Rishabh Pant Injury : શું ઇજાગ્રસ્ત પંતની જગ્યાએ બીજો કોઈ ખેલાડી બેટિંગ કરશે? ICCનો નિયમ શું છે? જાણો
માન્ચેસ્ટર ટેસ્ટના પહેલા જ દિવસે ટીમ ઈન્ડિયાનું ટેન્શન વધી ગયું છે. વિકેટકીપર-બેટ્સમેન રિષભ પંતને ગંભીર ઈજા થઈ છે. આવી સ્થિતિમાં, સૌથી મોટો પ્રશ્ન એ છે કે, જો પંત આ મેચમાં આગળ નહીં રમે તો શું થશે. શું ભારતીય ટીમને કન્કશનનો વિકલ્પ મળશે?

માન્ચેસ્ટર ટેસ્ટના પહેલા જ દિવસે ભારતીય ક્રિકેટ ટીમને મોટો ઝટકો લાગ્યો છે. જ્યારે સ્ટાર વિકેટકીપર બેટ્સમેન પંત ઈજાગ્રસ્ત થઈને બહાર ચાલ્યો ગયો છે. પંતને ક્રિસ વોક્સનો એક યોર્કર બોલ પગમાં વાગ્યો હતો. ત્યારબાદ તે ઈજાગ્રસ્ત થયો અને રિટાયર્ડ હર્ટ થઈ મેડિકલ સેન્ટર લઈ જવામાં આવ્યો હતો.

આ ઘટનાએ માત્ર ભારતીય ટીમની ચિંતા વધારી નથી પરંતુ એક મોટો સવાલ પણ ઉભો કર્યો છે. શું પંતની ઈજા ગંભીર થવા પર ભારતીય ટીમને કન્કશન સબ્સ્ટીટ્યુટ મળશે?

પંતની ઈજાએ ક્રિકેટના નિયમ અને કન્કશન સબ્સ્ટીટ્યુટને લઈ ચર્ચા જગાવી છે.કન્કશન સબસ્ટીટ્યુટ ત્યારે લાગુ થાય છે. જ્યારે કોઈ ખેલાડીના માથા પર ઈજા થાય છે અને તે રમવા માટે અસર્થ થાય છે. આવી સ્થિતિમાં ટીમને ઈજાગસ્ત ખેલાડી સમાન ભૂમિકા નિભાવનાર બીજો ખેલાડી મળે છે.

જે બેટિંગ અને બોલિંગ અને ફીલ્ડિંગ કરી શકે છે. ઉદાહરણ માટે જોઈએ તો જો પંતને માથા પર ઈજા થાય છે તો. ભારત ધ્રુવ જુરેલ જેવા ખેલાડીને કન્કશન સબ્સટીટ્યુટના રુપમાં લેવાની તક આપે છે. જે બેટિંગ અને વિકેટકીપિંગ બંન્ને કરી શકે છે.

પરંતુ પંતને પગ પર ઈજા થઈ છે માથા પર નહી. એટેલે નિયમો હેઠળ ભારતને કન્કશન સબ્સટીટ્યુટની અનુમતિ મળશે નહી. ભારતીય ટીમને એખ સબ્સ્ટીટ્યુટ ફીલ્ડર મળી શકે છે. જે માત્ર ફીલ્ડિંગ કે વિકેટકીપિંગ કરી શકે છે પરંતુ તે ન તો બેટિંગ કરી શકે છે અને ન તો બોલિંગ કરી શકે. ટીમ ઈન્ડિયાના માત્ર 10 ખેલાડીઓ બેટિંગ કરી શકશે.

ભારતીય ઇનિંગ્સની 68મી ઓવરમાં, ક્રિસ વોક્સના ઝડપી યોર્કર બોલે પંતને મુશ્કેલીમાં મુકી દીધો. પંતે આ બોલ પર રિવર્સ-સ્વીપ રમવાનો પ્રયાસ કર્યો, પરંતુ બોલ સીધો તેના શુઝ પર વાગ્યો. આ ઘટના પછી, તેના પગમાંથી લોહી નીકળવા લાગ્યું, અને દુખાવાની તીવ્રતા જોઈને, તેને તાત્કાલિક મેદાનની બહાર લઈ જવામાં આવ્યો. પંતને સીધા મેડિકલ સેન્ટર લઈ જવામાં આવ્યો, જ્યાં તેની ઈજાની સારવાર ચાલી રહી છે.
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો, લોર્ડ્સ ટેસ્ટમાં રિષભ પંત થયો ઈજાગ્રસ્ત આવો છે પરિવાર અહી ક્લિક કરો
