ધર્મેન્દ્ર પ્રધાન
ધર્મેન્દ્ર પ્રધાનનો જન્મ 26 જૂન 26, 1969ના રોજ થયો હતો. તેઓ ભારત સરકારમાં શિક્ષણ મંત્રી અને કૌશલ્ય વિકાસ અને સાહસિકતા મંત્રી તરીકે મોદી સરકારમાં સામેલ છે. તેમણે ઉચ્ચ શિક્ષણ તાલચેર કોલેજ અને ઉત્કલ યુનિવર્સિટીમાંથી મેળવ્યું હતું. ધર્મેન્દ્ર પ્રધાન, મોદી સરકારમાં અગાઉ પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી અને સ્ટીલ મંત્રી પણ રહી ચૂક્યા છે. પ્રધાનને 3જી સપ્ટેમ્બર 2017ના રોજ કેબિનેટ મંત્રી તરીકે બઢતી આપવામાં આવી હતી. હાલમાં સંસદ સભ્ય તરીકે રાજ્યસભામાં મધ્યપ્રદેશનું પ્રતિનિધિત્વ કરે છે. અગાઉ તેઓ 14મી લોકસભાના સભ્ય હતા.
ધર્મેન્દ્ર પ્રધાન સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં સૌથી લાંબો સમય સુધી પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી રહ્યા છે. 2014 માં રાજ્ય મંત્રી તરીકે જોડાયા, બાદમાં તેમને 2017 માં કેબિનેટ કક્ષાના પ્રધાન તરીકે બઢતી આપવામાં આવી. 31 મે, 2019 ના રોજ, ધર્મેન્દ્ર પ્રધાને ભારત સરકારના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયમાં સતત બીજા કાર્યકાળની શરૂઆત કરી હતી.
Read More
રાજીનામું ધર્મેન્દ્ર પ્રધાનનું જ કેમ? પંજાબ અને કર્ણાટકના શિક્ષણ મંત્રીનું કેમ નહી! પૂર્વ ક્રિકેટર અજય જાડેજાએ ઉઠાવ્યા સવાલ
જાડેજાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને જણાવ્યું કે "સવાલ માત્ર એક વ્યક્તિનો કેમ? જવાબદારી તો દરેકની નક્કી થવી જોઈએ." તેમણે NEET પેપર લીક વિવાદ બાદ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે અન્ય રાજ્યોમાં થયેલા પરીક્ષા વિવાદોમાં પણ જવાબદારી નક્કી થવી જોઈએ.
- Devankashi rana
- Updated on: Jul 27, 2026
- 11:47 am
ગુજરાતથી UP સુધી પેપર લીક પર કયા રાજ્યમાં કેટલી મળે છે સજા? સરકાર આજે રજૂ કરી રહી બિલ
Anti Leak Paper Laws: વિવિધ રાજ્યોએ દેશભરમાં પરીક્ષાઓમાં અનિયમિતતાઓને રોકવા માટે કડક પેપર લીક વિરોધી કાયદા લાગુ કર્યા છે. ચાલો જોઈએ કે પેપર લીક માફિયાઓ પર કડક કાર્યવાહી કરવા માટે વિવિધ રાજ્યોમાં કયા કાયદા અને દંડ નક્કી કરવામાં આવ્યા છે:
- Devankashi rana
- Updated on: Jul 27, 2026
- 10:36 am
ભારતમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રીને કેટલો પગાર મળે છે? બીજી કઈ કઈ સુવિધાઓનો પણ મળે છે લાભ, જાણો
કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને તેમના પદ પરથી રાજીનામું આપ્યું. તેમના રાજીનામા બાદ, કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીને દેશના શિક્ષણ મંત્રાલયનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો. આ ફેરફારથી કેન્દ્રીય શિક્ષણ મંત્રીના પગાર અને સરકાર દ્વારા આપવામાં આવતી સુવિધાઓ અને ભથ્થાં વિશે લોકોમાં ઉત્સુકતા જાગી છે.
- Devankashi rana
- Updated on: Jul 27, 2026
- 10:34 am
PM મોદીએ ધર્મેન્દ્ર પ્રધાનની જગ્યાએ પ્રહ્લાદ જોશીને જ કેમ પસંદ કર્યા? જાણો શું છે કારણ
ધર્મેન્દ્ર પ્રધાને તેમના પદ પરથી રાજીનામું આપ્યું. તેમના રાજીનામા પછી, વરિષ્ઠ કેબિનેટ પ્રધાન પ્રહલાદ જોશીને શિક્ષણ પ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. પ્રહલાદ જોશી પીએમ મોદીના વિશ્વસનીય "સંકટ મોચક" પૈકીના એક છે.
