Mehsana : રાઈટ ટુ વડનગર અંતર્ગત ધરોઈથી વડનગર સુધીની સાયકલ યાત્રા યોજાઇ
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને ગુજરાત ટુરિઝમનાં સંયુક્ત ઉપક્રમે "રાઈટ ટુ વડનગર" અંતર્ગત ધરોઈ થી વડનગર સુધીની ૪૫ કી.મી ની સાયકલ યાત્રા આજે યોજાઈ હતી. જેમાં યાત્રા ધરોઈ થી હરી ઝંડી આપીને રવાના કરવામાં આવી હતી. આ સાયકલ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય ફીટ ઇન્ડિયા,ક્લીન ઇન્ડિયા છે. રાઈડ ટુ વડનગર સાયકલ યાત્રા ધરોઈ ડેમથી શરૂ થઈને સતલાસણા,સતલાસણાથી ખેરાલુ,ખેરાલુથી ઐતિહાસિક નગરી વડનગર અને વડનગરના શર્મિષ્ઠા તળાવ ખાતે સમાપ્ત થઈ હતી.

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને ગુજરાત ટુરિઝમનાં સંયુક્ત ઉપક્રમે "રાઈટ ટુ વડનગર" અંતર્ગત ધરોઈ થી વડનગર સુધીની ૪૫ કી.મી ની સાયકલ યાત્રા આજે યોજાઈ હતી.

યાત્રા ધરોઈ થી હરી ઝંડી આપીને રવાના કરવામાં આવી હતી. આ સાયકલ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય ફીટ ઇન્ડિયા,ક્લીન ઇન્ડિયા છે.

રાઈડ ટુ વડનગર સાયકલ યાત્રા ધરોઈ ડેમથી શરૂ થઈને સતલાસણા,સતલાસણાથી ખેરાલુ,ખેરાલુથી ઐતિહાસિક નગરી વડનગર અને વડનગરના શર્મિષ્ઠા તળાવ ખાતે સમાપ્ત થઈ હતી.

ઊંઝાના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ અને જીલ્લા કલેકટર એમ.નાગરાજને સાયકલ યાત્રામાં જોડાયેલા સ્પર્ધકોનો ઉત્સાહ વધારીને શુભકામનાઓ પાઠવી હતી.

જીલ્લાના પોલીસ વડા અચલ ત્યાગી સાયકલ યાત્રામાં જોડાઈને સાયકલ યાત્રામાં જોડાયેલા સ્પર્ધકોનો ઉત્સાહ વધાર્યો હતો.

સાયકલ યાત્રીઓ માટે પાણીની,એનર્જી ડ્રીંક્સની વ્યવસ્થા કરવામાં આવી હતી.

શર્મિષ્ઠા તળાવ ખાતે સાયકલ યાત્રામાં વિજેતા પામેલા સાયકલ વીરોને સન્માનિત કરી સાયકલ યાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું.