29 એપ્રિલના મહત્વના સમાચાર : ગુજરાતમાં શાળાઓનુ નવું શૈક્ષણિક સત્ર 13 જૂનથી થશે શરૂ, 9 મેથી 12 જૂન સુધી વેકેશન

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 29, 2024 | 7:57 PM

Gujarat Live Updates : આજે 29 એપ્રિલના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

29 એપ્રિલના મહત્વના સમાચાર : ગુજરાતમાં શાળાઓનુ નવું શૈક્ષણિક સત્ર 13 જૂનથી થશે શરૂ, 9 મેથી 12 જૂન સુધી વેકેશન

ત્રીજા તબક્કાના મતદાન પહેલા કેન્દ્રીય નેતાઓએ રાજ્યમાં ધામા નાખ્યા છે. રાહુલ ગાંધી, રાજનાથ સિંહ અને અભિષેક મનુ સંઘવીએ ગુજરાતમાં પ્રચાર કર્યો છે. રાહુલ ગાંધી આજે પાટણમાં પ્રચાર કરશે. રાહુલ ગાંધીના વિવાદિત નિવેદન પર વડાપ્રધાન મોદીએ આકરા પ્રહાર કર્યા છે. કહ્યું છે કે શહેજાદાએ રાજા-મહારાજાઓનું અપમાન કર્યું છે. સુલતાનો-નવાબો વિશે બોલવાની તાકાત નથી. સુરતના બારડોલીમાં રૂપાલા વિવાદ મુદ્દે ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજાયું. દક્ષિણ ગુજરાતના ક્ષત્રિય સમાજના હાજર લોકો રહ્યા. સમંલેનમાં આંદોલન યથાવત રાખવાનો નિર્ણય લેવાયો છે. અહીં વાંચો દેશ અને દુનિયા સાથે જોડાયેલા દરેક મોટા સમાચાર…

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 29 Apr 2024 06:50 PM (IST)

    ગુજરાતમાં શાળાઓનુ નવું શૈક્ષણિક સત્ર 13 જૂનથી થશે શરૂ, 9 મેથી 12 જૂન સુધી વેકેશન

    ગુજરાતમાં શાળાઓના વેકેશનની આજે જાહેરાત કરવામાં આવી છે. રાજ્યની સરકારી શાળાઓમાં ઉનાળું વેક્શનની તારીખો સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી છે. આગામી 9 મે થી 12 જુન સુધી શાળાઓમાં રહેશે ઉનાળુ વેકેશન. આગામી 13 જૂનથી શાળામાં નવા શૈક્ષણિક સત્રનો થશે પ્રારંભ. કુલ 35 દિવસનું ઉનાળું વેકેશન જાહેર કરવામા આવ્યું છે. અગાઉ અગાઉ 6 મેથી 9 જુન દરમિયાન વેકેશન જાહેર કરાયું હતું. ત્યાર બાદ, મંડળોની રજૂઆત અને લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી વેકેશનની તારીખો બદલવામાં આવી છે.

  • 29 Apr 2024 05:57 PM (IST)

    UGC NET 2024 પરીક્ષાની તારીખ બદલાઈ, હવે 16મીએ નહીં 18 જૂને લેવાશે પરીક્ષા

    UGC NET June 2024 Exam Date: UPSC પ્રિલિમિનરી પરીક્ષાની સાથે યુજીસી નેટની યોજાનાર પરીક્ષાને લઈને UGC NET જૂન 2024 ની પરીક્ષા ફરીથી શેડ્યૂલ કરવામાં આવી છે. હવે UGC NET પરીક્ષા 18મી જૂને યોજાશે. અગાઉ આ પરીક્ષા 16 જૂને યોજાવાની હતી. યુજીસીના ચેરમેન જગદીશ કુમારે સોમવારે આ ફેરફારની જાહેરાત કરી હતી.

