AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

70 રુપિયાની પેકેટ મની થી લઈ આજે 60 કરોડની છે નેટવર્થ, જાણો ક્રિકેટર મોહમ્મદ સિરાજની સંધર્ષ સ્ટોરી

ભારતીય ટીમના યુવા અને સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે (Mohammed Siraj) પોતાની ઘાતક અને ઝડપી બોલિંગથી થોડી જ મેચોમાં ટીમ ઈન્ડિયામાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. સિરાજ આજે જ્યાં છે ત્યાં પહોંચવા માટે ઘણી મહેનત કરી છે. મોહમ્મદ સિરાજએ ટીમ ઈન્ડિયા માટે 21 ટેસ્ટ મેચમાં 59 વિકેટ લીધી છે. આ સાથે જ તેણે ત્રણ ટી-20 મેચમાં 11 વિકેટ ઝડપી છે.

| Updated on: Aug 04, 2025 | 4:31 PM
Share
ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજનો જન્મ 13 માર્ચ 1992ના રોજ હૈદરાબાદમાં થયો હતો.મોહમ્મદ સિરાજ આજે ભલે કરોડોની સંપત્તિનો માલિક હોય પરંતુ બાળપણથી જ એવું નહોતું. સિરાજનો જન્મ ગરીબ પરિવારમાં થયો હતો. તેના પિતા ઓટો રિક્ષા ચાલક હતા અને માતા હાઉસ વાઈફ હતી. સિરાજને નાનપણથી જ ક્રિકેટનો શોખ હતો અને તે ક્રિકેટ એકેડમીમાં તેના મામા સાથે રમતો હતો. એક દિવસ તેણે 9 વિકેટ લીધી, જેના પછી બધાને આ રમતમાં તેનું ભવિષ્ય જોવા લાગ્યું.

ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજનો જન્મ 13 માર્ચ 1992ના રોજ હૈદરાબાદમાં થયો હતો.મોહમ્મદ સિરાજ આજે ભલે કરોડોની સંપત્તિનો માલિક હોય પરંતુ બાળપણથી જ એવું નહોતું. સિરાજનો જન્મ ગરીબ પરિવારમાં થયો હતો. તેના પિતા ઓટો રિક્ષા ચાલક હતા અને માતા હાઉસ વાઈફ હતી. સિરાજને નાનપણથી જ ક્રિકેટનો શોખ હતો અને તે ક્રિકેટ એકેડમીમાં તેના મામા સાથે રમતો હતો. એક દિવસ તેણે 9 વિકેટ લીધી, જેના પછી બધાને આ રમતમાં તેનું ભવિષ્ય જોવા લાગ્યું.

1 / 7
સિરાજે શોમાં જણાવ્યું કે જ્યારે તેની અંડર-23 ટીમમાં પસંદગી થઈ ત્યારે તેને ડેન્ગ્યુ થયો હતો. જ્યારે ટીમ અંડર-23 રમવા જઈ રહી હતી ત્યારે તે હોસ્પિટલમાં હતો. 'હું ટેન્શનમાં હતો, મારા બ્લડ સેલ્સ ખૂબ જ ઓછા થઈ ગયા હતા, જો હું તે સમયે હોસ્પિટલ ન ગયો હોત તો મારું મૃત્યુ થઈ શક્યું હોત. તે સમયે મેં ટીમના કોચને કહ્યું હતું કે હું હોસ્પિટલમાં છું અને ટીમ સાથે આવી શકું તેમ નથી. હું તે સમયે ટીમમાં નવો હતો, કોઈએ મારા પર વિશ્વાસ ન કર્યો. બધાને લાગ્યું કે હું જૂઠું બોલી રહ્યો છું. તે સમયે કોચે મને કહ્યું હતું કે, 'જો તમે અહીં નહીં આવો તો ટીમમાંથી બહાર થઈ જશો

સિરાજે શોમાં જણાવ્યું કે જ્યારે તેની અંડર-23 ટીમમાં પસંદગી થઈ ત્યારે તેને ડેન્ગ્યુ થયો હતો. જ્યારે ટીમ અંડર-23 રમવા જઈ રહી હતી ત્યારે તે હોસ્પિટલમાં હતો. 'હું ટેન્શનમાં હતો, મારા બ્લડ સેલ્સ ખૂબ જ ઓછા થઈ ગયા હતા, જો હું તે સમયે હોસ્પિટલ ન ગયો હોત તો મારું મૃત્યુ થઈ શક્યું હોત. તે સમયે મેં ટીમના કોચને કહ્યું હતું કે હું હોસ્પિટલમાં છું અને ટીમ સાથે આવી શકું તેમ નથી. હું તે સમયે ટીમમાં નવો હતો, કોઈએ મારા પર વિશ્વાસ ન કર્યો. બધાને લાગ્યું કે હું જૂઠું બોલી રહ્યો છું. તે સમયે કોચે મને કહ્યું હતું કે, 'જો તમે અહીં નહીં આવો તો ટીમમાંથી બહાર થઈ જશો

2 / 7
ટીમ ઈન્ડિયાનો ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ છેલ્લા એક વર્ષથી ત્રણેય ફોર્મેટમાં શાનદાર બોલિંગ કરી રહ્યો છે. આ જ કારણ છે કે સિરાજ હાલમાં બોલરોની વનડે રેન્કિંગમાં બીજા સ્થાને છે.સિરાજ IPL 2023માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમી રહ્યો છે તેણે એક શોમાં તેના સંઘર્ષના દિવસોને યાદ કર્યા અને કહ્યું કે કેવી રીતે તેને ક્રિકેટના કારણે તેની માતા પાસેથી ટોણા સાંભળવા પડ્યા અને દરરોજના 70 રૂપિયાના પોકેટ મની પર જીવવું પડ્યું.

