AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પરશોત્તમ રુપાલા

પરશોત્તમ રુપાલા

પરશોત્તમ ખોડાભાઈ રૂપાલા ભાજપ નેતા અને રાજ્યસભાના સભ્ય છે. પરષોત્તમ રૂપાલાનો જન્મ 1 ઓક્ટોબર 1954ના રોજ થયો હતો. પરશોત્તમ રુપાલાએ બી.એસસી. અને બી.એડ.નો અભ્યાસ કરેલો છે. રાજકારણમાં પ્રવેશતા પહેલા તેમણે 1977થી 1983 દરમિયાન હામાપુર ખાતે માધ્યમિક શાળામાં શાળાના આચાર્ય તરીકે સેવા આપી હતી. તેઓ નવેમ્બર 1983થી માર્ચ 1987 સુધી અમરેલી નગરપાલિકાના ચીફ ઓફિસર હતા.

રૂપાલા 1988થી 1991 સુધી અમરેલી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હતા. 1992માં ભારતીય જનતા પાર્ટીના સચિવ તરીકે તેમણે સેવા શરૂ કરી હતી. તેમણે અમરેલીમાં કડવા પાટીદાર ટ્રસ્ટના ટ્રસ્ટી, માદડ ટ્રસ્ટના અધ્યક્ષ અને ગુજરાત વીજ બોર્ડ યુનિયનના પ્રમુખ તરીકે સેવા આપી હતી.તેઓ અમરેલી ગુજરાત વિધાનસભામાં 3 ટર્મ સુધી ધારાસભ્ય રહી ચુક્યા છે. તેઓ નર્મદા સિંચાઈ અને પાણી પુરવઠાના કેબિનેટ મંત્રી પણ રહી ચુક્યા છે.

કોંગ્રેસના સાંસદ પ્રવીણ રાષ્ટ્રપાલના અવસાન બાદ પેટાચૂંટણીમાં જૂન 2016માં તેઓ ફરીથી રાજ્યસભામાં ચૂંટાયા હતા. મે 2019થી જુલાઈ 2021 સુધી તેમણે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયમાં રાજ્ય મંત્રી તરીકે સેવા આપી હતી. જુલાઈ 2021માં તેઓ મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી બન્યા.

Read More
Follow On:

Rupala Surname History : પરશોત્તમ રુપાલાની અટક પાછળ શું છે રહસ્ય ? જાણો ‘રૂપાલા’નો સાચો અર્થ

રૂપાલા અટક ભારતમાં ખાસ કરીને ગુજરાતમાં એક મહત્વપૂર્ણ ઓળખ છે. 'રૂપાળો' શબ્દ પરથી ઉદ્ભવેલી આ અટક સુંદરતા અને તેજસ્વિતા દર્શાવે છે. સૌરાષ્ટ્રના કડવા પટેલ, રાજપૂત અને અન્ય સમાજોમાં પ્રચલિત આ અટકનો ચોક્કસ વંશવૃક્ષ સ્પષ્ટ નથી, પરંતુ તે પારિવારિક વારસા અને પ્રાદેશિક સંદર્ભ સાથે ગાઢ રીતે જોડાયેલી છે, જેનો ઇતિહાસ લોકપરંપરા અને સ્થાનિક દસ્તાવેજોમાં જોવા મળે છે.

Breaking News Rajkot : ડીઝલનો 40 ટકા જથ્થો ઉપલબ્ધ, સાંસદ પરષોત્તમ રુપાલાનું નિવેદન! જુઓ Video

ડીઝલની અછત અંગે સાંસદ પરષોત્તમ રૂપાલાનું નિવેદન આવ્યું છે. તેવમ બોલ્યા કે હાલ 40% ઈંધણનો જથ્થો ઉપલબ્ધ છે. રાજ્ય સરકાર સાથે પરામર્શ ચાલુ છે. કોઈએ ગભરાવાની જરૂર નથી. ડીઝલની અછત અંગે ખોટી અફવાઓ ન ફેલાવવા માટે સાંસદ પરષોત્તમ રૂપાલાએ અપીલ કરી છે.

Breaking News : ગીર અભયારણ્યમાં નિયમોના ધજાગરા ! ખજૂરી નેસમાં મંજુરી વિનાના કાર્યક્રમ પર બખેડો, જુઓ Video

ગીર જંગલના પ્રતિબંધિત ખજૂરી નેસ વિસ્તારમાં જળક્રાંતિ ટ્રસ્ટ દ્વારા સંસ્કૃતિ દર્શન કાર્યક્રમ મંજૂરી વગર યોજાતા વિવાદ સર્જાયો છે. આયોજન પત્રિકા વાયરલ થયા બાદ પૂર્વ મંત્રીઓ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિનો ઉલ્લેખ હતો. વન વિભાગે તાત્કાલિક નોટિસ પાઠવી ખુલાસો માંગ્યો અને ભવિષ્યમાં આવા કાર્યક્રમો નહીં યોજાય તેની ખાતરી લીધી છે.

