આકાશમાંથી પડતી વીજળીમાં કેટલા Volt હોય છે ? જો કોઇ માણસ પર આ વીજળી પડે તો શું થાય?
છેલ્લા કેટલાક વર્ષોમાં, વીજળી એક મોટા કુદરતી સંકટ તરીકે ઉભરી આવી છે. સરકારી આંકડાઓ અનુસાર, વિશ્વભરમાં વીજળી પડવાથી દર વર્ષે 24,000 લોકો મૃત્યુ પામે છે.

છેલ્લા કેટલાક વર્ષોમાં, વીજળી(Lightning) એક મોટા કુદરતી સંકટ તરીકે ઉભરી આવી છે. સરકારી આંકડાઓ અનુસાર, વિશ્વભરમાં વીજળી પડવાને કારણે દર વર્ષે 24,000 લોકો મૃત્યુ પામે છે. તમને જાણીને નવાઈ લાગશે કે દર સેકન્ડમાં 40 વખત એટલે કે દિવસમાં લગભગ 30 લાખ વખત વીજળી પડે છે. આ બધી વીજળી જમીન સાથે અથડાતી નથી,મોટાભાગની વીજળી તો વાદળોમાં જ સમાય જાય છે.આકાશમાં X-Ray જેવા કિરણો હોય છે. તમને જાણીને નવાઇ લાગશે કે વીજળી અંદાજે 4 થી 5 કિલોમીટર લાંબી હોય છે, અને તેની ફ્લેશ 1 કે 2 ઇંચ પહોળી હોય છે. પરંતુ શું તમે જાણો છો કે આકાશમાંથી વીજળી કેટલા વોલ્ટની થાય છે?

આપણે બધાએ વરસાદની મોસમમાં આકાશમાંથી વીજળી પડતી જોઈ છે. પરંતુ આ આકાશી વીજળીમાં કેટલીક અદ્ભુત વિશેષતાઓ છે જેના વિશે બહુ ઓછા લોકો જાણતા હશે. એક આકાશિય વીજળીમાં ત્રણ મહિના માટે 100-વોટના બલ્બને પ્રકાશિત કરવા માટે પૂરતી ઊર્જા હોય છે.

આ વીજળીમાં એટલી ઉર્જા છે કે તે એક સમયે બ્રેડના 1 લાખ 60 હજાર ટુકડા શેકી શકાય છે. આકાશમાંથી પડતી વીજળીની શક્તિને જાણતા પહેલા આપણે આપણા ઘરોમાં વપરાતી વીજળી વિશે પણ થોડી માહિતી મેળવએ.

ઘરોમાં વપરાતો ઇલેક્ટ્રિક પાવર સામાન્ય રીતે 120 વોલ્ટ અને 15 amps હોય છે. અહીં નોંધનીય બાબત એ છે કે આટલી શક્તિથી આપણે એસી, ગીઝર, હીટર જેવા હેવી લોડેડ હોમ એપ્લાયન્સ સરળતાથી ચલાવી શકીએ છીએ. રેલવે દ્વારા ઉપયોગમાં લેવાતા વીજ વાયરો 25 હજાર વોલ્ટનો પાવર ધરાવે છે. હવે જો આ બે પ્રકારની વીજળીના કારણે થતા વિનાશની વાત કરીએ તો જ્યાં ઘરમાં વપરાતી વીજળી આંખના પલકારામાં માણસને મારી નાખે છે, ત્યાં રેલવેની વીજળી જો વ્યક્તિને પકડે તો તેને બળીને રાખ થઈ જાય છે.

વીજળીની શક્તિ એટલી બધી છે કે તમે કલ્પના પણ કરી શકતા નથી. હા, છત્તીસગઢ સરકારના ડેટા મુજબ, વીજળીમાં 10,000 એમ્પીયર સાથે 10 કરોડ વોલ્ટનો કરંટ હોય છે. બીજી તરફ, યુએસ સરકારની વેબસાઈટ weather.gov અનુસાર, વીજળીની તાકાત લગભગ 300 મિલિયન વોલ્ટ અને 30 હજાર એમ્પીયર છે. હવે તમે આસાનીથી કલ્પના કરી શકો છો કે આકાશમાંથી પડતી વીજળીની શક્તિ અને તેનાથી થતા વિનાશની.
