Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુરેન્દ્રનગરનું ગૌરવ: થાનના આ બે રાસ મંડળને દિલ્હીમાં 26મીની પરેડમાં પરફોર્મ કરવા મળ્યુ નિમંત્રણ- જુઓ રાસનો Video

સુરેન્દ્રનગરના બે રાસ મંડળને આ વખતે 26 મી જાન્યુઆરીની દિલ્હીમાં કર્તવ્ય પથ પર આયોજિત થતી પરેડમાં પરફોર્મ કરવાનું નિમંત્રણ મળ્યુ છે. થાનના જય ગોપાલ રાસ મંડળ અને પાંચાલ રાસ મંડળ 26 મી જાન્યુઆરી એ પ્રજાસત્તાક પર્વની પરેડમાં પરફોર્મ કરવાના છે. આ નિમંત્રણ મળતા તેઓ ઘણા જ ઉત્સાહિત છે અને ગૌરવની લાગણી અનુભવી રહ્યા છે.

Follow Us:
| Updated on: Jan 24, 2025 | 6:50 PM

સુરેન્દ્રનગર જિલ્લો અનેક લોક સંસ્કૃતિ અને લોકકલા, લોકનૃત્યો અને લોકજીવન માટે જાણીતો છે. ખાસ કરીને અહીંના ભરવાડ સમાજના યુવાનો દ્વારા રમવામાં આવતા રાસ, હુડો, ગોફરાસ જોનારના સહુ કોઈના ઉડીને આંખે વળગે તેવા હોય છે અને જોનારને મંત્રમુગ્ધ કરી દે છે. આવા રાસ માટે સુરેન્દ્રનગર જિલ્લાની થાનની રાસ મંડળી જય ગોપાલ રાસ મંડળ અને પાંચાલ રાસ મંડળના સભ્યો 26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક પર્વના કાર્યક્રમ માટે પસંદગી પામ્યા છે.

માલધારી સમાજની પરંપરાગત લોક સંસ્કૃતિને જાળવવાના હેતુથી છેલ્લા ઘણા વર્ષોથી રાસ મંડળ ચલાવવામાં આવે છે. જેમા ભગવાન શ્રી કૃષ્ણની રાસ લીલા મુખ્ય છે. શ્રીકૃષ્ણ જ્યારે ગોકુળ, વૃંદાવનમાં ગાયો ચરાવવા જતા ત્યારે તેમના ગોપ મિત્રો અને ગોપીઓ સાથે અનેક પ્રકારના રાસ રમતા, તે રાસ આ મંડળ દ્વારા આજે પણ જીવંત રાખવામાં આવ્યા છે અને અન્ય યુવાનોને પણ તે શીખવવામાં આવી રહ્યા છે.

AC Electricity Bill : દરરોજ 10 કલાક 1.5 ટનનું AC ચલાવો, તો વીજળીનું બિલ કેટલું આવશે?
Pahalgam Attack : પહલગામ આતંકી હુમલા બાદ સેનાના જવાનનો જૂનો વીડિયો વાયરલ, જુઓ
Cobra Vs King Cobra: કોબ્રા અને કિંગ કોબ્રા વચ્ચે 5 મોટા તફાવત, જાણો
ગૌરી ખાનની કુંડલી એટલી શક્તિશાળી છે કે જે લગ્ન કરતો એ રાજયોગ ભોગવતો
મચ્છરને નથી ગમતી આ ગંધ, આ વસ્તુ ઘરમાં રાખવામાં આવે તો મચ્છર થઇ જશે છુમંતર
Jioનો સૌથી સસ્તો પ્લાન લોન્ચ ! માત્ર 895માં મળી રહી 336 દિવસની વેલિડિટી

આ રાસ મંડળી હુડો રાસ, ગૌહ રાસ, ત્રણ તાળી, ટીટોડા રાસ રજૂ કરે છે. આ ગૃપ વિવિધ કાર્યક્રમો થકી સંસ્કૃતિને ઉજાગર કરવાનું કામ કરે છે. સુરેન્દ્રનગરમાં આયોજિત થતા સૌથી મોટા તરણેતરના મેળામાં પણ આ રાસ મંડળ દર વર્ષે તેમનો રાસ રજૂ કરે છે. તેમના રાસમાં અસલી ઝાલાવાડ સંસ્કૃતિની ઝાંખી થાય છે. ત્યારે પ્રજાસત્તાક પર્વની પરેડમાં પણ આ મંડળી ઝાલાવાડ રાસ રજૂ કરવાની છે. આ કલાકારો દિલ્હીના લાલ કિલ્લા પર ઝાલાવાડી રાસ, દુહા, છંદ સાથે રજૂ કરી ઝાલાવાડી સંસ્કૃતિની જમાવટ કરશે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા
રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">