ભારત રત્ન

ભારત રત્ન

ભારત રત્ન

ભારત રત્નએ ભારતનું સર્વોચ્ચ નાગરિક સન્માન છે. આ સન્માન ‘રાષ્ટ્રીય સેવા’ માટે આપવામાં આવે છે. આ સેવાઓમાં કળા, સાહિત્ય, વિજ્ઞાન, જાહેર સેવા અને રમતગમતનો સમાવેશ થાય છે. આ સન્માન 2 જાન્યુઆરી 1954ના રોજ ભારતના તત્કાલિન રાષ્ટ્રપતિ શ્રી રાજેન્દ્ર પ્રસાદ દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું હતું.

આ મેડલની ડિઝાઈન બીજી વાર નવી બનાવવામાં આવી. તાંબામાંથી બનેલા પીપળના પાન પર પ્લેટિનમનો ચમકતો સૂર્ય બનાવ્યો છે. જેની નીચે ચાંદીમાં “ભારત રત્ન” લખેલું છે અને શ્વેત પટ્ટી સાથે ગળામાં પહેરાવવામાં આવે છે.

કોઈપણ વ્યક્તિ જાતિ, વ્યવસાય, સ્થિતિ અથવા લિંગના આધારે કોઈપણ ભેદભાવ વિના આ પુરસ્કાર માટે પાત્ર ગણી શકાય.

Read More

આ વ્યક્તિને મળ્યો હતો પહેલો ભારત રત્ન, જાણો ક્યારથી થઈ હતી તેની શરૂઆત ?

દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન 'ભારત રત્ન' છે. પૂર્વ ભારતીય પીએમ મનમોહન સિંહના નિધન બાદ કોંગ્રેસ પાર્ટી સતત તેમને ભારત રત્ન આપવાની માંગ કરી રહી છે. પરંતુ શું તમે જાણો છો કે ભારત રત્ન દેશમાં સૌપ્રથમ ક્યારે આપવામાં આવ્યો હતો અને કોને આપવામાં આવ્યો હતો ? આજે અમે તમને આ લેખમાં ભારત રત્ન વિશે જણાવીશું.

Ratan Tata Net Worth: “દાનવીર” રતન ટાટા કમાણીનો મોટાભાગનો હિસ્સો કરી દેતા હતા દાન, જાણો કેટલી સંપત્તિ મુકી ગયા?

રતન ટાટાના નિધનથી સમગ્ર દેશમાં શોકની લહેર છે. આ અબજોપતિ ઉદ્યોગપતિ ભારતના સૌથી ધનાઢ્ય લોકો અને તેમના જૂથના વ્યવસાયમાં સામેલ હતા.

Ratan Tata successor : કોણ હશે રતન ટાટાના વારસદાર ? સંભાળશે ટાટા ગ્રુપનું સામ્રાજ્ય

રતન ટાટાના આ દુનિયામાંથી ગયા પછી સૌથી મોટો સવાલ એ છે કે તેમનો ઉત્તરાધિકારી કોણ હશે? $400 બિલિયન જૂથને આગળ કોણ દોરી જશે? ચાલો આ પ્રશ્નનો જવાબ શોધવાનો પ્રયત્ન કરીએ...

લાલકૃષ્ણ અડવાણી બન્યા ભારત રત્ન, રાષ્ટ્રપતિએ ઘરે જઇને આપ્યું સન્માન, PM મોદી પણ આવ્યા તેમની સાથે

વરિષ્ઠ ભાજપના નેતા લાલ કૃષ્ણ અડવાણીને આજે એટલે કે 31 માર્ચે દેશનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પોતે તેમને આ સન્માન આપવા તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. આ પ્રસંગે પીએમ મોદીની સાથે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, પૂર્વ ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુ પણ હાજર હતા.

રાષ્ટ્રપતિ મુર્મુએ નરસિમ્હા રાવ, ચૌધરી ચરણ સિંહ, કર્પુરી ઠાકુર અને સ્વામીનાથનને ભારત રત્ન કર્યો એનાયત

પૂર્વ વડાપ્રધાન નરસિમ્હા રાવને આપવામાં આવેલ ભારત રત્ન પુરસ્કાર તેમના પુત્ર પીવી પ્રભાકર રાવે સ્વીકાર્યો હતો. ચૌધરી ચરણ સિંહ વતી તેમના પૌત્ર અને રાષ્ટ્રીય લોકદળના અધ્યક્ષ જયંત ચૌધરીએ આ એવોર્ડ સ્વીકાર્યો. આ સાથે તેમની પુત્રી નિત્યા રાવે સ્વામીનાથન વતી રાષ્ટ્રપતિ એવોર્ડ મેળવ્યો હતો.

