પરશોત્તમ રુપાલા

પરશોત્તમ રુપાલા

પરશોત્તમ ખોડાભાઈ રૂપાલા ભાજપ નેતા અને રાજ્યસભાના સભ્ય છે. પરષોત્તમ રૂપાલાનો જન્મ 1 ઓક્ટોબર 1954ના રોજ થયો હતો. પરશોત્તમ રુપાલાએ બી.એસસી. અને બી.એડ.નો અભ્યાસ કરેલો છે. રાજકારણમાં પ્રવેશતા પહેલા તેમણે 1977થી 1983 દરમિયાન હામાપુર ખાતે માધ્યમિક શાળામાં શાળાના આચાર્ય તરીકે સેવા આપી હતી. તેઓ નવેમ્બર 1983થી માર્ચ 1987 સુધી અમરેલી નગરપાલિકાના ચીફ ઓફિસર હતા.

રૂપાલા 1988થી 1991 સુધી અમરેલી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હતા. 1992માં ભારતીય જનતા પાર્ટીના સચિવ તરીકે તેમણે સેવા શરૂ કરી હતી. તેમણે અમરેલીમાં કડવા પાટીદાર ટ્રસ્ટના ટ્રસ્ટી, માદડ ટ્રસ્ટના અધ્યક્ષ અને ગુજરાત વીજ બોર્ડ યુનિયનના પ્રમુખ તરીકે સેવા આપી હતી.તેઓ અમરેલી ગુજરાત વિધાનસભામાં 3 ટર્મ સુધી ધારાસભ્ય રહી ચુક્યા છે. તેઓ નર્મદા સિંચાઈ અને પાણી પુરવઠાના કેબિનેટ મંત્રી પણ રહી ચુક્યા છે.

કોંગ્રેસના સાંસદ પ્રવીણ રાષ્ટ્રપાલના અવસાન બાદ પેટાચૂંટણીમાં જૂન 2016માં તેઓ ફરીથી રાજ્યસભામાં ચૂંટાયા હતા. મે 2019થી જુલાઈ 2021 સુધી તેમણે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયમાં રાજ્ય મંત્રી તરીકે સેવા આપી હતી. જુલાઈ 2021માં તેઓ મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી બન્યા.

Read More
Follow On:

રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છે, અમને હિન્દુત્વ-રામરાજ્ય ના શિખવાડોઃ ક્ષત્રિય અગ્રણી

પરશોત્તમ રુપાલાએ આજે માંગેલી માફી રાજકીય તરકટ છે. રુપાલાને ક્યારે માફ કરવા તે અંગેનો નિર્ણય ક્ષત્રિય સંકલન સમિતિ કરશે. મતદારોને ખુશ કરવા માટે રુપાલાએ માફી માગી છે તેમ ક્ષત્રિય સંકલન સમિતિના સભ્યોએ કહ્યું હતું.

Lok Sabha Elections 2024 : જાણો મતદાન પહેલા ક્ષત્રિય સમાજના મતદારોએ શું કીધુ, જુઓ Video

આજે ગુજરાતની 25 બેઠક માટે મતદાન થઈ રહ્યુ છે. ત્યારે ક્ષત્રિય સમાજના કેટલાક લોકો પારંપારિક પહેરવેશમાં સજ્જ થઈને મતદાન કરવા માટે ગયા છે. જાણો મતદાન પહેલા ક્ષત્રિય સમાજના મતદારોએ શું કીધુ

Loksabha Election 2024 : લોકશાહીના મહાપર્વે જુદી – જુદી બેઠકના ઉમેદવારે કર્યુ મતદાન, જુઓ ફોટા

આજે લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન યોજાઈ રહ્યુ છે. ત્યારે ગુજરાતમાં લોકસભાની 25 બેઠકો માટે મતદાન શરૂ થયું છે.ત્યારે અલગ - અલગ લોકસભા બેઠક પરના ઉમેદવારોએ મતદાન કર્યુ છે. બીજી તરફ અમિત શાહે પરિવાર સાથે મતદાન કર્યો છે.

Gujarat Election 2024 Updates: મધ્ય ગીર જંગલમાં આવેલા અનોખા મતદાન મથકમાં થયું 100 ટકા મતદાન

Gujarat Lok Sabha Election 2024 Voting Live News and Updates in Gujarati: ગુજરાતમાં લોકસભાની 26 પૈકી 25 બેઠક પર આજે મતદાન હાથ ધરાશે. સુરતની બેઠક ભાજપે બિનહરીફ જીતી લીધી છે. આથી સુરત સિવાયની બાકીની 25 બેઠકો પર મતદાન હાથ ધરાશે. લોકસભાની 25 બેઠકોની સાથેસાથે ગુજરાત વિધાનસભાની ચાર બેઠકોની પેટાચૂંટણી પણ યોજાશે

