Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Internation Womens Day: છોટાઉદેપુરની આ મહિલા બની પેડ વુમન, આદિવાસી મહિલાઓને રોજગારી આપવા સાથે આ રીતે ફેલાવી રહી છે જાગૃતિ

પેડ મેન ફિલ્મ તો ઘણા લોકોએ જોઈ હશે, પણ છોટાઉદેપુરના અંતરિયાળ વિસ્તારમાં રહેતી એક મહિલા રાધિકા રાઠવા હકીકતમાં પેડ વૂમન બની છે.

Internation Womens Day: છોટાઉદેપુરની આ મહિલા બની પેડ વુમન, આદિવાસી મહિલાઓને રોજગારી આપવા સાથે આ રીતે ફેલાવી રહી છે જાગૃતિ
woman from Chhota udepur has become a Pad Woman
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 08, 2022 | 11:06 AM

માસિક ધર્મ (Menstruation)એ દરેક સ્ત્રીના શરીરમાં થનારી સામાન્ય પ્રકિયા છે અને પ્રકૃતિના નિયમનો એક ભાગ છે. તે શરમની વાત નથી પણ તેમાં જાગૃતતાની જરૂર છે. જે બાબતને ધ્યાન પર લઈ છોટાઉદેપુર (Chhotaudepur) જિલ્લાના અંતરિયાળ વિસ્તારની એક મહિલા આદીવાસી સમાજની મહિલાઑને વ્હારે આવી છે. ન માત્ર આ અંગે જાગૃતિ લાવવાનું પરંતુ મહિલાઓને રોજગારી અપાવવાનું કામ પણ આ મહિલાએ કર્યુ છે. આજે વિશ્વ મહિલા દિવસે (Internation Womens Day)અમે તમને આ મહિલાની સરાહનીય કામગીરી અંગે જણાવીશુ.

પેડ મેન ફિલ્મ તો ઘણા લોકોએ જોઈ હશે, પણ છોટાઉદેપુરના અંતરિયાળ વિસ્તારમાં રહેતી એક મહિલા રાધિકા રાઠવા હકીકતમાં પેડ વૂમન બની છે. દેશની કરોડો મા, બહેન , દીકરી, રજસ્વાલા સમય દરમિયાન ગરીબી તથા જાણકારીના અભાવે મુશ્કેલી મુકાય છે. ત્યારે છોટાઉદેપુરની રાધિકા રાઠવા આ મહિલાઓમાં જાગૃતિ ફેલાવવાનું કામ કરી રહી છે.

છોટાઉદેપુર જિલ્લાની ગણના આદિવાસી અને પછાત વિસ્તારમાં થાય છે. ત્યારે અહીંના દુર્ગમ વિસ્તારમાં રહેતી કેટલીય કિશોરીઓ માસિક ધર્મની શરૂઆતમાં ખૂબ મુજવણ અને મુશ્કેલી અનુભવતી હોય છે. એક તરફ ગરીબી અને બીજી તરફ અજ્ઞાનતાને કારણે કપડાનો ઉપયોગ કરતી હોય છે. જે ખરેખર તેમના સ્વાસ્થ્ય માટે ગંભીર બાબત ગણાય છે. ઘણી મહિલાઓ આ કારણે બીમારીમાં સપડાતી હોય છે. ત્યારે રાધિકા રાઠવાએ આ મહિલાઓ-કિશોરીઓમાં માસિક ધર્મ સમયે કપડાને ત્યજી પેડનો ઉપયોગ કરવા અંગે જાગૃતિ ફેલાવવાની શરુઆત કરી છે.

સારા તેંડુલકરે પહેલીવાર જોયું પહેલગામનું સૌંદર્ય
Richest Society : અમદાવાદની 6 સૌથી મોંઘી સોસાયટી, વૈભવી જીવન જીવવા લોકોની પહેલી પસંદ
Pahalgam Attack : પહલગામના આતંકવાદીઓ સાથે શું કરવું જોઈએ? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
CSK ખરાબ હાલતમાં, IPLમાં ઘણા વર્ષો પછી આવો દિવસ જોયો
ભારતમાં જીવતો પકડાયેલો પહેલો પાકિસ્તાની આતંકવાદી કોણ હતો?
ફળો ખાવાનો યોગ્ય સમય ક્યારે છે?

રાધિકા રાઠવાના પિતા અમરસિંહ રાઠવા 1977થી 1989ના સમય ગાળા દરમિયાન ત્રણ ટર્મ સુધી સાંસદ રહી ચુક્યા છે. તેમણે છોટાઉદેપુરના આદીવાસી સમાજમાં જાગૃતિ આવે અને જીવન ધોરણમાં સુધારો આવે તેવા પ્રયાસો કર્યા હતા. જે બાદ રાધિકા રાઠવાને પણ વારસામાં સમાજ સેવા કરવાનો મોકો મળ્યો છે. રાધિકાના મનમાં પહેલીથી સમાજ સેવા કરવાનો એક જુસ્સો હતો. જેથી તેમણે મહિલા અને કિશોરીઓને માસિક સ્ત્રાવના સમયગાળામાં અનુભવાતા શરમ, ક્ષોભ અને મુશ્કેલીઓને દુર કરવાનો વિચાર આવ્યો હતો. જે બાદ તેમણે અહીંની આદિવાસી મહિલાઓમાં પેડના ઉપયોગ વિશે જાગૃતિ લાવવાની શરુઆત કરી.

