પરશોત્તમ રુપાલા
પરશોત્તમ ખોડાભાઈ રૂપાલા ભાજપ નેતા અને રાજ્યસભાના સભ્ય છે. પરષોત્તમ રૂપાલાનો જન્મ 1 ઓક્ટોબર 1954ના રોજ થયો હતો. પરશોત્તમ રુપાલાએ બી.એસસી. અને બી.એડ.નો અભ્યાસ કરેલો છે. રાજકારણમાં પ્રવેશતા પહેલા તેમણે 1977થી 1983 દરમિયાન હામાપુર ખાતે માધ્યમિક શાળામાં શાળાના આચાર્ય તરીકે સેવા આપી હતી. તેઓ નવેમ્બર 1983થી માર્ચ 1987 સુધી અમરેલી નગરપાલિકાના ચીફ ઓફિસર હતા.
રૂપાલા 1988થી 1991 સુધી અમરેલી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હતા. 1992માં ભારતીય જનતા પાર્ટીના સચિવ તરીકે તેમણે સેવા શરૂ કરી હતી. તેમણે અમરેલીમાં કડવા પાટીદાર ટ્રસ્ટના ટ્રસ્ટી, માદડ ટ્રસ્ટના અધ્યક્ષ અને ગુજરાત વીજ બોર્ડ યુનિયનના પ્રમુખ તરીકે સેવા આપી હતી.તેઓ અમરેલી ગુજરાત વિધાનસભામાં 3 ટર્મ સુધી ધારાસભ્ય રહી ચુક્યા છે. તેઓ નર્મદા સિંચાઈ અને પાણી પુરવઠાના કેબિનેટ મંત્રી પણ રહી ચુક્યા છે.
કોંગ્રેસના સાંસદ પ્રવીણ રાષ્ટ્રપાલના અવસાન બાદ પેટાચૂંટણીમાં જૂન 2016માં તેઓ ફરીથી રાજ્યસભામાં ચૂંટાયા હતા. મે 2019થી જુલાઈ 2021 સુધી તેમણે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયમાં રાજ્ય મંત્રી તરીકે સેવા આપી હતી. જુલાઈ 2021માં તેઓ મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી બન્યા.
કોણ બનશે ડાર્ક હોર્સ… ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી પહેલા ગુજરાતને મળી શકે છે નવા પ્રદેશ પ્રમુખ, રેસમાં કોણ આગળ ? નામ જાણવા જુઓ Video
ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં મોટા ફેરફારોની તૈયારીમાં છે. 16 જુલાઈ પહેલાં નવા રાષ્ટ્રીય અધ્યક્ષની જાહેરાત સાથે, ગુજરાતને નવા પ્રદેશ અધ્યક્ષ પણ મળી શકે છે. જેમાં અનેક નેતાઓના નામ ચર્ચામાં છે.
- Kinjal Mishra
- Updated on: Jul 1, 2025
- 7:06 pm
જલારામ બાપા વિશે કોમેન્ટ કરવાની સ્વામી જ્ઞાનપ્રકાશની કોઈ હેસિયત નથીઃ પરશોત્તમ રૂપાલા
જ્ઞાનપ્રકાશ સ્વામીના નિવેદન અંગે પરશોત્તમ રુપાલાએ કહ્યું કે, જલારામ બાપા વીરપુર સમગ્ર વિશ્વનું શ્રદ્ધાનું કેન્દ્ર છે. આવા સંત સામે બોલતા પહેલા, સ્વામીએ અરીસામાં જોવું જોઈએ. જલારામ બાપા અંગે નિવેદન કરનારા સ્વામી વિરુદ્ધ, સ્વામિનારાયણ સંપ્રદાય, અન્ય સંતો અને અનુયાયીઓએ જ કાર્યવાહી કરવી જોઈએ.
- TV9 Gujarati
- Updated on: Mar 4, 2025
- 4:13 pm
ગુજરાતમાં સરકારી અધિકારી કે કર્મચારી રાજકીય નેતાઓ સાથે ચોક્કસ પરિસ્થિતિઓમાં જોવા મળે તો શું કાર્યવાહી થાય ? નવસારીની ઘટનામાં લાગુ પડશે આ કાયદા !
નવસારીના પોલીસ ઈન્સ્પેક્ટર દીપક કોરાટ તાજેતરમાં વિવાદમાં સપડાયા છે. આ વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે તેમના સાંસદ પુરુષોત્તમ રૂપાલા સાથેના એક ફોટો સોશિયલ મિડિયામાં ચર્ચાનો વિષય બની ગયો. ત્યારે હવે તમારે જાણવું જરૂરી છે કે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી ચોક્કસ સ્થિતિમાં નેતાઓ સાથે દેખાય તો શું કાર્યવાહી થઈ શકે..
- Sagar Solanki
- Updated on: Feb 24, 2025
- 7:49 pm
અમરેલી: પાયલ ગોટીની ધરપકડ અંગે પરશોત્તમ રૂપાલાએ આપ્યુ આ મોટુ નિવેદન- જુઓ Video
અમરેલીના ચકચારી લેટરકાંડમાં કરાયેલી પાયલ ગોટીની ધરપકડ અંગે રાજકોટના સાંસદ પરશોત્તમ રૂપાલાએ તેમની પ્રતિક્રિયા આપી છે. રૂપાલાએ પાયલ ગોટીની ધરપકડ અંગે પોલીસની કામગીરી અંગે આ પ્રકારનું નિવેદન આપ્યુ.
- Mina Pandya
- Updated on: Jan 12, 2025
- 8:59 pm