AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Why Cigarettes so addictive: સિગારેટનું વ્યસન કેવી રીતે બની જાય છે, તેને છોડવી કેમ મુશ્કેલ છે ? જાણો શું કહે છે નિષ્ણાંત જુઓ video

Why cigarettes so addictive: ઓસ્ટ્રેલિયામાં એક અભ્યાસ કહે છે કે 60 થી 75 ટકા લોકો ધૂમ્રપાન છોડ્યાના 6 મહિનાની અંદર ફરી શરૂ કરે છે. જાણો, સિગારેટની કેમ છોડવી અઘરી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 20, 2023 | 8:57 PM
Share

સિગારેટ(Cigarettes) છોડવી કેમ એટલી મુશ્કેલ છે? સિગારેટ પીનારાઓ તેનાથી કેમ દૂર રહી શકતા નથી? વૈજ્ઞાનિકોએ જુદા જુદા સંશોધનમાં પ્રશ્નનો જવાબ સમજવાનો પ્રયાસ કર્યો. ઓસ્ટ્રેલિયામાં એક અભ્યાસ કહે છે કે 60 થી 75 ટકા લોકો ધૂમ્રપાન છોડ્યાના 6 મહિનાની અંદર ફરી શરૂ કરે છે. તેનું કારણ વ્યસન છે, જે સિગારેટ પીનારાઓને એવી રીતે લઈ જાય છે કે તેને છોડવું તેમના માટે મુશ્કેલ બની જાય છે.

એવું બિલકુલ નથી કે ધૂમ્રપાન છોડવું અશક્ય છે, પરંતુ પ્રશ્ન એ છે કે તે છોડવું કેમ મુશ્કેલ બની જાય છે અને વિજ્ઞાન શું કહે છે.

આ પણ વાંચો :AIIMSમાં ધૂમ્રપાન પર પ્રતિબંધ, જો આ નિયમનું ઉલ્લંઘન કરશો તો ચુકવવો પડશે દંડ

તમને સિગારેટનું વ્યસન કેમ લાગે છે?

સિગારેટના વ્યસન પાછળ વિજ્ઞાનનો ફંડા છે. વાસ્તવમાં, જ્યારે કોઈ વ્યક્તિ સિગારેટ પીવે છે, ત્યારે તેમાં રહેલું તમાકુ બળી જાય છે. તમાકુ બાળવાથી નિકોટિન બહાર આવે છે. આ નિકોટિન સિગારેટ પીનારના લોહી દ્વારા ફેફસામાં પહોંચે છે. નિકોટિન મગજ સુધી પહોંચે છે અને મગજમાં હાજર નિકોટિનિક એસિટિલકોલાઇન રીસેપ્ટરને સક્રિય કરે છે.

સક્રિય રીસેપ્ટર્સ ન્યુરોટ્રાન્સમીટર ડોપામાઇનને મુક્ત કરે છે. તેની અસર મગજના ચોક્કસ ભાગ પર પડે છે. આ ડોપામાઇન ધીમે ધીમે સિગારેટનું વ્યસન વધારે છે. તે પણ એક પ્રકારનું હોર્મોન છે. જ્યારે પણ સિગારેટ પીધા પછી શરીરમાં ડોપામાઈન નીકળે છે ત્યારે તે વ્યક્તિ એક અલગ જ પ્રકારની ખુશી અનુભવે છે. આનંદની આ લાગણી જ તેને વારંવાર આવું કરવાનું કહે છે. સિગારેટ દ્વારા, વ્યક્તિ વારંવાર તે જ અનુભવવા માંગે છે. તેથી જ ધીમે ધીમે તેને સિગારેટ પીવાની લત લાગી જાય છે.

વ્યસન છોડવું સરળ કેમ નથી?

