Buddha Purnima Upay 2025 : બુદ્ધ પૂર્ણિમાના દિવસે તમારી રાશિ પ્રમાણે કરો આ ઉપાય, બદલાઇ જશે ભાગ્ય
વૈશાખ માસના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિનું વિશેષ ધાર્મિક મહત્વ હોય છે, જેને બુદ્ધ પૂર્ણિમા તરીકે ઓળખવામાં આવે છે. સમગ્ર દેશમાં આ દિવસની ઉજવણી ભક્તિભાવ અને વિવિધ ધાર્મિક વિધિઓ સાથે કરવામાં આવે છે.

બુદ્ધ પૂર્ણિમા, જે વૈશાખી પૂનમના દિવસે ઉજવવામાં આવે છે, ભગવાન બુદ્ધના જન્મ, બોધિપ્રાપ્તિ અને મહાપરિનિર્વાણનો દિવસ માનવામાં આવે છે. આ પાવન દિવસે ધાર્મિક કામો, પૂજા, ધ્યાન અને દાનપુણ્ય વિશેષ ફળદાયી ગણાય છે. જો તમે તમારી રાશિ મુજબ વિશિષ્ટ ઉપાયો કરો, તો એ શુભ પરિણામ આપી શકે છે અને તમારું ભાગ્ય બદલાઈ શકે છે. (Credits: - Canva)

વર્ષ 2025માં આ પવિત્ર તહેવાર સોમવાર, 12 મેના રોજ આવી રહ્યો છે. બુદ્ધ પૂર્ણિમા આ દિવસે મનાવવામાં આવે છે કારણ કે આ દિવસે ભગવાન ગૌતમ બુદ્ધનો જન્મ થયો હતો. આ તહેવારના દિવસે લોકો ભગવાન બુદ્ધના જીવન અને તેમના ઉપદેશોની યાદગાર તરીકે પૂજા-અર્ચન કરે છે. આ સાથે જ, કેટલીક જ્યોતિષ સંબંધિત રીતો અને ઉપાયો પણ આ દિવસે કરવામાં આવે છે જેથી આધ્યાત્મિક લાભ અને શાંતિ પ્રાપ્ત કરી શકાય. (Credits: - Canva)

મેષ રાશિના જાતકો માટે બુદ્ધ પૂર્ણિમાનો દિવસ ક્રોધ નિયંત્રણ અને કાર્યક્ષમતા વધારવા માટે અનુકૂળ છે. હનુમાનજીની પૂજા કરવી, લાલ ચોળા ચઢાવવો અને “ૐ હનુમતે નમઃ” મંત્રનો 108 જાપ કરો. વૃષભ રાશિના જાતકોને પ્રેમ અને દામ્પત્ય જીવનમાં સુખ મળશે. શ્રી કૃષ્ણને તુલસી સાથે મીઠો ભોગ ધરાવો અને ગાયને રોટલી ખવડાવો, આ ઉપાયો સમૃદ્ધિ લાવે છે. સાથે "ૐ નમો ભગવતે વસુદેવાય" જાપ કરો. (Credits: - Canva)

મિથુન રાશિ માટે બુદ્ધિ વૃદ્ધિ અને ચિંતામુક્તિનો યોગ બને છે. બાળકોને શિક્ષણસામગ્રી દાન કરો અને બુદ્ધમૂર્તિ સામે ધ્યાન કરવું લાભદાયી છે. કર્ક રાશિના લોકો માટે માનસિક શાંતિ અને કુટુંબમાં સુખ માટે ચંદ્રદેવને દુધ અર્પણ કરો અને ચાંદી દાન કરો. (Credits: - Canva)

સિંહ રાશિએ સૂર્યદેવને જળ અર્પણ કરવું અને બ્રાહ્મણોને પીળા કપડાં દાન કરવાથી યશ અને પ્રતિષ્ઠામાં વધારો થાય છે. કન્યા રાશિના જાતકો માટે આરોગ્ય સુધારવા અને કાર્યક્ષેત્રમાં સફળતા માટે તુલસી પૂજા અને “ૐ બુધાય નમઃ” મંત્ર જાપ કરવો શુભ રહે છે. (Credits: - Canva)

તુલા રાશિના લોકો માટે દામ્પત્ય સુખ અને ઘરલક્ષ્મી માટે વિધવા સ્ત્રીઓને સફેદ વસ્તુઓ દાન કરો અને લક્ષ્મી-વિષ્ણુની આરાધના કરો. વૃશ્ચિક રાશિના જાતકો માટે અધ્યાત્મિક ગતિવિધિઓ અને અટકેલા કાર્યોમાં પ્રગતિ માટે કાળી વસ્તુઓનું દાન અને શનિ ઉપાય કરવો શુભ છે. અને “ૐ કેતવે નમઃ” મંત્ર જાપ કરો. (Credits: - Canva)

ધન રાશિના લોકોને ગુરુની કૃપાથી ધર્મ માર્ગ અને નોકરીમાં લાભ મળે છે, બ્રાહ્મણોને દાન અને ગાયને રોટલી ખવડાવવી શુભ છે. અને “ૐ બૃહસ્પતયે નમઃ” મંત્ર જાપ કરો. મકર રાશિએ કાર્યક્ષેત્રમાં સફળતા અને નવા વ્યવસાય માટે શનિદેવની પૂજા અનેકુદરતી નદીમાં તલ અર્પણ કરો. શનિ મંત્ર- ૐ શનૈશ્ચરાય નમઃ. આ મંત્રના જાપથી વિઘ્નો દૂર થઇ શકે છે. (Credits: - Canva)

કુંભ રાશિના જાતકો માટે માનસિક શાંતિ માટે જરૂરિયાતમંદોને કપડા અને ધર્મગ્રંથોનું દાન કરવું શ્રેષ્ઠ છે. “ૐ નમઃ શિવાય” જાપ કરો. મીન રાશિના જાતકો માટે આરોગ્ય અને આધ્યાત્મિક વૃદ્ધિ માટે શિવલિંગ પર દૂધ અને જળથી અભિષેક કરવો અને “ૐ નમઃ શિવાય” જાપ કરવો ઉત્તમ રહેશે. (Credits: - Canva)

( નોંધ :ટીવી9 કોઈ પણ પ્રકારે અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતુ નથી. આ અહેવાલ માત્ર ધાર્મિક માન્યતા અને લોકોમાં પ્રચલિત માન્યતા, રીત રિવાજને આધારે રજૂ કરવામાં આવેલ છે. ) (Credits: - Canva)
શ્રદ્ધા, નિષ્ઠા અને ભક્તિપૂર્વક જો નિયમિત રીતે હનુમાનજીના શરણે રહો, તો જીવનમાં જે કંઈ શક્ય છે તે હનુમાનજીના આશીર્વાદથી સરળ બની શકે છે. ભક્તિને લગતા અન્ય વધુ સમાચાર જાણવા માટે અહીં ક્લિક કરો.

































































