AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાહુલ ગાંધીએ બેરોજગારીના મુદ્દે PM મોદીને ઘેર્યા, કહ્યું- હેટ ઇન ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયા સાથે ન ચાલી શકે

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને નેતા રાહુલ ગાંધીએ (Rahul Gandhi) બુધવારે કેટલીક વૈશ્વિક બ્રાન્ડના ભારત છોડવાના સમાચારને ટાંકીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કર્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે, 'હેટ ઇન ઇન્ડિયા' અને 'મેક ઇન ઇન્ડિયા' એકસાથે ચાલી શકે નહીં.

રાહુલ ગાંધીએ બેરોજગારીના મુદ્દે PM મોદીને ઘેર્યા, કહ્યું- હેટ ઇન ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયા સાથે ન ચાલી શકે
ફાઈલ ફોટોImage Credit source: Image Credit Source: File Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 27, 2022 | 4:35 PM
Share

કોંગ્રેસના (Congress) પૂર્વ અધ્યક્ષ અને નેતા રાહુલ ગાંધીએ (Rahul Gandhi) બુધવારે કેટલીક વૈશ્વિક બ્રાન્ડના ભારત છોડવાના સમાચારને ટાંકીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) પર પ્રહાર કર્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘હેટ ઇન ઇન્ડિયા’ અને ‘મેક ઇન ઇન્ડિયા’ એકસાથે ચાલી શકે નહીં. તેમણે દેશમાં બેરોજગારીની સ્થિતિનો પણ ઉલ્લેખ કર્યો અને વડા પ્રધાનને આ સંકટનો સામનો કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવા વિનંતી કરી.

રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું કે, ભારતમાંથી બિઝનેસ લઈ જવામાં સરળતા. સાત વૈશ્વિક બ્રાન્ડ, નવ ફેક્ટરીઓ અને 649 ડીલરશીપ જતી રહી. 84,000 નોકરીઓ જતી રહી. તેમણે કહ્યું કે, મોદીજી, ‘હેટ ઈન ઈન્ડિયા’ અને ‘મેક ઈન ઈન્ડિયા’ એક સાથે ન ચાલી શકે. ભારતના ભયંકર બેરોજગારી સંકટ પર ધ્યાન આપવાનો આ સમય છે. પોતાના ટ્વીટની સાથે રાહુલ ગાંધીએ સાત વૈશ્વિક બ્રાન્ડ સાથે સંબંધિત ગ્રાફિક્સ પણ શેર કર્યા છે.

રાહુલ ગાંધીનો કેન્દ્ર પર પ્રહાર

આ ગ્રાફિક્સ દ્વારા રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કરતા કહ્યું છે કે, વર્ષ 2017માં શેવરોલે, 2018માં MAN ટ્રક્સ, 2019માં ફિયાટ અને યુનાઈટેડ મોટર્સ, 2020માં હાર્લી ડેવિડસન, 2021માં ફોર્ડ અને 2022માં ડેટસન જેવી કંપનીઓએ પોતાનો બિઝનેસ બંધ કરી દેશની બહાર ગયા છે.

જણાવી દઈએ કે, મંગળવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એક સમાચારને ટાંકીને કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા હતા કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માસ્ટર સ્ટ્રોકને કારણે દેશના 45 કરોડ લોકોએ નોકરીની આશા છોડી દીધી છે. વાસ્તવમાં, સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમી (CMIE) ના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, 2017 અને 2022 ની વચ્ચે, એકંદરે મજૂર ભાગીદારી દર 46 ટકાથી ઘટીને 40 ટકા થયો છે. આ પાંચ વર્ષમાં લગભગ 21 મિલિયન કામદારોએ કામ છોડી દીધું અને માત્ર 9 ટકા લોકોને જ રોજગાર મળ્યો.

45 કરોડથી વધુ લોકોએ નોકરી મેળવવાની આશા છોડી દીધી છે.

રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, હાલમાં ભારતમાં 90 કરોડથી વધુ લોકો રોજગારની શોધમાં છે, જેમાંથી 45 કરોડથી વધુ લોકોએ રોજગારની આશા છોડી દીધી છે. રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે, ન્યુ ઈન્ડિયાનું નવું સૂત્ર: હર-ઘર બેરોજગારી, ઘર-ઘર બેરોજગારી. રાહુલ ગાંધીએ કહ્યું કે, 75 વર્ષમાં મોદીજી દેશના પહેલા એવા વડાપ્રધાન છે જેમના ‘માસ્ટર સ્ટ્રોક’ના કારણે 45 કરોડથી વધુ લોકોને નોકરી મળવાની આશા બંધ થઈ ગઈ છે.

(ભાષા ઇનપુટ સાથે)

આ પણ વાંચો: CBSE Board Exam 2022: એક રૂમમાં માત્ર 18 વિદ્યાર્થીઓ, 51 દિવસ સુધી ચાલશે પરીક્ષા, આ રહી CBSE 10-12ની પરીક્ષાની તમામ માહિતી

આ પણ વાંચો: HPCL Recruitment 2022: હિન્દુસ્તાન પેટ્રોલિયમમાં નોકરી મેળવવાની તક, લેબ એનાલિસ્ટ સહિત ઘણી જગ્યાઓ માટે ભરતી, આ રીતે કરો અરજી

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
બાલાસિનોર પંથકમાંથી ઝડપાયો 2.37 કરોડનો ગાંજો, 1ની ધરપકડ
બાલાસિનોર પંથકમાંથી ઝડપાયો 2.37 કરોડનો ગાંજો, 1ની ધરપકડ
ભરૂચમાં બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત
ભરૂચમાં બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત
વલસાડમાં ઔરંગા નદી પર નવ નિર્મિત બ્રિજનો સ્લેબ ધરાશાયી, 4 મજૂરો દબાયા
વલસાડમાં ઔરંગા નદી પર નવ નિર્મિત બ્રિજનો સ્લેબ ધરાશાયી, 4 મજૂરો દબાયા
g clip-path="url(#clip0_868_265)">