Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Cyclone Biporjoy News : શુ તમે જાણો છો, વાવાઝોડું આવે ત્યારે તેની સાથે વરસાદ કેમ લાવે છે ?

ભારતીય ઉપખંડની વાત કરીએ તો અહીં દરિયાની સપાટીનું સરેરાશ તાપમાન સતત વધી રહ્યું છે. આ કારણોસર દરિયાકાંઠાના વિસ્તારોમાં ચક્રવાતની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.

Gujarat Cyclone Biporjoy News : શુ તમે જાણો છો, વાવાઝોડું આવે ત્યારે તેની સાથે વરસાદ કેમ લાવે છે ?
cyclone biporjoy
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 15, 2023 | 5:56 PM

હાલમાં ગુજરાતમાં અતિ રોદ્ર ગણી શકાય તેવા વિનાશક વાવાઝોડા બિપરજોયનો ખતરો તોળાઈ રહ્યો છે. આ ચક્રવાત આજે 15મી જૂને, ગુજરાતના કચ્છ સહીતના અનેક વિસ્તારોમાં તબાહી મચાવી શકે છે. બિપરજોય વાવાઝોડાને કારણે ગુજરાતના કચ્છ, દેવભુમિ દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ અને મોરબી જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. ગુરુવારે સાંજથી મોડી રાત્રિ સુધીમાં વાવાઝોડુ બિપરજોય સૌરાષ્ટ્ર, કચ્છ અને પાકિસ્તાનના કરાંચી બંદર નજીક લેન્ડફોલ કરે તેવી શક્યતા છે. આ દરમિયાન વાવાઝોડાની સ્પીડ 125 થી 135 કિમી પ્રતિ કલાક હોઈ શકે છે.

ચક્રવાત અને વરસાદ વચ્ચે ઊંડો સંબંધ છે. જ્યારે પણ તે દરિયામાંથી પસાર થાય છે ત્યારે તેઓ પોતાની સાથે વરસાદ લાવે છે. શું તમે જાણો છો કે આવું કેમ થાય છે ? શા માટે વાવાઝોડા સાથે વરસાદ પડે છે? આજે અમે તમને સરળ ભાષામાં સમજાવવાનો પ્રયત્ન કરીશું કે આવું કેમ થાય છે?

શા માટે વાવાઝોડા સાથે વરસાદ પડે છે ?

ભારતીય ઉપખંડની વાત કરીએ તો અહીં દરિયાની સપાટીનું સરેરાશ તાપમાન સતત વધી રહ્યું છે. આ કારણોસર દરિયાકાંઠાના વિસ્તારોમાં ચક્રવાતની સંખ્યા સતત વધી રહી છે. અરબી સમુદ્રની વાત કરીએ તો પહેલા અરબી સમુદ્ર ખૂબ જ ઠંડો રહેતો હતો. તેના ગરમ થવાના કારણે ચક્રવાત જ નથી બની રહ્યા, પરંતુ તે ખૂબ જ ખતરનાક સ્વરૂપ પણ ધારણ કરી રહ્યા છે. વાસ્તવમાં જ્યારે દરિયાના પાણીનું તાપમાન ગરમ થાય છે ત્યારે તેની ઉપરની હવા પણ ગરમ થાય છે. તેને ભરવા માટે, દરિયા કિનારે આસપાસની ઠંડી હવા સમુદ્ર તરફ વધે છે. ગરમ અને ઠંડા પવનોના મિશ્રણને કારણે જે પ્રતિક્રિયા થાય છે તે ચક્રવાતનું સ્વરૂપ લે છે. જે હવા ગરમ થયા પછી ઉપરની તરફ જાય છે, તેમાં પણ ભેજ હોય ​​છે. આ કારણોસર, જ્યારે વાવાઝોડું આવે છે, ત્યારે તેજ પવન સાથે, વરસાદ પણ પડે છે.

AAdhaar Update : આધાર કાર્ડમાં ફક્ત આટલી વાર બદલી શકશો નામ, જાણો નિયમ
Enhance cognitive skills : દરરોજ કરો આ 5 કામ, તમારું મગજ બનશે તેજ
કથાકાર જયા કિશોરીના સૌથી 'મોડર્ન લુક' ની તસવીરો વાયરલ
શરીરના આત્માનું વજન કેટલું હોય છે? આ પ્રશ્ન UPSC માં પૂછવામાં આવ્યો
ઉનાળામાં આપણે અજમા ખાવા જોઈએ કે નહીં?
આજનું રાશિફળ તારીખ : 06-04-2025

ચક્રવાત ખતરનાક છે કે નહીં તે કેવી રીતે જાણી શકાય?

ચક્રવાતને ઝડપના હિસાબે 5 કેટેગરીમાં વહેંચવામાં આવ્યો છે. આ ઝડપ નક્કી કરે છે કે, વાવાઝોડું કેટલું જોખમી છે. વાવાઝોડા દરમિયાન પવનની ઝડપ 62 થી 88 કિમી પ્રતિ કલાકની હોય છે. આને સૌથી ઓછા જીવલેણ વાવાઝોડુ ગણવામાં આવે છે. બીજી બાજુ, જ્યારે ચક્રવાત દરમિયાન પવનની ગતિ 89 થી 120 કિમી પ્રતિ કલાકની હોય છે, ત્યારે તેને ગંભીર ચક્રવાત કહેવામાં આવે છે.

