AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Internation Womens Day: છોટાઉદેપુરની આ મહિલા બની પેડ વુમન, આદિવાસી મહિલાઓને રોજગારી આપવા સાથે આ રીતે ફેલાવી રહી છે જાગૃતિ

પેડ મેન ફિલ્મ તો ઘણા લોકોએ જોઈ હશે, પણ છોટાઉદેપુરના અંતરિયાળ વિસ્તારમાં રહેતી એક મહિલા રાધિકા રાઠવા હકીકતમાં પેડ વૂમન બની છે.

Internation Womens Day: છોટાઉદેપુરની આ મહિલા બની પેડ વુમન, આદિવાસી મહિલાઓને રોજગારી આપવા સાથે આ રીતે ફેલાવી રહી છે જાગૃતિ
woman from Chhota udepur has become a Pad Woman
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 08, 2022 | 11:06 AM
Share

માસિક ધર્મ (Menstruation)એ દરેક સ્ત્રીના શરીરમાં થનારી સામાન્ય પ્રકિયા છે અને પ્રકૃતિના નિયમનો એક ભાગ છે. તે શરમની વાત નથી પણ તેમાં જાગૃતતાની જરૂર છે. જે બાબતને ધ્યાન પર લઈ છોટાઉદેપુર (Chhotaudepur) જિલ્લાના અંતરિયાળ વિસ્તારની એક મહિલા આદીવાસી સમાજની મહિલાઑને વ્હારે આવી છે. ન માત્ર આ અંગે જાગૃતિ લાવવાનું પરંતુ મહિલાઓને રોજગારી અપાવવાનું કામ પણ આ મહિલાએ કર્યુ છે. આજે વિશ્વ મહિલા દિવસે (Internation Womens Day)અમે તમને આ મહિલાની સરાહનીય કામગીરી અંગે જણાવીશુ.

પેડ મેન ફિલ્મ તો ઘણા લોકોએ જોઈ હશે, પણ છોટાઉદેપુરના અંતરિયાળ વિસ્તારમાં રહેતી એક મહિલા રાધિકા રાઠવા હકીકતમાં પેડ વૂમન બની છે. દેશની કરોડો મા, બહેન , દીકરી, રજસ્વાલા સમય દરમિયાન ગરીબી તથા જાણકારીના અભાવે મુશ્કેલી મુકાય છે. ત્યારે છોટાઉદેપુરની રાધિકા રાઠવા આ મહિલાઓમાં જાગૃતિ ફેલાવવાનું કામ કરી રહી છે.

છોટાઉદેપુર જિલ્લાની ગણના આદિવાસી અને પછાત વિસ્તારમાં થાય છે. ત્યારે અહીંના દુર્ગમ વિસ્તારમાં રહેતી કેટલીય કિશોરીઓ માસિક ધર્મની શરૂઆતમાં ખૂબ મુજવણ અને મુશ્કેલી અનુભવતી હોય છે. એક તરફ ગરીબી અને બીજી તરફ અજ્ઞાનતાને કારણે કપડાનો ઉપયોગ કરતી હોય છે. જે ખરેખર તેમના સ્વાસ્થ્ય માટે ગંભીર બાબત ગણાય છે. ઘણી મહિલાઓ આ કારણે બીમારીમાં સપડાતી હોય છે. ત્યારે રાધિકા રાઠવાએ આ મહિલાઓ-કિશોરીઓમાં માસિક ધર્મ સમયે કપડાને ત્યજી પેડનો ઉપયોગ કરવા અંગે જાગૃતિ ફેલાવવાની શરુઆત કરી છે.

રાધિકા રાઠવાના પિતા અમરસિંહ રાઠવા 1977થી 1989ના સમય ગાળા દરમિયાન ત્રણ ટર્મ સુધી સાંસદ રહી ચુક્યા છે. તેમણે છોટાઉદેપુરના આદીવાસી સમાજમાં જાગૃતિ આવે અને જીવન ધોરણમાં સુધારો આવે તેવા પ્રયાસો કર્યા હતા. જે બાદ રાધિકા રાઠવાને પણ વારસામાં સમાજ સેવા કરવાનો મોકો મળ્યો છે. રાધિકાના મનમાં પહેલીથી સમાજ સેવા કરવાનો એક જુસ્સો હતો. જેથી તેમણે મહિલા અને કિશોરીઓને માસિક સ્ત્રાવના સમયગાળામાં અનુભવાતા શરમ, ક્ષોભ અને મુશ્કેલીઓને દુર કરવાનો વિચાર આવ્યો હતો. જે બાદ તેમણે અહીંની આદિવાસી મહિલાઓમાં પેડના ઉપયોગ વિશે જાગૃતિ લાવવાની શરુઆત કરી.

રાધિકા રાઠવાએ અહીંની આદિવાસી મહિલાઓમાં ન માત્ર જાગૃતિ ફેલાવવાનું કામ કર્યુ, પરંતુ તેમને રોજગારી અપાવવાની પણ મુહિમ ઉપાડી. બજારમાં જે પેડ મળે છે તે મોંઘા હોવાથી અહીની આદિવાસી મહિલાઓને પરવડે તેમ નહતા. તેથી રાધિકા રાઠવાઓ ન નફો ન નુકસાનના ધોરણે ઘરે જ પેડ બનાવવાની શરુઆત કરી. આ કામમાં તેમણે ગામની જ મહિલાઓેને જોડી, જેથી આ મહિલાઓને રોજગારી પણ મળી રહે. આજે અનેક આદિવાસી મહિલાઓ પેડ બનાવવાની કામગીરીથી રોજગારી પણ મેળવી રહી છે.

પેડ બનાવી રોજગારી આપવાની સાથે રાધિકા રાઠવા અંતરિયાળ વિસ્તારોમાં આવેલા ગામડામાં મહિલાઑને સમજ આપવા જાય છે. સાથે જ સ્કૂલની કિશોરીઓ કે જેમને માસિક ધર્મની શરૂઆત થઈ હોય તેમને નિઃશુલ્ક પેડ પણ આપે છે અને કપડાં નહી વાપરવાની સલાહ આપે છે. આદિવાસી મહિલામાં જાગૃતિ ફેલાવવાનું ભગીરથ કામ એક આદીવાસી મહિલાએ જ ઉપાડી લેતા તેના કામની પ્રશંસા થઇ રહી છે. વિશ્વ મહિલા દિવસે આવી સમાજમાં જાગૃતિ ફેલાવવાની ઇચ્છાશક્તિ ધરાવતી રાધિકા રાઠવાને સલામ છે.

આ પણ વાંચો-

Surat: એરપોર્ટના રન વે પર અકસ્માતને આમંત્રણ આપતા હોય તેવા દ્રશ્યો, અગાઉની ઘટનાઓમાંથી પણ ન લીધો બોધપાઠ

આ પણ વાંચો-

Ahmedabad: ગુજરાત યુનિવર્સિટીની આસપાસ દારૂ અને ગાંજો મળતો હોવાનો NSUIનો આક્ષેપ, પદયાત્રા યોજી યોગ્ય કાર્યવાહી કરવા કરી માગ

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">