લીમડામાંથી બનાવેલ જંતુનાશક દવાથી ખેડૂતોને મળી શકે છે બમણો નફો, જાણો તેને બનાવવાની રીત

જો ખેડૂતો લીમડાના જંતુનાશક (Neem insecticides) નો ઉપયોગ કરે તો તેમનો ખર્ચ ઘણો ઘટી શકે છે. કારણ કે લીમડો સરળતાથી મળી રહે છે. જેમાં નિષ્ણાંતો લીમડાના જંતુનાશકનો ઉપયોગ કરવાની સલાહ આપે છે ત્યારે ચાલો જાણીએ તેના વિશે.

લીમડામાંથી બનાવેલ જંતુનાશક દવાથી ખેડૂતોને મળી શકે છે બમણો નફો, જાણો તેને બનાવવાની રીત
Neem insecticidesImage Credit source: File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 13, 2022 | 1:21 PM

ખેડૂતો (Farmers)વધુ પરેશાન ત્યારે થાય છે જ્યારે પાકમાં રોગ આવી જાય છે. એવામાં ખેડૂતોએ રાસાયણિક જંતુનાશકો (chemical pesticides)નો ઉપયોગ કરવો પડે છે. રાસાયણિક જંતુનાશકના ઉપયોગમાં ખર્ચ પણ થાય છે આજના સમયમાં ખેતીમાં નફો ત્યારે જ મળી શકે છે જ્યારે તેમાં થતો ખર્ચ ઘટે. ત્યારે જો ખેડૂતો લીમડાના જંતુનાશક(Neem insecticides)નો ઉપયોગ કરે તો તેમનો ખર્ચ ઘણો ઘટી શકે છે. કારણ કે લીમડો સરળતાથી મળી રહે છે. જેમાં નિષ્ણાંતો લીમડાના જંતુનાશકનો ઉપયોગ કરવાની સલાહ આપે છે ત્યારે ચાલો જાણીએ તેના વિશે.

રાસાયણિક જંતુનાશકોથી થતું નુકસાન

આ ખેડૂતોને પાકમાંથી જીવાતો દૂર કરવામાં થોડી મદદ કરે છે, પરંતુ આ જીવાત તેમની જમીનની ફળદ્રુપતા ઘટાડે છે. આ લાંબા ગાળે ખેડૂતો માટે સારું નથી, કારણ કે જમીનની ખાતર ક્ષમતા ધીમે ધીમે ઘટતી જાય છે અને જમીન બંજર બની જાય છે, ખેડૂતો માટે બંજર જમીનમાં ખેતી કરવી ખૂબ મુશ્કેલ છે. એટલું જ નહીં રાસાયણિક જંતુનાશકોના ઉપયોગથી અનાજ, શાકભાજી અને ફળો પણ આપણા સ્વાસ્થ્ય પર ખૂબ જ ખરાબ અસર કરે છે.

ઓર્ગેનિક જંતુનાશકોને પ્રોત્સાહન આપી રહી છે સરકાર

આવી સ્થિતિમાં, કૃષિ વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ખેડૂતોએ તેમના પાકમાં જૈવિક જંતુનાશકોનો ઉપયોગ કરવો જોઈએ. તેથી કેન્દ્ર સરકારથી માંડીને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને પોતાના સ્તરે જૈવિક જંતુનાશક દવાઓના ઉપયોગ અંગે જાગૃત કરવામાં આવી રહ્યા છે.

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

લીમડાના જંતુનાશકોનો ઉપયોગ કરો

આવી સ્થિતિમાં, કૃષિ નિષ્ણાતો ખેડૂતોને તેમના ખેતરોમાં લીમડાના પાન, લીમડાનો ખોળ અને લીમડાના તેલના ઉપયોગથી બનેલા જંતુનાશકોનો ઉપયોગ કરવાની સલાહ આપે છે. આના ઉપયોગથી પાકમાં કોઈ જીવાત નહીં આવે, જેના કારણે પાકની ઉપજ અનેક ગણી અને શુદ્ધ થશે, આ શુદ્ધ અનાજ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.

લીમડામાંથી જૈવિક જંતુનાશક કેવી રીતે બનાવવું

લીમડામાંથી જંતુનાશક બનાવવા માટે, સૌ પ્રથમ, ખેડૂતોએ લીમડાના પાનને ઠંડી જગ્યાએ સૂકવીને તેને આખી રાત પાણીમાં બોળી રાખવાના હોય છે. તમે આ પાણીને છોડ પર છાંટી દો. જો ખેડૂતો ઇચ્છે તો આ પાણીનું મિશ્રણ એકવાર બનાવી શકે છે અને તેનો વારંવાર ઉપયોગ કરી શકે છે. આ માટે ખેડૂતોએ લીમડાના પાન, નિંબોળી અને છાશને એક મોટા વાસણમાં પાણીમાં ભેળવીને તેનો રંગ ન બદલાય ત્યાં સુધી મિક્સ કરવાનું રહેશે. ત્યારે ખેડૂતો તેનો ઉપયોગ તેમના પાકમાં કરી શકશે. સારા પરિણામો માટે ખેડૂતો આ સોલ્યુશનમાં થોડી માત્રામાં ગૌમૂત્ર અને પીસેલું લસણ પણ ઉમેરી શકે છે.

લીમડાના જંતુનાશકના ઉપયોગથી ખેડૂતોના ખર્ચમાં ઘટાડો થશે

એક અંદાજ મુજબ ખેડૂતો લીમડામાંથી જંતુનાશક દવા તૈયાર કરે તો તેમને ઘણો ફાયદો થશે. આપને જણાવી દઈએ કે જો ખેડૂતો 1 હેક્ટર ખેતરમાં રાસાયણિક જંતુનાશકનો છંટકાવ કરે છે, તો તેઓ ઓછામાં ઓછા એક હજાર રૂપિયા ખર્ચ કરે છે. જો તેઓ જાતે જ લીમડાનો ઉપયોગ કરીને ઘરે જંતુનાશકો તૈયાર કરે તો તેની કિંમત ઓછી થશે, કારણ કે લીમડો સરળતાથી મળી રહે છે. તેના ઉપયોગથી પાકનું સ્વાસ્થ્ય પણ બગડે નહીં. આવી સ્થિતિમાં પાકનું ઉત્પાદન બમણું થશે.

Latest News Updates

મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">