AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આરોગ્ય પ્રધાન હિંમતનગર સિવિલની મુલાકાત લીધી, સમિક્ષા બેઠક યોજી, જુઓ

હિંમતનગર GMERS સિવિલ હોસ્પિટલની મુલાકાતે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પહોંચ્યા હતા. જ્યાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કેસોને લઈ અંગે સમીક્ષા કરી હતી. આરોગ્ય મંત્રીએ બાળ દર્દીઓની મુલાકાત લઈ તેમની આરોગ્ય પૃચ્છા કરી હતી.

| Updated on: Jul 19, 2024 | 3:29 PM
Share
સાબરકાંઠા જિલ્લામાં GMERS સિવિલ હોસ્પિટલની મુલાકાતે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પહોંચ્યા હતા. જ્યાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કેસોને લઈ અંગે સમીક્ષા કરી હતી. આરોગ્ય મંત્રીએ  બાળ દર્દીઓની મુલાકાત લઈ તેમની આરોગ્ય પૃચ્છા કરી હતી. સિવિલમાં PICU અને વોર્ડમાં સારવાર લઈ રહેલા બાળકના પરિવારજનોની મુલાકાત કરીને ઋષિકેશ પટેલે ક્યારે બાળકોને હોસ્પિટલ લવાયા, કેવા લક્ષણો દેખાયા, હાલ બાળકની તબીયત કેટલી સુધારા પર છે.  એવી સામાન્ય બાબતો અંગે ચર્ચા કરી હતી.

સાબરકાંઠા જિલ્લામાં GMERS સિવિલ હોસ્પિટલની મુલાકાતે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પહોંચ્યા હતા. જ્યાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કેસોને લઈ અંગે સમીક્ષા કરી હતી. આરોગ્ય મંત્રીએ બાળ દર્દીઓની મુલાકાત લઈ તેમની આરોગ્ય પૃચ્છા કરી હતી. સિવિલમાં PICU અને વોર્ડમાં સારવાર લઈ રહેલા બાળકના પરિવારજનોની મુલાકાત કરીને ઋષિકેશ પટેલે ક્યારે બાળકોને હોસ્પિટલ લવાયા, કેવા લક્ષણો દેખાયા, હાલ બાળકની તબીયત કેટલી સુધારા પર છે. એવી સામાન્ય બાબતો અંગે ચર્ચા કરી હતી.

1 / 6
આરોગ્ય મંત્રીએ રાજ્યમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં તિરાડ વાળા કાચા મકાનો, આંગણવાડી, શાળા અને તેની આસપાસના વિસ્તારો સહિત ગામમાં ગંદકી ધરાવતા વિસ્તારોમાં જંતુનાશક દવાઓનો છંટકાવ કરવા સૂચનાઓ અપાઈ હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં સર્વેક્ષણની કામગીરી હાથ ધરવા જણાવ્યું હતું.

આરોગ્ય મંત્રીએ રાજ્યમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં તિરાડ વાળા કાચા મકાનો, આંગણવાડી, શાળા અને તેની આસપાસના વિસ્તારો સહિત ગામમાં ગંદકી ધરાવતા વિસ્તારોમાં જંતુનાશક દવાઓનો છંટકાવ કરવા સૂચનાઓ અપાઈ હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં સર્વેક્ષણની કામગીરી હાથ ધરવા જણાવ્યું હતું.

2 / 6
રાજ્યના તમામ ગ્રામ્ય વિસ્તારો અને શહેરી સ્લમ વિસ્તારોમાં મેલેથિયોન ડસ્ટિંગની અને  સ્પ્રેનો છંટકાવ કરવાની ડ્રાઇવ હાથ ધરાઇ છે . કાચા ઘરો છે ત્યાં ખાસ ડસ્ટીંગ અને તીરાડો પુરવાની કામગીરી કરવા માટે તાકીદ કરી હતી.

રાજ્યના તમામ ગ્રામ્ય વિસ્તારો અને શહેરી સ્લમ વિસ્તારોમાં મેલેથિયોન ડસ્ટિંગની અને સ્પ્રેનો છંટકાવ કરવાની ડ્રાઇવ હાથ ધરાઇ છે . કાચા ઘરો છે ત્યાં ખાસ ડસ્ટીંગ અને તીરાડો પુરવાની કામગીરી કરવા માટે તાકીદ કરી હતી.

3 / 6
વધુમાં ઋષિકેશ પટેલ એ રાજ્યની પરિસ્થિતિ અંગે જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં પુના ખાતે મોકલેલ સેમ્પલમા કુલ સાત ટેસ્ટના પરિણામ આવ્યા છે.  સાતમાંથી છ નેગેટિવ છે . એક જ ચાંદીપુરા કેસ હોવાનું કન્ફર્મ થયો છે.

વધુમાં ઋષિકેશ પટેલ એ રાજ્યની પરિસ્થિતિ અંગે જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં પુના ખાતે મોકલેલ સેમ્પલમા કુલ સાત ટેસ્ટના પરિણામ આવ્યા છે. સાતમાંથી છ નેગેટિવ છે . એક જ ચાંદીપુરા કેસ હોવાનું કન્ફર્મ થયો છે.