“પ્રિવેડીંગ આપણે ત્યાં હતુ જ નહીં, આ તો દેખાદેખીમાં આવ્યુ”- પરશોત્તમ રૂપાલાએ લગ્નોમાં થતા ખોટા ખર્ચા સામે કરી ટકોર

લગ્નપ્રસંગોમાં થતા કારણ વગરના ધૂમ ખર્ચા સામે સાંસદ પરશોત્તમ રૂપાલાએ ફરી એકવાર ટકોર કરી છે. આ વખતે રૂપાલાએ પ્રિવેડીંગ પ્રથા સામે તેમની નારાજગી દર્શાવતા કહ્યુ કે પ્રિવેડિંગની જરૂરિયાત જ ન હતી. આ તો દેખાદેખીમાં બધુ આવ્યુ છે.

કડવા પાટીદારોના બંધારણ વિશે રૂપાલાએ સમાજના શ્રેષ્ઠીઓને કરી અપીલ, અનેક સામાજિક મુદ્દાઓ પર કરી વિગતવાર છણાવટ- જુઓ વીડિયો

સુરતમાં કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં સાંસદ પરસોત્તમ રૂપાલાએ વડીલો અને દીકરા અને દીકરીઓ વચ્ચે વધતુ અંતર, વિભક્ત કુટુંબો, પરિવારની શિસ્ત, છુટાછેડાના કેસ અને છૂટાછેડા બાદ સમાજમાં દીકરીના પરિવાર દ્વારા થતી લેતીદેતી અંગે પણ શબ્દો ચોર્યા વિના ખુ્લીને વાત કરી.

Surat: નવી સિવિલ હોસ્પિટલમાં ABVP એ કર્યુ ઉગ્ર વિરોધ પ્રદર્શન
Surat: નવી સિવિલ હોસ્પિટલમાં ABVP એ કર્યુ ઉગ્ર વિરોધ પ્રદર્શન
ગુજરાતમાં 'સાર્વત્રિક વરસાદ', અનેક વિસ્તારોમાં 'પાણી ભરાયા'
ગુજરાતમાં 'સાર્વત્રિક વરસાદ', અનેક વિસ્તારોમાં 'પાણી ભરાયા'
પંચમહાલના શહેરામાં 5 ઇંચ અને ગોધરામાં 2 ઇંચ વરસાદ
પંચમહાલના શહેરામાં 5 ઇંચ અને ગોધરામાં 2 ઇંચ વરસાદ
અમદાવાદના સાબરમતીમાં PCBના દરોડા, ફ્લેટમાં ચાલતું જુગારધામ ઝડપાયું !
અમદાવાદના સાબરમતીમાં PCBના દરોડા, ફ્લેટમાં ચાલતું જુગારધામ ઝડપાયું !
જામનગરમાં મૃતક બાળકનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ પોઝિટિવ
જામનગરમાં મૃતક બાળકનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ પોઝિટિવ
Breaking News : ​જૂનાગઢમાં ​પાર્ક કરેલી બાઇક પર અજગર વીંટળાયો
Breaking News : ​જૂનાગઢમાં ​પાર્ક કરેલી બાઇક પર અજગર વીંટળાયો
અમદાવાદમાં વરસાદી માહોલ વચ્ચે વાસણા બેરેજના 3 દરવાજા ખોલાયા
અમદાવાદમાં વરસાદી માહોલ વચ્ચે વાસણા બેરેજના 3 દરવાજા ખોલાયા
મધ્યપ્રદેશમાં વરસાદની સિસ્ટમ સક્રીય, સરદાર સરોવર ડેમમાં આવશે નવું પાણી
મધ્યપ્રદેશમાં વરસાદની સિસ્ટમ સક્રીય, સરદાર સરોવર ડેમમાં આવશે નવું પાણી
તહેવાર પહેલા ખાદ્યતેલના ભાવમાં ભડકો! સિંગતેલ ₹50,કપાસિયા તેલ ₹40 મોંઘુ
તહેવાર પહેલા ખાદ્યતેલના ભાવમાં ભડકો! સિંગતેલ ₹50,કપાસિયા તેલ ₹40 મોંઘુ
સરદાર સરોવર ડેમમાં 82.58 ટકા જળસ્તરનો થયો સંગ્રહ
સરદાર સરોવર ડેમમાં 82.58 ટકા જળસ્તરનો થયો સંગ્રહ
g clip-path="url(#clip0_868_265)">