Chahal divorced News : હવે ચહલ અને ધનશ્રી લેવા જઈ રહ્યા છે છૂટાછેડા ? ઈન્સ્ટા પર એકબીજાને કર્યા અનફોલો
Chahal-Dhanashree divorced News : કહેવામાં આવી રહ્યું છે કે ચહલ અને તેની પત્ની ધનશ્રી વચ્ચે કંઈક બરાબર નથી. જે બાદ બન્નેના છૂટાછેડાની વાતો આગની જેમ ફેલાઈ રહી છે

સ્ટાર સ્પિનર યુઝવેન્દ્ર ચહલ લાંબા સમયથી ટીમ ઈન્ડિયાની બહાર છે. ચહલે તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ ઓગસ્ટ 2023માં રમી હતી.ચહલ પોતાની પર્સનલ લાઈફને કારણે ચર્ચામાં રહે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ચહલ અને તેની પત્ની ધનશ્રી વચ્ચે કંઈક બરાબર નથી. જે બાદ બન્નેના છૂટાછેડાની વાતો આગની જેમ ફેલાઈ રહી છે

ચહલ અને ધનશ્રી વચ્ચે છૂટાછેડાની અફવાઓ ચાલી રહી છે. અફવાઓ વચ્ચે, ચહલ-ધનશ્રીએ એકબીજાને ઇન્સ્ટાગ્રામ પર અનફોલો કરી દીધા. એક મીડિયાએ સમગ્ર મામલાને લઈને એક રિપોર્ટ પ્રકાશિત કર્યો હતો. નજીકના સૂત્રોએ જણાવ્યું કે છૂટાછેડાની અફવાઓ સાચી છે. સૂત્રોએ કહ્યું, 'છૂટાછેડા નિશ્ચિત છે. તેને સત્તાવાર રીતે સ્વીકારવામાં આવે તે પહેલા માત્ર સમયની રાહ જોવાઈ રહી છે.

જો કે, બંને તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. આવી સ્થિતિમાં જે પણ ચાલી રહ્યું છે તે માત્ર અટકળો કે સત્ય તે તો ધનશ્રી અને ચહલ જ જાણે

વર્ષ 2022માં પણ તેમના સંબંધોમાં મતભેદ હોવાના અહેવાલો આવ્યા હતા. ત્યારબાદ ધનશ્રી વર્માએ 'ચહલ' અટક હટાવી દીધી હતી. જો કે, થોડા સમય પછી બંનેએ પોસ્ટ કર્યું કે બધું બરાબર છે. ધનશ્રી વર્મા વ્યવસાયે કોરિયોગ્રાફર છે. એકલા ઈન્સ્ટાગ્રામ પર ધનશ્રી વર્માના 62 લાખથી વધુ ફોલોઅર્સ છે.

લાંબા સમય સુધી ડેટિંગ કર્યા પછી, યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માએ 22 ડિસેમ્બર 2020 ના રોજ લગ્ન કર્યા. ચહલ ટી-20 વર્લ્ડ કપ 2024માં ભારતીય ટીમનો ભાગ હતો, પરંતુ તેને એક પણ મેચ રમવાની તક મળી ન હતી. ચહલ IPL 2025માં પંજાબ કિંગ્સ તરફથી રમશે. પંજાબ કિંગ્સે તેને 18 કરોડ રૂપિયામાં સાઇન કર્યો હતો.

































































