AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણીના ગુજકોમાસોલ પર ગોલમાલના આક્ષેપ, જુનાગઢ જિલ્લામાં મગફળી ખરીદીમાં ભ્રષ્ટાચારનો આરોપ- Video

જુનાગઢ જિલ્લામાં મગફળી ખરીદીમાં મોટા પાયે ગોલમાલના આક્ષેપો સાથે ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ ગુજકોમાસોલ પર ગંભીર આરોપો લગાવ્યા છે. તેમણે ગુજકોમાસોલના કેટલાક અધિકારીઓ પર નબળી ગુણવત્તાની મગફળીની ખરીદી અને કૌભાંડનો આરોપ મૂક્યો છે. જ્યારે ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સંઘાણીએ આ આક્ષેપોને નકારી કાઢ્યા છે અને તપાસની ખાતરી આપી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 22, 2025 | 5:51 PM
Share

જુનાગઢમાં મગફળી ખરીદીમાં કૌભાંડ મામલે ભાજપના જ બે નેતાઓ આમને સામને આવ્યા છે. સહકારી ક્ષેત્રના દિગ્ગજ અને ઈફ્કોના ચેરમેન દિલીપ સંઘાણી અને માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી આમને સામને આવ્યા છે. સંઘાણીની માનહાનિનો દાવો કરવાની વાત પર લાડાણીએ વળતો જવાબ આપ્યો છે. અરવિંદ લાડાણીએ જણાવ્યુ કે મે નાણાની ઉચાપત થઈ હોવાનો આરોપ નથી લગાવ્યો. તેમણે કહ્યુ મે માત્ર મગફળી ખરીદીમાં અવ્યવસ્થાની વાત કરી છે. બીજી તરફ તેમણે કહ્યુ નરેન્દ્રસિંહ પરમાર માનહાનિનો દાવો કરે તો ભલે કરે.

માણવદરના ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ જુનાગઢ જિલ્લામાં મગફળીની ખરીદીમાં મોટા પાયે ગોલમાલ આચરવામાં આવી હોવાના આક્ષેપો કરતા સહકારી ક્ષેત્રે ગરમાવો આવ્યો છે. અરવિંદ લાડાણીએ મગફળીની ખરીદી મુદ્દે ગુજકોમાસોલના ડિરેક્ટરો પર ગંભીર આક્ષેપો લગાવ્યા. અરવિંદ લાડાણીએ જણાવ્યું કે ગુજકોમાસોલ દ્વારા નબળી મગફળીની ખરીદીથી લઇને અન્ય મોટા કૌભાંડ આચરવામાં આવ્યા છે. લાડાણીએ ગુજકોમાસોલના નરેન્દ્ર પરમાર, ભરત બારડ સહિતના અધિકારીઓ પર ગેરરીતિના આક્ષેપો લગાવ્યા સાથે જ તેમણે 2 નંબરની મંડળી ડિરેક્ટરના સગાં-વહાલાંની હોવાની પણ આશંકા દર્શાવી.

બીજી તરફ ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સંઘાણીએ અરવિંદ લાડાણીના આક્ષેપો પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે મગફળીની ખરીદીમાં કોઇ પણ પ્રકારની ગેરરીતિ આચરવામાં નથી આવી. મગફળીની ખરીદીમાં ભ્રષ્ટાચારના જે આક્ષેપો કરાયા છે તેમાં કોઇ તથ્ય નથી. તેમ છતાં જો ભ્રષ્ટાચાર થયો હોવાનું જણાશે તો જે પણ દોષિત હશે તેની સામે કડક પગલાં લેવાશે તેવી ખાતરી દિલીપ સંઘાણીએ આપી.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

વહેલી સવારે 18 શાળાઓને બોમ્બની ધમકી!
વહેલી સવારે 18 શાળાઓને બોમ્બની ધમકી!
Breaking News : સાધુ-સંતો સાથે PI વરીયાએ લગાવી વિવાદની ડૂબકી
Breaking News : સાધુ-સંતો સાથે PI વરીયાએ લગાવી વિવાદની ડૂબકી
ધાર્મિક પરંપરાઓને પડકારવાનો અધિકાર કીર્તિ પટેલને કોણે આપ્યો?
ધાર્મિક પરંપરાઓને પડકારવાનો અધિકાર કીર્તિ પટેલને કોણે આપ્યો?
કલાકારો અને સર્જનાત્મક ક્ષેત્રના લોકો માટે ઓળખ મેળવવાનો શ્રેષ્ઠ સમય
કલાકારો અને સર્જનાત્મક ક્ષેત્રના લોકો માટે ઓળખ મેળવવાનો શ્રેષ્ઠ સમય
ગુજરાતમાં અનાજ ATM નો અમિત શાહે કરાવ્યો પ્રારંભ- Video
ગુજરાતમાં અનાજ ATM નો અમિત શાહે કરાવ્યો પ્રારંભ- Video
"ગુજરાતમાં મતોના વિભાજનથી કોંગ્રેસને નુકસાન, 60 ધારાસભ્યો ગુમાવ્યા"
ડાંગના લવચાલીમાં જળ સંકટ: 26 વર્ષથી મળતું પાણી બંધ થતા ચૂંટણી બહિષ્કાર
ડાંગના લવચાલીમાં જળ સંકટ: 26 વર્ષથી મળતું પાણી બંધ થતા ચૂંટણી બહિષ્કાર
કરમસદની હોસ્પિટલ વિવાદમાં: આયુષ્માન કાર્ડ છતાં રૂ. 60 હજાર વસૂલ્યા!
કરમસદની હોસ્પિટલ વિવાદમાં: આયુષ્માન કાર્ડ છતાં રૂ. 60 હજાર વસૂલ્યા!
હેલિકોપ્ટરમાં સવાર થઈને પરણવા આવ્યા વરરાજા, વીડિયો થયો વાયરલ
હેલિકોપ્ટરમાં સવાર થઈને પરણવા આવ્યા વરરાજા, વીડિયો થયો વાયરલ
હવે કોંગ્રેસના અનંત પટેલના બદલાયા તેવર-કહ્યુ પાર્ટી છોડતા વાર નહી લાગે
હવે કોંગ્રેસના અનંત પટેલના બદલાયા તેવર-કહ્યુ પાર્ટી છોડતા વાર નહી લાગે
g clip-path="url(#clip0_868_265)">