AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મિચોંગ વાવાઝોડાને કારણે 5 લોકોના મોત, ચેન્નાઈમાં દરેક જગ્યાએ પાણી ભરાયા, જુઓ તબાહીના ફોટો

ચેન્નાઈના દરેક ભાગમાં ભારે વરસાદની અસર જોવા મળી રહી છે. મિચોંગને કારણે તમિલનાડુમાં આવશ્યક સેવાઓ સિવાય સોમવાર અને મંગળવારને જાહેર રજા જાહેર કરવામાં આવી છે. આ વાવાઝોડાના આગમન પહેલા જ ચેન્નાઈના મોટાભાગના વિસ્તારો પાણીમાં ડૂબી ગયા છે. તમિલનાડુમાં રેડ એલર્ટ, ઓડિશાના 5 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને આંધ્ર પ્રદેશના 8 જિલ્લામાં હાઈ એલર્ટ છે.

| Updated on: Dec 05, 2023 | 7:07 AM
Share
ચક્રવાતને કારણે દક્ષિણ ભારતમાં ગભરાટનો માહોલ છે. આ વાવાઝોડાનું નામ મિચોંગ છે. આ ચક્રવાત મંગળવારે બપોરે 12 વાગ્યા પહેલા આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ત્રાટકી શકે છે. તે દરમિયાન પવનની ગતિ ભયંકર રહેશે. આ તોફાન સામે લડવા અને રક્ષણ માટે યુદ્ધના ધોરણે તૈયારીઓ કરવામાં આવી છે. હજુ તો વાવાઝોડું આવ્યું નથી અને ચેન્નાઈમાં સ્થિતિ પહેલાથી જ ડરામણી બની ગઈ છે. રહેણાંક વિસ્તારોમાં પાર્ક કરેલી ઘણી કાર પાણીમાં તરતી થવા લાગી હતી. કેટલાક સ્થળોએ, ઘણી કાર અડધાથી વધુ પાણીમાં ડૂબી ગઈ હતી. ભારે વરસાદને કારણે વિસ્તારના રસ્તાઓ નદીઓમાં ફેરવાઈ ગયા હતા. પોતાના ઘરોમાં બંધ રહેતા લોકો ભયભીત બની ગયા છે.

ચક્રવાતને કારણે દક્ષિણ ભારતમાં ગભરાટનો માહોલ છે. આ વાવાઝોડાનું નામ મિચોંગ છે. આ ચક્રવાત મંગળવારે બપોરે 12 વાગ્યા પહેલા આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ત્રાટકી શકે છે. તે દરમિયાન પવનની ગતિ ભયંકર રહેશે. આ તોફાન સામે લડવા અને રક્ષણ માટે યુદ્ધના ધોરણે તૈયારીઓ કરવામાં આવી છે. હજુ તો વાવાઝોડું આવ્યું નથી અને ચેન્નાઈમાં સ્થિતિ પહેલાથી જ ડરામણી બની ગઈ છે. રહેણાંક વિસ્તારોમાં પાર્ક કરેલી ઘણી કાર પાણીમાં તરતી થવા લાગી હતી. કેટલાક સ્થળોએ, ઘણી કાર અડધાથી વધુ પાણીમાં ડૂબી ગઈ હતી. ભારે વરસાદને કારણે વિસ્તારના રસ્તાઓ નદીઓમાં ફેરવાઈ ગયા હતા. પોતાના ઘરોમાં બંધ રહેતા લોકો ભયભીત બની ગયા છે.

1 / 12
હાલમાં મિચોંગ ચક્રવાતની સૌથી વધુ અસર ચેન્નાઈમાં જોવા મળી રહી છે. વેલાચેરી અને પલ્લીકરનાઈ વિસ્તારમાં સ્થિતિ સૌથી ખરાબ છે. એક કાર પર બીજી કાર ચઢી ગઈ છે, જે દર્શાવે છે કે અહીં પાણીનું બળ કેટલું મજબૂત છે. ચેન્નાઈમાં ઘણી જગ્યાએ રસ્તાઓ પર પાણી ભરાવા જેવી સ્થિતિ છે. આ સમયે પણ લોકો ભારે સંકટનો સામનો કરી રહ્યા છે. શહેરના પુધુપેટ્ટાઈથી એગમોર સુધીનો માર્ગમાં પાણી ભરાઈ ગયું છે. મુખ્ય માર્ગ પર 3-4 ફૂટ સુધી પાણી ભરાઈ ગયા છે.

