મા અન્નપૂર્ણાના આશીર્વાદ જોઈતા હોય તો રસોડાની આ ‘5 વસ્તુ’ ક્યારેય ખાલી ન કરતા, જાણો સુખ-સમૃદ્ધિ વધારવાનો આ ‘વાસ્તુ નિયમ’
વાસ્તુશાસ્ત્ર અનુસાર, રસોડામાં રાખેલી વસ્તુઓ આપણા નસીબ અને આર્થિક સ્થિતિ પર સીધી અસર કરે છે. એવામાં ઘરની બરકત અને સુખ-સમૃદ્ધિ જાળવી રાખવા માટે રસોડાના આ 5 ડબ્બા ક્યારેય ખાલી ન થવા દેવા જોઈએ.

સનાતન પરંપરા અનુસાર, 'રસોડું' માત્ર ભોજન બનાવવાની જગ્યા નથી પરંતુ ઘરની સમૃદ્ધિ અને ખુશહાલીનું કેન્દ્ર હોય છે. કહેવાય છે કે, મા અન્નપૂર્ણાના આશીર્વાદ જે ઘરના રસોડા પર બનેલા રહે છે, ત્યાં ધન-ધાન્યની કમી નથી હોતી. એવી માન્યતા છે કે, રસોડામાં હાજર કેટલીક જરૂરી વસ્તુઓ ક્યારેય પૂરેપૂરી ખતમ ન થવી જોઈએ. આવું થવા પર મા અન્નપૂર્ણાની કૃપા ઓછી થઈ શકે છે અને ગ્રહોના શુભ પ્રભાવ પણ નબળા પડી શકે છે.

હળદરને ખૂબ જ શુભ માનવામાં આવે છે અને તેનો સંબંધ દેવગુરુ બૃહસ્પતિ (ગુરૂ) સાથે છે. ગુરુ ગ્રહને જ્ઞાન, સન્માન અને પ્રગતિના કારક માનવામાં આવ્યા છે. ઘરમાં હળદર પૂરેપૂરી ખતમ થઈ જવી એ શુભ સંકેત માનવામાં આવતો નથી. આથી, તે ખતમ થાય તે પહેલાં જ નવો સ્ટોક રાખી લેવો જોઈએ.

વાસ્તુમાં મીઠાનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. માન્યતા છે કે, તેનો સંબંધ રાહુ અને કેતુ સાથે હોય છે. જો મીઠાનો ડબ્બો પૂરેપૂરો ખાલી થઈ જાય તો ઘરમાં તણાવ, વિવાદ અને માનસિક અશાંતિ વધી શકે છે. આથી મીઠાને ક્યારેય પૂરેપૂરું ખતમ થવા દેવું જોઈએ નહીં.

ચોખાને અક્ષત કહેવામાં આવે છે, જેનો અર્થ છે ક્યારેય સમાપ્ત ન થનારું. આનો સંબંધ ચંદ્ર અને શુક્ર ગ્રહ સાથે હોય છે. વાસ્તુ અનુસાર, રસોડામાં ચોખા ખતમ થઈ જવા એ સુખ-સુવિધાઓ અને આર્થિક સ્થિરતા પર અસર કરી શકે છે. આથી ચોખાનો ડબ્બો સમય રહેતા ભરતા રહેવો જોઈએ.

લોટનું વાસણ પૂરેપૂરું ખાલી કરવું શુભ માનવામાં આવતું નથી. માન્યતા છે કે, તેનાથી ધન અને સન્માનમાં ઘટાડો આવી શકે છે. આથી જ્યારે લોટ ઓછો થવા લાગે, ત્યારે જ તેમાં નવો લોટ ઉમેરીને ભરી દેવો જોઈએ.

સરસવનું તેલ શનિ ગ્રહ સાથે જોડાયેલું હોય છે. ઘણા લોકો તેલ પૂરેપૂરું ખતમ થયા પછી નવું તેલ લાવે છે પરંતુ તેને શુભ માનવામાં આવતું નથી. એવું કહેવાય છે કે, તેલનો ભંડાર ખાલી થવાથી કાર્યોમાં અડચણ અને માનસિક તણાવ વધી શકે છે. આથી તેલ ખતમ થાય તે પહેલાં જ આગામી સ્ટોક લઈ આવો.
( નોંધ: અહીં આપેલી માહિતી વાસ્તુ તેમજ જ્યોતિષ શાસ્ત્રના આધારે છે TV9 Gujarati તેની પુષ્ટિ કરતુ નથી.)
ઘરની આ જગ્યાઓ પર ભૂલથી પણ ના મુકશો મની પ્લાન્ટ, નહીં તો કંગાળ થઈ જશો, જાણો અહીં, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો
