Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ધર્મેન્દ્ર પ્રધાન

ધર્મેન્દ્ર પ્રધાન

ધર્મેન્દ્ર પ્રધાનનો જન્મ 26 જૂન 26, 1969ના રોજ થયો હતો. તેઓ ભારત સરકારમાં શિક્ષણ મંત્રી અને કૌશલ્ય વિકાસ અને સાહસિકતા મંત્રી તરીકે મોદી સરકારમાં સામેલ છે. તેમણે ઉચ્ચ શિક્ષણ તાલચેર કોલેજ અને ઉત્કલ યુનિવર્સિટીમાંથી મેળવ્યું હતું. ધર્મેન્દ્ર પ્રધાન, મોદી સરકારમાં અગાઉ પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી અને સ્ટીલ મંત્રી પણ રહી ચૂક્યા છે. પ્રધાનને 3જી સપ્ટેમ્બર 2017ના રોજ કેબિનેટ મંત્રી તરીકે બઢતી આપવામાં આવી હતી. હાલમાં સંસદ સભ્ય તરીકે રાજ્યસભામાં મધ્યપ્રદેશનું પ્રતિનિધિત્વ કરે છે. અગાઉ તેઓ 14મી લોકસભાના સભ્ય હતા.

ધર્મેન્દ્ર પ્રધાન સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં સૌથી લાંબો સમય સુધી પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી રહ્યા છે. 2014 માં રાજ્ય મંત્રી તરીકે જોડાયા, બાદમાં તેમને 2017 માં કેબિનેટ કક્ષાના પ્રધાન તરીકે બઢતી આપવામાં આવી. 31 મે, 2019 ના રોજ, ધર્મેન્દ્ર પ્રધાને ભારત સરકારના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયમાં સતત બીજા કાર્યકાળની શરૂઆત કરી હતી.

 

Read More

NCERTના પુસ્તકો હવે એમેઝોન અને ફ્લિપકાર્ટ પરથી પણ મંગાવી શકાશે: ધર્મેન્દ્ર પ્રધાન

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને, કહ્યું કે દેશભરમાં વધુને વધુ વિદ્યાર્થીઓને NCRT પુસ્તકો ઉપલબ્ધ કરાવવા માટે 15 કરોડ નવા પુસ્તકો છાપવામાં આવશે. તેમણે કહ્યું કે અમે દેશની શાળાઓમાં કૌશલ્ય વર્ધક શિક્ષણ પર ભાર આપી રહ્યા છીએ.

વિપક્ષી નેતાને જોઈ BJP નેતા મંચ પર લેવા નીચે દોડી ગયા, મતભેદ હોઈ શકે, મનભેદ નહીં, જુઓ વીડિયો

આ વીડિયો રાજકારણના મતભેદો વચ્ચેની સ્થિતિ વચ્ચે ખૂબ કહી જાય છે. આ વીડિયોને લોકોએ ખૂબ પસંદ કર્યો છે અને તેને લોકતંત્રમાં શિષ્ટાચારની અજોડ મિશાલના રુપમાં ગણાવી રહ્યા છે. એટલે જ કહે છે, કે મતભેદ હોઈ શકે પરંતુ મનભેદ ના હોઈ શકે અને આવું જ આ વીડિયોમાં જોવા મળે છે.

NEET પેપર લીક મામલે સરકારનો મોટો નિર્ણય, પરીક્ષામાં ગેરરીતિની તપાસ CBIને સોંપવામાં આવી

Ministry of Education : શિક્ષણ મંત્રાલયે NEET (UG) પરીક્ષા 2024માં કથિત ગેરરીતિઓની તપાસ CBIને સોંપી છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ 5મી મે 2024 ના રોજ NEET (UG) પરીક્ષા OMR મોડમાં આયોજિત કરી હતી. જેમાં કેટલાક ગેરરીતિના કિસ્સા પ્રકાશમાં આવ્યા છે.

UGC NET ગડબડને કારણે રદ, NEETનું શું થશે? સરળ ભાષામાં સમજો

NEET exam : 4 જૂનના રોજ NEETના પરિણામો જાહેર થયા બાદથી દેશભરમાં ધાંધલ ધમાલના આક્ષેપ સાથે દેખાવો થઈ રહ્યા છે. સુપ્રીમ કોર્ટમાં સેંકડો અરજીઓ દાખલ કરવામાં આવી છે. હવે UGC નેટની પરીક્ષા રદ થયા બાદ ફરી એકવાર સવાલો ઉઠી રહ્યા છે કે NEETનું શું થશે?

