![પરશોત્તમ રુપાલા](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/03/parsottam-rupala.jpg)
પરશોત્તમ રુપાલા
પરશોત્તમ ખોડાભાઈ રૂપાલા ભાજપ નેતા અને રાજ્યસભાના સભ્ય છે. પરષોત્તમ રૂપાલાનો જન્મ 1 ઓક્ટોબર 1954ના રોજ થયો હતો. પરશોત્તમ રુપાલાએ બી.એસસી. અને બી.એડ.નો અભ્યાસ કરેલો છે. રાજકારણમાં પ્રવેશતા પહેલા તેમણે 1977થી 1983 દરમિયાન હામાપુર ખાતે માધ્યમિક શાળામાં શાળાના આચાર્ય તરીકે સેવા આપી હતી. તેઓ નવેમ્બર 1983થી માર્ચ 1987 સુધી અમરેલી નગરપાલિકાના ચીફ ઓફિસર હતા.
રૂપાલા 1988થી 1991 સુધી અમરેલી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હતા. 1992માં ભારતીય જનતા પાર્ટીના સચિવ તરીકે તેમણે સેવા શરૂ કરી હતી. તેમણે અમરેલીમાં કડવા પાટીદાર ટ્રસ્ટના ટ્રસ્ટી, માદડ ટ્રસ્ટના અધ્યક્ષ અને ગુજરાત વીજ બોર્ડ યુનિયનના પ્રમુખ તરીકે સેવા આપી હતી.તેઓ અમરેલી ગુજરાત વિધાનસભામાં 3 ટર્મ સુધી ધારાસભ્ય રહી ચુક્યા છે. તેઓ નર્મદા સિંચાઈ અને પાણી પુરવઠાના કેબિનેટ મંત્રી પણ રહી ચુક્યા છે.
કોંગ્રેસના સાંસદ પ્રવીણ રાષ્ટ્રપાલના અવસાન બાદ પેટાચૂંટણીમાં જૂન 2016માં તેઓ ફરીથી રાજ્યસભામાં ચૂંટાયા હતા. મે 2019થી જુલાઈ 2021 સુધી તેમણે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયમાં રાજ્ય મંત્રી તરીકે સેવા આપી હતી. જુલાઈ 2021માં તેઓ મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી બન્યા.
મોદી મંત્રી મંડળમાંથી કેમ પડતા મુકાયા ? જુઓ વીડિયો પરશોત્તમ રૂપાલાએ શું કહ્યું ?
રાજકોટ જિલ્લા પંચાયત ખાતે પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે બેઠક યોજ્યા બાદ, રાજકોટના સાંસદ પરશોત્તમ રુપાલા પત્રકારોને મળ્યા હતા. આ સમયે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેમ તેમની ત્રીજીવારની સરકારમાંથી પડતા મૂક્યા તેવો પ્રશ્ન પુછવામાં આવ્યો હતો.
- TV9 Gujarati
- Updated on: Jun 14, 2024
- 4:01 pm
પરશોત્તમ રૂપાલા સિવિલ હોસ્પિટલ જઈ અગ્નિકાંડના પીડિતોને મળ્યા, દોષિતો સામે દાખલારૂપ કાર્યવાહીની આપી ખાતરી- Video
રાજકોટ અગ્નિકાંડ બાદ પરશોત્તમ રૂપાલાએ આજે સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. અહીં તેમણે પીડિતો સાથે મુલાકાત કરી હતી. પરશોત્તમ રૂપાલા અને રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા બંનેએ મૃતકોના પરિજનો સાથે મુલાકાત કરી તેમને સાંત્વના પાઠવી અને તેમને પડતી મુશ્કેલી અંગેની રજૂઆતો સાંભળી હતી.
