Banaskantha: પ્રસિદ્ધ અંબાજી મંદિર રોશનીથી ઝળહળી ઉઠ્યુ, નવરાત્રીને લઈ સુંદર સજાવટ, જુઓ Photo
પ્રસિદ્ધ અંબાજી મંદિરમાં નવરાત્રીનુ આયોજન કરવામાં આવ્યુ છે. મા જગદંબાની આરાધનાના તહેવાર નવરાત્રીને લઈ અંબાજી મંદિરને ખુબ જ સુંદર રીતે સજાવવામાં આવ્યુ છે. મંદિરને ઝળહળતી રોશનીથી સજાવાયુ છે. અંબાજીના ચાચર ચોકમાં નવરાત્રીના ગરબા મહોત્સવની રમઝટ જામતી હોય છે. પવિત્ર ચાચર ચોકમાં ગરબાનુ ખૂબ જ મહત્વ છે અને અહીં દૂર દૂર થી શ્રદ્ધાળુઓ દર્શન કરવાની સાથે નવરાત્રીમાં ગરબા ગાવા માટે પહોંચતા હોય છે.

પ્રસિદ્ધ અંબાજી મંદિરમાં નવરાત્રીનુ આયોજન કરવામાં આવ્યુ છે. મા જગદંબાની આરાધનાના તહેવાર નવરાત્રીને લઈ અંબાજી મંદિરને ખુબ જ સુંદર રીતે સજાવવામાં આવ્યુ છે. મંદિરને ઝળહળતી રોશનીથી સજાવાયુ છે.

અંબાજીના ચાચર ચોકમાં નવરાત્રીના ગરબા મહોત્સવની રમઝટ જામતી હોય છે. પવિત્ર ચાચર ચોકમાં ગરબાનુ ખૂબ જ મહત્વ છે અને અહીં દૂર દૂર થી શ્રદ્ધાળુઓ દર્શન કરવાની સાથે નવરાત્રીમાં ગરબા ગાવા માટે પહોંચતા હોય છે.

નવરાત્રીને અંબાજી મંદિરને સુંદર રીતે સજાવવામાં આવ્યો છે. સુંદર શણગાર સજાવાયો છે. મંદિરમાં સુંદર રોશની કરવામાં આવી છે, જેને લઈ મંદિંર ઝળહળી ઉઠ્યુ છે. ભાદરવી પૂનમ દરમિયાન પણ અંબાજી સરસ શણગારવામાં આવ્યુ હતુ.

ચાચર ચોકમાં આ વખતે માત્ર મહિલાઓને જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. વહિવટી તંત્રએ આ મહત્વનો નિર્ણય કર્યો છે અને પુરુષોને માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. આ વખતથી ચાચર ચોકમાં પુરુષોને પ્રવેશ અપાયો નથી.

મંદિરે ગરબા ગાવા માટે પ્રવેશ મેળવવા માટે ઓળખ દર્શાવવી જરુરી છે. આ માટે ફરજીયાત ઓળખપત્ર રજૂ કરવા માટે જણાવાયુ છે. પહેલાથી જ આ માટે વહિવટી તંત્રએ નિર્ણયોને જાહેર કર્યા હતા.