  • 29 Apr 2024 05:45 PM (IST)

    સી આર પાટીલ સામે ચૂંટણી પંચમાં કરાઈ ફરિયાદ, જાણો

    ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ વિરુદ્ધ ચૂંટણી આચારસહિતા ભંગ અંગેની અરજી કરાઈ છે. દિયોદરમાં મુસ્લિમો વિષેના નિવેદનને લઈને સુરતના કોર્પોરેટર દ્વારા એક અરજી ચૂંટણી અધિકારીને મોકલાવામાં આવી છે. બનાસકાંઠા ચૂંટણી અધિકારી દ્વારા દિયોદર પ્રાંત અને ચૂંટણી અધિકારીને તપાસ માટે અરજી મોકલી આપવામાં આવી છે. અરજીમાં એવો ઉલ્લેખ કરાયો છે કે, દિયોદરમાં સીઆર પાટીલે નિવેદન કર્યું હતું કે, મુસ્લિમો માત્ર બાળકો પેદા કરવાનું કામ કરે છે અને કોંગ્રેસ મુસ્લિમોને પૈસા આપી દે છે. સી આર પાટીલે મુસ્લિમોને ઘુષણખોર ગણાવ્યા હતા અને કોંગ્રેસ પાર્ટી મુસ્લિમને મિલકતો આપશે તેવું સી આર પાટીલે નિવેદન કર્યું હતું.

  • 29 Apr 2024 04:31 PM (IST)

    અમદાવાદ પૂર્વમાં મંગળવારે યોજાશે ગૃહપ્રધાન અમિત શાહની જાહેરસભા

    અમદાવાદ પૂર્વ સંસદીય મતવિસ્તારમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ જાહેર સભાને સંબોધન કરશે. આવતીકાલ મંગળવારને 30મી એપ્રિલે અમિત શાહ ફરી આવશે ગુજરાત. અમદાવાદના નરોડા વિસ્તારમાં અમદાવાદ પૂર્વના ઉમેદવાર હસમુખ પટેલના પ્રચાર્થે જાહેર સભા યોજાશે.

  • 29 Apr 2024 04:01 PM (IST)

    બગસરા જેતપુર હાઇવે પર ખાનગી બસ પલટી જતા બે ના મોત

    અમરેલીના બગસરા જેતપુર હાઇવે પર ખાનગી બસે પલટી મારતા બે લોકોના મોત થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. ખાનગી મીની બસમાં કુલ 35 મુસાફરો સવાર હતા. બસ પલટી જવાથી 15 થી વધુ લોકોને નાની-મોટી ઈજા પહોચી છે. ઇજાગ્રસ્ત મુસાફરોને સારવાર માટે બગસરા, જુનાગઢની અલગ અલગ હોસ્પિટલમાં ખસેડ્યા છે. બસ ચલાવતા ડ્રાયવરને પોલીસે રાઉન્ડપ કર્યો છે.

  • 29 Apr 2024 03:36 PM (IST)

    દિલ્હી હાઈકોર્ટે પીએમ મોદી વિરુદ્ધની અરજી ફગાવી

    દિલ્હી હાઈકોર્ટે વડાપ્રધાન મોદી પર 6 વર્ષ માટે ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકવાની માંગ કરતી અરજીને ફગાવી દીધી હતી. કોર્ટે કહ્યું કે આ અરજીમાં કોઈ યોગ્યતા નથી. અરજીને ફગાવી દેતા હાઈકોર્ટે કહ્યું કે, હાલની રિટ પિટિશન સંપૂર્ણપણે ખોટી છે.

  • 29 Apr 2024 02:30 PM (IST)

    ગુજરાતમાં સતત ત્રીજા દિવસે ડ્રગ્સ પકડાયું

    ગુજરાતમાં સતત ત્રીજા દિવસે ડ્રગ્સ પકડાયું છે. ગુજરાત એટીએસ અને ભારતીય કોસ્ટગાર્ડે મોટી કાર્યવાહી હાથ ધરી છે. ભારતીય જળસીમામાંથી 170 કિલો ડ્રગ્સ ઝડપાયું છે. ડ્રગ્સની સાથે 2 ભારતીયોની પણ ધરપકડ કરવામાં આવી છે. બંને આરોપીઓ પાકીસ્તાન જઈને ડ્રગ્સ લાવતા હતા. પોરબંદર નજીક જળસીમામાં આ  કાર્યવાહી કરવામાં આવી છે. હશીશ નામના ડ્રગ્સની બજારની અંદાજીત કિંમત 60 કરોડ  છે.