રાધિકા રાઠવાએ અહીંની આદિવાસી મહિલાઓમાં ન માત્ર જાગૃતિ ફેલાવવાનું કામ કર્યુ, પરંતુ તેમને રોજગારી અપાવવાની પણ મુહિમ ઉપાડી. બજારમાં જે પેડ મળે છે તે મોંઘા હોવાથી અહીની આદિવાસી મહિલાઓને પરવડે તેમ નહતા. તેથી રાધિકા રાઠવાઓ ન નફો ન નુકસાનના ધોરણે ઘરે જ પેડ બનાવવાની શરુઆત કરી. આ કામમાં તેમણે ગામની જ મહિલાઓેને જોડી, જેથી આ મહિલાઓને રોજગારી પણ મળી રહે. આજે અનેક આદિવાસી મહિલાઓ પેડ બનાવવાની કામગીરીથી રોજગારી પણ મેળવી રહી છે.

પેડ બનાવી રોજગારી આપવાની સાથે રાધિકા રાઠવા અંતરિયાળ વિસ્તારોમાં આવેલા ગામડામાં મહિલાઑને સમજ આપવા જાય છે. સાથે જ સ્કૂલની કિશોરીઓ કે જેમને માસિક ધર્મની શરૂઆત થઈ હોય તેમને નિઃશુલ્ક પેડ પણ આપે છે અને કપડાં નહી વાપરવાની સલાહ આપે છે. આદિવાસી મહિલામાં જાગૃતિ ફેલાવવાનું ભગીરથ કામ એક આદીવાસી મહિલાએ જ ઉપાડી લેતા તેના કામની પ્રશંસા થઇ રહી છે. વિશ્વ મહિલા દિવસે આવી સમાજમાં જાગૃતિ ફેલાવવાની ઇચ્છાશક્તિ ધરાવતી રાધિકા રાઠવાને સલામ છે.

આ પણ વાંચો-

Surat: એરપોર્ટના રન વે પર અકસ્માતને આમંત્રણ આપતા હોય તેવા દ્રશ્યો, અગાઉની ઘટનાઓમાંથી પણ ન લીધો બોધપાઠ

આ પણ વાંચો-

Ahmedabad: ગુજરાત યુનિવર્સિટીની આસપાસ દારૂ અને ગાંજો મળતો હોવાનો NSUIનો આક્ષેપ, પદયાત્રા યોજી યોગ્ય કાર્યવાહી કરવા કરી માગ

નર્મદા ડેમના અસરગ્રસ્તોની લડત : ટાવર પર ચઢીને કર્યો વિરોધ
નર્મદા ડેમના અસરગ્રસ્તોની લડત : ટાવર પર ચઢીને કર્યો વિરોધ
ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજાના નિવેદનથી પાટીદાર સમુદાયમાં રોષ ફેલાયો
ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજાના નિવેદનથી પાટીદાર સમુદાયમાં રોષ ફેલાયો
ટેસ્લાની સાયબર ટ્રકની સૌપ્રથમ સુરતમાં થઈ એન્ટ્રી
ટેસ્લાની સાયબર ટ્રકની સૌપ્રથમ સુરતમાં થઈ એન્ટ્રી
જામનગરમાં પોલીસ એકશનમાં ! 31 પાકિસ્તાની નાગરિકોને આપ્યું અલ્ટિમેટમ
જામનગરમાં પોલીસ એકશનમાં ! 31 પાકિસ્તાની નાગરિકોને આપ્યું અલ્ટિમેટમ
અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચ બહાર ગેરકાયદે બાંગ્લાદેશીઓએ કર્યો હંગામો
અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચ બહાર ગેરકાયદે બાંગ્લાદેશીઓએ કર્યો હંગામો
અમદાવાદમાં શોર્ટ ટર્મ વિઝા પર રહેતા 386 પાકિસ્તાની નાગરિક
અમદાવાદમાં શોર્ટ ટર્મ વિઝા પર રહેતા 386 પાકિસ્તાની નાગરિક
પાકિસ્તાની નાગરિકોને પરત મોકલવાની કાર્યવાહી હાથ ધરી
પાકિસ્તાની નાગરિકોને પરત મોકલવાની કાર્યવાહી હાથ ધરી
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત, જાણો આજનું રાશિફળ
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત, જાણો આજનું રાશિફળ
ગુજરાતમાં ગરમી યથાવત રહેશે ! જાણો તમારા જિલ્લાનું તાપમાન
ગુજરાતમાં ગરમી યથાવત રહેશે ! જાણો તમારા જિલ્લાનું તાપમાન
જમ્મુ કાશ્મીર હુમલા બાદ ભારતે 'એક્શન મોડ' એક્ટિવેટ કર્યો
જમ્મુ કાશ્મીર હુમલા બાદ ભારતે 'એક્શન મોડ' એક્ટિવેટ કર્યો
g clip-path="url(#clip0_868_265)">