AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: સિંગતેલના ભાવમાં એક જ દિવસમાં 40 રુપિયાનો ધરખમ વધારો, એક મહિનામાં 200 રુપિયા વધ્યા

મળતી માહિતી મુજબ "માવઠાના કારણે મગફળીના પાકને નુકસાન થયું છે જેના લીધે મગફળીના તેલના ભાવમાં વધારો નોંધાયો છે. સરકાર દ્વારા પણ 17 લાખ ટન મગફળીની ખરીદી કરી હતી, જે બાદ "પિલાણ લાયક મગફળીનો જથ્થો ઓછો હોવાના કારણે તેલના ભાવમાં વધારો થયો છે

| Updated on: Jan 23, 2026 | 1:40 PM
Share

સિંગતેલમાં એક જ દિવસમાં 40 રૂપિયાનો ધરખમ વધારો નોંધાયો છે. આ સાથે એક મહિનામાં સિંગતેલના ડબ્બામાં રૂપિયા 200નો વધારો થયો છે. ત્યારે આ ભાવ વધારાને લઈને સૌરાષ્ટ્ર ઓઇલ મીલ એસો.ના પ્રમુખનું નિવેદન આપ્યું છે.

મળતી માહિતી મુજબ “માવઠાના કારણે મગફળીના પાકને નુકસાન થયું છે જેના લીધે મગફળીના તેલના ભાવમાં વધારો નોંધાયો છે. સરકાર દ્વારા પણ 17 લાખ ટન મગફળીની ખરીદી કરી હતી, જે બાદ “પિલાણ લાયક મગફળીનો જથ્થો ઓછો હોવાના કારણે તેલના ભાવમાં વધારો થયો છે.

મગફળીનું વિક્રમ ઉત્પાદન છતાં સિંગતેલના ભાવમાં વધારો

એક મહિના પહેલા સિંગતેલના ડબ્બાના ભાવ 2590 હતા જ્યારે હાલમાં સીંગતેલના ડબ્બાનો ભાવ 2785 થયા છે. તેલના ભાવમાં સતત વધારાને લઈને સૌરાષ્ટ્ર ઓઇલ મીલ એસોસિયેશનના પ્રમુખનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમના જણાવ્યા મુજબ ગત વર્ષે માવઠાના કારણે મોટાભાગની મગફળી પલળી ગઈ હતી અને હવે સારી મગફળી નો જથ્થો ઓછો હોવાના કારણે મગફળીના ભાવ વધતા સીંગતેલના ભાવ વધ્યા છે.

પિલાણ લાયક મગફળીનો જથ્થો ઓછો

આ વચ્ચે સરકાર દ્વારા ટેકાના ભાવે 17 લાખ ટન કરતા વધુ મગફળીની ખરીદી થઈ હતી અને એક મહિનામાં મગફળીના ભાવમાં પણ 150 રૂપિયાથી લઈને 200 નો વધારો થયો હતો. હવે સારી મગફળીના ભાવ 1250 હતા હાલમાં 1450 થયા અને પિલાણ યુક્ત મગફળી નો જથ્થો ઓછો હોવાના કારણે સતત મગફળી અને સીંગતેલના ભાવ વધી રહ્યા છે.

Breaking News : રાજ્યના 3 જિલ્લામાં માવઠાનું યલો એલર્ટ, વીજળીના કડાકા સાથે વરસાદ પડી શકે :હવામાન વિભાગ, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Marriage Registration Rules નવા નિયમો: માતા-પિતાની સંમતિ ફરજિયાત?
Marriage Registration Rules નવા નિયમો: માતા-પિતાની સંમતિ ફરજિયાત?
Breaking News : કીર્તિ પટેલના સ્નાન પછી ભવનાથમાં સાધુ સંતો આમને સામને
Breaking News : કીર્તિ પટેલના સ્નાન પછી ભવનાથમાં સાધુ સંતો આમને સામને
વરિષ્ઠ અધિકારીઓના સહયોગથી અટકેલા કામો ઝડપ પકડશે, પરિણામ આજે જોવા મળશે
વરિષ્ઠ અધિકારીઓના સહયોગથી અટકેલા કામો ઝડપ પકડશે, પરિણામ આજે જોવા મળશે
મનપા સંચાલિત શાળામાં કેટલા કોર્પોરેટર્સના બાળકો અભ્યાસ કરે છે?
મનપા સંચાલિત શાળામાં કેટલા કોર્પોરેટર્સના બાળકો અભ્યાસ કરે છે?
ભાવેણાવાસીઓને ક્યારે મળશે 'વંદે ભારત'?, વિપક્ષે સત્તાધિશોને કર્યો સવાલ
ભાવેણાવાસીઓને ક્યારે મળશે 'વંદે ભારત'?, વિપક્ષે સત્તાધિશોને કર્યો સવાલ
સાબરકાંઠાના હરસોઈમાં ખોદકામ દરમિયાન જમીનમાં ધરબાયેલી કલાત્મક વાવ મળી
સાબરકાંઠાના હરસોઈમાં ખોદકામ દરમિયાન જમીનમાં ધરબાયેલી કલાત્મક વાવ મળી
કડીમાં યોજાયેલ વિરાટ હિંદુ સંમેલનમાં અપૂર્વ મુનિએ કર્યુ સૂચક નિવેદન
કડીમાં યોજાયેલ વિરાટ હિંદુ સંમેલનમાં અપૂર્વ મુનિએ કર્યુ સૂચક નિવેદન
આનંદીબહેને કહ્યું-હું પણ પટેલ છુ પરંતુ પટેલવાદમાં નથી માનતી-જુઓ વીડિયો
આનંદીબહેને કહ્યું-હું પણ પટેલ છુ પરંતુ પટેલવાદમાં નથી માનતી-જુઓ વીડિયો
જામનગર મનપામાં સ્ટેન્ડિગ નહીં સેટીગ કમિટી છે-કોંગ્રેસ
જામનગર મનપામાં સ્ટેન્ડિગ નહીં સેટીગ કમિટી છે-કોંગ્રેસ
Breaking News: અમદાવાદમાં ફરી બોગસ કોલ સેન્ટર પકડાયું!
Breaking News: અમદાવાદમાં ફરી બોગસ કોલ સેન્ટર પકડાયું!
g clip-path="url(#clip0_868_265)">