AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ફોન પાણીમાં પડી જાય તો તેને ચોખામાં મૂકવાની ભૂલ ન કરો! નિષ્ણાતો જણાવે છે સાચી 3 રીતો

જો સ્માર્ટફોન ભૂલથી પાણીમાં પડી જાય, તો ઘણા લોકો તરત જ તેને ચાલુ કરવાનો પ્રયાસ કરે છે અથવા તેને ચોખામાં મૂકી દે છે. પરંતુ નિષ્ણાતો મુજબ આવું કરતા પહેલા કેટલાક મહત્વપૂર્ણ પગલાં લેવાં જરૂરી છે. જો આ ત્રણ જરૂરી કામ પહેલા કરી લેવાય, તો ફોનને વધુ નુકસાન થવાથી બચાવી શકાય છે. ટેક્નોલોજી નિષ્ણાતો આ માટે કેટલાક સરળ અને અસરકારક ઉપાયો પણ સૂચવે છે.

| Updated on: Mar 21, 2026 | 4:45 PM
Share
ઘણા લોકો માનતા હોય છે કે જો ફોનમાં પાણી જાય તો તેને ચોખાના ડબ્બામાં મૂકી દેવાથી સમસ્યા દૂર થઈ જાય છે. પરંતુ ટેક્નોલોજી નિષ્ણાતો કહે છે કે આ રીત હવે જૂની માનવામાં આવે છે અને ક્યારેક નુકસાનકારક પણ સાબિત થઈ શકે છે. પાણી ફોનની સ્ક્રીનથી લઈને સ્પીકર્સ જેવા નાજુક ભાગોને પણ અસર કરી શકે છે, જેના કારણે ફોન યોગ્ય રીતે કામ કરવાનું બંધ કરી શકે છે.

ઘણા લોકો માનતા હોય છે કે જો ફોનમાં પાણી જાય તો તેને ચોખાના ડબ્બામાં મૂકી દેવાથી સમસ્યા દૂર થઈ જાય છે. પરંતુ ટેક્નોલોજી નિષ્ણાતો કહે છે કે આ રીત હવે જૂની માનવામાં આવે છે અને ક્યારેક નુકસાનકારક પણ સાબિત થઈ શકે છે. પાણી ફોનની સ્ક્રીનથી લઈને સ્પીકર્સ જેવા નાજુક ભાગોને પણ અસર કરી શકે છે, જેના કારણે ફોન યોગ્ય રીતે કામ કરવાનું બંધ કરી શકે છે.

1 / 5
ટેક નિષ્ણાતોના જણાવ્યા મુજબ, ફોનમાં પાણી જાય તો તેને બચાવવા માટે કેટલીક આધુનિક અને ઉપયોગી રીતો અપનાવી શકાય છે. તેમાં ફોનના ભાગોને સાવધાનીથી અલગ કરીને તેમને સારી રીતે સૂકવવાની પ્રક્રિયા પણ સામેલ છે. આવી કેટલીક સરળ પરંતુ મહત્વપૂર્ણ બાબતો ધ્યાનમાં રાખવાથી ફોનના અંદરના ભાગોને વધુ નુકસાન થવાથી બચાવી શકાય છે. ( Credits: AI Generated )

ટેક નિષ્ણાતોના જણાવ્યા મુજબ, ફોનમાં પાણી જાય તો તેને બચાવવા માટે કેટલીક આધુનિક અને ઉપયોગી રીતો અપનાવી શકાય છે. તેમાં ફોનના ભાગોને સાવધાનીથી અલગ કરીને તેમને સારી રીતે સૂકવવાની પ્રક્રિયા પણ સામેલ છે. આવી કેટલીક સરળ પરંતુ મહત્વપૂર્ણ બાબતો ધ્યાનમાં રાખવાથી ફોનના અંદરના ભાગોને વધુ નુકસાન થવાથી બચાવી શકાય છે. ( Credits: AI Generated )

2 / 5
જો તમારો સ્માર્ટફોન ભૂલથી પાણીમાં પડી જાય, તો સૌથી પહેલા તેને શક્ય તેટલી ઝડપથી બહાર કાઢવો જોઈએ. ટેક નિષ્ણાતોના જણાવ્યા મુજબ ફોન જેટલો વધુ સમય પાણીમાં રહે છે, તેટલો જ તેને રિપેર થવાની શક્યતા ઓછી થશે. ફોનને પાણીમાંથી કાઢ્યા પછી તરત જ તેને સ્વીચ ઓફ કરી દેવું મહત્વપૂર્ણ છે. ઘણા લોકો માત્ર ચેક કરવા માટે ફોન ચાલુ કરવાનો પ્રયાસ કરે છે, પરંતુ આવું કરવું યોગ્ય નથી. નિષ્ણાતો કહે છે કે ભીનો ફોન ચાલુ કરવાથી અંદરના સર્કિટને નુકસાન પહોંચી શકે છે અને ફોન વધુ ખરાબ થઈ શકે છે. ( Credits: AI Generated )