બીજી બાજુ, જ્યારે ચક્રવાતના આગમન સમયે પવનની ગતિ 118 થી 165 કિમી પ્રતિ કલાકની હોય છે, તો તે ગંભીર ચક્રવાતની શ્રેણીમાં આવે છે. આ વાવાઝોડાને કારણે જાન-માલને ઘણું નુકસાન થઈ શકે છે. તે જ સમયે, ખૂબ જ ગંભીર ચક્રવાત દરમિયાન, પવનની ગતિ 166-220 કિમી પ્રતિ કલાકની હોય છે. સુપર ચક્રવાત દરમિયાન, પવનની ઝડપ 220 કિમી પ્રતિ કલાકથી વધી જાય છે. આવા તોફાનો ભારે વિનાશ લાવે છે. વર્ષ 1998માં ઓડિશામાં આવેલ તોફાન આ શ્રેણીનું હતું.

ચક્રવાતને કયા નામે ઓળખવામાં આવે છે ?

ભારત સહિત વિશ્વના દરિયા કિનારાએ હંમેશા ચક્રવાતી વાવાઝોડાની આશંકા રહે છે. દરિયામાંથી બનેલા ચક્રવાતને વાવાઝોડા, હરિકેન અને ટાયફૂન નામોથી ઓળખવામાં આવે છે. ઉત્તર એટલાન્ટિક મહાસાગર અને ઉત્તર-પૂર્વ પેસિફિક મહાસાગરમાં થતા વાવાઝોડાને હરિકેન કહેવામાં આવે છે. બીજી તરફ, ઉત્તર-પશ્ચિમ પ્રશાંત મહાસાગરમાં આવતા વાવાઝોડાને ટાયફૂન કહેવામાં આવે છે. આ સિવાય દક્ષિણ પેસિફિક અને હિંદ મહાસાગરમાં આવતા વાવાઝોડાને ચક્રવાતના નામથી ઓળખવામાં આવે છે. અરબી સમુદ્રમાંથી પણ બિપરજોય ઉછળી રહ્યો છે, તેથી તેને ચક્રવાતના નામથી પણ ઓળખવામાં આવે છે.

બિપરજોય  વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અનંત અંબાણીની પગપાળા યાત્રાનું જન્મદિવસે સમાપન,વ્યક્ત કરી આનંદની લાગણી
અનંત અંબાણીની પગપાળા યાત્રાનું જન્મદિવસે સમાપન,વ્યક્ત કરી આનંદની લાગણી
Ahmedabad : ડફનાળા પાસે સર્જાયો અકસ્માત, 4 લોકો ઈજાગ્રસ્ત
Ahmedabad : ડફનાળા પાસે સર્જાયો અકસ્માત, 4 લોકો ઈજાગ્રસ્ત
ગાંધીનગરમાં શિક્ષીત યુવક-યુવતીઓની આછકલાઈ, વીડિયો થયો વાયરલ
ગાંધીનગરમાં શિક્ષીત યુવક-યુવતીઓની આછકલાઈ, વીડિયો થયો વાયરલ
અનંત અંબાણીએ 115 કિલોમીટરની પદયાત્રા પૂર્ણ કરી કર્યા દર્શન
અનંત અંબાણીએ 115 કિલોમીટરની પદયાત્રા પૂર્ણ કરી કર્યા દર્શન
ગુજરાતીઓ થશે પરસેવે રેબઝેબ ! આ તારીખથી આકાશમાંથી વરસશે અગનગોળા
ગુજરાતીઓ થશે પરસેવે રેબઝેબ ! આ તારીખથી આકાશમાંથી વરસશે અગનગોળા
આ 4 રાશિના જાતકોના આજે ધનલાભ થવાની સંભાવના
આ 4 રાશિના જાતકોના આજે ધનલાભ થવાની સંભાવના
MBBS વિદ્યાર્થીનીનો VS હોસ્ટેલમાં આપઘાત, કારણ જાણવા પોલીસ તપાસ શરૂ
MBBS વિદ્યાર્થીનીનો VS હોસ્ટેલમાં આપઘાત, કારણ જાણવા પોલીસ તપાસ શરૂ
કોજી વિસ્તારમાં લાગી ભીષણ આગ, ધૂમાડાના ગોટે ગોટા જોવા મળ્યા
કોજી વિસ્તારમાં લાગી ભીષણ આગ, ધૂમાડાના ગોટે ગોટા જોવા મળ્યા
આ 6 રાશિના જાતકોના આજે પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે
આ 6 રાશિના જાતકોના આજે પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે
આકરા ઉનાળા માટે થઈ જાઓ તૈયાર, આગામી 5 દિવસ પ્રચંડ ગરમીની આગાહી
આકરા ઉનાળા માટે થઈ જાઓ તૈયાર, આગામી 5 દિવસ પ્રચંડ ગરમીની આગાહી
g clip-path="url(#clip0_868_265)">