સદીઓ જુના છે ભારત અને થાઈલેન્ડના સંબંધો, ભારતની જેમ જ થાઈલેન્ડવાસીઓ માટે રામાયણનું છે મહત્વનું સ્થાન
થાઈલેન્ડનો ભારત સાથે સદીઓ જૂનો નાતો છે. ન માત્રા વ્યાપારિક સંબંધો પરંતુ આપણા ધાર્મિક ગ્રંથો અને ખાસ કરીને ભગવાન રામ અને રામાયણમા ત્યાંના લોકોને ઘણી શ્રદ્ધા છે. ત્યાંના સૌપ્રથમ રાજાએ જ્યારે રાજવંશની શરૂઆત કરી તો પોતાને રામ 1ની ઉપાધિ આપી આપી હતી.

વિશ્વમાં સૌથી વધુ પ્રવાસીઓને આકર્ષિત કરતો દેશ થાઈલેન્ડ છે. થાઈલેન્ડનો ઈતિહાસ ઘણો પ્રાચીન છે. સૌથી રસપ્રદ વાત એ છે કે ભારત અને થાઈલેન્ડના સંબંધો સદીઓ જુના છે. એક સમયે થાઈલેન્ડ સિયામ તરીકે જાણીતો હતો. આગળ જતા તેનુ નામ બદલીને થાઈલેન્ડ કરી દેવાયુ. ત્યારે થાઈલેન્ડનો શું અર્થ છે અને ભારત સાથે તેના સંબંધો ક્યારથી અને કેવી રીતે છે તેના વિશે જાણીએ. થાઈલેન્ડ એક અત્યંત રમણીય અને સુંદર દેશ છે. તે મુસ્કાન (હાસ્ય)ની ભૂમિ તરીકે પણ જાણીતો છે. એક સમયે થાઈલેન્ડનું નામ સિયામ હતુ. ત્યારે આવો સૌપ્રથમ જાણીએ સિયામ નું નામ થાઈલેન્ડ કેવી રીતે પડ્યુ. કેવી રીતે બન્યો થાઈલેન્ડ? થાઈલેન્ડમાં દુનિયાભરમાંથી અનેક પ્રવાસીઓ આવે છે. તેનું સૌથી મોટુ કારણ એ છે કે અહીં અત્યંત સુંદર બીચ, વિશ્વભરના પ્રસિદ્ધ ખાન-પાન અને દક્ષિણ-પૂર્વ એશિયામાં યાત્રિકોનો એક મહત્વપૂર્ણ કેન્દ્ર બનેલો હતો. થાઈલેન્ડ એટલે...