ભારત રત્ન

ભારત રત્ન

ભારત રત્ન

ભારત રત્નએ ભારતનું સર્વોચ્ચ નાગરિક સન્માન છે. આ સન્માન ‘રાષ્ટ્રીય સેવા’ માટે આપવામાં આવે છે. આ સેવાઓમાં કળા, સાહિત્ય, વિજ્ઞાન, જાહેર સેવા અને રમતગમતનો સમાવેશ થાય છે. આ સન્માન 2 જાન્યુઆરી 1954ના રોજ ભારતના તત્કાલિન રાષ્ટ્રપતિ શ્રી રાજેન્દ્ર પ્રસાદ દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું હતું.

આ મેડલની ડિઝાઈન બીજી વાર નવી બનાવવામાં આવી. તાંબામાંથી બનેલા પીપળના પાન પર પ્લેટિનમનો ચમકતો સૂર્ય બનાવ્યો છે. જેની નીચે ચાંદીમાં “ભારત રત્ન” લખેલું છે અને શ્વેત પટ્ટી સાથે ગળામાં પહેરાવવામાં આવે છે.

કોઈપણ વ્યક્તિ જાતિ, વ્યવસાય, સ્થિતિ અથવા લિંગના આધારે કોઈપણ ભેદભાવ વિના આ પુરસ્કાર માટે પાત્ર ગણી શકાય.

Read More

લાલકૃષ્ણ અડવાણી બન્યા ભારત રત્ન, રાષ્ટ્રપતિએ ઘરે જઇને આપ્યું સન્માન, PM મોદી પણ આવ્યા તેમની સાથે

વરિષ્ઠ ભાજપના નેતા લાલ કૃષ્ણ અડવાણીને આજે એટલે કે 31 માર્ચે દેશનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પોતે તેમને આ સન્માન આપવા તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. આ પ્રસંગે પીએમ મોદીની સાથે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, પૂર્વ ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુ પણ હાજર હતા.

રાષ્ટ્રપતિ મુર્મુએ નરસિમ્હા રાવ, ચૌધરી ચરણ સિંહ, કર્પુરી ઠાકુર અને સ્વામીનાથનને ભારત રત્ન કર્યો એનાયત

પૂર્વ વડાપ્રધાન નરસિમ્હા રાવને આપવામાં આવેલ ભારત રત્ન પુરસ્કાર તેમના પુત્ર પીવી પ્રભાકર રાવે સ્વીકાર્યો હતો. ચૌધરી ચરણ સિંહ વતી તેમના પૌત્ર અને રાષ્ટ્રીય લોકદળના અધ્યક્ષ જયંત ચૌધરીએ આ એવોર્ડ સ્વીકાર્યો. આ સાથે તેમની પુત્રી નિત્યા રાવે સ્વામીનાથન વતી રાષ્ટ્રપતિ એવોર્ડ મેળવ્યો હતો.

જન નાયક કર્પૂરી ઠાકુરનો સમગ્ર પરિવાર PM મોદીને મળ્યો, રામનાથ ઠાકુરે ‘ભારત રત્ન’ આપવા બદલ માન્યો આભાર

24 જાન્યુઆરીએ બિહારના પૂર્વ મુખ્યમંત્રી કર્પૂરી ઠાકુરના જન્મ દિવસ પર કેન્દ્ર સરકારે તેમને ભારત રત્નથી સન્માનિત કરવાની જાહેરાત કરી હતી. PM મોદીએ તેમના પુત્ર રામનાથ ઠાકુરને ફોન કર્યો હતો અને કર્પૂરી ઠાકુરને ભારત રત્ન એનાયત થવા બદલ અભિનંદન પાઠવ્યા હતા અને તેમના પરિવાર સાથે દિલ્હીમાં તેમના નિવાસસ્થાને આવવા આમંત્રણ આપ્યું હતું.

જાટ સમુદાય પર ફોકસ, સાઉથ પર નજર, ચૂંટણીના વર્ષમાં 5 ભારત રત્ન, જાણો મોદી સરકારના આ દાવ પાછળના સમીકરણ

રામ મંદિરના ઉદ્દઘાટન બાદ ભાજપ સતત એક બાદ એક માસ્ટર સ્ટ્રોક મારી રહી છે અને વિપક્ષી દળોને નેરેટિવની લડાઈમાં હરાવવા માટેના તમામ પગલા લઈ રહી છે. આ પ્રયાસો મહદઅંશે સફળ થતા પણ દેખાઈ રહ્યા છે. ભાજપ જાણે છે કે ચૂંટણી જંગમાં નેરેટિવની લડાઈ જીતવી પણ એટલી જ જરૂરી છે જેટલુ વિપક્ષને હરાવવુ. પીએમ મોદી અને રામ મંદિરની લહેર ચોક્કસ ચાલી રહી છે, પરંતુ સીટોના ટાર્ગેટ સુધી પહોંચી નવો રેકોર્ડ બનાવવો એ પણ કોઈ નાનો પડકાર નથી.

ચરણ સિંહ અને નરસિમ્હા રાવને ભારત રત્ન પર સોનિયા ગાંધીએ જાણો શું કહ્યું, માયાવતીએ કરી આ માગ

ચૌધરી ચરણ સિંહને ભારત રત્ન એનાયત કરવાની જાહેરાત પર, પૂર્વ પીએમના પૌત્ર અને રાષ્ટ્રીય લોકદળ (RLD)ના વડા જયંત ચૌધરીએ કહ્યું, "આ એક મોટો દિવસ છે. આ મારા માટે ભાવનાત્મક અને યાદગાર ક્ષણ પણ છે. હું રાષ્ટ્રપતિ, ભારત સરકાર અને ખાસ કરીને પીએમ નરેન્દ્ર મોદીનો આભાર માનું છું. આનાથી દેશભરમાં મોટો સંદેશ ગયો છે.

ચૌધરી ચરણ સિંહ, નરસિમ્હા રાવ અને સ્વામીનાથનને ભારત રત્નથી કરવામાં આવશે સન્માનિત

દેશના ભૂતપૂર્વ વડા પ્રધાનો ચૌધરી ચરણ સિંહ, પીવી નરસિમ્હા રાવ અને ડૉ એમએસ સ્વામીનાથનને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે. ટ્વીટ કરતા પીએમ મોદીએ લખ્યું કે આ અમારી સરકારનું સૌભાગ્ય છે કે દેશના પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણ સિંહ જીને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવી રહ્યા છે.

લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન એનાયત, પીએમ મોદીએ કરી જાહેરાત

પીએમ મોદીએ કહ્યું કે મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે લાલકૃષ્ણ અડવાણીજીને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે. મેં તેમની સાથે પણ વાત કરી અને તેમને આ સન્માનથી સન્માનિત કરવા બદલ અભિનંદન પાઠવ્યા. આપણા સમયના સૌથી પ્રતિષ્ઠિત રાજકારણીઓમાંના એક, ભારતના વિકાસમાં તેમનું યોગદાન અવિસ્મરણીય છે.

ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
મહેસાણાઃ વિસનગરના કડામાં ભાજપના ઉમેદવારની સભા સામે હોબાળો, જુઓ
મહેસાણાઃ વિસનગરના કડામાં ભાજપના ઉમેદવારની સભા સામે હોબાળો, જુઓ
ભાજપ લોકશાહીને નબળી બનાવવા માંગે છે : પ્રિયંકા ગાંધી
ભાજપ લોકશાહીને નબળી બનાવવા માંગે છે : પ્રિયંકા ગાંધી
રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
g clip-path="url(#clip0_868_265)">