જો તમારો સ્માર્ટફોન ભૂલથી પાણીમાં પડી જાય, તો સૌથી પહેલા તેને શક્ય તેટલી ઝડપથી બહાર કાઢવો જોઈએ. ટેક નિષ્ણાતોના જણાવ્યા મુજબ ફોન જેટલો વધુ સમય પાણીમાં રહે છે, તેટલો જ તેને રિપેર થવાની શક્યતા ઓછી થશે. ફોનને પાણીમાંથી કાઢ્યા પછી તરત જ તેને સ્વીચ ઓફ કરી દેવું મહત્વપૂર્ણ છે. ઘણા લોકો માત્ર ચેક કરવા માટે ફોન ચાલુ કરવાનો પ્રયાસ કરે છે, પરંતુ આવું કરવું યોગ્ય નથી. નિષ્ણાતો કહે છે કે ભીનો ફોન ચાલુ કરવાથી અંદરના સર્કિટને નુકસાન પહોંચી શકે છે અને ફોન વધુ ખરાબ થઈ શકે છે. ( Credits: AI Generated )

3 / 5
ફોનને પાણીમાંથી બહાર કાઢ્યા પછી તરત જ તેનું કવર ઉતારી દેવું જોઈએ. સાથે જ ચાર્જર, હેડફોન જેવી જોડાયેલી તમામ એસેસરીઝ પણ અલગ કરી દેવી જરૂરી છે. આમ કરવાથી ફોનની અંદર વધુ પાણી પ્રવેશવાનું અટકાવી શકાય છે. જો તમારા ફોનમાં બેટરી કાઢી શકાય તેવી હોય, તો બેટરી અને સિમ કાર્ડ પણ સાવધાનીથી બહાર કાઢી દેવું સારું રહે છે. આ પગલાં લેવાથી ફોનના અંદરના ભાગોને નુકસાન થવાની શક્યતા ઓછી થાય છે. ( Credits: AI Generated )

ફોનને પાણીમાંથી બહાર કાઢ્યા પછી તરત જ તેનું કવર ઉતારી દેવું જોઈએ. સાથે જ ચાર્જર, હેડફોન જેવી જોડાયેલી તમામ એસેસરીઝ પણ અલગ કરી દેવી જરૂરી છે. આમ કરવાથી ફોનની અંદર વધુ પાણી પ્રવેશવાનું અટકાવી શકાય છે. જો તમારા ફોનમાં બેટરી કાઢી શકાય તેવી હોય, તો બેટરી અને સિમ કાર્ડ પણ સાવધાનીથી બહાર કાઢી દેવું સારું રહે છે. આ પગલાં લેવાથી ફોનના અંદરના ભાગોને નુકસાન થવાની શક્યતા ઓછી થાય છે. ( Credits: AI Generated )

4 / 5
ફોનમાં પાણી ગયા પછી સૌથી પહેલા  તેને શક્ય તેટલું નરમ અને લિન્ટ-ફ્રી કપડાથી તેની બહારની સપાટી સારી રીતે પોસીને સૂકવી લો. ખાસ કરીને સિમ સ્લોટ અને ચાર્જિંગ પોર્ટ આસપાસનું પાણી પણ સાફ કરવું જરૂરી છે. ત્યારબાદ ફોનને ચાર્જિંગ પોર્ટ નીચે તરફ રાખીને મુકો જેથી અંદરનું પાણી બહાર નીકળી શકે. નીચે કાગળ અથવા કપડું મૂકી દો અને ફોનને પંખા પાસે રાખો, જેથી હવાની અવરજવરથી તે ઝડપથી સૂકાઈ જાય. ( નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી પબ્લિક ડોમેન પરથી લેવામાં આવી છે, જે ફક્ત તમારી જાણકારી માટે છે.) ( Credits: AI Generated )

ફોનમાં પાણી ગયા પછી સૌથી પહેલા તેને શક્ય તેટલું નરમ અને લિન્ટ-ફ્રી કપડાથી તેની બહારની સપાટી સારી રીતે પોસીને સૂકવી લો. ખાસ કરીને સિમ સ્લોટ અને ચાર્જિંગ પોર્ટ આસપાસનું પાણી પણ સાફ કરવું જરૂરી છે. ત્યારબાદ ફોનને ચાર્જિંગ પોર્ટ નીચે તરફ રાખીને મુકો જેથી અંદરનું પાણી બહાર નીકળી શકે. નીચે કાગળ અથવા કપડું મૂકી દો અને ફોનને પંખા પાસે રાખો, જેથી હવાની અવરજવરથી તે ઝડપથી સૂકાઈ જાય. ( નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી પબ્લિક ડોમેન પરથી લેવામાં આવી છે, જે ફક્ત તમારી જાણકારી માટે છે.) ( Credits: AI Generated )

5 / 5

જનરલ નોલેજમાં ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, સાહિત્ય, વર્તમાન બાબતો સહિતના વિષયોનો સમાવેશ થાય છે. જનરલ નોલેજની સારી સમજ હોવી જરૂરી છે, કારણ કે તે તમને વિશ્વની ઘટનાઓથી અપડેટ રાખે છે. અહીંયા દરરોજ અવનવી બાબતોની સ્ટોરી તમને જાણવા મળશે. તમારૂ નોલેજ વધારવા માટે જનરલ નોલેજના ટોપિકને ફોલો કરતા રહો.

Follow Us
g clip-path="url(#clip0_868_265)">