AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વિજય રૂપાણી

વિજય રૂપાણી

પૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણીનો (Former CM Vijay Rupani) જન્મ 1956માં 2 ઓગસ્ટના રોજ મ્યાનમારના રંગુન શહેરમાં થયો હતો. તેમના પિતાનું નામ રમણિકભાઈ અને માતાનું નામ માયાબેન હતું. તેમના પત્ની અંજલિબેન પણ સ્થાનિક રાજકારણમાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે. તેઓને સંતાનમાં એક પુત્રી અને એક પુત્ર છે. વિજય રૂપાણી વિજયભાઈ ધર્મેન્દ્રસિંહ મહાવિદ્યાલયમાંથી સ્નાતક થયા હતા અને પછી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીથી એલ.એલ.બી થયા હતા. તેઓ ABVP અને RSSના સક્રિય સભ્ય રહી ચુક્યા છે. સાથે જ તેઓ ધર્મેન્દ્રસિંહજી કૉલેજનાં સ્ટુડન્ટ યુનિયનના જનરલ સેક્રેટરી રહી ચુક્યા છે. તેમણે જનસંઘથી રાજકીય કારકિર્દીનો પ્રારંભ કર્યો. ભાજપની સ્થાપના સમયથી સ્થાપનાના સમયથી એટલે કે ઈ.સ. 1971થી વિજય રૂપાણી પક્ષના કાર્યકર્તા છે. 1976માં ભારતની કટોકટી વખતે વિજય રૂપાણી ભાવનગર અને ભુજનાં જેલમાં અગિયાર મહિના સુધીનો જેલવાસ પણ ભોગવ્યો હતો. વર્ષ 1976માં વિજય રૂપાણીને M.I.S.A એક્ટ હેઠળ જેલ થઈ હતી. વિજય રૂપાણી 1978થી 1981 તેઓ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘનાં પ્રચારક પણ રહ્યા હતા. વિજય રૂપાણી 7 ઓગસ્ટ 2016 થી 2021 સુધી ગુજરાતના મુખ્યમંત્રી રહી ચુક્યા છે. 68 વર્ષની ઉમરે અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં તેમનુ અવસાન થયુ.

Read More

અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ, સ્વર્ગસ્થ વિજય રૂપાણીના પુત્રએ કહ્યુ-કાર્યકર્તાઓ માટે તેમનું ઘર હંમેશા રહેશે ખુલ્લું, જુઓ Video

પ્લેન ક્રેશની તપાસ અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં ઋષભ રૂપાણીએ જણાવ્યું કે તેમને વહીવટી તંત્ર અને કેન્દ્ર સરકાર પર સંપૂર્ણ વિશ્વાસ છે. તેમણે આશા વ્યક્ત કરી કે તપાસની પ્રક્રિયા પારદર્શક રીતે આગળ વધી રહી છે અને આખરે સત્ય ચોક્કસપણે સામે આવશે.

Breaking News: રાજકોટમાં અંજલીબેન રૂપાણી મતદાન દરમિયાન થયા ભાવુક, વિજય રૂપાણીને યાદ કરી રડી પડ્યા, જુઓ-Video

સ્વર્ગસ્થ વિજય રુપાણી વગર આ વખત પહેલીવાર મતદાન કરવા પહોંચતા અંજલી બહેન ભાવુક થઈ ગયા છે. તેમને મતદાન કરતા પહેલા મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતુ કે આ વર્ષે પહેલીવાર છે કે તેઓ તેમના પતિ વગર એકલા મતદાન કરવા પહોંચ્યા છે.

Breaking News : અજીત પવાર જ નહી, આ પ્રમુખ નેતાઓએ પણ વિમાન કે હેલિકોપ્ટર દુર્ઘટનાઓમાં ગુમાવ્યા છે જીવ

ભારતના રાજકીય ઇતિહાસમાં અનેક એવા દુઃખદ પ્રસંગો નોંધાયા છે, જ્યારે દેશના પ્રખ્યાત નેતાઓનું વિમાન અથવા હેલિકોપ્ટર દુર્ઘટનામાં અવસાન થયું. સંજય ગાંધીથી લઈ વિજય રૂપાણી સુધી, આવી દુર્ઘટનાઓએ દેશને હચમચાવી નાખ્યો છે. આ લેખમાં એવા જ મહત્વપૂર્ણ નેતાઓ અને તેમની દુર્ઘટનાઓ વિશે વિગત આપવામાં આવી છે.

g clip-path="url(#clip0_868_265)">