પરશોત્તમ રૂપાલા લોકસભા ચૂંટણીમાં નહીં આપી શકે પોતાને મત, જાણો શું છે કારણ

લોકસભા ચૂંટણી 2024નું ત્રીજું ચરણ મંગળવારે 7 તારીખે યોજાશ. જેમાં ગુજરાતની 25 લોકસભા સીટ પર મતદાન થશે. મહત્વનુ છે કે ગુજરાતના રાજકારણની આ ચૂંટણી ઐતિહાસિક બને તો નવાઈ નહીં કહેવાય કારણ કે, ચૂંટણી પહેલા જે સ્થિતિ હતી અને દેશમાં લોકસભાની ચૂંટણી બાદ જે પ્રકારે સ્થિતિ હશે તેમાં કોઈ મોટા બદલાવ આવે તો ખોટું નથી. ત્યારે હવે ત્રીજા તબક્કાના મતદાનમાં ખાસ કરીને કેટલીક એવી બેઠકો છે જે ચર્ચામાં રહેશે.

રુપાલાનું નામ લીધા વિના પરેશ ધાનાણીએ કહ્યું, રંગીલા રાજકોટને વર્ગવિગ્રહમાં ધકેલ્યું, 22 વર્ષે બહાર કાઢ્યા પણ ટેસ્ટર અડાડતા જ લાલ લાઈટ થઈ

ભાજપના રાષ્ટ્રીય નેતાઓને જનસંઘની પૃષ્ઠભૂમિ ધરાવતા રાજકોટમાં એક પણ સ્થાનિક ઉમેદવાર ના મળતા આખરે અમરેલીથી ઉછીના આયાતી ઉમેદવારને ચૂંટણી મેદાનમાં ઉતારવાની ફરજ પડી છે.

Video : ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં, PM મોદીના હાથ મજબૂત કરવા કરી અપીલ

મળતી માહિતી મુજબ એક તરફ ક્ષત્રિયોના વિરોધ વચ્ચે કચ્છ, ગોંડલ, ભાવનગર,અને દાંતાથી કેટલાક રાજવીઓ ભાજપને સમર્થન આપ્યુ છે. તેમણે અપીલ કરી છે કે બધુ જૂનું ભુલીને નરેન્દ્ર મોદીના હાથ મજબુત કરો. નાના-મોટા વિવાદોને પડતા મુકીને રાષ્ટ્રહીત વિશે વિચારવા આંદોલનકારીઓને અપીલ કરી છે

Anand : ‘7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ’, ક્ષત્રિય સમાજના સંમેલનમાં આગેવાનનો હુંકાર, જુઓ Video

પરશોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ અંગેના નિવેદન બાદ છેડાયેલો વિવાદ શાંત પડવાનું નામ નથી લઈ રહ્યો. રાજ્યના અલગ અલગ વિસ્તારમાં ધર્મરથ અને અસ્મિતા સંમેલન યોજી રહ્યા છે, ત્યારે આણંદમાં અસ્મિતા મહાસંમેલનમાં ક્ષત્રિય સમાજના આગેવાન પી. ટી. જાડેજાએ મોટુ નિવેદન આપ્યુ છે.

Bhavnagar Video : ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો, 2 કલાક સુધી તાળા મારવાની પડી ફરજ

ભાવનગરમાં ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજના યુવાનોએ હોબાળો કર્યો છે. મહુવા- જેસર હાઈવે પર ભાજપના કાર્યલયના ઉદ્ધાટન સમયે 100થી વધુ ક્ષત્રિય સમાજના યુવાનો પહોંચીને હોબાળો કર્યો હતો.

સુરત વીડિયો : બારડોલીમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલન યોજાયું, રાહુલ ગાંધીના નિવેદન સામે નારાજગી વ્યક્ત કરાઈ

સુરતના બારડોલીમાં પણ રૂપાલા વિવાદ મુદ્દે ક્ષત્રિય સંમેલન યોજાયું હતું. ક્ષત્રિય અસ્મિતા સંમેલનમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયો હાજર રહ્યા હતા.આ કાર્યક્રમમાં  ક્ષત્રિય આગેવાનોએ રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનને વખોડી કાઢવામાં આવ્યું હતું અને કહ્યું કે રાહુલ ગાંધીનો આ વાણી વિલાસ ચલાવી નહીં લેવાય...

રૂપાલા વિવાદ મામલે પ્રદીપસિંહ વાઘેલા મેદાને ! PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ, જુઓ Video

ભાજપના પૂર્વ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ રૂપાલા સામે ક્ષત્રિયોના આક્રોશના 2 પાનાનો પત્ર લખી સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.  જેમાં ભાજપના પૂર્વ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાની ક્ષત્રિય સમાજે ભાજપને સમર્થન આપવા અપીલ કરી છે.