  • 29 Apr 2024 02:27 PM (IST)

    અમદાવાદ: કાલુપુર પોલીસ સ્ટેશન બહાર નશામાં ધુત યુવકે હંગામો મચાવ્યો

    અમદાવાદના કાલુપુર પોલીસ સ્ટેશન બહાર નશામાં ધુત યુવકે હંગામો મચાવ્યો હતો. યુવકે પોલીસ કર્મીઓને છરી મારવાની ધમકી આપી હતી. પોલીસ કર્મીઓ યુવકથી ડરીને દુર ભાગતા જોવા મળ્યા હતા. જે પછી પોલીસની કામગીરી પર પણ સવાલો ઉભા થયા. વીડિયો વાયરલ થતા પોલીસે આરોપીની કરી ધરપકડ.

  • 29 Apr 2024 01:59 PM (IST)

    રાહુલ ગાંધીએ કોંગ્રેસ વતી જનતાને આપ્યા વાયદા

    રાહુલ ગાંધી હાલ ગુજરાતના પ્રવાસે છે આ દરમિયાન તેઓ આજે પાટણ પહોચ્યાં હતા જ્યાં જનસભા સંબોધી છે. ત્યારે સંબોધનની શરુઆત કરતા જ હિન્દુસ્તાનનું લોકતંત્ર અને સંવિધાન બચશે કે નહીં જેવો પ્રશ્ન ઉઠાવી ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે  BJP અને RSS ના લોકો ચાહે છે કે સંવિધાન ખતમ થઈ જાય જ્યરે અમે તેની રક્ષા કરીએ છે.

  • 29 Apr 2024 12:40 PM (IST)

    અમદાવાદમાં ગુજરાત કોલેજ પાસે ભીષણ આગ

    અમદાવાદમાં ગુજરાત કોલેજ પાસે ભીષણ આગ લાગી છે. મધુવન ફ્લેટના ચોથા માળે આગ લાગી છે. કૃણાલ ઓર્ગેનિકસ નામની ખાનગી કંપનીની ઓફિસમાં આગ લાગી છે. ફાયર બ્રિગેડની 10થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે. ફાયર બ્રિગેડ દ્વારા ફસાયેલા લોકોનું રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે. શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન છે.

  • 29 Apr 2024 11:16 AM (IST)

    રાજનાથ સિંહ લખનૌમાં ઉમેદવારી નોંધાવશે

    દેશના સંરક્ષણ પ્રધાન અને ભાજપના ઉમેદવાર રાજનાથ સિંહ આજે ઉત્તર પ્રદેશની લખનૌ લોકસભા બેઠક પરથી ઉમેદવારી નોંધાવશે. આ પહેલા તેણે લખનૌના હનુમાન સેતુ મંદિરમાં પૂજા કરી હતી. હવે તે રોડ શો કરી રહ્યો છે. તેઓ ત્રીજી વખત લખનૌથી ચૂંટણી લડવાના છે. તેઓ લગભગ 12 વાગે ઉમેદવારી નોંધાવશે.

  • 29 Apr 2024 11:12 AM (IST)

    સુરત રેલ્વે સ્ટેશન પર વંદે ભારત ટ્રેનના દરવાજાના ન ખુલતા મુસાફરો રઝળ્યા

    અમદાવાદથી મુંબઇ જતી વંદે ભારત ટ્રેન અટવાઇ હતી. સુરત રેલ્વે સ્ટેશન પર દરવાજાના ન ખુલતા મુસાફરો રઝળ્યા હતા. દરવાજા ન ખુલતા 1 કલાક સુધી ટ્રેન અટવાઇ હતી. ટ્રેનમાં ટેક્નિકલ ખામી સર્જાતા દરવાજા ખુલ્યા જ નહીં. ટ્રેન સ્ટાફ મેન્યુઅલી દરવાજા ખોલવા મજબુર બન્યો હતો. ટ્રેનના સી 14 કોચનો દરવાજો મેન્યુઅલી ખોલવામાં આવ્યો હતો.

  • 29 Apr 2024 11:02 AM (IST)

    સ્મૃતિ ઈરાની આજે ઉમેદવારી નોંધાવશે

    ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા અમેઠી લોકસભામાંથી સતત ત્રીજી વખત ઉમેદવારી નોંધાવનાર સાંસદ સ્મૃતિ ઈરાની આજે ઉમેદવારી નોંધાવશે. આ દરમિયાન મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ સહિત ઘણા મોટા નેતાઓ હાજર રહેશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બીજેપી ઉમેદવાર સ્મૃતિ ઈરાની લગભગ 12.15 વાગ્યે નોમિનેશન ફાઈલ કરશે.

