધ્વજાપૂજા યશ આપનારી અને મનોકામના પૂર્ણ કરવાવાળી કહેવામાં આવે છે.

3 / 8
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના યશની સતત વૃદ્ધિ થાય અને ઈશ્વર તેમના ધારેલા દરેક કાર્ય સફળ બનાવે તેવી પ્રાર્થના સાથે સોમનાથ ટ્રસ્ટ પરિવાર અને સ્થાનિક અગ્રણીઓ દ્વારા મહાદેવને નૂતન ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના યશની સતત વૃદ્ધિ થાય અને ઈશ્વર તેમના ધારેલા દરેક કાર્ય સફળ બનાવે તેવી પ્રાર્થના સાથે સોમનાથ ટ્રસ્ટ પરિવાર અને સ્થાનિક અગ્રણીઓ દ્વારા મહાદેવને નૂતન ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું.

4 / 8
સોમનાથ મહાદેવને મધ્યાહન આરતી પહેલા 1 કિલોનો એક એવા 73 લાડુ ભોગ લગાવવામાં આવ્યા હતા.

સોમનાથ મહાદેવને મધ્યાહન આરતી પહેલા 1 કિલોનો એક એવા 73 લાડુ ભોગ લગાવવામાં આવ્યા હતા.

5 / 8
સંધ્યા સમયે સોમનાથ મહાદેવને દીપમાળાથી શોભિત કરાશે.

સંધ્યા સમયે સોમનાથ મહાદેવને દીપમાળાથી શોભિત કરાશે.

6 / 8
મહાદેવને ભોગ ધારવાયેલા આ લાડુ  સોમનાથ ટ્રસ્ટ દ્વારા નિરાધારનો આધાર આશ્રમ ખાતે મનો દિવ્યાંગોને, દ્વારકાધીશ ગૌશાળા હોસ્પિટલ ખાતે અતી બીમાર ગૌમાતાઓને તેમજ સોમનાથ ટ્રસ્ટની ગૌશાળાને પ્રસાદ સ્વરૂપે ખવડાવવામાં આવ્યા હતા.

મહાદેવને ભોગ ધારવાયેલા આ લાડુ સોમનાથ ટ્રસ્ટ દ્વારા નિરાધારનો આધાર આશ્રમ ખાતે મનો દિવ્યાંગોને, દ્વારકાધીશ ગૌશાળા હોસ્પિટલ ખાતે અતી બીમાર ગૌમાતાઓને તેમજ સોમનાથ ટ્રસ્ટની ગૌશાળાને પ્રસાદ સ્વરૂપે ખવડાવવામાં આવ્યા હતા.

7 / 8
 PM મોદીના જન્મદિને સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જેડી પરમારે ભારત માટે લખેલી કવિતા PM મોદીને સમર્પિત કરી હતી. Input Credit- Yogesh Joshi- Gir Somnath

PM મોદીના જન્મદિને સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જેડી પરમારે ભારત માટે લખેલી કવિતા PM મોદીને સમર્પિત કરી હતી. Input Credit- Yogesh Joshi- Gir Somnath

8 / 8
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">