હાલમાં મિચોંગ ચક્રવાતની સૌથી વધુ અસર ચેન્નાઈમાં જોવા મળી રહી છે. વેલાચેરી અને પલ્લીકરનાઈ વિસ્તારમાં સ્થિતિ સૌથી ખરાબ છે. એક કાર પર બીજી કાર ચઢી ગઈ છે, જે દર્શાવે છે કે અહીં પાણીનું બળ કેટલું મજબૂત છે. ચેન્નાઈમાં ઘણી જગ્યાએ રસ્તાઓ પર પાણી ભરાવા જેવી સ્થિતિ છે. આ સમયે પણ લોકો ભારે સંકટનો સામનો કરી રહ્યા છે. શહેરના પુધુપેટ્ટાઈથી એગમોર સુધીનો માર્ગમાં પાણી ભરાઈ ગયું છે. મુખ્ય માર્ગ પર 3-4 ફૂટ સુધી પાણી ભરાઈ ગયા છે.

2 / 12
ચેન્નાઈના દરેક ભાગમાં ભારે વરસાદની અસર જોવા મળી રહી છે. એગમોર રેલ્વે સ્ટેશનના ટ્રેક પર પાણી ભરાઈ ગયા હતા. રેલવે પર તોફાનની અસર એ છે કે અત્યાર સુધીમાં 204 ટ્રેનો રદ કરવામાં આવી છે. ચેન્નાઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ મંગળવારે સવારે 9 વાગ્યા સુધી બંધ કરી દેવામાં આવ્યું છે. ન તો કોઈ ફ્લાઈટ લેન્ડ થશે કે ન તો કોઈ ફ્લાઈટ ટેક ઓફ કરી શકશે. ભારે વરસાદને કારણે એરપોર્ટ પર પાણી ભરાઈ ગયું હતું. મિચોંગ વાવાઝોડાને કારણે ચેન્નાઈ એરપોર્ટ પર 23 ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. ચેન્નાઈ આવતી 12 અને ચેન્નાઈથી ઉપડનારી 11 ફ્લાઈટ રદ કરવામાં આવી હતી. તોફાનના કારણે 10 ફ્લાઈટના રૂટ બદલવામાં આવ્યા છે.

ચેન્નાઈના દરેક ભાગમાં ભારે વરસાદની અસર જોવા મળી રહી છે. એગમોર રેલ્વે સ્ટેશનના ટ્રેક પર પાણી ભરાઈ ગયા હતા. રેલવે પર તોફાનની અસર એ છે કે અત્યાર સુધીમાં 204 ટ્રેનો રદ કરવામાં આવી છે. ચેન્નાઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ મંગળવારે સવારે 9 વાગ્યા સુધી બંધ કરી દેવામાં આવ્યું છે. ન તો કોઈ ફ્લાઈટ લેન્ડ થશે કે ન તો કોઈ ફ્લાઈટ ટેક ઓફ કરી શકશે. ભારે વરસાદને કારણે એરપોર્ટ પર પાણી ભરાઈ ગયું હતું. મિચોંગ વાવાઝોડાને કારણે ચેન્નાઈ એરપોર્ટ પર 23 ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. ચેન્નાઈ આવતી 12 અને ચેન્નાઈથી ઉપડનારી 11 ફ્લાઈટ રદ કરવામાં આવી હતી. તોફાનના કારણે 10 ફ્લાઈટના રૂટ બદલવામાં આવ્યા છે.

