AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કાનુની સવાલ: અલગ જ્ઞાતિમાં પ્રેમ લગ્ન કરવો ગુનો છે? જાણો ભારતીય કાયદો શું કહે છે, યુવાનો માટે સરળ ભાષામાં કાયદાની સમજ

કાનુની સવાલ: આજના સમયમાં પ્રેમ લગ્ન સામાન્ય બનતા જઈ રહ્યા છે, પરંતુ જ્યારે વાત અલગ જ્ઞાતિમાં લગ્ન કરવાની આવે છે, ત્યારે ઘણા યુવાનો ડરી જાય છે. સમાજ, પરિવાર અને આસપાસના લોકો દ્વારા કહેવામાં આવે છે કે “આ ગુનો છે”, “પોલીસ કેસ થશે” અથવા “કોર્ટમાં ફસાઈ જશો”. પરંતુ હકીકતમાં કાયદો શું કહે છે, તે જાણવું ખૂબ જ જરૂરી છે.

| Updated on: Dec 31, 2025 | 7:00 AM
Share
કાનુની સવાલ: ભારતમાં આજે પણ પ્રેમ લગ્ન, ખાસ કરીને અલગ જ્ઞાતિમાં થતા લગ્ન, સમાજમાં ચર્ચાનો વિષય બને છે. ઘણા યુવાનો અને યુવતીઓના મનમાં એક મોટો પ્રશ્ન રહે છે કે અલગ જ્ઞાતિમાં પ્રેમ લગ્ન કરવો કાયદેસર છે કે ગુનો ગણાય છે? પરિવાર અને સમાજના દબાણ વચ્ચે લોકો કાયદાની સાચી માહિતીથી અજાણ રહે છે. પરંતુ હકીકત એ છે કે ભારતીય કાયદો આ બાબતે સંપૂર્ણપણે સ્પષ્ટ છે.

કાનુની સવાલ: ભારતમાં આજે પણ પ્રેમ લગ્ન, ખાસ કરીને અલગ જ્ઞાતિમાં થતા લગ્ન, સમાજમાં ચર્ચાનો વિષય બને છે. ઘણા યુવાનો અને યુવતીઓના મનમાં એક મોટો પ્રશ્ન રહે છે કે અલગ જ્ઞાતિમાં પ્રેમ લગ્ન કરવો કાયદેસર છે કે ગુનો ગણાય છે? પરિવાર અને સમાજના દબાણ વચ્ચે લોકો કાયદાની સાચી માહિતીથી અજાણ રહે છે. પરંતુ હકીકત એ છે કે ભારતીય કાયદો આ બાબતે સંપૂર્ણપણે સ્પષ્ટ છે.

1 / 7
ભારતીય સંવિધાન દરેક નાગરિકને સમાનતા, વ્યક્તિગત સ્વતંત્રતા અને પોતાની પસંદગીથી જીવનસાથી પસંદ કરવાનો અધિકાર આપે છે. સંવિધાનની કલમ 21 અનુસાર દરેક વ્યક્તિને જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાનો અધિકાર છે, જેમાં લગ્ન કરવાનો નિર્ણય પણ સમાવેશ પામે છે. એટલે કે બે પુખ્ત વયના વ્યક્તિઓ પોતાની મરજીથી લગ્ન કરે તો તે કાયદેસર છે, ભલે તેમની જ્ઞાતિ અલગ હોય.

ભારતીય સંવિધાન દરેક નાગરિકને સમાનતા, વ્યક્તિગત સ્વતંત્રતા અને પોતાની પસંદગીથી જીવનસાથી પસંદ કરવાનો અધિકાર આપે છે. સંવિધાનની કલમ 21 અનુસાર દરેક વ્યક્તિને જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાનો અધિકાર છે, જેમાં લગ્ન કરવાનો નિર્ણય પણ સમાવેશ પામે છે. એટલે કે બે પુખ્ત વયના વ્યક્તિઓ પોતાની મરજીથી લગ્ન કરે તો તે કાયદેસર છે, ભલે તેમની જ્ઞાતિ અલગ હોય.

2 / 7
હિંદુ મેરેજ એક્ટ, 1955 મુજબ પણ બે હિંદુ પુખ્ત વયના વ્યક્તિઓ લગ્ન કરી શકે છે. જેમાં જ્ઞાતિ અથવા ઉપજ્ઞાતિ કોઈ અવરોધ નથી. એટલું જ નહીં જો અલગ ધર્મ અથવા અલગ જ્ઞાતિના લોકો લગ્ન કરવા માગે, તો તેઓ સ્પેશિયલ મેરેજ એક્ટ, 1954 હેઠળ કોર્ટ મેરેજ કરી શકે છે. આ કાયદો ખાસ કરીને સમાજના દબાણથી મુક્ત રહી લગ્ન કરવા ઇચ્છતા લોકો માટે બનાવવામાં આવ્યો છે.

