Navratri 2023: પૂજા સમયે હાથ પર કેમ બાંધવામાં આવે છે નાડાછડી? જાણો તેનું મહત્વ અને વૈજ્ઞાનિક કારણ
ખાસ કરીને અત્યારે નવરાત્રીનો સમય છે ભક્તો માતાજીની પૂજા કરતા હોય છે ત્યારે પૂજામાં બેસતા બ્રાહ્મણ તેમના હાથે નાડાછડી બાંધે છે. આપણે બધાએ પણ જોયું હશે કે કળા અને સંસ્કૃતિ સાથે જોડાયેલા કેટલાક નેતાઓ કે યુવાનોના હાથ પર લાલ અથવા તો લાલ પીળો દોરો બાંધેલો હોય છે. ત્યારે શું તમને ખબર છે આ નાડાછડી કેમ બાંધવામાં આવે છે?

હિન્દુ ધર્મ મુજબ જ્યારે જ્યારે દેવી દેવતાની પૂજા કરવામાં આવે છે ત્યારે પૂજામાં બેસતા સૌથી પહેલા હાથમાં લાલ રંગની નાડાછળી કે દોરો બાંધવામાં આવે છે. ત્યારે ખાસ કરીને અત્યારે નવરાત્રીનો સમય છે ભક્તો માતાજીની પૂજા કરતા હોય છે ત્યારે પૂજામાં બેસતા બ્રાહ્મણ તેમના હાથે નાડાછડી બાંધે છે. આપણે બધાએ પણ જોયું હશે કે કળા અને સંસ્કૃતિ સાથે જોડાયેલા કેટલાક નેતાઓ કે યુવાનોના હાથ પર લાલ અથવા તો લાલ પીળો દોરો બાંધેલો હોય છે. ત્યારે શું તમને ખબર છે આ નાડાછડી કેમ બાંધવામાં આવે છે ? (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)

તમને જણાવી દઈએ તો નાડાછડી બાંધવી એ એક ધાર્મીક પરંપરા સાથે આપડા સ્વાસ્થ્ય માટે પણ ખુબ ફાયદાકારક છે. હવે તમને થતુ હશે ને કે સ્વાસ્થ્ય માટે ? જી હા.. નાડાછડી બાંધવાથી શરીરમાં ગજબના ફાયદા થાય છે અને તે આપણને ઘણી બધી રીતે મદદ કરે છે(ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)

નાડાછડી બાંધવાનું વૈજ્ઞાનિક કારણ પણ છે. ખરેખર નાડાછડી કે લાલ દોરો કાચા કપાસમાંથી તૈયાર કરવામાં આવે છે અને તે લાલ, કાળો, પીળો અથવા કેસરી જેવા ઘણા રંગોમાં હોય છે. મોટાભાગના લોકો તેને જમણા કાંડા પર પહેરે છે. શાસ્ત્રો અનુસાર, કાલવ બાંધવાથી વ્યક્તિ ભગવાન બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ અને ત્રણ દેવીઓ- લક્ષ્મી, પાર્વતી અને સરસ્વતીના આશીર્વાદ મળે છે. માણસ ખરાબ નજરથી સુરક્ષિત રહે છે અને તેનું સ્વાસ્થ્ય સુધરે છે.(ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)

આ સાથે નાડછડી કે લાલ દોરો બાંધવાથી નેગેટિવ એનર્જી શરીર માંથી દૂર થાય છે તેમજ શરીરમાં પ્રવે્શ કરતા પણ અટકે છે. વૈજ્ઞાનિક કારણ મુજબ નાડાછડી બાંધવાથી વાત, પિત્ત અને કફનું સંતુલન જાળવાઈ રહે છે. ડાયાબિટીસ, બ્લડપ્રેશર, હાર્ટ એટેક અને પેરાલિસિસ જેવી ગંભીર બીમારીઓનો ખતરો ઓછો થઈ જાય છે . તેથી જ પ્રાચીન ચિકિત્સકો તેને હાથ, કમર, ગરદન અને પગની આસપાસ બાંધતા હતા.(ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)

શરીરની રચનાનું મુખ્ય નિયંત્રણ હાથના કાંડામાં હોય છે તમે એ પણ જોયું હશે કે ડૉક્ટરો બ્લડ પ્રેશર અને હૃદયના ધબકારા માપવા માટે કાંડાની નસનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે તેથી જ વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી, હાથમાં બાંધેલો દોરો એ એક્યુપ્રેશર સાથે કનેક્ટ છે.આ રીતે કામ કરવાથી બ્લડ પ્રેશર, હ્રદયરોગ, ડાયાબિટીસ અને લકવો જેવા ગંભીર રોગોથી માનવીને ઘણી હદ સુધી બચાવે છે.(ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)