ટીમ ઈન્ડિયાનો ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ છેલ્લા એક વર્ષથી ત્રણેય ફોર્મેટમાં શાનદાર બોલિંગ કરી રહ્યો છે. આ જ કારણ છે કે સિરાજ હાલમાં બોલરોની વનડે રેન્કિંગમાં બીજા સ્થાને છે.સિરાજ IPL 2023માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમી રહ્યો છે તેણે એક શોમાં તેના સંઘર્ષના દિવસોને યાદ કર્યા અને કહ્યું કે કેવી રીતે તેને ક્રિકેટના કારણે તેની માતા પાસેથી ટોણા સાંભળવા પડ્યા અને દરરોજના 70 રૂપિયાના પોકેટ મની પર જીવવું પડ્યું.

3 / 7
 સિરાજને ભારતના ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન ટેસ્ટ મેચમાં ડેબ્યૂ કરવાની તક મળી હતી. જે તેની ડ્રીમ ડેબ્યુ હતી. તેણે આ તકને હાથમાંથી છૂટવા ન દીધી અને શાનદાર પ્રદર્શન કર્યું. ભારતે ઓસ્ટ્રેલિયાની ધરતી પર ઐતિહાસિક જીત નોંધાવી હતી, જેમાં સિરાજનું પણ યોગદાન હતું. હાલમાં ઘણા દિગ્ગજ ક્રિકેટરોએ તેની પ્રશંસા કરી છે.

સિરાજને ભારતના ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન ટેસ્ટ મેચમાં ડેબ્યૂ કરવાની તક મળી હતી. જે તેની ડ્રીમ ડેબ્યુ હતી. તેણે આ તકને હાથમાંથી છૂટવા ન દીધી અને શાનદાર પ્રદર્શન કર્યું. ભારતે ઓસ્ટ્રેલિયાની ધરતી પર ઐતિહાસિક જીત નોંધાવી હતી, જેમાં સિરાજનું પણ યોગદાન હતું. હાલમાં ઘણા દિગ્ગજ ક્રિકેટરોએ તેની પ્રશંસા કરી છે.

4 / 7
 હૈદરાબાદનો આ જમણો હાથ ઝડપી બોલર હવે રમતના ત્રણેય ફોર્મેટમાં ભારતના અગ્રણી બોલરોમાંનો એક બની ગયો છે. સિરાજ IPLમાં વિરાટ કોહલીની આગેવાનીમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમે છે.સિરાજના પિતા ઓટો રિક્ષા ચલાવતા હતા અને પરિવારની આ એકમાત્ર કમાણી હતી.તમને જણાવી દઈએ કે જ્યારે સિરાજ ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર હતો ત્યારે તેના પિતાનું અવસાન થયું હતું. તે સમયે કડક નિયમોને કારણે તે તેના પિતાને છેલ્લી વાર જોઈ શક્યો ન હતો. કે તેઓ તેમની અંતિમ યાત્રાનો ભાગ બની શક્યા ન હતા.

હૈદરાબાદનો આ જમણો હાથ ઝડપી બોલર હવે રમતના ત્રણેય ફોર્મેટમાં ભારતના અગ્રણી બોલરોમાંનો એક બની ગયો છે. સિરાજ IPLમાં વિરાટ કોહલીની આગેવાનીમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમે છે.સિરાજના પિતા ઓટો રિક્ષા ચલાવતા હતા અને પરિવારની આ એકમાત્ર કમાણી હતી.તમને જણાવી દઈએ કે જ્યારે સિરાજ ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર હતો ત્યારે તેના પિતાનું અવસાન થયું હતું. તે સમયે કડક નિયમોને કારણે તે તેના પિતાને છેલ્લી વાર જોઈ શક્યો ન હતો. કે તેઓ તેમની અંતિમ યાત્રાનો ભાગ બની શક્યા ન હતા.

5 / 7
 સિરાજે સાત વર્ષની ઉંમરે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું. તે સમયે તે ટેનિસ બોલથી ક્રિકેટ રમતો હતો. વર્ષ 2015માં, તેણે રેડ બોલ ક્રિકેટ રમવાનું શરૂ કર્યું. તેને ટૂંક સમયમાં હૈદરાબાદની અંડર-23 ટીમમાં અને પછી સિનિયર ટીમમાં અને અંતે રણજી ટીમમાં સ્થાન મળ્યું.