- TV9 Gujarati
- Updated on: May 28, 2024
- 4:08 pm
19 મેના મહત્વના સમાચાર : અમદાવાદ એરપોર્ટ પર નોંધાયું 46.6 ડિગ્રી તાપમાન
આજે 19મે 2024ને રવિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…
- Mina Pandya
- Updated on: May 19, 2024
- 9:33 pm
પરશોત્તમ રુપાલા હારશે, આંદોલન હાલ સ્થગિત રાખવાની ક્ષત્રિય સંકલન સમિતિએ કરી જાહેરાત, જુઓ વીડિયો
શંકરસિંહ વાઘેલાએ આંદોલન પૂર્ણ કરવાની જાહેરાત કરી હતી, શંકરસિંહ વાઘેલા અમારા આદરણીય જરૂર છે, પરંતુ આંદોલન અંગે અધિકાર એમનો નથી. ક્ષત્રિય સમાજે ડંકાની ચોટ પર ભાજપ સામે મતદાન કર્યું છે. પરિણામની ચિંતા કર્યા વગર અમે અમારી લડત લડ્યા છીએ. જય પરાજયની ચિંતા કર્યા વગર લડત લડ્યા છીએ.
- TV9 Gujarati
- Updated on: May 16, 2024
- 7:43 pm
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છે, અમને હિન્દુત્વ-રામરાજ્ય ના શિખવાડોઃ ક્ષત્રિય અગ્રણી
પરશોત્તમ રુપાલાએ આજે માંગેલી માફી રાજકીય તરકટ છે. રુપાલાને ક્યારે માફ કરવા તે અંગેનો નિર્ણય ક્ષત્રિય સંકલન સમિતિ કરશે. મતદારોને ખુશ કરવા માટે રુપાલાએ માફી માગી છે તેમ ક્ષત્રિય સંકલન સમિતિના સભ્યોએ કહ્યું હતું.
- TV9 Gujarati
- Updated on: May 8, 2024
- 2:40 pm
Lok Sabha Elections 2024 : જાણો મતદાન પહેલા ક્ષત્રિય સમાજના મતદારોએ શું કીધુ, જુઓ Video
આજે ગુજરાતની 25 બેઠક માટે મતદાન થઈ રહ્યુ છે. ત્યારે ક્ષત્રિય સમાજના કેટલાક લોકો પારંપારિક પહેરવેશમાં સજ્જ થઈને મતદાન કરવા માટે ગયા છે. જાણો મતદાન પહેલા ક્ષત્રિય સમાજના મતદારોએ શું કીધુ
- Narendra Rathod
- Updated on: May 7, 2024
- 2:35 pm
Loksabha Election 2024 : લોકશાહીના મહાપર્વે જુદી – જુદી બેઠકના ઉમેદવારે કર્યુ મતદાન, જુઓ ફોટા
આજે લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન યોજાઈ રહ્યુ છે. ત્યારે ગુજરાતમાં લોકસભાની 25 બેઠકો માટે મતદાન શરૂ થયું છે.ત્યારે અલગ - અલગ લોકસભા બેઠક પરના ઉમેદવારોએ મતદાન કર્યુ છે. બીજી તરફ અમિત શાહે પરિવાર સાથે મતદાન કર્યો છે.
- Disha Thakar
- Updated on: May 7, 2024
- 4:41 pm
Gujarat Election 2024 Updates: મધ્ય ગીર જંગલમાં આવેલા અનોખા મતદાન મથકમાં થયું 100 ટકા મતદાન
Gujarat Lok Sabha Election 2024 Voting Live News and Updates in Gujarati: ગુજરાતમાં લોકસભાની 26 પૈકી 25 બેઠક પર આજે મતદાન હાથ ધરાશે. સુરતની બેઠક ભાજપે બિનહરીફ જીતી લીધી છે. આથી સુરત સિવાયની બાકીની 25 બેઠકો પર મતદાન હાથ ધરાશે. લોકસભાની 25 બેઠકોની સાથેસાથે ગુજરાત વિધાનસભાની ચાર બેઠકોની પેટાચૂંટણી પણ યોજાશે
- TV9 Gujarati
- Updated on: May 7, 2024
- 11:09 pm
પરશોત્તમ રૂપાલા લોકસભા ચૂંટણીમાં નહીં આપી શકે પોતાને મત, જાણો શું છે કારણ
લોકસભા ચૂંટણી 2024નું ત્રીજું ચરણ મંગળવારે 7 તારીખે યોજાશ. જેમાં ગુજરાતની 25 લોકસભા સીટ પર મતદાન થશે. મહત્વનુ છે કે ગુજરાતના રાજકારણની આ ચૂંટણી ઐતિહાસિક બને તો નવાઈ નહીં કહેવાય કારણ કે, ચૂંટણી પહેલા જે સ્થિતિ હતી અને દેશમાં લોકસભાની ચૂંટણી બાદ જે પ્રકારે સ્થિતિ હશે તેમાં કોઈ મોટા બદલાવ આવે તો ખોટું નથી. ત્યારે હવે ત્રીજા તબક્કાના મતદાનમાં ખાસ કરીને કેટલીક એવી બેઠકો છે જે ચર્ચામાં રહેશે.
