AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UPSC Success Story: ઇજનેરથી IAS બનેલા આશુતોષ કુલકર્ણી પાસેથી જાણો UPSC ઇન્ટર્વ્યુ ક્રેક કરવાની ટિપ્સ

UPSC Success Story: IAS ઓફિસર આશુતોષ કુલકર્ણી (IAS Topper Ashutosh Kulkarni) કહે છે કે UPSCમાં સફળતા મેળવવા માટે પહેલા તમારી જાતને માનસિક રીતે તૈયાર કરો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 26, 2022 | 10:28 PM
Share
યુપીએસસીની તૈયારી કરી રહેલા ઉમેદવારોને ઇન્ટરવ્યુ રાઉન્ડથી સૌથી વધુ ડર લાગે છે. ઘણી વખત ઉમેદવારો પ્રી અને મેઇન્સ પરીક્ષા પાસ કરે છે, પરંતુ તેઓ ઇન્ટરવ્યુમાં નિષ્ફળ જાય છે. આ ઉમેદવારોમાં IAS અધિકારી આશુતોષ કુલકર્ણી (IAS Topper Ashutosh Kulkarni) નું નામ પણ છે. ઇન્ટરવ્યુમાં પહોંચીને તે બે વખત નિષ્ફળ ગયો, પરંતુ તેમ છતાં તેણે પોતાને પ્રેરિત રાખ્યો અને સફળતા મેળવી. તેણે યુપીએસસી ઇન્ટરવ્યુ કેવી રીતે ક્રેક કરવું તેની ટીપ્સ પણ આપી છે.

યુપીએસસીની તૈયારી કરી રહેલા ઉમેદવારોને ઇન્ટરવ્યુ રાઉન્ડથી સૌથી વધુ ડર લાગે છે. ઘણી વખત ઉમેદવારો પ્રી અને મેઇન્સ પરીક્ષા પાસ કરે છે, પરંતુ તેઓ ઇન્ટરવ્યુમાં નિષ્ફળ જાય છે. આ ઉમેદવારોમાં IAS અધિકારી આશુતોષ કુલકર્ણી (IAS Topper Ashutosh Kulkarni) નું નામ પણ છે. ઇન્ટરવ્યુમાં પહોંચીને તે બે વખત નિષ્ફળ ગયો, પરંતુ તેમ છતાં તેણે પોતાને પ્રેરિત રાખ્યો અને સફળતા મેળવી. તેણે યુપીએસસી ઇન્ટરવ્યુ કેવી રીતે ક્રેક કરવું તેની ટીપ્સ પણ આપી છે.

1 / 6
આશુતોષ મહારાષ્ટ્રના પુણેના વતની છે. ઇન્ટરમીડિયેટ પછી તેણે મિકેનિકલ એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી. આશુતોષનું સપનું શરૂઆતથી જ UPSC પાસ કરવાનું હતું. એન્જિનિયરિંગ દરમિયાન, તેણે સિવિલ સર્વિસમાં જવાનું મન બનાવ્યું અને સંપૂર્ણ પ્લાનિંગ સાથે તૈયારી શરૂ કરી.

આશુતોષ મહારાષ્ટ્રના પુણેના વતની છે. ઇન્ટરમીડિયેટ પછી તેણે મિકેનિકલ એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી. આશુતોષનું સપનું શરૂઆતથી જ UPSC પાસ કરવાનું હતું. એન્જિનિયરિંગ દરમિયાન, તેણે સિવિલ સર્વિસમાં જવાનું મન બનાવ્યું અને સંપૂર્ણ પ્લાનિંગ સાથે તૈયારી શરૂ કરી.

2 / 6
તે ઘણી વખત સફળતાની ખૂબ જ નજીક આવ્યો પરંતુ તેની પસંદગી ન થઈ, પરંતુ આવી સ્થિતિમાં પણ તેણે હાર ન માની. ઈન્ટરવ્યુ રાઉન્ડમાં પહોંચ્યા પછી પણ વારંવાર સિલેક્ટ ન થવાથી ઘણું દુઃખ થાય છે, પરંતુ આશુતોષ પણ મક્કમ હતો. તેણે નક્કી કર્યું કે ગમે તે થાય, તે સફળ થશે.