4 / 6
સાબરકાંઠા જિલ્લામાં 8 તાલુકાના 685 ગામોમાં 844 ટીમો દ્રારા સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે. જિલ્લામાં 56 હજાર કાચા મકાનોની આસપાસ સ્પ્રે અને ડ્સ્ટીંગ, તીરાડ પુરવા જેવી કામગીરી શરૂ કરાઇ છે. જિલ્લામાં 200 કિ.લો. મેલેથીયોન જથ્થો ડ્સ્ટીંગ કરાયો છે. બીજો 2500 કી.લો. જથ્થો ફાળવવામાં આવ્યો છે.

સાબરકાંઠા જિલ્લામાં 8 તાલુકાના 685 ગામોમાં 844 ટીમો દ્રારા સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે. જિલ્લામાં 56 હજાર કાચા મકાનોની આસપાસ સ્પ્રે અને ડ્સ્ટીંગ, તીરાડ પુરવા જેવી કામગીરી શરૂ કરાઇ છે. જિલ્લામાં 200 કિ.લો. મેલેથીયોન જથ્થો ડ્સ્ટીંગ કરાયો છે. બીજો 2500 કી.લો. જથ્થો ફાળવવામાં આવ્યો છે.

5 / 6
હિંમતનગર સિવિલમાં નોંધાયેલ કેસની વિગત જોવામાં આવે તો વાયરલ એન્કેફેલાઇટીસ અને ચાંદીપુરાના શંકાસ્પદ 14 કેસ અત્યાર સુધીમાં નોંધાયા છે.  જેમાં બે રાજસ્થાન, ચાર અરવલ્લી, એક ખેડા, સાત સાબરકાંઠાનો સમાવેશ થાય છે. જ્યારે મૃત્યુઆંક 06 થયો છે.

હિંમતનગર સિવિલમાં નોંધાયેલ કેસની વિગત જોવામાં આવે તો વાયરલ એન્કેફેલાઇટીસ અને ચાંદીપુરાના શંકાસ્પદ 14 કેસ અત્યાર સુધીમાં નોંધાયા છે. જેમાં બે રાજસ્થાન, ચાર અરવલ્લી, એક ખેડા, સાત સાબરકાંઠાનો સમાવેશ થાય છે. જ્યારે મૃત્યુઆંક 06 થયો છે.

6 / 6

 

 

Gir Somnath: SIR ની કામગીરી સામે કોંગ્રેસના MLAએ કર્યા ગંભીર આક્ષેપ
Gir Somnath: SIR ની કામગીરી સામે કોંગ્રેસના MLAએ કર્યા ગંભીર આક્ષેપ
અમરેલીમાં કેટલાક દુષ્ટો દ્વારા ટ્રેન ઉથલાવવાનો કરાયો પ્રયાસ- જુઓ Video
અમરેલીમાં કેટલાક દુષ્ટો દ્વારા ટ્રેન ઉથલાવવાનો કરાયો પ્રયાસ- જુઓ Video
ગુજરાતમાં હવે નહીં થાય માવઠું, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઠંડી વધશે
ગુજરાતમાં હવે નહીં થાય માવઠું, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઠંડી વધશે
મુંબ્રાને લીલા રંગે રંગી દેવાના સહર શેખના નિવેદનથી રાજકીય વિવાદ
મુંબ્રાને લીલા રંગે રંગી દેવાના સહર શેખના નિવેદનથી રાજકીય વિવાદ
અમદાવાદ એરપોર્ટ પર હાઈ એલર્ટ ,મુસાફરો માટે એડવાઈઝરી જાહેર
અમદાવાદ એરપોર્ટ પર હાઈ એલર્ટ ,મુસાફરો માટે એડવાઈઝરી જાહેર
સિંગતેલના ભાવમાં એક જ દિવસમાં 40 રુપિયાનો ધરખમ વધારો
સિંગતેલના ભાવમાં એક જ દિવસમાં 40 રુપિયાનો ધરખમ વધારો
અંબાલાલ પટેલે 25,26 જાન્યુઆરીએ વરસાદની આગાહી કરી
અંબાલાલ પટેલે 25,26 જાન્યુઆરીએ વરસાદની આગાહી કરી
ભર શિયાળે રાજ્યના 3 જિલ્લામાં માવઠાનું યલો એલર્ટ
ભર શિયાળે રાજ્યના 3 જિલ્લામાં માવઠાનું યલો એલર્ટ
Breaking News : જાસલપુર ગામે જૂની જર્જરિત પાણીની ટાંકી તોડી પડાઈ
Breaking News : જાસલપુર ગામે જૂની જર્જરિત પાણીની ટાંકી તોડી પડાઈ
Breaking News : ભર શિયાળે કચ્છમાં કમોસમી વરસાદ ખાબક્યો
Breaking News : ભર શિયાળે કચ્છમાં કમોસમી વરસાદ ખાબક્યો
g clip-path="url(#clip0_868_265)">