જ્યારે પણ વ્યક્તિ ધૂમ્રપાન છોડવા માંગે છે, ત્યારે સિગારેટની સાંકળ અને તેમાંથી તેને મળતી ખુશીની અનુભૂતિ એક ચેઇન જેવી છે, જો તેને ન પીવામાં આવે તો માણસ એ લાગણી અનુભવતો નથી, ક્યારેક દિમાગ સરખું કામ નથી કરતું, એવું પણ ફિલ થાય પરિણામે,આ જ કારણ છે કે તે વ્યક્તિ માટે ધૂમ્રપાન છોડવું મુશ્કેલ બની જાય છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ) કહે છે કે વિશ્વભરમાં મૃત્યુ માટે ઘણા મુખ્ય કારણો જવાબદાર છે, જેમાંથી ધૂમ્રપાન મુખ્ય પરિબળ છે. વિશ્વભરમાં 14 ટકા મૃત્યુ માટે ધૂમ્રપાન અને તેનાથી સંબંધિત રોગો જવાબદાર છે. ભૂતકાળના કેટલાક સંશોધનો સૂચવે છે કે સિગારેટ પીવાનું વિશ્વમાં એક વલણ બની ગયું છે, જેનો વ્યાપ વધી રહ્યો છે.

વ્યસનથી કેવી રીતે છુટકારો મેળવવો?

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આને બે રીતે રોકી શકાય છે. પહેલું પોતાનાથી દૂર રહીને હિંમત ભેગી કરીને અને બીજું શિસ્તબદ્ધ બનીને. જો કે, એવી ઘણી ઉપચાર પદ્ધતિઓ છે જે નિકોટિન લેવાની ઇચ્છાને ઘટાડવા માટે કામ કરે છે. તે ઉપચારો દ્વારા, દર્દીને નિકોટિન માટે રિપ્લેસમેન્ટ આપવામાં આવે છે. જેમ કે ગમ અને ઇન્હેલર. આ સિવાય કેટલીક દવાઓ એવી છે જે આ વ્યસન ઘટાડવાનું કામ કરે છે.

નોંધ :આ લેખ માત્ર જાણકારી માટે છે.સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.

Follow Us
ગરીબોના હકના અનાજનું કૌભાંડ: અડધી રાત્રે દરોડા પાડી સંચાલક ઝડપાયો
ગરીબોના હકના અનાજનું કૌભાંડ: અડધી રાત્રે દરોડા પાડી સંચાલક ઝડપાયો
સુરેન્દ્રનગર-અમદાવાદ ફરીથી ગરમીમાં ધગધગ્યું
સુરેન્દ્રનગર-અમદાવાદ ફરીથી ગરમીમાં ધગધગ્યું
પાલનપુરમાં પતિએ જ 50 હજારમાં પત્નીને વેચી, 6 આરોપીઓની ધરપકડ
પાલનપુરમાં પતિએ જ 50 હજારમાં પત્નીને વેચી, 6 આરોપીઓની ધરપકડ
ગુજરાતમાં ચોમાસુ કેવું રહેશે? વર્ષા વિજ્ઞાન પરિસંવાદમાં 'મોટો વરતારો'
ગુજરાતમાં ચોમાસુ કેવું રહેશે? વર્ષા વિજ્ઞાન પરિસંવાદમાં 'મોટો વરતારો'
રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખના પુત્રે રાજકીય વિરોધીને આપી લુખ્ખી ધમકી
રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખના પુત્રે રાજકીય વિરોધીને આપી લુખ્ખી ધમકી
મહિલા દર્દીએ ડોક્ટર પર ગંભીર આક્ષેપ કર્યા, ડૉક્ટરે તમામ આરોપો નકાર્યા
મહિલા દર્દીએ ડોક્ટર પર ગંભીર આક્ષેપ કર્યા, ડૉક્ટરે તમામ આરોપો નકાર્યા
ATS-SOGએ રૂ.71 લાખનું મેફેડ્રોન ઝડપી પાડ્યું
ATS-SOGએ રૂ.71 લાખનું મેફેડ્રોન ઝડપી પાડ્યું
ફ્લેટના નામે લાખોની ઠગાઈ, Phd શિક્ષિકા નીકળી માસ્ટર માઈન્ડ
ફ્લેટના નામે લાખોની ઠગાઈ, Phd શિક્ષિકા નીકળી માસ્ટર માઈન્ડ
હોર્મુઝ સ્ટ્રેટ પાર કરીને પોરબંદર પહોંચ્યું જહાજ
હોર્મુઝ સ્ટ્રેટ પાર કરીને પોરબંદર પહોંચ્યું જહાજ
અમદાવાદ મનપામાં નવા હોદ્દેદારોની વરણી, હિતેશ બારોટ બન્યા નવા મેયર
અમદાવાદ મનપામાં નવા હોદ્દેદારોની વરણી, હિતેશ બારોટ બન્યા નવા મેયર
g clip-path="url(#clip0_868_265)">