  • 29 Apr 2024 09:51 AM (IST)

    દેવભૂમિદ્વારકા: રાવલ ગામે રખડતા ઢોરનો ત્રાસ યથાવત

    દેવભૂમિદ્વારકાના રાવલ ગામે રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે. આખલાએ એક વ્યક્તિને અડફેટે લેતાં તે ઇજાગ્રસ્ત થયો છે. બે આખલા બાખડતા આધેડને અડફેટે લીધા હતા. આધેડને વધુ સારવાર અર્થે જામનગર ખસેડાયા છે.

  • 29 Apr 2024 09:27 AM (IST)

    કચ્છની ‘અજરખ કલા'ને મળ્યું GI ટેગ

    કચ્છની વિવિધ હસ્તકલાઓમાં તેની "અજરખ કલા" એક આગવી જ ઓળખ ધરાવે છે. આમ તો આ કલા 5 હજાર વર્ષ પ્રાચીન મનાય છે, પરંતુ કચ્છમાં લગભગ છેલ્લાં 500 વર્ષથી પણ વધુ સમયથી  "અજરખ બ્લોક પ્રિન્ટ હસ્તકલા" પર કામ થઈ રહ્યું છે. જો કે, આ કલાની પ્રસિદ્ધિની સાથે તેની નકલ કરવાનું પ્રમાણ પણ બજારોમાં વધ્યું હતું. ત્યારે હવે આ કલાની ઓળખને અકબંધ રાખવા તેને "જીઓગ્રાફિકલ ઈન્ડિકેશન ટેગ્સ" એટલે કે "GI ટેગ" આપવામાં આવ્યું છે.

  • 29 Apr 2024 09:23 AM (IST)

    પરશોત્તમ રૂપાલા સામે ક્ષત્રિયોનું આંદોલન રહેશે યથાવત

    સુરતના બારડોલીમાં પણ રૂપાલા વિવાદ મુદ્દે ક્ષત્રિય સંમેલન યોજાયું હતું. જે ક્ષત્રિય અસ્મિતા સંમેલનમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયો હાજર રહ્યા હતા. જે દરમિયાન ક્ષત્રિય આગેવાનોએ રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનને વખોડી કાઢ્યું હતું અને કહ્યું કે રાહુલ ગાંધીનો આ વાણી વિલાસ ચલાવી નહીં લેવાય. આ નિવેદન મુદ્દે આગળ બેઠક કરી મનોમંથન કરીશું. ઉલ્લેખનીય છે કે , આ સંમેલનમાં ભરૂચથી વાપી સુધીના મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

  • 29 Apr 2024 08:15 AM (IST)

    સુરેન્દ્રનગર: ચોટીલા-લીંબડી હાઇવે પર અકસ્માતમાં 2 મોત

    સુરેન્દ્રનગરના ચોટીલા-લીંબડી હાઇવે પર અકસ્માતમાં 2 મોત થયા છે. સાયલા પાસે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર ખાડામાં ખાબકી છે. અકસ્માતમાં 2 લોકોના મોત થયા છે. ત્રણ લોકોને ગંભીર ઇજા પહોંચી છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. કચ્છથી પરત ફરતા મહારાષ્ટ્રના પુનાના પરિવારનો અકસ્માત થયો છે. સાયલા પોલીસે સ્થળ પર પહોંચીને કાર્યવાહી હાથ ધરી છે.

  • 29 Apr 2024 08:13 AM (IST)

    રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ

    રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. રાહુલ ગાંધી પાટણમાં સભા ગજવશે. પાટણના પ્રગતિ મેદાનમાં ચંદનજી ઠાકોર માટે પ્રચાર કરશે. પ્રગતિ મેદાનમાં વિશાળ મંડપ પણ તૈયાર કરાયો છે. રાહુલ ગાંધીની સભામાં પ્રદેશ કોંગ્રેસના નેતા, MLA, INDIA ગઠબંધનના નેતાઓ હાજર રહેશે. આ પહેલા પાટણમાં 2017માં વિધાનસભાની ચૂંટણીમાં રાહુલ ગાંધીએ સભા સંબોધી હતી. પાટણ લોકસભા માટે કોંગ્રેસે પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરને મેદાને ઉતાર્યા છે.

