લાલ કિતાબ
લાલ કિતાબ એ વૈદિક જ્યોતિષ અને હસ્તરેખાશાસ્ત્ર પરના પાંચ પુસ્તકોનો સમૂહ છે. જે હિન્દીમાં અને પછીથી ઉર્દૂ લિપિમાં પણ લખાયેલ છે. લાલા કિતાબ એ એક પ્રાચીન ભારતીય જ્યોતિષ પુસ્તક પણ કહેવાય છે. તે એક અસરકારક માર્ગદર્શિકા પ્રદાન કરે છે. જેના દ્વારા વ્યક્તિ જીવનમાં સુખ – સમૃદ્ધિ, વિપુલતા અને સંપત્તિને આકર્ષિત કરી શકે છે. આ સૂચનો ગ્રહોની સ્થિતિ અને નક્ષત્રોના આધારે આપવામાં આવ્યા છે અને આ પુસ્તક દ્વારા લોકો પૈસા રળવાના ઉપાયો જાણીને તેમની આર્થિક સ્થિતિ સુધારી શકે છે.
કુંડળીમાં કેટલીક ખામીઓને કારણે વ્યક્તિને ઘણીવાર અનેક જાત જાતની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. પરંતુ તેનાથી બચવા માટે લાલ કિતાબમાં કેટલાક જ્યોતિષીય ઉપાયો જણાવવામાં આવ્યા છે. જેના આધારે વ્યક્તિ પોતાના જીવનમાં સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકે છે.
Read MoreLaal kittab : જીવનમાં સફળતા જોઈતી હોય તો આ ઉપાયને અનુસરો, પડકારો આપોઆપ દૂર થઈ જશે
અંકશાસ્ત્ર મુજબ, જે લોકોનો જન્મ કોઈપણ મહિનાની 9, 18 કે 27 તારીખે થયો હોય, તેમનો મૂળાંક 9 છે, જેનો સ્વામી ગ્રહ મંગળ છે. આ લોકો સ્વભાવે ખૂબ જ હિંમતવાન, ઊર્જાવાન અને નિર્ભય હોય છે. તેઓ પડકારોનો સામનો કરે છે, પરંતુ તેમનો સ્વભાવ ગુસ્સા હોવાથી મુશ્કેલીઓને આમંત્રણ આપે છે.
- Vini Kakkar
- Updated on: Sep 12, 2025
- 8:33 pm
Laal kittab : જો સંબંધમાં ખુશી જોઈતી હોય, તો પ્રેમિકા સામે લાગણી વ્યક્ત કરવામાં રાહ ના જોતા
અંકશાસ્ત્ર મુજબ, જે લોકોનો જન્મ કોઈપણ મહિનાની 8, 17, કે 26 તારીખે થયો હોય, તેમનો મૂળાંક 8 માનવામાં આવે છે. આ અંકનો શાસક ગ્રહ શનિ છે, જે ન્યાય અને કર્મના દેવતા છે. પણ તેમના જીવનમાં શનિના પ્રભાવને કારણે સંઘર્ષ અને પડકારો સામાન્ય હોય છે, તેમ છતાં કેટલાક સરળ ઉપાયો અપનાવીને તેઓ આ પડકારોને દૂર કરી શકે છે અને જીવનમાં સંતુલન લાવી શકે છે.
- Vini Kakkar
- Updated on: Sep 11, 2025
- 9:53 pm
Laal kittab : જન્મ અંક 7 ધરાવતા લોકોના જીવનમાં ઘણા બધા પડકારો આવતા હોય, તેને દૂર કરવા અપનાવો આ ઉપાય
અંકશાસ્ત્ર મુજબ, જે લોકોનો જન્મ કોઈપણ મહિનાની 7, 16, અથવા 25 તારીખે થયો હોય, તેમનો મૂળ અંક 7 હોય છે. આ અંકનો શાસક ગ્રહ કેતુ છે. આ લોકો રહસ્યમય અને આધ્યાત્મિક સ્વભાવ ધરાવે છે, પરંતુ ઘણીવાર તેઓ એકલતા અને જીવનમાં અસ્થિરતા જેવા પડકારોનો સામનો કરે છે. જોકે, કેટલાક સરળ ઉપાયો અપનાવીને તેઓ આ પડકારોને દૂર કરી શકે છે અને જીવનમાં સંતુલન લાવી શકે છે.
- Vini Kakkar
- Updated on: Sep 9, 2025
- 8:32 pm
Laal kittab : જન્મ અંક 6 ધરાવતા લોકો કેવા હોય છે? જાણો તેમનો સ્વભાવ, ગુણ અને જીવનના પડકારો
શું તમારી જન્મ તારીખ 6, 15 કે 24 છે? તો તમે અંકશાસ્ત્ર અનુસાર અંક 6 ના પ્રભાવ હેઠળ છો. આ અંકનો સ્વામી ગ્રહ શુક્ર છે, જે તમને આકર્ષક, કલા-પ્રેમી અને સંબંધોને મહત્વ આપનાર બનાવે છે. આ લેખમાં આપણે તેમના ગુણો, પડકારો અને ઉપાયો વિશે વાત કરીશું
- Vini Kakkar
- Updated on: Sep 7, 2025
- 3:43 pm