જન નાયક કર્પૂરી ઠાકુરનો સમગ્ર પરિવાર PM મોદીને મળ્યો, રામનાથ ઠાકુરે ‘ભારત રત્ન’ આપવા બદલ માન્યો આભાર

24 જાન્યુઆરીએ બિહારના પૂર્વ મુખ્યમંત્રી કર્પૂરી ઠાકુરના જન્મ દિવસ પર કેન્દ્ર સરકારે તેમને ભારત રત્નથી સન્માનિત કરવાની જાહેરાત કરી હતી. PM મોદીએ તેમના પુત્ર રામનાથ ઠાકુરને ફોન કર્યો હતો અને કર્પૂરી ઠાકુરને ભારત રત્ન એનાયત થવા બદલ અભિનંદન પાઠવ્યા હતા અને તેમના પરિવાર સાથે દિલ્હીમાં તેમના નિવાસસ્થાને આવવા આમંત્રણ આપ્યું હતું.

જાટ સમુદાય પર ફોકસ, સાઉથ પર નજર, ચૂંટણીના વર્ષમાં 5 ભારત રત્ન, જાણો મોદી સરકારના આ દાવ પાછળના સમીકરણ

રામ મંદિરના ઉદ્દઘાટન બાદ ભાજપ સતત એક બાદ એક માસ્ટર સ્ટ્રોક મારી રહી છે અને વિપક્ષી દળોને નેરેટિવની લડાઈમાં હરાવવા માટેના તમામ પગલા લઈ રહી છે. આ પ્રયાસો મહદઅંશે સફળ થતા પણ દેખાઈ રહ્યા છે. ભાજપ જાણે છે કે ચૂંટણી જંગમાં નેરેટિવની લડાઈ જીતવી પણ એટલી જ જરૂરી છે જેટલુ વિપક્ષને હરાવવુ. પીએમ મોદી અને રામ મંદિરની લહેર ચોક્કસ ચાલી રહી છે, પરંતુ સીટોના ટાર્ગેટ સુધી પહોંચી નવો રેકોર્ડ બનાવવો એ પણ કોઈ નાનો પડકાર નથી.

ચરણ સિંહ અને નરસિમ્હા રાવને ભારત રત્ન પર સોનિયા ગાંધીએ જાણો શું કહ્યું, માયાવતીએ કરી આ માગ

ચૌધરી ચરણ સિંહને ભારત રત્ન એનાયત કરવાની જાહેરાત પર, પૂર્વ પીએમના પૌત્ર અને રાષ્ટ્રીય લોકદળ (RLD)ના વડા જયંત ચૌધરીએ કહ્યું, "આ એક મોટો દિવસ છે. આ મારા માટે ભાવનાત્મક અને યાદગાર ક્ષણ પણ છે. હું રાષ્ટ્રપતિ, ભારત સરકાર અને ખાસ કરીને પીએમ નરેન્દ્ર મોદીનો આભાર માનું છું. આનાથી દેશભરમાં મોટો સંદેશ ગયો છે.

ચૌધરી ચરણ સિંહ, નરસિમ્હા રાવ અને સ્વામીનાથનને ભારત રત્નથી કરવામાં આવશે સન્માનિત

દેશના ભૂતપૂર્વ વડા પ્રધાનો ચૌધરી ચરણ સિંહ, પીવી નરસિમ્હા રાવ અને ડૉ એમએસ સ્વામીનાથનને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે. ટ્વીટ કરતા પીએમ મોદીએ લખ્યું કે આ અમારી સરકારનું સૌભાગ્ય છે કે દેશના પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણ સિંહ જીને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવી રહ્યા છે.

લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન એનાયત, પીએમ મોદીએ કરી જાહેરાત

પીએમ મોદીએ કહ્યું કે મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે લાલકૃષ્ણ અડવાણીજીને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે. મેં તેમની સાથે પણ વાત કરી અને તેમને આ સન્માનથી સન્માનિત કરવા બદલ અભિનંદન પાઠવ્યા. આપણા સમયના સૌથી પ્રતિષ્ઠિત રાજકારણીઓમાંના એક, ભારતના વિકાસમાં તેમનું યોગદાન અવિસ્મરણીય છે.

દેશનું સૌથી મોટું રાજ્ય કે જેને અત્યાર સુધી નથી મળ્યો ભારત રત્ન, જાણો ગુજરાતને કેટલા મળ્યા છે

ભારત રત્ન પુરસ્કારની શરૂઆત 1954માં તત્કાલિન રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ દ્વારા કરવામાં આવી હતી. 1954માં પ્રથમ વખત ત્રણ લોકોને ભારત રત્ન આપવામાં આવ્યો હતો. છેલ્લા 70 વર્ષમાં માત્ર 49 લોકોને જ આ સન્માન મળ્યું છે. દેશમાં માત્ર 12 રાજ્યો એવા છે જેમને ભારત રત્ન મળવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે.

