AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કેન્દ્ર સરકારે 112 ખાતર ઉત્પાદક કંપનીઓના લાઇસન્સ રદ કર્યા, સરપ્રાઈઝ ચેકીંગની કાર્યવાહીમાં સૌથી વધુ ગુજરાતની કંપનીઓનો સમાવેશ

રસાયણ અને ખાતર મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે વિશ્વમાં ખાતરની કટોકટી છે. આવી સ્થિતિમાં આપણા દેશમાં ખેડૂતોને પ્રતિ બેગ 2000-2500 રૂપિયાની સબસિડી આપવામાં આવી રહી છે. દુરુપયોગમાં સંડોવાયેલા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે

કેન્દ્ર સરકારે 112 ખાતર ઉત્પાદક કંપનીઓના લાઇસન્સ રદ કર્યા, સરપ્રાઈઝ ચેકીંગની કાર્યવાહીમાં સૌથી વધુ ગુજરાતની કંપનીઓનો સમાવેશ
TV9 Gujarati
| Edited By: | Updated on: May 11, 2023 | 7:29 AM
Share

બિન-કૃષિ હેતુઓ માટે સબસિડીવાળા ખાતર(Subsidized Fertilizer)ના દુરુપયોગને રોકવાના પ્રયાસ હેઠળ ભારત સરકારે છેલ્લા છ મહિનામાં 370 પ્લાન્ટની આકસ્મિક તપાસ હાથ ધરી છે અને ઉલ્લંઘન માટે 112 ઉત્પાદન એકમોના લાઇસન્સ રદ કર્યા છે. તેમજ આવા મામલામાં 30 FIR પણ નોંધવામાં આવી હતી. ખાતર મંત્રાલય(Ministy of Chemicals and Fertilizers)ના ડેટા અનુસાર 15 રાજ્યોમાં સ્થિત 370 એકમોમાંથી 220 મિક્સર ફર્ટિલાઇઝર યુનિટ, 130 યુરિયા યુનિટ, 15 એસએસપી ફર્ટિલાઇઝર યુનિટ અને પાંચ નિકાસકારોની તપાસ કરવામાં આવી હતી. ડેટા દર્શાવે છે કે છેલ્લા છ મહિનામાં ગુજરાત(Gujarat)માં (92), કેરળ (54), તમિલનાડુ (40) અને કર્ણાટક (39)માં સૌથી વધુ ખાતર એકમોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

ખેડૂતોને પ્રતિ બેગ  2,000-2500 રૂપિયાની સબસિડી

રસાયણ અને ખાતર મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે વિશ્વમાં ખાતરની કટોકટી છે. આવી સ્થિતિમાં આપણા દેશમાં ખેડૂતોને પ્રતિ બેગ 2000-2500 રૂપિયાની સબસિડી આપવામાં આવી રહી છે. દુરુપયોગમાં સંડોવાયેલા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે પછી તે વિતરકો હોય કે વપરાશકર્તાઓ અથવા આઉટલેટ્સ હોય.

તેમણે ઉમેર્યું હતું કે આ એકમોમાંથી લગભગ 268 નમૂના લેવામાં આવ્યા હતા જેમાંથી 120 નમૂનાઓમાં સબસીડાઇઝ્ડ યુરિયાનો સમાવેશ થાય છે 89 નમૂનાઓ ઓછા પ્રમાણભૂત હતા અને બાકીના 59 નમૂનાઓના પરિણામોની રાહ જોવાઈ રહી છે.

આ પણ વાંચો : Share Market Today : પોઝિટિવ શરૂઆત બાદ કારોબાર લાલ નિશાન નીચે સરક્યો, Sensex 61572 ના નીચલા સ્તરે સરક્યો

mansukh-mandaviya

112 યુનિટના લાયસન્સ રદ કરાયા : મનસુખ માંડવિયા

માંડવિયાએ જણાવ્યું હતું કે તપાસવામાં આવેલા 220 એકમોમાંથી 112ના લાઇસન્સ રદ કરવામાં આવ્યા છે. આ સાથે, 130 ઉત્પાદન એકમોની તપાસ કરવામાં આવી હતી જેમાંથી 120 એકમો યુરિયાનો દુરુપયોગ કરતા હોવાનું જણાયું હતું. લગભગ 30 એફઆઈઆર નોંધવામાં આવી છે, 70,000 યુરિયાની થેલીઓ જપ્ત કરવામાં આવી છે અને 11ને આવશ્યક ચીજવસ્તુ ધારા હેઠળ જેલમાં મોકલવામાં આવ્યા છે એમ તેમણે ઉમેર્યું હતું.

મંત્રીએ કહ્યું કે સરકારે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) એક્ટનું ઉલ્લંઘન કરનારા એકમો સામે કાર્યવાહી પણ શરૂ કરી છે. ખેડૂતોને પોષણક્ષમ દરે જમીનના પોષક તત્વો મળી રહે તે માટે સરકાર યુરિયા અને નોન-યુરિયા ખાતર બંને પર સબસિડી આપે છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

બિઝનેસના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
અમદાવાદમાંથી કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરની ચૂંટણી ટાણે જ ધરપકડ
અમદાવાદમાંથી કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરની ચૂંટણી ટાણે જ ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">