હિંદુ મેરેજ એક્ટ, 1955 મુજબ પણ બે હિંદુ પુખ્ત વયના વ્યક્તિઓ લગ્ન કરી શકે છે. જેમાં જ્ઞાતિ અથવા ઉપજ્ઞાતિ કોઈ અવરોધ નથી. એટલું જ નહીં જો અલગ ધર્મ અથવા અલગ જ્ઞાતિના લોકો લગ્ન કરવા માગે, તો તેઓ સ્પેશિયલ મેરેજ એક્ટ, 1954 હેઠળ કોર્ટ મેરેજ કરી શકે છે. આ કાયદો ખાસ કરીને સમાજના દબાણથી મુક્ત રહી લગ્ન કરવા ઇચ્છતા લોકો માટે બનાવવામાં આવ્યો છે.

3 / 7
સુપ્રીમ કોર્ટ અને વિવિધ હાઈકોર્ટોએ અનેક ચુકાદાઓમાં સ્પષ્ટ કહ્યું છે કે અલગ જ્ઞાતિમાં પ્રેમ લગ્ન કરવું ગુનો નથી. કોર્ટના જણાવ્યા અનુસાર, પરિવાર અથવા સમાજ દ્વારા આવા લગ્નનો વિરોધ કરવો ગેરકાયદેસર છે. કોઈપણ પ્રકારની ધમકી, હિંસા કે સામાજિક બહિષ્કાર કાયદાની નજરે ગુનો છે.

સુપ્રીમ કોર્ટ અને વિવિધ હાઈકોર્ટોએ અનેક ચુકાદાઓમાં સ્પષ્ટ કહ્યું છે કે અલગ જ્ઞાતિમાં પ્રેમ લગ્ન કરવું ગુનો નથી. કોર્ટના જણાવ્યા અનુસાર, પરિવાર અથવા સમાજ દ્વારા આવા લગ્નનો વિરોધ કરવો ગેરકાયદેસર છે. કોઈપણ પ્રકારની ધમકી, હિંસા કે સામાજિક બહિષ્કાર કાયદાની નજરે ગુનો છે.

4 / 7
ઘણા કેસોમાં એવું જોવા મળે છે કે પરિવાર દ્વારા યુવક કે યુવતી સામે ખોટા કેસ દાખલ કરવામાં આવે છે. પરંતુ કોર્ટો આવા મામલાઓમાં પ્રેમ લગ્ન કરનારા દંપતિને સુરક્ષા પણ આપે છે. પોલીસનું પણ ફરજિયાત કામ છે કે તેઓ પુખ્ત વયના દંપતિને રક્ષણ આપે.

ઘણા કેસોમાં એવું જોવા મળે છે કે પરિવાર દ્વારા યુવક કે યુવતી સામે ખોટા કેસ દાખલ કરવામાં આવે છે. પરંતુ કોર્ટો આવા મામલાઓમાં પ્રેમ લગ્ન કરનારા દંપતિને સુરક્ષા પણ આપે છે. પોલીસનું પણ ફરજિયાત કામ છે કે તેઓ પુખ્ત વયના દંપતિને રક્ષણ આપે.

5 / 7
આથી સ્પષ્ટ રીતે કહી શકાય કે અલગ જ્ઞાતિમાં પ્રેમ લગ્ન કરવો ગુનો નથી, પરંતુ સમાજની જૂની માનસિકતા અને ભયના કારણે લોકો આ હકનો ઉપયોગ કરવામાં ડરે છે. કાયદો આજે યુવાનોની સાથે છે અને તેમની પસંદગીનો સન્માન કરે છે. જરૂર છે તો માત્ર જાગૃતિ અને કાયદાની સાચી સમજણની.

આથી સ્પષ્ટ રીતે કહી શકાય કે અલગ જ્ઞાતિમાં પ્રેમ લગ્ન કરવો ગુનો નથી, પરંતુ સમાજની જૂની માનસિકતા અને ભયના કારણે લોકો આ હકનો ઉપયોગ કરવામાં ડરે છે. કાયદો આજે યુવાનોની સાથે છે અને તેમની પસંદગીનો સન્માન કરે છે. જરૂર છે તો માત્ર જાગૃતિ અને કાયદાની સાચી સમજણની.

6 / 7
ઘણા યુવાનોને ભય હોય છે કે પરિવાર ખોટા કેસ કરશે. પરંતુ સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટોએ અનેક વખત કહ્યું છે કે પુખ્ત વયના લોકોના પ્રેમ લગ્નમાં પરિવાર કે સમાજ દખલ કરી શકતો નથી. જો કોઈ ધમકી આપે, મારપીટ કરે કે દબાણ કરે, તો તે પોતે ગુનો બને છે. એટલું જ નહીં, જરૂર પડે તો પોલીસ અને કોર્ટ આવા દંપતિને સુરક્ષા પણ આપે છે. ઘણી વખત કોર્ટ સીધી રીતે કહે છે કે યુવક-યુવતીને સાથે રહેવાનો અધિકાર છે. આથી યુવાનોને સમજવું જોઈએ કે કાયદો તેમની સાથે છે. ખોટી અફવાઓ અને સમાજના ડરથી પોતાના હક્કો છોડવાની જરૂર નથી. યોગ્ય માહિતી, કાયદાની સમજ અને સાચી માર્ગદર્શનથી તમે તમારા જીવનનો નિર્ણય નિર્ભય થઈને લઈ શકો છો.

