AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આ ભારતીય ખેલાડીએ અચાનક ક્રિકેટમાંથી નિવૃત્તિની કરી જાહેરાત, માત્ર 31 વર્ષની ઉંમરે લીધો સંન્યાસ

એક ભારતીય ફાસ્ટ બોલરે અચાનક નિવૃત્તિ જાહેર કરી દીધી છે. આ ખેલાડીએ માત્ર 31 વર્ષની ઉંમરે ભારતીય ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો છે. આ ખેલાડી IPLમાં ઘણી અલગ-અલગ ટીમો માટે રમી ચુક્યો છે અને ઘરેલુ ક્રિકેટમાં 400 થી વધુ વિકેટ ઝડપી ચુક્યો છે.

| Updated on: Dec 16, 2024 | 6:45 PM
Share
ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં ઓસ્ટ્રેલિયા સામે 5 ટેસ્ટ મેચોની બોર્ડર-ગાવસ્કર ટ્રોફી રમી રહી છે. ડોમેસ્ટિક ક્રિકેટમાં પણ મેચો સતત રમાઈ રહી છે. આ બધાની વચ્ચે એક ભારતીય ફાસ્ટ બોલરે અચાનક ભારતીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે.

ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં ઓસ્ટ્રેલિયા સામે 5 ટેસ્ટ મેચોની બોર્ડર-ગાવસ્કર ટ્રોફી રમી રહી છે. ડોમેસ્ટિક ક્રિકેટમાં પણ મેચો સતત રમાઈ રહી છે. આ બધાની વચ્ચે એક ભારતીય ફાસ્ટ બોલરે અચાનક ભારતીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે.

1 / 6
આ ખેલાડીએ પોતાની પ્રોફેશનલ કરિયર દરમિયાન 400થી વધુ વિકેટ ઝડપી છે. તે IPLમાં ઘણી ટીમો માટે પણ રમી ચૂક્યો છે. પરંતુ છેલ્લા 4 વર્ષથી આ ખેલાડીને IPLમાં રમવાની તક નથી મળી રહી. આવી સ્થિતિમાં, આ ખેલાડીએ સોશિયલ મીડિયા પર એક વિડિયો શેર કરતા ચાહકોને તેના નિર્ણય વિશે જાણ કરી.

આ ખેલાડીએ પોતાની પ્રોફેશનલ કરિયર દરમિયાન 400થી વધુ વિકેટ ઝડપી છે. તે IPLમાં ઘણી ટીમો માટે પણ રમી ચૂક્યો છે. પરંતુ છેલ્લા 4 વર્ષથી આ ખેલાડીને IPLમાં રમવાની તક નથી મળી રહી. આવી સ્થિતિમાં, આ ખેલાડીએ સોશિયલ મીડિયા પર એક વિડિયો શેર કરતા ચાહકોને તેના નિર્ણય વિશે જાણ કરી.

2 / 6
31 વર્ષના ફાસ્ટ બોલર અંકિત રાજપૂતે અચાનક ભારતીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. ઉત્તર પ્રદેશ માટે ડોમેસ્ટિક ક્રિકેટ રમનાર અંકિત રાજપૂત તાજેતરમાં રણજી ટ્રોફીમાં રમતા જોવા મળ્યો હતો.

31 વર્ષના ફાસ્ટ બોલર અંકિત રાજપૂતે અચાનક ભારતીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. ઉત્તર પ્રદેશ માટે ડોમેસ્ટિક ક્રિકેટ રમનાર અંકિત રાજપૂત તાજેતરમાં રણજી ટ્રોફીમાં રમતા જોવા મળ્યો હતો.

3 / 6
અંકિત રાજપૂત IPLમાં ચેન્નાઈ સુપર કિંગ્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ, પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ જેવી મોટી ટીમો માટે રમી ચૂક્યો છે. તેણે IPLમાં તેની છેલ્લી મેચ 2020 દરમિયાન રમી હતી. આ પછી તે બેન્ચ પર જ જોવા મળ્યો હતો.

અંકિત રાજપૂત IPLમાં ચેન્નાઈ સુપર કિંગ્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ, પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ જેવી મોટી ટીમો માટે રમી ચૂક્યો છે. તેણે IPLમાં તેની છેલ્લી મેચ 2020 દરમિયાન રમી હતી. આ પછી તે બેન્ચ પર જ જોવા મળ્યો હતો.

4 / 6
અંકિત રાજપૂતે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કરીને નિવૃત્તિની જાહેરાત કરી હતી. અંકિત રાજપૂતે લખ્યું, 'હું ભારતીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરું છું. 2009-2024 સુધીનો મારો પ્રવાસ મારા જીવનનો સૌથી અદ્ભુત સમય રહ્યો છે. મને મળેલી તકો માટે હું BCCI, ઉત્તર પ્રદેશ ક્રિકેટ એસોસિએશન, કાનપુર ક્રિકેટ એસોસિએશન, IPL ફ્રેન્ચાઈઝી ચેન્નાઈ સુપર કિંગ્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ, પંજાબ કિંગ્સ, રાજસ્થાન રોયલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સનો આભારી છું.