Mehsana : ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન, ઊંઝામાં યોજાયેલા ક્ષત્રિય અસ્મિતા સંમેલન લેવાયો નિર્ણય, જુઓ Video

મહેસાણાના ઊંઝાના કરલીમાં પરશોત્તમ રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજાયું .જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સંમેલનમાં વક્તાઓએ રૂપાલાના વિવાદાસ્પદ નિવેદનનો સખત વિરોધ કરતા કહ્યુ કે તમામ બેઠકો પર ભાજપ વિરૂદ્ધ મતદાન ક્ષત્રિય સમાજ કરશે.

પાદરા ગામે ક્ષત્રિયોએ ભાજપ ઉમેદવારને પ્રચાર માટે ગામમાં આવતા અટકાવ્યા, કાળા વાવટા ફરકાવી કર્યો વિરોધ, જુઓ VIDEO

વડોદરાના પાદરા ગામે પરશોત્તમ રૂપાલાના નિવેદનનો ઉગ્ર વિરોધ ચાલી રહ્યો છે. પાદરાના જાસપુર ગામે ક્ષત્રિય યુવકોએ ભાજપના કાર્યકરોને પ્રચાર માટે ગામમા આવતા પહેલા ગામ બહાર રોકી લીધા હતા

એક નહીં 1000 વાર માફી માગવી પડે તો પણ માંગીએ છીએઃ હર્ષ સંઘવી

ક્ષત્રિય સમાજને અપિલ કરતા ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ કહ્યું કે, હુ રુપાલા વતી ક્ષત્રિય સમાજની માફી માગુ છુ. અમારા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ દ્વારા પણ માફી માગવામાં આવી છે. રુપાલા દ્વારા પણ માફી માગવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટી અને ક્ષત્રિય સમાજ એક સિક્કાની બે બાજુ છે. સમાજે માફી આપવી જોઈએ. અમે હંમેશા કહ્યું છે કે, આ ભૂલ થઈ છે અને કહ્યું છે કે અમને માફી આપો.

Patan Video : સી આર પાટીલને પરિણામની ખબર પડી ગઈ છે, તેથી હવે પાંચ લાખની લીડની વાત નથી કરતાઃ ભરતસિંહ

પાટણમાં કોંગ્રેસ નેતાઓની આગેવાનીમાં ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજાયું. જેમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા સાથે જ ક્ષત્રિય સમાજના લોકો પણ મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. આ કાર્યક્રમને સંબોધતા કોંગ્રેસના દિગ્ગજોએ ભાજપ ગંભીર આક્ષેપો સાથે આકરા પ્રહાર કર્યા.

ધાર્મિક સ્થળ પર ઘર્ષણના કેસમાં 35 લોકોની ધરપકડ
ધાર્મિક સ્થળ પર ઘર્ષણના કેસમાં 35 લોકોની ધરપકડ
શિક્ષણ મંત્રી પ્રફુ્લ્લ પાનસેરિયાએ વિદ્યાર્થીઓને પાઠવી શુભેચ્છા- video
શિક્ષણ મંત્રી પ્રફુ્લ્લ પાનસેરિયાએ વિદ્યાર્થીઓને પાઠવી શુભેચ્છા- video
પંચમહાલ ખાતે NEETની પરીક્ષામાં ચોરી કરાવવાના મસમોટા કૌભાંડનો પર્દાફાશ
પંચમહાલ ખાતે NEETની પરીક્ષામાં ચોરી કરાવવાના મસમોટા કૌભાંડનો પર્દાફાશ
વિજ્ઞાન પ્રવાહમાં બનાસકાંઠાએ મારી બાજી, વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ
વિજ્ઞાન પ્રવાહમાં બનાસકાંઠાએ મારી બાજી, વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ
સુરતના લીંબાયતમાંથી મોબાઈલ અને લેપટોપની ચોરી કરનાર સ્પાઈડર ચોર ઝડપાયો
સુરતના લીંબાયતમાંથી મોબાઈલ અને લેપટોપની ચોરી કરનાર સ્પાઈડર ચોર ઝડપાયો
વિદ્યાર્થીઓ અને વાલીઓના આંખમાં હર્ષના આંસુ, જાણો કેવી કરી હતી મહેનત
વિદ્યાર્થીઓ અને વાલીઓના આંખમાં હર્ષના આંસુ, જાણો કેવી કરી હતી મહેનત
ધોરણ 12નું પરિણામ આવતા વિદ્યાર્થીઓ ગરબે ઘૂમ્યા, જુઓ Video
ધોરણ 12નું પરિણામ આવતા વિદ્યાર્થીઓ ગરબે ઘૂમ્યા, જુઓ Video
કૃષિ યુનિવર્સિટીમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ
કૃષિ યુનિવર્સિટીમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ
આ રાશિના જાતકો આજે આજે અચાનક ધનલાભની સંભાવના
આ રાશિના જાતકો આજે આજે અચાનક ધનલાભની સંભાવના
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
g clip-path="url(#clip0_868_265)">