ઘણા યુવાનોને ભય હોય છે કે પરિવાર ખોટા કેસ કરશે. પરંતુ સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટોએ અનેક વખત કહ્યું છે કે પુખ્ત વયના લોકોના પ્રેમ લગ્નમાં પરિવાર કે સમાજ દખલ કરી શકતો નથી. જો કોઈ ધમકી આપે, મારપીટ કરે કે દબાણ કરે, તો તે પોતે ગુનો બને છે. એટલું જ નહીં, જરૂર પડે તો પોલીસ અને કોર્ટ આવા દંપતિને સુરક્ષા પણ આપે છે. ઘણી વખત કોર્ટ સીધી રીતે કહે છે કે યુવક-યુવતીને સાથે રહેવાનો અધિકાર છે. આથી યુવાનોને સમજવું જોઈએ કે કાયદો તેમની સાથે છે. ખોટી અફવાઓ અને સમાજના ડરથી પોતાના હક્કો છોડવાની જરૂર નથી. યોગ્ય માહિતી, કાયદાની સમજ અને સાચી માર્ગદર્શનથી તમે તમારા જીવનનો નિર્ણય નિર્ભય થઈને લઈ શકો છો.

7 / 7

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)

કાનૂની સલાહ લેવા માટે વકીલો પહેલા હકીકતોનું વિશ્લેષણ કરે છે અને પછી બીજી વ્યક્તિને કહે છે કે કયા ક્રમમાં શું કરવું. કાનુની સલાહ લેવા માટે તમે વકીલનો સંપર્ક કરી શકો છો. તમે નિષ્ણાત અથવા વ્યાવસાયિક સલાહકારનો સંપર્ક કરી શકો છો. તમે ઓનલાઈન કાનૂની સલાહ સેવાઓનો લાભ લઈ શકો છો. તમે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ (NALSA) નો પણ સંપર્ક કરી શકો છો. લીગલ એડવાઈઝની સ્ટોરી વાંચવા માટે  અહીં ક્લિક કરો.

અમદાવાદનો અતિ વ્યસ્ત શાહીબાગ અંડરબ્રિજ 5 દિવસ માટે રહેશે બંધ
અમદાવાદનો અતિ વ્યસ્ત શાહીબાગ અંડરબ્રિજ 5 દિવસ માટે રહેશે બંધ
કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારીનો શિકાર બન્યો શ્રમિક, ઊંચાઈથી પટકાતા ઈજા
કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારીનો શિકાર બન્યો શ્રમિક, ઊંચાઈથી પટકાતા ઈજા
સુરતના માંડવીમાં ટાંકી તુટતા થયા ભ્રષ્ટાચારના આક્ષેપ, ઈજનેર સસ્પેન્ડ
સુરતના માંડવીમાં ટાંકી તુટતા થયા ભ્રષ્ટાચારના આક્ષેપ, ઈજનેર સસ્પેન્ડ
ગુજરાતમાં સવારે ઠંડી અને બપોરે ગરમીનો થશે અહેસાસ
ગુજરાતમાં સવારે ઠંડી અને બપોરે ગરમીનો થશે અહેસાસ
સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં રાજકીય અનામતની માંગ
સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં રાજકીય અનામતની માંગ
ભરૂચમાં પ્લાસ્ટિક વપરાશ પર પાલિકાની કડક કાર્યવાહી
ભરૂચમાં પ્લાસ્ટિક વપરાશ પર પાલિકાની કડક કાર્યવાહી
123 કરોડના 'નલ સે જલ યોજના' કૌભાંડનો કેસ, CIDને એક વધુ મળી સફળતા
123 કરોડના 'નલ સે જલ યોજના' કૌભાંડનો કેસ, CIDને એક વધુ મળી સફળતા
અમદાવાદમાં ઈન્કમટેક્સ વિભાગનું મેગા ઑપરેશન
અમદાવાદમાં ઈન્કમટેક્સ વિભાગનું મેગા ઑપરેશન
Breaking News: ધોલેરાનો કાયાકલ્પ કરશે UAE, ગુજરાતમાં કરશે મોટું રોકાણ
Breaking News: ધોલેરાનો કાયાકલ્પ કરશે UAE, ગુજરાતમાં કરશે મોટું રોકાણ
Breaking News : અમરેલીના નાનીધારી ગામમાં દીપડો ઘરમાં ઘૂસતા અફરાતફરી !
Breaking News : અમરેલીના નાનીધારી ગામમાં દીપડો ઘરમાં ઘૂસતા અફરાતફરી !
g clip-path="url(#clip0_868_265)">