3 / 12
ચેન્નાઈમાં દરેક જગ્યાએ પૂર જેવી સ્થિતિ છે, જેને ધ્યાનમાં રાખીને ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. લોકોને જરૂરિયાત વિના મુસાફરી કરવાનું ટાળવા અપીલ કરવામાં આવી છે. હવામાન વિભાગે માહિતી આપી છે કે ચેન્નાઈમાં રવિવારથી સોમવારે સવારે 8.30 વાગ્યા સુધી 12 સેમી વરસાદ નોંધવામાં આવ્યો છે. કેટલાક વિસ્તારોમાં 20થી 22 સેમી વરસાદ નોંધાયો હતો. મિચોંગને કારણે તમિલનાડુમાં આવશ્યક સેવાઓ સિવાય સોમવાર અને મંગળવારને જાહેર રજા જાહેર કરવામાં આવી છે. આ ચક્રવાતની અસર SBIની PO પરીક્ષા પર પણ પડી રહી છે. ચેન્નાઈમાં 9 NDRF અને 14 SDRF ટીમો જીવ બચાવવા માટે લગાવવામાં આવી છે.

ચેન્નાઈમાં દરેક જગ્યાએ પૂર જેવી સ્થિતિ છે, જેને ધ્યાનમાં રાખીને ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. લોકોને જરૂરિયાત વિના મુસાફરી કરવાનું ટાળવા અપીલ કરવામાં આવી છે. હવામાન વિભાગે માહિતી આપી છે કે ચેન્નાઈમાં રવિવારથી સોમવારે સવારે 8.30 વાગ્યા સુધી 12 સેમી વરસાદ નોંધવામાં આવ્યો છે. કેટલાક વિસ્તારોમાં 20થી 22 સેમી વરસાદ નોંધાયો હતો. મિચોંગને કારણે તમિલનાડુમાં આવશ્યક સેવાઓ સિવાય સોમવાર અને મંગળવારને જાહેર રજા જાહેર કરવામાં આવી છે. આ ચક્રવાતની અસર SBIની PO પરીક્ષા પર પણ પડી રહી છે. ચેન્નાઈમાં 9 NDRF અને 14 SDRF ટીમો જીવ બચાવવા માટે લગાવવામાં આવી છે.

4 / 12
આ વાવાઝોડાના આગમન પહેલા જ ચેન્નાઈના મોટાભાગના વિસ્તારો પાણીમાં ડૂબી ગયા છે. ચેન્નઈ ઉપરાંત ચાંગલપટ્ટુ, કાંચીપુરમ, નાગપટ્ટનમ, કુડ્ડલોર અને તિરુવલ્લુર જિલ્લામાં ભારે વરસાદ થયો છે. કલમ 144 દરેક જગ્યાએ લાગુ છે. હવામાન વિભાગે આ જગ્યા માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.

આ વાવાઝોડાના આગમન પહેલા જ ચેન્નાઈના મોટાભાગના વિસ્તારો પાણીમાં ડૂબી ગયા છે. ચેન્નઈ ઉપરાંત ચાંગલપટ્ટુ, કાંચીપુરમ, નાગપટ્ટનમ, કુડ્ડલોર અને તિરુવલ્લુર જિલ્લામાં ભારે વરસાદ થયો છે. કલમ 144 દરેક જગ્યાએ લાગુ છે. હવામાન વિભાગે આ જગ્યા માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.

5 / 12
કહેવામાં આવી રહ્યું છે કે મંગળવારે બપોરે 12 વાગ્યા પહેલા નેલ્લોર અને માછલીપટ્ટનમ વચ્ચે આ ચક્રવાતી તોફાન ત્રાટકવાની સંભાવના છે. તે સમયે પવનની મહત્તમ ઝડપ 110 કિમી પ્રતિ કલાક હોઈ શકે છે. તેની અસર તમિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, ઓડિશા અને પુડુચેરીમાં ઘણી જગ્યાએ જોવા મળી શકે છે. હવામાન વિભાગે 6 ડિસેમ્બર સુધી ભારે વરસાદની ચેતવણી આપી છે. અનેક જગ્યાએ 5 ઈંચ સુધી ભારે વરસાદની શક્યતા છે.

કહેવામાં આવી રહ્યું છે કે મંગળવારે બપોરે 12 વાગ્યા પહેલા નેલ્લોર અને માછલીપટ્ટનમ વચ્ચે આ ચક્રવાતી તોફાન ત્રાટકવાની સંભાવના છે. તે સમયે પવનની મહત્તમ ઝડપ 110 કિમી પ્રતિ કલાક હોઈ શકે છે. તેની અસર તમિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, ઓડિશા અને પુડુચેરીમાં ઘણી જગ્યાએ જોવા મળી શકે છે. હવામાન વિભાગે 6 ડિસેમ્બર સુધી ભારે વરસાદની ચેતવણી આપી છે. અનેક જગ્યાએ 5 ઈંચ સુધી ભારે વરસાદની શક્યતા છે.

