સોના-ચાંદીની કિંમતો ઘટશે કે વધશે ? આખરે કયા લેવલ પર રાખવી પડશે ‘નજર’? બજારના કડાકા વચ્ચે એક્સપર્ટે આપી દીધી ‘મોટી ચેતવણી’
સોના-ચાંદીના ભાવમાં તાજેતરના દિવસોમાં નબળાઈ જોવા મળી છે. આવા સમયે રોકાણકારો અને ટ્રેડર્સના મનમાં એ સવાલ છે કે, આવનારા સમયમાં બંને ધાતુના ભાવનું વલણ કેવું રહી શકે છે?

SEBI રજિસ્ટર્ડ કોમોડિટી એક્સપર્ટ અનુજ ગુપ્તાનું માનવું છે કે, હાલમાં બજારનો માહોલ થોડો નબળો દેખાઈ રહ્યો છે અને રોકાણકારોએ કેટલાક મહત્વપૂર્ણ લેવલ પર નજર રાખવી જોઈએ. તેમના જણાવ્યા અનુસાર, આવનારા દિવસોમાં સોના-ચાંદી બંને માટે કેટલાક મહત્વપૂર્ણ સપોર્ટ લેવલ નક્કી કરશે કે, બજારમાં ઘટાડો અટકે છે કે પછી વધુ વધી શકે છે?

અનુજ ગુપ્તાના મતે સ્થાનિક બજારમાં સોનાનો ભાવ આશરે 1,55,000 રૂપિયાની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે, જ્યારે ચાંદીનો ભાવ આશરે 2,49,000 રૂપિયાના લેવલ પર છે. તેમનું કહેવું છે કે, વર્તમાન સમયમાં કિંમતો કરતાં વધુ જરૂરી એ લેવલ પર નજર રાખવી જોઈએ કે, જ્યાંથી બજારને સપોર્ટ મળી શકે.

ચાંદીની વાત કરીએ તો, 2,47,000 રૂપિયાનું લેવલ પહેલો મહત્વપૂર્ણ સપોર્ટ છે. જો આ લેવલ તૂટે છે તો આગામી સપોર્ટ 2,42,000 રૂપિયા અને ત્યાર બાદ 2,35,000 રૂપિયાની આસપાસ જોવા મળી શકે છે. તેમના જણાવ્યા અનુસાર, જો બજારમાં વેચવાલીનું દબાણ વધે છે અને ચાંદી 2,30,000 રૂપિયાની નીચે ચાલી જાય છે, તો ઘટાડો વધુ ઝડપી બની શકે છે. આવી સ્થિતિમાં ચાંદી 2,15,000 રૂપિયાથી લઈને 2,10,000 રૂપિયા સુધીના લેવલ પણ બતાવી શકે છે.

'સોના' માટે અનુજ ગુપ્તાએ 1,52,000 રૂપિયા અને 1,47,000 રૂપિયાના લેવલને મહત્વપૂર્ણ સપોર્ટ ગણાવ્યા છે. આ એવા લેવલ છે કે, જ્યાંથી સોનાને સપોર્ટ મળી શકે છે પરંતુ જો આ લેવલ તૂટશે તો બજારમાં નબળાઈ વધુ વધી શકે છે.

તેમણે આગળ જણાવ્યું કે, જો સોનું 1,40,000 રૂપિયાના લેવલથી નીચે સરકે છે તો પછી કિંમતોમાં મોટો ઘટાડો જોવા મળી શકે છે. આવી સ્થિતિમાં સોનું 1,25,000 રૂપિયાથી લઈને 1,20,000 રૂપિયા સુધી પણ પહોંચી શકે છે. તેમણે યાદ અપાવ્યું કે, આ પ્રકારના લેવલ અગાઉ પણ બજારમાં જોવા મળ્યા છે.

સમગ્રપણે જોતા અનુજ ગુપ્તાનું માનવું છે કે, હાલમાં સોના અને ચાંદીનું વલણ થોડું નબળું દેખાઈ રહ્યું છે. આથી રોકાણકારો અને ટ્રેડર્સે ઉતાવળમાં નિર્ણયો લેવાને બદલે મુખ્ય સપોર્ટ લેવલો પર નજર રાખવી જોઈએ.
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં, સોનામાં, મ્યુચ્યુઅલ ફંડમાં અને IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. બજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.
ભારતીય ઘરોમાં સંતાયેલું છે 32,000 ટનથી વધુ સોનું! આગામી બે વર્ષમાં સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રૂપિયા….
