AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું ખરેખર હોય છે પ્લાસ્ટિકના ચોખા ? FSSAIએ જણાવી અસલી-નકલી ચોખા ઓળખવાની રીત

FSSAI એ ધૂળ, કાંકરા, પથ્થર, ફોતરાં, નીંદણના બીજ, ક્ષતિગ્રસ્ત દાણા, જીવજંતુઓ અને અન્ય ભેળસેળયુક્ત પદાર્થો જેવી અશુદ્ધિઓને ઓળખવાની રીતો જણાવી છે તેમજ શું ખરેખર પ્લાસ્ટિકના ચોખા હોય છે કે નહીં તે અંગે પણ જણાવ્યું છે. આ તમને એ નક્કી કરવામાં મદદ કરે છે કે ચોખા ખાવા માટે સુરક્ષિત છે કે નહીં.

| Updated on: Sep 13, 2026 | 11:15 AM
Share
ચોખા ભારતીય આહારનો મુખ્ય ભાગ છે. તેથી, ચોખામાં ભેળસેળના અહેવાલો પર ગંભીર ધ્યાન આપવું જરૂરી છે. જોકે સોશિયલ મીડિયા પર ચોખાની ચકાસણી કરવાની પદ્ધતિઓ જેમ કે તેને પાણીમાં પલાળવા કે રાંધવા ઘણીવાર વાયરલ થાય છે, પરંતુ દરેક યુક્તિ વિશ્વસનીય રીતે કામ કરતી નથી. આ સમસ્યાના ઉકેલ માટે, FSSAI એ ધૂળ, કાંકરા, પથ્થર, ફોતરાં, નીંદણના બીજ, ક્ષતિગ્રસ્ત દાણા, જીવજંતુઓ અને અન્ય ભેળસેળયુક્ત પદાર્થો જેવી અશુદ્ધિઓને ઓળખવાની રીતો જણાવી છે તેમજ શું ખરેખર પ્લાસ્ટિકના ચોખા હોય છે કે નહીં તે અંગે પણ જણાવ્યું છે. આ તમને એ નક્કી કરવામાં મદદ કરે છે કે ચોખા ખાવા માટે સુરક્ષિત છે કે નહીં. ક્યારેક ચોખા ઉપરથી સારા દેખાઈ શકે છે પરંતુ તેમાં છુપાયેલી ભેળસેળ હોઈ શકે છે. નકલી ચોખાનું નિયમિત સેવન સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ, ખાસ કરીને પેટને લગતી તકલીફોનું કારણ બની શકે છે.

ચોખા ભારતીય આહારનો મુખ્ય ભાગ છે. તેથી, ચોખામાં ભેળસેળના અહેવાલો પર ગંભીર ધ્યાન આપવું જરૂરી છે. જોકે સોશિયલ મીડિયા પર ચોખાની ચકાસણી કરવાની પદ્ધતિઓ જેમ કે તેને પાણીમાં પલાળવા કે રાંધવા ઘણીવાર વાયરલ થાય છે, પરંતુ દરેક યુક્તિ વિશ્વસનીય રીતે કામ કરતી નથી. આ સમસ્યાના ઉકેલ માટે, FSSAI એ ધૂળ, કાંકરા, પથ્થર, ફોતરાં, નીંદણના બીજ, ક્ષતિગ્રસ્ત દાણા, જીવજંતુઓ અને અન્ય ભેળસેળયુક્ત પદાર્થો જેવી અશુદ્ધિઓને ઓળખવાની રીતો જણાવી છે તેમજ શું ખરેખર પ્લાસ્ટિકના ચોખા હોય છે કે નહીં તે અંગે પણ જણાવ્યું છે. આ તમને એ નક્કી કરવામાં મદદ કરે છે કે ચોખા ખાવા માટે સુરક્ષિત છે કે નહીં. ક્યારેક ચોખા ઉપરથી સારા દેખાઈ શકે છે પરંતુ તેમાં છુપાયેલી ભેળસેળ હોઈ શકે છે. નકલી ચોખાનું નિયમિત સેવન સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ, ખાસ કરીને પેટને લગતી તકલીફોનું કારણ બની શકે છે.

1 / 8
શું ખરેખર ચોખામાં ભેળસેળ થઈ શકે છે? : ચોખામાં વિવિધ રીતે ભેળસેળ થઈ શકે છે. FSSAI એ નકલી ચોખાની ચકાસણી કરવા અને તેમાં ઉમેરવામાં આવેલી અશુદ્ધિઓને સરળતાથી ઓળખવા માટે કેટલીક ટિપ્સ આપી છે. તપાસવા માટે, એક સ્વચ્છ થાળીમાં થોડા ચોખા ફેલાવો અને તેનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરો. જો તેમાં વધુ પડતા કાંકરા હોય, તો ચોખામાં ભેળસેળ હોઈ શકે છે અને તમારે તેને ખરીદવા વિશે પુનર્વિચાર કરવો જોઈએ.