- Sagar Solanki
- Updated on: May 6, 2024
- 5:57 pm
રુપાલાનું નામ લીધા વિના પરેશ ધાનાણીએ કહ્યું, રંગીલા રાજકોટને વર્ગવિગ્રહમાં ધકેલ્યું, 22 વર્ષે બહાર કાઢ્યા પણ ટેસ્ટર અડાડતા જ લાલ લાઈટ થઈ
ભાજપના રાષ્ટ્રીય નેતાઓને જનસંઘની પૃષ્ઠભૂમિ ધરાવતા રાજકોટમાં એક પણ સ્થાનિક ઉમેદવાર ના મળતા આખરે અમરેલીથી ઉછીના આયાતી ઉમેદવારને ચૂંટણી મેદાનમાં ઉતારવાની ફરજ પડી છે.
- TV9 Gujarati
- Updated on: May 3, 2024
- 2:51 pm
Video : ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં, PM મોદીના હાથ મજબૂત કરવા કરી અપીલ
મળતી માહિતી મુજબ એક તરફ ક્ષત્રિયોના વિરોધ વચ્ચે કચ્છ, ગોંડલ, ભાવનગર,અને દાંતાથી કેટલાક રાજવીઓ ભાજપને સમર્થન આપ્યુ છે. તેમણે અપીલ કરી છે કે બધુ જૂનું ભુલીને નરેન્દ્ર મોદીના હાથ મજબુત કરો. નાના-મોટા વિવાદોને પડતા મુકીને રાષ્ટ્રહીત વિશે વિચારવા આંદોલનકારીઓને અપીલ કરી છે
- TV9 Gujarati
- Updated on: May 2, 2024
- 2:36 pm
Anand : ‘7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ’, ક્ષત્રિય સમાજના સંમેલનમાં આગેવાનનો હુંકાર, જુઓ Video
પરશોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ અંગેના નિવેદન બાદ છેડાયેલો વિવાદ શાંત પડવાનું નામ નથી લઈ રહ્યો. રાજ્યના અલગ અલગ વિસ્તારમાં ધર્મરથ અને અસ્મિતા સંમેલન યોજી રહ્યા છે, ત્યારે આણંદમાં અસ્મિતા મહાસંમેલનમાં ક્ષત્રિય સમાજના આગેવાન પી. ટી. જાડેજાએ મોટુ નિવેદન આપ્યુ છે.
- TV9 Gujarati
- Updated on: May 2, 2024
- 9:45 am
Bhavnagar Video : ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો, 2 કલાક સુધી તાળા મારવાની પડી ફરજ
ભાવનગરમાં ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજના યુવાનોએ હોબાળો કર્યો છે. મહુવા- જેસર હાઈવે પર ભાજપના કાર્યલયના ઉદ્ધાટન સમયે 100થી વધુ ક્ષત્રિય સમાજના યુવાનો પહોંચીને હોબાળો કર્યો હતો.
- TV9 Gujarati
- Updated on: May 1, 2024
- 4:07 pm
સુરત વીડિયો : બારડોલીમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલન યોજાયું, રાહુલ ગાંધીના નિવેદન સામે નારાજગી વ્યક્ત કરાઈ
સુરતના બારડોલીમાં પણ રૂપાલા વિવાદ મુદ્દે ક્ષત્રિય સંમેલન યોજાયું હતું. ક્ષત્રિય અસ્મિતા સંમેલનમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયો હાજર રહ્યા હતા.આ કાર્યક્રમમાં ક્ષત્રિય આગેવાનોએ રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનને વખોડી કાઢવામાં આવ્યું હતું અને કહ્યું કે રાહુલ ગાંધીનો આ વાણી વિલાસ ચલાવી નહીં લેવાય...
- TV9 Gujarati
- Updated on: Apr 29, 2024
- 10:52 am