- Devankashi rana
- Updated on: Jul 26, 2026
- 8:41 am
Breaking News : ભાજપ માટે પદથી મોટો દેશ, યુવા પેઢી, વિદ્યાર્થી છે, ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ અમિત શાહે વ્યક્ત કરી પ્રતિક્રિયા
Gen Z Protest : ધર્મેન્દ્ર પ્રધાને શિક્ષણપ્રધાનપદેથી રાજીનામુ આપ્યા બાદ, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે જણાવ્યું હતું કે ધર્મેન્દ્ર પ્રધાને, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) ના અસરકારક અમલીકરણ, માતૃભાષામાં પરીક્ષાઓ યોજવાની જોગવાઈ, શાળાઓનું વિસ્તરણ, ડિજિટલ શિક્ષણને પ્રોત્સાહન, કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ-શૈક્ષણિક સહયોગને મજબૂત બનાવવા સંબંધિત મહત્વપૂર્ણ સુધારાઓ અમલમાં મૂક્યા હતા.
- Bipin Prajapati
- Updated on: Jul 26, 2026
- 8:40 am
Breaking News: કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યુ રાજીનામુ, સરકારે વિદ્યાર્થીઓની ત્રણેય માગો સ્વીકારી
NEET-UG વિવાદ અને દેશભરમાં ચાલી રહેલા વિદ્યાર્થીઓની આંદોલન વચ્ચે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેનું રાજીનામુ સોપ્યુ છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલા પત્રમાં તેમણે કહ્યુ કે વિદ્યાર્થીઓનું ભવિષ્ય કોઈપણ વિવાદથી ઉપર છે. તેમણે પરીક્ષા પદ્ધતિમાં સુધારા, CBI તપાસ અને CBT વ્યવસ્થાનો ઉલ્લેખ કરી પદ છોડવાનું કારણ જણાવ્યુ.
- Mina Pandya
- Updated on: Jul 25, 2026
- 7:34 pm
કેન્દ્રિય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું, જુઓ પરિવારમાં કોણ કોણ છે
કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન હાલમાં NEET પરીક્ષા લીકમાં તેમની કથિત સંડોવણીને કારણે ટીકાનો સામનો કરી રહ્યા છે. સમગ્ર વિપક્ષ એકમત થઈને તેમના રાજીનામાની માંગ કરી રહ્યો છે. આજે આપણે ધર્મેન્દ્ર પ્રધાન કેટલા શિક્ષિત છે? તેમજ તેના પરિવાર વિશે વાત કરીએ.
- Nirupa Duva
- Updated on: Jul 25, 2026
- 2:24 pm
NEET-UG પેપર લીક, 22 લાખથી વધુ વિદ્યાર્થીઓના સપના સાથે ક્રૂર મજાક, છેલ્લા 7 વર્ષમાં 70 થી વધુ પેપર લીક
ભારતમાં મેડિકલ પ્રવેશ માટેની સૌથી મહત્વની ગણાતી નીટ (NEET UG 2026) પરીક્ષા ફરી એકવાર વિવાદોના ઘેરામાં આવી છે. આ વખતે 22,79,000 જેટલા વિદ્યાર્થીઓએ ડૉક્ટર બનવાના સપના સાથે પૂરી ઈમાનદારીથી તૈયારી કરી હતી, પરંતુ પેપર લીકની ઘટનાએ તેમની મહેનત પર પાણી ફેરવી દીધું છે. 3 મેના રોજ જ્યારે લાખો વિદ્યાર્થીઓ ભારે તણાવ અને આશા સાથે પરીક્ષા કેન્દ્રો પર પહોંચ્યા હતા, ત્યારે તેમને અંદાજો પણ નહોતો કે તેમની ઈમાનદારીનો મુકાબલો એવા બેઈમાન તત્વો સાથે થવાનો છે જેઓ પહેલાથી જ પ્રશ્નોના જવાબ જાણતા હતા.
- Mina Pandya
- Updated on: May 15, 2026
- 4:32 pm
ઉત્પીડનના નામે દુરપયોગ નહીં થવા દેવાય, યુજીસી વિવાદ પર શિક્ષણપ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનની સાફ વાત
નવા યુજીસી નિયમને લઈને વિવાદ વધુ ઘેરો બન્યો છે. કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને આ બાબતે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, કોઈની સાથે ભેદભાવ કરવામાં નહીં આવે. તો બીજી બાજૂ, સુપ્રીમ કોર્ટમાં નિયમોની "જાતિ આધારિત ભેદભાવની બિન-સમાવેશક વ્યાખ્યા" ને પડકારતી અરજી દાખલ કરવામાં આવી છે.
- TV9 Gujarati
- Updated on: Jan 27, 2026
- 8:43 pm