6 / 12
તમિલનાડુમાં રેડ એલર્ટ, ઓડિશાના 5 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને આંધ્ર પ્રદેશના 8 જિલ્લામાં હાઈ એલર્ટ છે. આંધ્રપ્રદેશમાં 181 રાહત કેમ્પ બનાવવામાં આવ્યા છે, SDRFની 5 ટીમો અહીં તૈનાત છે. તમિલનાડુના 4 જિલ્લામાં જાહેર રજા જાહેર કરવામાં આવી છે, અહીં 121 બહુહેતુક કેન્દ્રો સ્થાપિત કરવામાં આવ્યા છે. લગભગ 5000 રાહત શિબિરો બનાવવામાં આવી છે. ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની 14 ટીમો તૈનાત છે.

તમિલનાડુમાં રેડ એલર્ટ, ઓડિશાના 5 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને આંધ્ર પ્રદેશના 8 જિલ્લામાં હાઈ એલર્ટ છે. આંધ્રપ્રદેશમાં 181 રાહત કેમ્પ બનાવવામાં આવ્યા છે, SDRFની 5 ટીમો અહીં તૈનાત છે. તમિલનાડુના 4 જિલ્લામાં જાહેર રજા જાહેર કરવામાં આવી છે, અહીં 121 બહુહેતુક કેન્દ્રો સ્થાપિત કરવામાં આવ્યા છે. લગભગ 5000 રાહત શિબિરો બનાવવામાં આવી છે. ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની 14 ટીમો તૈનાત છે.

7 / 12
NDRFની 21 ટીમો તમિલનાડુ, આંધ્રપ્રદેશ, ઓડિશા અને પુડુચેરીમાં તૈનાત છે. આ રાજ્યોમાં NDRFની 8 વધારાની ટીમો સ્ટેન્ડબાય મોડમાં છે. ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થયા છે. એક જગ્યાએ દિવાલ ધરાશાયી થતા 5 લોકોના મોત થયા હતા.

NDRFની 21 ટીમો તમિલનાડુ, આંધ્રપ્રદેશ, ઓડિશા અને પુડુચેરીમાં તૈનાત છે. આ રાજ્યોમાં NDRFની 8 વધારાની ટીમો સ્ટેન્ડબાય મોડમાં છે. ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થયા છે. એક જગ્યાએ દિવાલ ધરાશાયી થતા 5 લોકોના મોત થયા હતા.

8 / 12
IMDના જનરલ ડાયરેક્ટર ડૉ. મૃત્યુંજય મહાપાત્રાએ કહ્યું છે કે અમે તમામ માછીમારોને 6 ડિસેમ્બર સુધી દરિયામાં ન જવા માટે કહ્યું છે. તમિલનાડુ, આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારો માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાહત બચાવ ટુકડીઓ લોકોના જીવ બચાવવા માટે તમામ શક્ય પ્રયાસો કરી રહી છે. મુશ્કેલીમાં ફસાયેલા લોકોને સલામત સ્થળે લઈ જવામાં આવ્યા છે.

IMDના જનરલ ડાયરેક્ટર ડૉ. મૃત્યુંજય મહાપાત્રાએ કહ્યું છે કે અમે તમામ માછીમારોને 6 ડિસેમ્બર સુધી દરિયામાં ન જવા માટે કહ્યું છે. તમિલનાડુ, આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારો માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાહત બચાવ ટુકડીઓ લોકોના જીવ બચાવવા માટે તમામ શક્ય પ્રયાસો કરી રહી છે. મુશ્કેલીમાં ફસાયેલા લોકોને સલામત સ્થળે લઈ જવામાં આવ્યા છે.

9 / 12
વાવાઝોડાને કારણે તમિલનાડુના મહાબલીપુરમ બીચ પર સમુદ્રનું સ્તર લગભગ 5 ફૂટ વધી ગયું છે. મોડી સાંજે સમાચાર છે કે ચેન્નાઈમાં ભારે વરસાદ વચ્ચે 5 લોકોના મોત થયા છે. ગૃહમંત્રી અમિત શાહે તમિલનાડુ અને પુડુચેરીના સીએમ સાથે વાત કરી છે અને તમામ શક્ય મદદની ખાતરી આપી છે.

