Ashes 2021: એશિઝ હારવાને લઇ ઇંગ્લેન્ડના કેપ્ટન જો રુટનુ તૂટ્યુ દિલ, સિરીઝ સમાપ્ત થતા જ છોડી દેશે કેપ્ટનશિપ!
ઈંગ્લેન્ડે (England) એશિઝ શ્રેણી (Ashes Series) ની પ્રથમ ત્રણ ટેસ્ટ હારીને શ્રેણી પણ ગુમાવી હતી. મેલબોર્ન ટેસ્ટ ઈંગ્લેન્ડે એક દાવ, 14 રને જીતી હતી.

ખૂબ જ ખરાબ ક્રિકેટ રમી રહેલી ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમ (England Cricket Team) આખરે એશિઝ શ્રેણી હારી ગઈ. મંગળવારે મેલબોર્ન ટેસ્ટ (Melbourne Test) માં ઈંગ્લેન્ડનો બીજો દાવ પત્તાની જેમ પડી ગયો હતો અને ઓસ્ટ્રેલિયા (Australia) એ ત્રીજી મેચ ઈનિંગ, 14 રનથી જીતી લીધી હતી. આ હાર બાદ ઈંગ્લેન્ડમાં સુકાની જો રૂટ (Joe Root) ની કેપ્ટનશીપ પર સવાલો ઉભા થઈ રહ્યા છે અને એવા અહેવાલો છે કે આ દિગ્ગજ બેટ્સમેન સીરીઝ પૂરી થતાની સાથે જ કેપ્ટન્સી છોડી દેશે.

બ્રિટિશ મીડિયા રિપોર્ટનુસાર, જો રૂટ એશિઝ સિરીઝ બાદ પોતાની કેપ્ટનશિપનું ભવિષ્ય નક્કી કરશે. એવી અફવા છે કે જો રૂટે કેપ્ટનશિપ છોડવાનું મન બનાવી લીધું છે અને શક્ય છે કે આગામી કેપ્ટન બેન સ્ટોક્સ (Ben Stokes) હશે.

તમને જણાવી દઈએ કે મેલબોર્ન ટેસ્ટની બીજી ઈનિંગમાં ઈંગ્લેન્ડની ટીમ માત્ર 68 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ઈંગ્લેન્ડની છેલ્લી 6 વિકેટ માત્ર 22 રનમાં પડી ગઈ હતી. 4 બેટ્સમેન ખાતું ખોલાવી શક્યા ન હતા અને માત્ર 2 બેટ્સમેન ડબલ ફિગર પાર કરી શક્યા હતા.

આ હાર બાદ ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન જો રૂટની ટીમ પર સવાલ ઉઠાવતા જોવા મળ્યા હતા. પૂર્વ ઓલરાઉન્ડર ઈયાન બોથમે ઈંગ્લેન્ડની હાર બાદ કહ્યું કે તે ખૂબ જ શરમમાં છે. બોથમે કહ્યું, 'મને શરમ આવે છે. 12 દિવસમાં એશિઝ ગુમાવવી શરમજનક છે. ઈંગ્લેન્ડની ટીમ પોતાનો રસ્તો ગુમાવી ચૂકી છે. આપણે આત્મનિરીક્ષણ કરવાની જરૂર છે.

ઈંગ્લેન્ડ વર્ષ 2021માં કુલ 9 ટેસ્ટ હારી ગયું છે, જે તેનું સૌથી ખરાબ પ્રદર્શન છે. ઈંગ્લેન્ડના કેપ્ટન જો રૂટે વર્ષ 2021માં 1708 ટેસ્ટ રન બનાવ્યા હતા પરંતુ આ યાદીમાં બીજા નંબરનો બેટ્સમેન માત્ર 530 રન જ બનાવી શક્યો હતો. આના પરથી તમે સમજી શકો છો કે ટેસ્ટ ફોર્મેટમાં ઈંગ્લેન્ડનું પ્રદર્શન આટલું ખરાબ કેમ રહ્યું છે.