Ahmedabad: નવરંગપુરા વિસ્તારમાં આવેલું 62 વર્ષ જૂનું સરદાર પટેલ સ્ટેડિયમ જર્જરિત, ઈવેન્ટ માટે બંધ કરવાનો લેવાયો નિર્ણય
અમદાવાદ (Ahmedabad) શહેરના નવરંગપુરા (Navrangpura) વિસ્તારમાં આવેલું 62 વર્ષ જુનું સરદાર પટેલ સ્ટેડિયમ (Sardar patel stadium) જર્જરિત (Dilapidated) થઈ ગયું છે. જેને ધ્યાનમાં રાખીને સ્ટેડિયમને ઇવેન્ટ માટે બંધ કરવાનો નિર્ણય એએમસી (AMC) દ્વારા કરવામાં આવ્યો છે.સ્ટેડિયમનું સ્ટ્રક્ચર જોખમી હોવાથી આ નિર્ણય કરવામાં આવ્યો છે.

અમદાવાદ શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલું 62 વર્ષ જુનું સરદાર પટેલ સ્ટેડિયમ જર્જરિત થઈ ગયું છે. જેને ધ્યાનમાં રાખીને સ્ટેડિયમને ઇવેન્ટ માટે બંધ કરવાનો નિર્ણય એએમસી દ્વારા કરવામાં આવ્યો છે.સ્ટેડિયમનું સ્ટ્રક્ચર જોખમી હોવાથી આ નિર્ણય કરવામાં આવ્યો છે.

એક મહિના અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સરદાર પટેલ સ્ટેડિયમમાં ગુજરાત ખેલ મહાકુંભ 2022નું ઉદ્ઘાટન કરવામાં આવ્યુ હતુ.

આ કાર્યક્રમ દરમિયાન ખૂબ જ ભીડ થઈ હતી અને ત્યારે કોર્પોરેશનના ધ્યાને આવ્યુ હતુ કે સ્ટેડિયમમાં બેસવાની જગ્યા અને મોટાભાગની દિવાલોનો RCC ભાગ જર્જરીત હાલતમાં છે.

મદ્રાસ IITના સ્ટ્રકચરલ રિપોર્ટ અને અભિપ્રાય મુજબ લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી કોઈ અકસ્માત ના થાય તે હેતુથી સરદાર પટેલ સ્ટેડિયમ હવેથી જાહેર કાર્યક્રમો તેમજ ઈવેન્ટો માટે રિપેરીંગ કરવામાં ન આવે ત્યાં સુધી બંધ રાખવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે. સ્ટેડિયમમાં જે લોકો રોજ મોર્નિંગ તેમજ ઇવનિંગ વોક માટે આવે છે તેના માટે સ્ટેડિયમ ચાલુ રહેશે.

સરદાર પટેલ સ્ટેડિયમને 20મી સદીના હેરિટેજ મોન્યુમેન્ટ તરીકે વર્લ્ડ મોન્યુમન્ટ વોચલીસ્ટ 2020માં કરવામાં આવ્યો છે.

હવે આખું રિનોવેશન કરી અને હેરિટેજ લૂક આપી નવું બનાવવાનું આયોજન આગામી દિવસોમાં કરવામાં આવશે.

પ્રથમ ફેઝમાં 50 કરોડના ખર્ચે આખુ રિનોવેશન કરવામાં આવશે.જેના માટે આગામી દિવસોમાં ટેન્ડર અને તેની ડિઝાઇન સહિતની કામગીરી કરવામાં આવશે.

ગુજરાત ખેલ મહાકુંભ 2022ના કાર્યક્રમ દરમ્યાન કેટલીક જગ્યાએ પણ આર.સી.સી. પોપડા પડવાની સંભાવના હોય બેઠકવાળા ભાગમાં કેમોફલેન્જ હોર્ડિગ લગાવી પ્રોટેક્શન કરાવવામાં આવ્યા હતા. (Photos By Deepak Sen, Edited By Omprakash sharma)