શું ખરેખર ચોખામાં ભેળસેળ થઈ શકે છે? : ચોખામાં વિવિધ રીતે ભેળસેળ થઈ શકે છે. FSSAI એ નકલી ચોખાની ચકાસણી કરવા અને તેમાં ઉમેરવામાં આવેલી અશુદ્ધિઓને સરળતાથી ઓળખવા માટે કેટલીક ટિપ્સ આપી છે. તપાસવા માટે, એક સ્વચ્છ થાળીમાં થોડા ચોખા ફેલાવો અને તેનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરો. જો તેમાં વધુ પડતા કાંકરા હોય, તો ચોખામાં ભેળસેળ હોઈ શકે છે અને તમારે તેને ખરીદવા વિશે પુનર્વિચાર કરવો જોઈએ.

2 / 8
કેવા પ્રકારની ભેળસેળ હોઈ શકે છે? : કાંકરા અથવા નાના પથ્થરોની ભેળસેળ, માટી અથવા ધૂળની ભેળસેળ, ફોતરાં અથવા સૂકા ઘાસના ટુકડાઓની ભેળસેળ, અન્ય છોડના બીજની ભેળસેળ, તૂટેલા અથવા ક્ષતિગ્રસ્ત દાણાની ભેળસેળ અને જીવજંતુઓ દ્વારા નુકસાન પામેલા દાણાની ભેળસેળ હોઈ શકે છે.

કેવા પ્રકારની ભેળસેળ હોઈ શકે છે? : કાંકરા અથવા નાના પથ્થરોની ભેળસેળ, માટી અથવા ધૂળની ભેળસેળ, ફોતરાં અથવા સૂકા ઘાસના ટુકડાઓની ભેળસેળ, અન્ય છોડના બીજની ભેળસેળ, તૂટેલા અથવા ક્ષતિગ્રસ્ત દાણાની ભેળસેળ અને જીવજંતુઓ દ્વારા નુકસાન પામેલા દાણાની ભેળસેળ હોઈ શકે છે.

3 / 8
બોઈલ ચોખામાં કૃત્રિમ રંગની તપાસ કેવી રીતે કરવી? : FSSAI જણાવે છે કે સેલા ચોખામાં હળદર જેવા રંગ આપનારા પદાર્થોની ભેળસેળ થઈ શકે છે. આ તપાસવા માટે, કાચની પ્લેટ પર એક ચમચી ચોખા મૂકો અને તેમાં થોડો ભીનો ચૂનો (કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ) ઉમેરો. FSSAI મુજબ, અસલી ચોખા લાલ રંગના થતા નથી, જ્યારે ભેળસેળયુક્ત ચોખામાં રંગ સ્પષ્ટ દેખાય છે.

બોઈલ ચોખામાં કૃત્રિમ રંગની તપાસ કેવી રીતે કરવી? : FSSAI જણાવે છે કે સેલા ચોખામાં હળદર જેવા રંગ આપનારા પદાર્થોની ભેળસેળ થઈ શકે છે. આ તપાસવા માટે, કાચની પ્લેટ પર એક ચમચી ચોખા મૂકો અને તેમાં થોડો ભીનો ચૂનો (કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ) ઉમેરો. FSSAI મુજબ, અસલી ચોખા લાલ રંગના થતા નથી, જ્યારે ભેળસેળયુક્ત ચોખામાં રંગ સ્પષ્ટ દેખાય છે.

4 / 8
શું પાણીમાં પલાડીને અસલી અને નકલી ચોખા વચ્ચેનો તફાવત જાણી શકાય છે? : સોશિયલ મીડિયા પર ઘણીવાર એવા દાવા કરવામાં આવે છે કે નકલી અથવા પ્લાસ્ટિકના ચોખા પાણીમાં અલગ રીતે વર્તે છે. જોકે, માત્ર પાણીમાં તપાસ કરવાથી એ નક્કી કરી શકાતું નથી કે ચોખા નકલી છે કે નહીં. તેથી, વિશ્વસનીય સ્ત્રોતો પાસેથી જ ચોખા ખરીદો અને નકલી ચોખાનો ઉપયોગ કરવાનું ટાળો.