સિરાજે સાત વર્ષની ઉંમરે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું. તે સમયે તે ટેનિસ બોલથી ક્રિકેટ રમતો હતો. વર્ષ 2015માં, તેણે રેડ બોલ ક્રિકેટ રમવાનું શરૂ કર્યું. તેને ટૂંક સમયમાં હૈદરાબાદની અંડર-23 ટીમમાં અને પછી સિનિયર ટીમમાં અને અંતે રણજી ટીમમાં સ્થાન મળ્યું.

6 / 7
મોહમ્મદ સિરાજે એશિયા કપ ફાઇનલમાં શ્રીલંકા સામે 6 વિકેટ લઈને ટીમ ઈન્ડિયાને ચેમ્પિયન બનાવ્યું હતું. ભારતીય ટીમે 8મી વખત એશિયા કપ જીત્યો હતો અને ટાઈટલ મેચમાં સિરાજ પ્લેયર ઓફ ધ મેચ રહ્યો હતો. ધમાકેદાર પ્રદર્શન બાદ સિરાજની ખૂબ જ પ્રશંસા થઈ રહી છે.

મોહમ્મદ સિરાજે એશિયા કપ ફાઇનલમાં શ્રીલંકા સામે 6 વિકેટ લઈને ટીમ ઈન્ડિયાને ચેમ્પિયન બનાવ્યું હતું. ભારતીય ટીમે 8મી વખત એશિયા કપ જીત્યો હતો અને ટાઈટલ મેચમાં સિરાજ પ્લેયર ઓફ ધ મેચ રહ્યો હતો. ધમાકેદાર પ્રદર્શન બાદ સિરાજની ખૂબ જ પ્રશંસા થઈ રહી છે.

7 / 7

 

મોહમ્મદ સિરાજ ક્રિકેટની દુનિયામાં સફળતાના માર્ગ પર ઝડપથી આગળ વધ્યો હતો. ઓટોરિક્ષા ડ્રાઇવરના પુત્ર સિરાજએ 2015માં ક્રિકેટ બોલ સાથે પ્રથમ વખત બોલિંગ કરી હતી, મોહમ્મદ સિરાજના પરિવાર વિશે જાણવા અહી ક્લિક કરો

Follow Us
નવસારીમાં બ્રિજનું કામ 7 વર્ષથી અધૂરું: 25 હજારથી વધુ લોકો પરેશાન
નવસારીમાં બ્રિજનું કામ 7 વર્ષથી અધૂરું: 25 હજારથી વધુ લોકો પરેશાન
બહુચરાજી મંદિરનો કાયાકલ્પ: પ્રથમ તબક્કા માટે 80 કરોડ રૂપિયા ફાળવાયા
બહુચરાજી મંદિરનો કાયાકલ્પ: પ્રથમ તબક્કા માટે 80 કરોડ રૂપિયા ફાળવાયા
બાગેશ્વર ધામ વિવાદ: સુરત બજરંગ દળના પ્રમુખે વિજ્ઞાન જાથાને આપ્યો પડકાર
બાગેશ્વર ધામ વિવાદ: સુરત બજરંગ દળના પ્રમુખે વિજ્ઞાન જાથાને આપ્યો પડકાર
Panchmahal: કાલોલમાં વાવાઝોડા સાથે વરસાદ વરસતા 400 મણ કેરી ખરી ગઈ
Panchmahal: કાલોલમાં વાવાઝોડા સાથે વરસાદ વરસતા 400 મણ કેરી ખરી ગઈ
ભાવનગરના પછાત વિસ્તારોમાં સર્જાઈ પાણીની તંગી, ટેન્કર મગાવવાની પડી ફરજ
ભાવનગરના પછાત વિસ્તારોમાં સર્જાઈ પાણીની તંગી, ટેન્કર મગાવવાની પડી ફરજ
ગીર સોમનાથમાં ચોમાસા સુધી પાણીની ચિંતા ટળી, 5 મુખ્ય ડેમમાં પૂરતું પાણી
ગીર સોમનાથમાં ચોમાસા સુધી પાણીની ચિંતા ટળી, 5 મુખ્ય ડેમમાં પૂરતું પાણી
ગુજરાતમાં એકસાથે 3 સિસ્ટમ એક્ટિવ! આગામી 6 દિવસ પવન સાથે વરસાદની આગાહી
ગુજરાતમાં એકસાથે 3 સિસ્ટમ એક્ટિવ! આગામી 6 દિવસ પવન સાથે વરસાદની આગાહી
પીએમ મોદીએ 'મન કી બાત'માં ગુજરાતની 'કેસર' કેરીની કેમ કરી વાત ?
પીએમ મોદીએ 'મન કી બાત'માં ગુજરાતની 'કેસર' કેરીની કેમ કરી વાત ?
અમદાવાદમાં IPL 2026 ફાઈનલ પર વરસાદનું સંકટ
અમદાવાદમાં IPL 2026 ફાઈનલ પર વરસાદનું સંકટ
કાર બૂક કરાવીને લૂંટ ચલાવનાર 3 શખ્સોની ધરપકડ
કાર બૂક કરાવીને લૂંટ ચલાવનાર 3 શખ્સોની ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">