વાવાઝોડાને કારણે તમિલનાડુના મહાબલીપુરમ બીચ પર સમુદ્રનું સ્તર લગભગ 5 ફૂટ વધી ગયું છે. મોડી સાંજે સમાચાર છે કે ચેન્નાઈમાં ભારે વરસાદ વચ્ચે 5 લોકોના મોત થયા છે. ગૃહમંત્રી અમિત શાહે તમિલનાડુ અને પુડુચેરીના સીએમ સાથે વાત કરી છે અને તમામ શક્ય મદદની ખાતરી આપી છે.

10 / 12
જો કે, ચક્રવાત મિચોંગ વર્ષ 2023માં બંગાળની ખાડીમાં સર્જાયેલું ચોથું અને હિંદ મહાસાગરમાં છઠ્ઠું વાવાઝોડું છે. મ્યાનમારે આ તોફાનને મિચોંગ નામ આપ્યું છે, જેનો અર્થ છે તાકાત અને લચીલાપણ. આ ખતરો કેટલો મોટો બની ગયો છે, તેને એ રીતે સમજો કે રવિવારે 3 રાજ્યોમાં જીત મેળવીને પીએમ નરેન્દ્ર મોદી બીજેપી હેડક્વાર્ટર પહોંચ્યા હતા. ઉજવણીનો માહોલ હતો, પરંતુ પીએમએ પોતાના સંબોધનમાં તોફાનની ચર્ચા કરી હતી. તેની ખતરનાક અસર અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

જો કે, ચક્રવાત મિચોંગ વર્ષ 2023માં બંગાળની ખાડીમાં સર્જાયેલું ચોથું અને હિંદ મહાસાગરમાં છઠ્ઠું વાવાઝોડું છે. મ્યાનમારે આ તોફાનને મિચોંગ નામ આપ્યું છે, જેનો અર્થ છે તાકાત અને લચીલાપણ. આ ખતરો કેટલો મોટો બની ગયો છે, તેને એ રીતે સમજો કે રવિવારે 3 રાજ્યોમાં જીત મેળવીને પીએમ નરેન્દ્ર મોદી બીજેપી હેડક્વાર્ટર પહોંચ્યા હતા. ઉજવણીનો માહોલ હતો, પરંતુ પીએમએ પોતાના સંબોધનમાં તોફાનની ચર્ચા કરી હતી. તેની ખતરનાક અસર અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

11 / 12
તેમણે દેશવાસીઓને ચેતવણી આપતા કહ્યું કે કેન્દ્ર આ રાજ્યોની સરકારોના સતત સંપર્કમાં છે. પૂર્વ કિનારે રાહત અને બચાવ કામગીરી અંગે અપડેટ લેવામાં આવી રહ્યું છે. તેમણે તમિલનાડુ, પુડુચેરી અને ઓડિશાના ભાજપના કાર્યકરોને રાહત અને બચાવ કામગીરીમાં મદદ કરવા અપીલ કરી હતી. તેમણે એમ પણ કહ્યું કે અમારા માટે પાર્ટી કરતા દેશ મોટો છે. દેશવાસીઓ દરેક વસ્તુ કરતા મોટા છે.

તેમણે દેશવાસીઓને ચેતવણી આપતા કહ્યું કે કેન્દ્ર આ રાજ્યોની સરકારોના સતત સંપર્કમાં છે. પૂર્વ કિનારે રાહત અને બચાવ કામગીરી અંગે અપડેટ લેવામાં આવી રહ્યું છે. તેમણે તમિલનાડુ, પુડુચેરી અને ઓડિશાના ભાજપના કાર્યકરોને રાહત અને બચાવ કામગીરીમાં મદદ કરવા અપીલ કરી હતી. તેમણે એમ પણ કહ્યું કે અમારા માટે પાર્ટી કરતા દેશ મોટો છે. દેશવાસીઓ દરેક વસ્તુ કરતા મોટા છે.

12 / 12
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">