રાહુલ ગાંધીએ બેરોજગારીના મુદ્દે PM મોદીને ઘેર્યા, કહ્યું- હેટ ઇન ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયા સાથે ન ચાલી શકે

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને નેતા રાહુલ ગાંધીએ (Rahul Gandhi) બુધવારે કેટલીક વૈશ્વિક બ્રાન્ડના ભારત છોડવાના સમાચારને ટાંકીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કર્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે, 'હેટ ઇન ઇન્ડિયા' અને 'મેક ઇન ઇન્ડિયા' એકસાથે ચાલી શકે નહીં.

રાહુલ ગાંધીએ બેરોજગારીના મુદ્દે PM મોદીને ઘેર્યા, કહ્યું- હેટ ઇન ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયા સાથે ન ચાલી શકે
ફાઈલ ફોટોImage Credit source: Image Credit Source: File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 27, 2022 | 4:35 PM

કોંગ્રેસના (Congress) પૂર્વ અધ્યક્ષ અને નેતા રાહુલ ગાંધીએ (Rahul Gandhi) બુધવારે કેટલીક વૈશ્વિક બ્રાન્ડના ભારત છોડવાના સમાચારને ટાંકીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) પર પ્રહાર કર્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘હેટ ઇન ઇન્ડિયા’ અને ‘મેક ઇન ઇન્ડિયા’ એકસાથે ચાલી શકે નહીં. તેમણે દેશમાં બેરોજગારીની સ્થિતિનો પણ ઉલ્લેખ કર્યો અને વડા પ્રધાનને આ સંકટનો સામનો કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવા વિનંતી કરી.

રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું કે, ભારતમાંથી બિઝનેસ લઈ જવામાં સરળતા. સાત વૈશ્વિક બ્રાન્ડ, નવ ફેક્ટરીઓ અને 649 ડીલરશીપ જતી રહી. 84,000 નોકરીઓ જતી રહી. તેમણે કહ્યું કે, મોદીજી, ‘હેટ ઈન ઈન્ડિયા’ અને ‘મેક ઈન ઈન્ડિયા’ એક સાથે ન ચાલી શકે. ભારતના ભયંકર બેરોજગારી સંકટ પર ધ્યાન આપવાનો આ સમય છે. પોતાના ટ્વીટની સાથે રાહુલ ગાંધીએ સાત વૈશ્વિક બ્રાન્ડ સાથે સંબંધિત ગ્રાફિક્સ પણ શેર કર્યા છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

રાહુલ ગાંધીનો કેન્દ્ર પર પ્રહાર

આ ગ્રાફિક્સ દ્વારા રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કરતા કહ્યું છે કે, વર્ષ 2017માં શેવરોલે, 2018માં MAN ટ્રક્સ, 2019માં ફિયાટ અને યુનાઈટેડ મોટર્સ, 2020માં હાર્લી ડેવિડસન, 2021માં ફોર્ડ અને 2022માં ડેટસન જેવી કંપનીઓએ પોતાનો બિઝનેસ બંધ કરી દેશની બહાર ગયા છે.

જણાવી દઈએ કે, મંગળવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એક સમાચારને ટાંકીને કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા હતા કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માસ્ટર સ્ટ્રોકને કારણે દેશના 45 કરોડ લોકોએ નોકરીની આશા છોડી દીધી છે. વાસ્તવમાં, સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમી (CMIE) ના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, 2017 અને 2022 ની વચ્ચે, એકંદરે મજૂર ભાગીદારી દર 46 ટકાથી ઘટીને 40 ટકા થયો છે. આ પાંચ વર્ષમાં લગભગ 21 મિલિયન કામદારોએ કામ છોડી દીધું અને માત્ર 9 ટકા લોકોને જ રોજગાર મળ્યો.

45 કરોડથી વધુ લોકોએ નોકરી મેળવવાની આશા છોડી દીધી છે.

રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, હાલમાં ભારતમાં 90 કરોડથી વધુ લોકો રોજગારની શોધમાં છે, જેમાંથી 45 કરોડથી વધુ લોકોએ રોજગારની આશા છોડી દીધી છે. રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે, ન્યુ ઈન્ડિયાનું નવું સૂત્ર: હર-ઘર બેરોજગારી, ઘર-ઘર બેરોજગારી. રાહુલ ગાંધીએ કહ્યું કે, 75 વર્ષમાં મોદીજી દેશના પહેલા એવા વડાપ્રધાન છે જેમના ‘માસ્ટર સ્ટ્રોક’ના કારણે 45 કરોડથી વધુ લોકોને નોકરી મળવાની આશા બંધ થઈ ગઈ છે.

(ભાષા ઇનપુટ સાથે)

આ પણ વાંચો: CBSE Board Exam 2022: એક રૂમમાં માત્ર 18 વિદ્યાર્થીઓ, 51 દિવસ સુધી ચાલશે પરીક્ષા, આ રહી CBSE 10-12ની પરીક્ષાની તમામ માહિતી

આ પણ વાંચો: HPCL Recruitment 2022: હિન્દુસ્તાન પેટ્રોલિયમમાં નોકરી મેળવવાની તક, લેબ એનાલિસ્ટ સહિત ઘણી જગ્યાઓ માટે ભરતી, આ રીતે કરો અરજી

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Latest News Updates

હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
g clip-path="url(#clip0_868_265)">