બ્રેકિંગ ન્યૂઝ : 5 પદ્મ વિભૂષણ, 17 પદ્મ ભૂષણ અને 110 પદ્મ શ્રી, પદ્મ પુરસ્કારોની થઈ જાહેરાત

ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ આજે 25 જાન્યુઆરી ગુરુવારે પદ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે. આ અંતર્ગત પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મશ્રીથી સન્માનિત થનાર વ્યક્તિઓના નામની જાહેરાત કરવામાં આવી હતી. અગાઉ 23 જાન્યુઆરીએ સરકારે બિહારના પૂર્વ મુખ્યમંત્રી કુરપરી ઠાકુરને ભારત રત્ન આપવાની જાહેરાત કરી હતી.

પદ્મ પુરસ્કારોની થઈ જાહેરાત, 34 લોકોને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવશે

પદ્મ પુરસ્કારો એ ભારત રત્ન પછી સૌથી મહત્વપૂર્ણ સન્માન છે, જે ભારતના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે, જે ત્રણ શ્રેણીઓમાં આપવામાં આવે છે: પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મ શ્રી. ભારત સરકાર દ્વારા વર્ષ 1954માં પદ્મ પુરસ્કારની શરૂઆત કરવામાં આવી હતી. વર્ષ 1955માં તેને પદ્મશ્રી, પદ્મભૂષણ અને પદ્મવિભૂષણ નામ આપવામાં આવ્યું હતું. ત્યારથી આ ટ્રેન્ડ ચાલી રહ્યો છે.

વડાપ્રધાન મોદીએ કર્પૂરી ઠાકુરની જન્મજયંતિ નિમિત્તે લખ્યો લેખ, લખ્યુ-સાદગીનું ઉદાહરણ હતા, જીવનભર સમાજના ઉત્થાન માટે કામ કર્યુ

કર્પૂરી ઠાકુરની જન્મજયંતિ પહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, કર્પૂરી ઠાકુરજીના મનમાં સામાજિક ન્યાય વસેલો હતો. તેઓ અંગત કામ માટે સરકારનો એક પૈસો પણ વાપરવા માગતા ન હતા. મને કર્પૂરીજીને મળવાની ક્યારેય તક મળી નથી, પરંતુ મેં તેમની સાથે ખૂબ નજીકથી કામ કરતા કૈલાશપતિ મિશ્રાજી પાસેથી તેમના વિશે ઘણું સાંભળ્યું છે.

ખાખીની દાદાગીરી, અકસ્માતની ફરિયાદ કરવા ગયેલા યુવકને પોલીસે માર્યો માર
ખાખીની દાદાગીરી, અકસ્માતની ફરિયાદ કરવા ગયેલા યુવકને પોલીસે માર્યો માર
રાજ્યમાં બેફામ રીતે લોકોને ભરી કરાવાઈ રહી છે જોખમી સવારી- Video
રાજ્યમાં બેફામ રીતે લોકોને ભરી કરાવાઈ રહી છે જોખમી સવારી- Video
નવસારી: વોરાવાડમાં 5 દિવસમાં 50 લોકોને કરડ્યા શ્વાન- Video
નવસારી: વોરાવાડમાં 5 દિવસમાં 50 લોકોને કરડ્યા શ્વાન- Video
પુત્રવધુએ 80 વર્ષના સાસુ પર અત્યાચાર, લાતોથી માર્યો માર- Video
પુત્રવધુએ 80 વર્ષના સાસુ પર અત્યાચાર, લાતોથી માર્યો માર- Video
ટ્રેનમાં ટિકિટ વગર મુસાફરી કરશો તો પણ નહીં થાય દંડ, જાણો કઈ રીતે ?
ટ્રેનમાં ટિકિટ વગર મુસાફરી કરશો તો પણ નહીં થાય દંડ, જાણો કઈ રીતે ?
અમીરગઢ બોર્ડર પર LCBએ 95 લાખ દારુનો જથ્થો ઝડપ્યો
અમીરગઢ બોર્ડર પર LCBએ 95 લાખ દારુનો જથ્થો ઝડપ્યો
BZ ગ્રુપ કૌભાંડના આરોપી ભૂપેન્દ્ર ઝાલાના આર્થિક વ્યવહારોની તપાસ
BZ ગ્રુપ કૌભાંડના આરોપી ભૂપેન્દ્ર ઝાલાના આર્થિક વ્યવહારોની તપાસ
સુરતમાં ખોટા નામથી આધારકાર્ડ બનાવી રહેતો બંગાળી વિધર્મી ઝડપાયો- Video
સુરતમાં ખોટા નામથી આધારકાર્ડ બનાવી રહેતો બંગાળી વિધર્મી ઝડપાયો- Video
રાજ્યના અનેક વિસ્તારોમાં કાતિલ ઠંડીની આગાહી
રાજ્યના અનેક વિસ્તારોમાં કાતિલ ઠંડીની આગાહી
વડનગરમાં આર્કિયોલોજીકલ મ્યુઝિયમનું અમિત શાહ કરશે લોકાર્પણ
વડનગરમાં આર્કિયોલોજીકલ મ્યુઝિયમનું અમિત શાહ કરશે લોકાર્પણ
g clip-path="url(#clip0_868_265)">