અંકિત રાજપૂતે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કરીને નિવૃત્તિની જાહેરાત કરી હતી. અંકિત રાજપૂતે લખ્યું, 'હું ભારતીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરું છું. 2009-2024 સુધીનો મારો પ્રવાસ મારા જીવનનો સૌથી અદ્ભુત સમય રહ્યો છે. મને મળેલી તકો માટે હું BCCI, ઉત્તર પ્રદેશ ક્રિકેટ એસોસિએશન, કાનપુર ક્રિકેટ એસોસિએશન, IPL ફ્રેન્ચાઈઝી ચેન્નાઈ સુપર કિંગ્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ, પંજાબ કિંગ્સ, રાજસ્થાન રોયલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સનો આભારી છું.

5 / 6
અંકિત રાજપૂતે તેની કારકિર્દી દરમિયાન 80 ફર્સ્ટ ક્લાસ મેચ, 50 લિસ્ટ A મેચ અને 87 T20 મેચ રમી છે. તેણે ફર્સ્ટ ક્લાસમાં 248 વિકેટ, લિસ્ટ Aમાં 71 વિકેટ અને T20માં 105 વિકેટ લીધી છે. IPLની વાત કરીએ તો તેણે 29 મેચમાં 24 વિકેટ ઝડપી હતી. (All Photo Credit : X / ESPN / INSTAGRAM)

અંકિત રાજપૂતે તેની કારકિર્દી દરમિયાન 80 ફર્સ્ટ ક્લાસ મેચ, 50 લિસ્ટ A મેચ અને 87 T20 મેચ રમી છે. તેણે ફર્સ્ટ ક્લાસમાં 248 વિકેટ, લિસ્ટ Aમાં 71 વિકેટ અને T20માં 105 વિકેટ લીધી છે. IPLની વાત કરીએ તો તેણે 29 મેચમાં 24 વિકેટ ઝડપી હતી. (All Photo Credit : X / ESPN / INSTAGRAM)

6 / 6
ભાવનગર મનપા સંચાલિત શાળાઓની દુર્દશાનો જુઓ Video
ભાવનગર મનપા સંચાલિત શાળાઓની દુર્દશાનો જુઓ Video
મેયરના પતિના ગેરકાયદે બાંધકામ પર ક્યારે ચાલશે 'બુલડોઝર'?
મેયરના પતિના ગેરકાયદે બાંધકામ પર ક્યારે ચાલશે 'બુલડોઝર'?
ગુજરાતમાં સતત બીજા દિવસે કમોસમી વરસાદની આગાહી, 2 દિવસ બાદ તાપમાન ઘટશે
ગુજરાતમાં સતત બીજા દિવસે કમોસમી વરસાદની આગાહી, 2 દિવસ બાદ તાપમાન ઘટશે
વિશ્વ ઉમિયાધામના આર.પી. પટેલે લગ્ન નોંધણી સુધારાને આવકારતા કરી આ ટકોર
વિશ્વ ઉમિયાધામના આર.પી. પટેલે લગ્ન નોંધણી સુધારાને આવકારતા કરી આ ટકોર
Surat : બોર્ડની પરીક્ષા અંગે શિક્ષણ વિભાગનો એક્શન પ્લાન
Surat : બોર્ડની પરીક્ષા અંગે શિક્ષણ વિભાગનો એક્શન પ્લાન
Marriage Registration Rules નવા નિયમો: માતા-પિતાની સંમતિ ફરજિયાત?
Marriage Registration Rules નવા નિયમો: માતા-પિતાની સંમતિ ફરજિયાત?
Breaking News : કીર્તિ પટેલના સ્નાન પછી ભવનાથમાં સાધુ સંતો આમને સામને
Breaking News : કીર્તિ પટેલના સ્નાન પછી ભવનાથમાં સાધુ સંતો આમને સામને
વરિષ્ઠ અધિકારીઓના સહયોગથી અટકેલા કામો ઝડપ પકડશે, પરિણામ આજે જોવા મળશે
વરિષ્ઠ અધિકારીઓના સહયોગથી અટકેલા કામો ઝડપ પકડશે, પરિણામ આજે જોવા મળશે
મનપા સંચાલિત શાળામાં કેટલા કોર્પોરેટર્સના બાળકો અભ્યાસ કરે છે?
મનપા સંચાલિત શાળામાં કેટલા કોર્પોરેટર્સના બાળકો અભ્યાસ કરે છે?
ભાવેણાવાસીઓને ક્યારે મળશે 'વંદે ભારત'?, વિપક્ષે સત્તાધિશોને કર્યો સવાલ
ભાવેણાવાસીઓને ક્યારે મળશે 'વંદે ભારત'?, વિપક્ષે સત્તાધિશોને કર્યો સવાલ
g clip-path="url(#clip0_868_265)">