  • 29 Apr 2024 07:33 AM (IST)

    છત્તીસગઢ: બેમેત્રામાં માર્ગ અકસ્માતમાં 8 લોકોના મોત

    છત્તીસગઢના બેમેટારામાં એક દર્દનાક માર્ગ અકસ્માત થયો હતો. પીકઅપે કાળિયામાં પાર્ક કરેલી મઝદા કારને પાછળથી ટક્કર મારી હતી. આ ઘટનામાં આઠ લોકોના કરૂણ મોત થયા હતા. મૃતકોમાં ત્રણ બાળકો અને પાંચ મહિલાઓનો સમાવેશ થાય છે. ઘણા લોકો ઘાયલ થયા છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટના મોડી રાત્રે 2.30 કલાકે બની હતી. કારમાં 50 જેટલા લોકો સવાર હતા.

  • 29 Apr 2024 07:25 AM (IST)

    જામનગર: ધ્રોલમાં પૂનમ માડમનો રોડ શો અને સભા

    જામનગરના ધ્રોલમાં પૂનમ માડમનો રોડ શો અને સભા યોજાઇ. રોડ શો દરમિયાન ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. પોલીસે 100થી વધુ યુવાનોની  અટકાયત કરી છે. પોલીસ બંદોબસ્ત છતા ક્ષત્રિયો સતત ભાજપ ઉમેદવારનો વિરોધ કરી રહ્યાં છે.

Published On - Apr 29,2024 7:24 AM

Follow Us:
સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકનું બ્રેઈનવોશ કરાયાનો પરિવારનો આક્ષેપ
સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકનું બ્રેઈનવોશ કરાયાનો પરિવારનો આક્ષેપ
અંબાજીમાં વરસાદ સતત બીજા દિવસે ફરી વરસ્યો, ગાજવીજ સાથે તૂટી પડ્યો, જુઓ
અંબાજીમાં વરસાદ સતત બીજા દિવસે ફરી વરસ્યો, ગાજવીજ સાથે તૂટી પડ્યો, જુઓ
ગુજરાતમાં નાફેડની બે બેઠક પર મોહન કુંડારિયા-જેઠા ભરવાડ બિનહરિફ વિજેતા
ગુજરાતમાં નાફેડની બે બેઠક પર મોહન કુંડારિયા-જેઠા ભરવાડ બિનહરિફ વિજેતા
બનાસકાંઠાઃ ઘી, ફરાળી લોટ અને મિનરલ વોટરમાં ભેળસેળ કરતા ફટકારાયો દંડ
બનાસકાંઠાઃ ઘી, ફરાળી લોટ અને મિનરલ વોટરમાં ભેળસેળ કરતા ફટકારાયો દંડ
Amreli : ધારી પંથકમાં રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા 12થી વધુ સિંહ
Amreli : ધારી પંથકમાં રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા 12થી વધુ સિંહ
ગાંધીનગરમાં ત્રણ વરરાજાને લગ્ન બાદ નવવધુએ રાતાપાણીએ રોવડાવ્યા
ગાંધીનગરમાં ત્રણ વરરાજાને લગ્ન બાદ નવવધુએ રાતાપાણીએ રોવડાવ્યા
ગરમીમાં બરફના ગોળા કે આઈસ્ક્રીમ ખાનારા ચેતી જજો !
ગરમીમાં બરફના ગોળા કે આઈસ્ક્રીમ ખાનારા ચેતી જજો !
વાવાઝોડા સાથે માવઠું થતા બાગાયતી પાકને મોટુ નુકસાન !
વાવાઝોડા સાથે માવઠું થતા બાગાયતી પાકને મોટુ નુકસાન !
પોઈચામાં નર્મદા નદીમાં ડૂબનારા લોકોનું સર્ચ હાથ ધરાયુ
પોઈચામાં નર્મદા નદીમાં ડૂબનારા લોકોનું સર્ચ હાથ ધરાયુ
કૃષિ પ્રધાન રાઘવજી પટેલે માવઠાથી નુકસાનના સર્વેની આપી સૂચના
કૃષિ પ્રધાન રાઘવજી પટેલે માવઠાથી નુકસાનના સર્વેની આપી સૂચના
g clip-path="url(#clip0_868_265)">