ભીની આંખો સાથે નિભાવી દેશ માટેની જવાબદારી, પીએમ મોદીએ બીજી વાર કર્મનિષ્ઠાનું ઉદાહરણ રજૂ કર્યું

આજે વડાપ્રધાન મોદી તેમની માતાની અંતિમ સંસ્કારની પ્રક્રિયા પૂરી કરીને ફરી દેશસેવામાં લાગ્યા હતા. માતાના અંતિમ સંસ્કાર બાદ તેઓ પહેલાથી નિરધારિત કરેલા પશ્ચિમ બંગાળના કાર્યક્રમમાં 11.30 કલાકે વીડિયો કોન્ફરન્સથી જોડાયા હતા. તેમણે કાર્યક્રમ સ્થળ પર ન આવવા બદલ માફી પણ માંગી હતી.

ભીની આંખો સાથે નિભાવી દેશ માટેની જવાબદારી, પીએમ મોદીએ બીજી વાર કર્મનિષ્ઠાનું ઉદાહરણ રજૂ કર્યું
PM Narendra Modi untold storyImage Credit source: TV9 gfx
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 30, 2022 | 10:36 PM

મા-બાપ અમીર હોય કે ગરીબ, પ્રેમ વરસાવતા હોય કે ગુસ્સો પણ દરેક સંતાન માટે તેમના મા-બાપ અનમોલ હોય છે. દુનિયાનો કોઈ પણ વ્યક્તિ મા-બાપની જગ્યા ક્યારેય લઈ શક્તો નથી. જ્યારે સંતાનના જીવનમાંથી મા-બાપ જતા રહે છે, ત્યારે તેની વેદના અસહ્નનીય હોય છે. આજે દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદી કંઈક આવી વેદનાઓમાંથી પસાર થઈ રહ્યા છે. આજે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતા હીરા બાનું 100 વર્ષની ઉંમરે નિધન થયુ હતું. થોડા સમય પહેલા તેમની તબિયત બગડતા તેમને યુ એન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે આજ વહેલી સવારે હીરાબાના નિધનના સમાચાર સામે આવ્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હીરાબા સાથે ન હોતા રહેતા, તેમની વચ્ચે રોજની મુલાકાત નહોતી થતી પણ માતા પ્રત્યે તેમને ખુબ પ્રેમ અને ચિંતા રહેતી હતી. માતાને જ્યારે યુ એન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા ત્યારે પણ તેઓ અમદાવાદ તેમને મળવા પહોંચ્યા હતા. આજે તેમના નિધન બાદ તેઓ તરત દિલ્હીથી અમદાવાદ પોતાનો પુત્ર ધર્મ નીભાવવા પહોંચ્યા હતા.પરતું આજે વડાપ્રધાન મોદીએ ફરી પોતાના કર્તવ્યનિષ્ઠ હોવાનું ઉદાહરણ આખી દુનિયા સામે મુક્યુ હતુ.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

દુનિયામાં વડાપ્રધાન મોદીને સૌથી વધારે પ્રેમ કરનાર તેમની માતાનું નિધન થતા તેઓ પોતાને અનાથ અનુભવી રહ્યા હતા. તેઓ કંઈક બોલી શક્યા ન હતા પણ તેમની આંખોમાં આંસુ હતા, માથું નમેલુ હતુ. દુનિયાના સૌથી શક્તિશાળી દેશના શક્તિશાળી વડાપ્રધાનની હિમ્મત આજે તૂટી ગઈ હતી પણ તેમને યાદ હતુ કે તેઓ પુત્ર હોવાની સાથે સાથે દેશના વડાપ્રધાન પણ છે. તેઓ માતાની અંતિમ સંસ્કારની પ્રક્રિયા પૂરી કરીને ફરી દેશસેવામાં લાગ્યા હતા. માતાના અંતિમ સંસ્કાર બાદ તેઓ પહેલાથી નિરધારિત કરેલા પશ્ચિમ બંગાળના કાર્યક્રમમાં 11.30 કલાકે વીડિયો કોન્ફરન્સથી જોડાયા હતા. તેમણે કાર્યક્રમ સ્થળ પર ન આવવા બદલ માફી પણ માંગી હતી.

પિતાના અવસાન બાદ પણ બતાવી હતી કર્તવ્યનિષ્ઠા

વર્ષ 1989માં જ્યારે નરેન્દ્ર મોદીના પિતા દામોદરદાસ મોદીનું નિધન થયુ હતુ. ગુજરાતના દિલીપ ત્રિવેદીએ જણાવ્યુ કે, તે સમયે મોદીજી એ અમદાવાદમાં એક ખાસ કાર્યક્રમ માટે પહોંચવાનું હતુ. તેમના પિતાનું નિધન થતા તેઓ વડનગર ગયા હતા, તેથી તેમના અમદાવાદ આવવાની આશા ન હતી પણ આ સ્થિતિમાં પણ તેઓ અમદાવાદ પહોંચી ગયા હતા. આ જોઈ તેમની પાર્ટીના તમામ કાર્યકર્તા આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

કાર્યક્રમ પૂરો થયા બાદ મોદીજીને પૂછવામાં આવ્યું કે, આજે તમારા પિતાનું નિધન થયું છે અને તમે આજે જ આ કાર્યક્રમમાં આવ્યા હતા તો તેમણે જવાબ આપ્યો કે, હા, અંતિમ સંસ્કાર થયા પછી હું આવ્યો છું. મારે પાર્ટી પ્રત્યેની મારી જવાબદારીઓ પણ નિભાવવી છે. તેમના કામ પ્રત્યેની આ પ્રતિબદ્ધતા જોઈને દરેકને એવી જ પ્રેરણા મળી હતી, જે આજે લોકોને મળી રહી છે. લોકો કહે છે કે ગમે તે થાય, શો મસ્ટ ગો ઓન. આ દરેક વ્યક્તિની ક્ષમતામાં નથી, પરંતુ વડાપ્રધાન મોદીએ એક વાર નહીં પરંતુ બે વાર કર્યું.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">