AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ખેડૂતો ભારે હૈયે નાળિયેરીના બગીચા કાપી નાખવા બન્યા મજબુર, સફેદ માખીનો ઉપદ્રવ આવતા ઉત્પાદનને પડ્યો મોટો ફટકો

ગીર સોમનાથ: નાળિયેરના ગઢ ગણાતા ગીર સોમનાથ જિલ્લામાં ખેડૂતો હવે નાળિયેરીની સુરક્ષા માટે લાચાર બન્યા છે. નાળિયેરીમાં સફેદ માખીનો ઉપદ્રવ વધી જતા 60 થી 70 ટકા ઉત્પાદન ઘટી ગયુ છે. જેના કારણે કાંઠા વિસ્તારના ખેડૂતો માટે કલ્પવૃક્ષ સમાન નાળિયેરીનું ઉત્પાદન ઘટી જતા ખેડૂતો હવે બગીચા પર જેસીબી મશીન ફેરવી અન્ય પાક લેવા મજબુર બન્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 22, 2023 | 6:11 PM
Share

ગીરસોમનાથ જિલ્લાના ખેડૂતોને હવે સફેદ માખીએ રડાવ્યા છે. લીલા નાળિયેરનું ગઢ ગણાતા ગીર સોમનાથમાં નાળિયેરીમાં સફેદ માખીનો ઉપદ્રવ આવી જતા ખેડૂતો બાળકની જેમ ઉછેરેલી નાળિયેરી કાપી નાખવા માટે મજબુર બન્યા છે. આ સફેદ માખીને કારણે નાળિયેરના ઉત્પાદનને 60 થી 70 ટકાનો ફટકો પડ્યો છે.

નાળિયેરીમાં સફેદ માખીના ઉપદ્રવથી ઘટ્યુ ઉત્પાદન

છેલ્લા ચાર વર્ષથી ગીર કાંઠાના વિસ્તારોમાં સફેદ માખીનો ઉપદ્રવ વધ્યો છે. આ સફેદ માખી એ નાળિયેરી માટે કેન્સર સમાન ગણાય છે. આ માખી નાળિયેરીના પાન પર બેસી ચીકણો કાળો પદાર્થ છોડે છે. આથી પ્રકાશ સંશ્લેષણની ક્રિયા અટકી જતા પાન ખરવા લાગે છે અને નાળિયેરનુ ઉત્પાદન ઘટે છે. ગીરમાં 500 થી 700 હેક્ટર જમીનમાં નાળિયેરનો પાક લેવાય છે. જો કે સફેદ માખીના ઉપદ્રવને કારણે ઉત્પાદન ઘટ્યુ છે.

સફેદ માખીના ઉપદ્રવથી આખેઆખા બગીચાઓ વેરાન થઈ ગયા

છેલ્લા બે-ચાર વર્ષથી ગીરના દરિયાઇ વિસ્તારમાં સતત વાવાઝોડા પણ આવી રહ્યા હતા જેને કારણે પણ નાળિયેરીના પાકને ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે. 3 વર્ષ પહેલા ત્રાટકેલા તાઉતે વાવાઝોડાએ નાળિયેરના બગીચાઓનો સોથ વાળી દીધો હતો. લાખોની સંખ્યામાં ઉના, ગીરગઢડા અને કોડીનાર સહિતના વિસ્તારોમાં નાળિયેરના ઝાડ જમીનદોસ્ત થઈ ગયા. ગીર વિસ્તારોમાં મોટા પ્રમાણમાં નાળિયેરીનાં બગીચાઓ છે. સફેદ માખીના રોગે આખે આખા બગીચાઓને જાણે કે વેરાન બનાવી દીધા હોય તેવું લાગી રહ્યું છે. માખીનાં ઉપદ્રવનાં કારણે બગીચાઓ સુકાઈ રહ્યા છે.

આ પણ વાંચો:  સોસાયટીમાં સિંહ આવી ચડ્યો, સ્થાનિકો ડરના માર્યા ધાબા પર ચડી ગયા- જુઓ તસ્વીરો

ખેડૂતો ભારે હૈયે બગીચાનો નાશ કરવા બન્યા મજબુર

ઉત્પાદન ઘટી જતા ખેડૂતો હાલ ભારે હૈયે નાળિયેરીના ઝાડ પર જેસીબી ચલાવી બગીચા કાપી રહ્યા છે. હાલ ખેડૂતો માટે મુશ્કેલી છે કે દરિયાઈ વિસ્તાર હોવાથી જમીનમાં ખારાશ વધુ છે. જેને લઈને ધાન્ય કે અન્ય પાકોમાં પણ ખેડૂતોને સારુ ઉત્પાદન મળતુ નથી. ત્યારે ખેડૂતોએ 12 વર્ષ પહેલા બાગાયત ખાતાની ભલામણથી 6 વિઘા જમીનમાં લાખોને ખર્ચ કરી નાળિયેરી વાવી હતી પરંતુ 12 વર્ષ રાહ જોયા બાદ પણ જોઈએ તેવુ ઉત્પાદન ન મળ્યુ અને ખેડૂતો ભારે હૈયે નાળિયેરી કાપવા મજબુર બન્યા છે.

Input Credit- Yogesh Joshi- Gir Somnath

ગીર સોમનાથ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ
રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો
કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો
કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો
રાજ્ય સરકારનો મોટો નિર્ણય,હોટલ-રેસ્ટોરન્ટને તાત્કાલિક મળશે PNG કનેક્શન
રાજ્ય સરકારનો મોટો નિર્ણય,હોટલ-રેસ્ટોરન્ટને તાત્કાલિક મળશે PNG કનેક્શન
ડબલ ગેસ કનેક્શન ધરાવતા સાવધાન! બુધવાર સુધી LPG સરેન્ડર ફરજિયાત
ડબલ ગેસ કનેક્શન ધરાવતા સાવધાન! બુધવાર સુધી LPG સરેન્ડર ફરજિયાત
g clip-path="url(#clip0_868_265)">