Ahmedabad: સાયન્સ સિટી ખાતે મિશન ચંદ્ર સ્પર્ધાનું કરાયુ આયોજન, વિદ્યાર્થીઓ જાતે બનાવ્યા ચંદ્રયાનના લેન્ડર અને રોવર
ચંદ્ર હંમેશા આપણી કલ્પનાઓમાં અને આપણા દિવસોમાં વિશેષ સ્થાન ધરાવે છે. પુરાણો, લોકકથાઓથી લઈને સાહિત્યિક રચનાઓ અને ખગોળ વિજ્ઞાનમાં પણ ચંદ્ર હંમેશા આપના જીવનનો મહત્વનો ભાગ રહ્યો છે. પરંતુ દૂરથી ચમકતા ચંદ્ર પર શું છે? અને ત્યાં કેવી સ્થિતિ છે તેના અંગે સચોટ માહિતી હજુ સુધી કોઈને મળી શકી નથી.

ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત સાયન્સ સિટી ખાતે શનિવારે મિશન ચંદ્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું.

ચંદ્ર હંમેશા આપણી કલ્પનાઓમાં અને આપણા દિવસોમાં વિશેષ સ્થાન ધરાવે છે. પુરાણો, લોકકથાઓથી લઈને સાહિત્યિક રચનાઓ અને ખગોળ વિજ્ઞાનમાં પણ ચંદ્ર હંમેશા આપના જીવનનો મહત્વનો ભાગ રહ્યો છે. પરંતુ દૂરથી ચમકતા ચંદ્ર પર શું છે? અને ત્યાં કેવી સ્થિતિ છે તેના અંગે સચોટ માહિતી હજુ સુધી કોઈને મળી શકી નથી. ત્યારે આ માહિતી એકત્ર કરવા માટે ઈસરો દ્વારા 14 જુલાઈએ ચંદ્રયાન-3નું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.

ભારતનુ ગૌરવ ચંદ્રયાન-3નું લેન્ડર હવે ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડ થવા જઈ રહ્યું છે. જેને લઈને ઈસરો, કન્ટ્રોલર ઓફ કોમ્યુનિકેશન એકાઉન્ટ્સ -ગુજરાત, ગુજકોસ્ટ અને ગુજરાત સાયન્સ સિટીના સંયુક્ત ઉપક્રમે મિશન ચન્દ્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું.

સ્પર્ધામાં સમગ્ર ગુજરાતમાંથી જુદી જુદી એન્જિનિયરિંગ કોલેજના ખગોળશાસ્ત્રમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. જ્યાં જુદી જુદી કોલેજો ના વિદ્યાર્થીઓએ પોતાની જાતે બનાવેલા ચંદ્રયાન-3ના લેન્ડર અને રોવરના મોડેલ નિષ્ણાતો સમક્ષ રજૂ કર્યા હતા. જે એક આકર્ષણનું કેન્દ્ર પણ બન્યા હતા. જેના કારણે સાયન્સ સીટી ખાતે એક અલગ માહોલ ઉભો થયો હતો.

ગુજરાત સાયન્સ સિટી ઓડિટોરિયમ ખાતે યોજાયેલી આ સ્પર્ધાનું પરિણામ 22 ઓગસ્ટના દિવસે રજૂ કરાશે. જેમાં વિજેતા થનાર વિદ્યાર્થીઓને 1 લાખ રૂપિયા સુધીના પુરસ્કાર આપવામાં આવશે. આ ઉપરાંત તેમને અમદાવાદના ઈસરો કેન્દ્રમાં ઈન્ટર્નશિપની તક પણ આપવામાં આવશે.