શું પાણીમાં પલાડીને અસલી અને નકલી ચોખા વચ્ચેનો તફાવત જાણી શકાય છે? : સોશિયલ મીડિયા પર ઘણીવાર એવા દાવા કરવામાં આવે છે કે નકલી અથવા પ્લાસ્ટિકના ચોખા પાણીમાં અલગ રીતે વર્તે છે. જોકે, માત્ર પાણીમાં તપાસ કરવાથી એ નક્કી કરી શકાતું નથી કે ચોખા નકલી છે કે નહીં. તેથી, વિશ્વસનીય સ્ત્રોતો પાસેથી જ ચોખા ખરીદો અને નકલી ચોખાનો ઉપયોગ કરવાનું ટાળો.

5 / 8
શું પ્લાસ્ટિકના ચોખાને સળગાવીને ઓળખી શકાય છે? :  પ્લાસ્ટિકના ચોખા અંગે, FSSAI જણાવે છે કે ચોખામાં સ્ટાર્ચનું પ્રમાણ વધુ હોય છે અને આવા ચોખા પણ માર્કેટમાં મળે છે. સામાન્ય ચોખાને બાળવામાં આવે ત્યારે તે કાળા પડી જાય છે. તેનાથી વિપરીત, જો ચોખામાં પ્લાસ્ટિકની ભેળસેળ હોય, તો તે પીગળવા લાગે છે. તમે આ તફાવત સરળતાથી પારખી શકો છો.

શું પ્લાસ્ટિકના ચોખાને સળગાવીને ઓળખી શકાય છે? : પ્લાસ્ટિકના ચોખા અંગે, FSSAI જણાવે છે કે ચોખામાં સ્ટાર્ચનું પ્રમાણ વધુ હોય છે અને આવા ચોખા પણ માર્કેટમાં મળે છે. સામાન્ય ચોખાને બાળવામાં આવે ત્યારે તે કાળા પડી જાય છે. તેનાથી વિપરીત, જો ચોખામાં પ્લાસ્ટિકની ભેળસેળ હોય, તો તે પીગળવા લાગે છે. તમે આ તફાવત સરળતાથી પારખી શકો છો.

6 / 8
ખરીદી કરતી વખતે તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? : અસલી ચોખા મળે તે સુનિશ્ચિત કરવા માટે, તેની ગુણવત્તા અને તે ક્યાંથી આવે છે (સ્ત્રોત) તેના પર ધ્યાન આપો. પેક કરેલા ચોખા ઘણીવાર શ્રેષ્ઠ વિકલ્પ હોય છે, કારણ કે છૂટા ચોખામાં ભેળસેળ થવાની શક્યતા વધુ હોય છે.

ખરીદી કરતી વખતે તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? : અસલી ચોખા મળે તે સુનિશ્ચિત કરવા માટે, તેની ગુણવત્તા અને તે ક્યાંથી આવે છે (સ્ત્રોત) તેના પર ધ્યાન આપો. પેક કરેલા ચોખા ઘણીવાર શ્રેષ્ઠ વિકલ્પ હોય છે, કારણ કે છૂટા ચોખામાં ભેળસેળ થવાની શક્યતા વધુ હોય છે.

7 / 8
 અતિશય ચમકદાર દેખાતા ચોખા ખરીદવાનું ટાળો, કારણ કે તેમાં ભેળસેળ હોઈ શકે છે; ઘણીવાર ચોખાના દેખાવને આકર્ષક બનાવવા માટે તેને પોલિશ કરવામાં આવે છે. ચોખાનો સંગ્રહ કરતા પહેલાં ખાતરી કરો કે તેમાં જીવજંતુઓ ન હોય, કારણ કે તે અનાજને નુકસાન પહોંચાડી શકે છે. આનાથી સમસ્યાઓ ઊભી થઈ શકે છે અને ચોખા ખાવાલાયક રહેતા નથી.

અતિશય ચમકદાર દેખાતા ચોખા ખરીદવાનું ટાળો, કારણ કે તેમાં ભેળસેળ હોઈ શકે છે; ઘણીવાર ચોખાના દેખાવને આકર્ષક બનાવવા માટે તેને પોલિશ કરવામાં આવે છે. ચોખાનો સંગ્રહ કરતા પહેલાં ખાતરી કરો કે તેમાં જીવજંતુઓ ન હોય, કારણ કે તે અનાજને નુકસાન પહોંચાડી શકે છે. આનાથી સમસ્યાઓ ઊભી થઈ શકે છે અને ચોખા ખાવાલાયક રહેતા નથી.

8 / 8

ભારતના 100 રુપિયા ચીનમાં કેટલા થઈ જાય છે ? જાણો બંને દેશોની કરન્સીમાં કેટલો છે તફાવત, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us
g clip-path="url(#clip0_868_265)">