NEETમાં બે જગ્યાએ થઈ ગડબડ, જે પણ આમાં સામેલ હશે તેને બક્ષવામાં નહીં આવે : શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન

NEET controversy : શિક્ષણ મંત્રીએ કહ્યું છે કે બે જગ્યાએ કેટલીક ગેરરીતિઓ પ્રકાશમાં આવી છે. આવી સ્થિતિમાં તેઓ વિદ્યાર્થીઓ અને વાલીઓને ખાતરી આપે છે કે સરકારે આ બાબતને ગંભીરતાથી લીધી છે. તેમણે કહ્યું કે જો NTAના સિનિયર અધિકારીઓ દોષિત ઠરશે તો પણ તેમને બક્ષવામાં આવશે નહીં અને દોષિતોને સખતમાં સખત સજા આપવામાં આવશે. આ સાથે તેમણે એમ પણ કહ્યું કે NTAમાં ઘણા સુધારાની જરૂર છે.

10મા-12મા ધોરણના વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર, હવે વર્ષમાં બે વાર આપી શકશે પરીક્ષા, શિક્ષણ મંત્રાલયે આપી મંજૂરી

આ નવા નિર્ણય મુજબ હવે પહેલી પરીક્ષા એપ્રિલ મહિનામાં અને બીજી પરીક્ષા ફેબ્રુઆરી મહિનામાં લેવામાં આવશે. આ અંગે માહિતી આપતાં શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું કે, બોર્ડની પરીક્ષા વર્ષમાં બે વખત એટલે કે JEEની તર્જ પર આયોજિત કરવા માટે સમજૂતી થઈ છે. તેમણે કહ્યું કે સરકાર ઇચ્છે છે કે આ નિયમ વધુ સારી રીતે લાગુ કરવામાં આવે, તેથી સરકાર CBSE અને અન્ય બોર્ડ સાથે આ અંગે ચર્ચા કરી રહી છે.

ઓડિશાના સંબલપુરમાં પ્રચાર દરમિયાન લોકલ ફુડનો સ્વાદ માણતા દેખાયા ધર્મેન્દ્ર પ્રધાન, UPIથી કર્યું પેમેન્ટ, જુઓ તસવીરો

ધર્મેન્દ્ર પ્રધાને ચૂંટણી પ્રચાર દરમિયાન ઓડિશાના સંબલપુરમાં ત્યાનાં લોકલ ફુડનો સ્વાદ માણ્યો હતો અને ડિજિટલ ઈન્ડિયા દ્વારા UPI દ્વારા ચુકવણી કરી. ધર્મેન્દ્ર પ્રધાને મંગળવારે સોશિયલ મીડિયા X પર 45 સેકન્ડનો એક વીડિયો અને ફોટા શેર કર્યા છે જેમાં તે એક દુકાનમાં સામે ઉભેલા દેખાઈ રહ્યા છે.

સંબલપુરમાં ધર્મેન્દ્ર પ્રધાનના રોડ શોમાં ઉમટી ભીડ, ફીર એક બાર મોદી સરકારના ગુંજ્યા નારા

ઓડિશાના સંબલપુરમાં જાહેર સભા પહેલા કેન્દ્રીય પ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતા ધર્મેન્દ્ર પ્રધાને કુંચિંડામાં ભવ્ય રોડ શો યોજ્યો હતો. ધર્મેન્દ્ર પ્રધાનના રોડ શોમાં ભારે મેદની ઉમટી પડી હતી. રોડ શોમાં મોટી સંખ્યામાં ઉમટેલા સમર્થક, કાર્યકરોનો ધર્મેન્દ્ર પ્રધાને આભાર વ્યક્ત કર્યો હતો.

કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને દેવગઢમાં કર્યો રોડ શો, કહ્યું- PM મોદીમાં લોકોનો વિશ્વાસ વધી રહ્યો છે

કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને શનિવારે દેવગઢમાં ભાજપના લોકસભા ઉમેદવાર સુભાષ ચંદ્ર પાણિગ્રહી સાથે રોડ શો કર્યો અને તેમના માટે વોટ માંગ્યા. તેમણે કહ્યું, "દેશનો PM મોદીમાં અતૂટ વિશ્વાસ છે. પીએમ મોદીએ 10 વર્ષમાં દેવગઢ જિલ્લામાં 2,200 કરોડ રૂપિયાનું કામ કર્યું છે."

g clip-path="url(#clip0_868_265)">