તે ઘણી વખત સફળતાની ખૂબ જ નજીક આવ્યો પરંતુ તેની પસંદગી ન થઈ, પરંતુ આવી સ્થિતિમાં પણ તેણે હાર ન માની. ઈન્ટરવ્યુ રાઉન્ડમાં પહોંચ્યા પછી પણ વારંવાર સિલેક્ટ ન થવાથી ઘણું દુઃખ થાય છે, પરંતુ આશુતોષ પણ મક્કમ હતો. તેણે નક્કી કર્યું કે ગમે તે થાય, તે સફળ થશે.

3 / 6
આખરે આશુતોષની પાંચ વર્ષની મહેનત અને ધૈર્ય ફળ્યું અને વર્ષ 2019માં ચોથા પ્રયાસમાં તેને ટોપર્સની યાદીમાં સ્થાન મળ્યું. ઇન્ટરવ્યુના 'ચક્રવ્યુહ'ને તોડીને તેણે પોતાનું સપનું પૂરું કર્યું.

આખરે આશુતોષની પાંચ વર્ષની મહેનત અને ધૈર્ય ફળ્યું અને વર્ષ 2019માં ચોથા પ્રયાસમાં તેને ટોપર્સની યાદીમાં સ્થાન મળ્યું. ઇન્ટરવ્યુના 'ચક્રવ્યુહ'ને તોડીને તેણે પોતાનું સપનું પૂરું કર્યું.

4 / 6
આશુતોષ કહે છે કે UPSCમાં સફળતા મેળવવા માટે પહેલા તમારી જાતને માનસિક રીતે તૈયાર કરો. પડકારો અને નિષ્ફળતાઓ સામે હાર ન માનવાનો સંકલ્પ કરો. આશુતોષ જ્યારે પણ ઈન્ટરવ્યુમાં નિષ્ફળ ગયો ત્યારે તેની ભૂલોનું વિશ્લેષણ કરતો. આ પછી, તેને સુધારીને હકારાત્મક વલણ સાથે આગળ વધતો.

આશુતોષ કહે છે કે UPSCમાં સફળતા મેળવવા માટે પહેલા તમારી જાતને માનસિક રીતે તૈયાર કરો. પડકારો અને નિષ્ફળતાઓ સામે હાર ન માનવાનો સંકલ્પ કરો. આશુતોષ જ્યારે પણ ઈન્ટરવ્યુમાં નિષ્ફળ ગયો ત્યારે તેની ભૂલોનું વિશ્લેષણ કરતો. આ પછી, તેને સુધારીને હકારાત્મક વલણ સાથે આગળ વધતો.

5 / 6
આશુતોષના જણાવ્યા અનુસાર, UPSC ની તૈયારી કરતી વખતે તમારે પ્રી અને મેન્સ માટે તમારી પોતાની અલગ વ્યૂહરચના બનાવવી પડશે. તમારે બંને પરીક્ષાઓ માટે એકસાથે તૈયારી કરવી જોઈએ, કારણ કે પ્રિલિમ્સ પછી, તમને મેઇન્સ માટે વધુ સમય મળતો નથી. તેઓ કહે છે કે તમારી તૈયારીનું પણ વિશ્લેષણ કરતા રહો, જેથી તમને આગામી પ્રયાસમાં વધુ સારું કરવાનો મોકો મળશે.

આશુતોષના જણાવ્યા અનુસાર, UPSC ની તૈયારી કરતી વખતે તમારે પ્રી અને મેન્સ માટે તમારી પોતાની અલગ વ્યૂહરચના બનાવવી પડશે. તમારે બંને પરીક્ષાઓ માટે એકસાથે તૈયારી કરવી જોઈએ, કારણ કે પ્રિલિમ્સ પછી, તમને મેઇન્સ માટે વધુ સમય મળતો નથી. તેઓ કહે છે કે તમારી તૈયારીનું પણ વિશ્લેષણ કરતા રહો, જેથી તમને આગામી પ્રયાસમાં વધુ સારું કરવાનો મોકો મળશે.

6 / 6
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">