ધર્મેન્દ્ર પ્રધાન
ધર્મેન્દ્ર પ્રધાનનો જન્મ 26 જૂન 26, 1969ના રોજ થયો હતો. તેઓ ભારત સરકારમાં શિક્ષણ મંત્રી અને કૌશલ્ય વિકાસ અને સાહસિકતા મંત્રી તરીકે મોદી સરકારમાં સામેલ છે. તેમણે ઉચ્ચ શિક્ષણ તાલચેર કોલેજ અને ઉત્કલ યુનિવર્સિટીમાંથી મેળવ્યું હતું. ધર્મેન્દ્ર પ્રધાન, મોદી સરકારમાં અગાઉ પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી અને સ્ટીલ મંત્રી પણ રહી ચૂક્યા છે. પ્રધાનને 3જી સપ્ટેમ્બર 2017ના રોજ કેબિનેટ મંત્રી તરીકે બઢતી આપવામાં આવી હતી. હાલમાં સંસદ સભ્ય તરીકે રાજ્યસભામાં મધ્યપ્રદેશનું પ્રતિનિધિત્વ કરે છે. અગાઉ તેઓ 14મી લોકસભાના સભ્ય હતા.
ધર્મેન્દ્ર પ્રધાન સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં સૌથી લાંબો સમય સુધી પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી રહ્યા છે. 2014 માં રાજ્ય મંત્રી તરીકે જોડાયા, બાદમાં તેમને 2017 માં કેબિનેટ કક્ષાના પ્રધાન તરીકે બઢતી આપવામાં આવી. 31 મે, 2019 ના રોજ, ધર્મેન્દ્ર પ્રધાને ભારત સરકારના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયમાં સતત બીજા કાર્યકાળની શરૂઆત કરી હતી.
ઉત્પીડનના નામે દુરપયોગ નહીં થવા દેવાય, યુજીસી વિવાદ પર શિક્ષણપ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનની સાફ વાત
નવા યુજીસી નિયમને લઈને વિવાદ વધુ ઘેરો બન્યો છે. કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને આ બાબતે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, કોઈની સાથે ભેદભાવ કરવામાં નહીં આવે. તો બીજી બાજૂ, સુપ્રીમ કોર્ટમાં નિયમોની "જાતિ આધારિત ભેદભાવની બિન-સમાવેશક વ્યાખ્યા" ને પડકારતી અરજી દાખલ કરવામાં આવી છે.
- TV9 Gujarati
- Updated on: Jan 27, 2026
- 8:43 pm