AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જો ચોરી થઈ જાય તમારો મોબાઈલ ફોન તો સૌથી પહેલા આટલું કરો કામ, સરળતાથી મળી જશે પાછો

સ્માર્ટફોનની ચોરી એ સામાન્ય બાબત છે, પરંતુ સ્માર્ટફોનની ચોરીથી માત્ર તમને આર્થિક નુકસાન જ નથી થતું, પરંતુ ચોર તમારા ખાનગી ફોટા અને ઓનલાઈન પેમેન્ટની વિગતો પણ મેળવી લે છે. આવી સ્થિતિમાં, જો કોઈ સ્માર્ટફોન ચોરાઈ જાય તો શું કરશો જાણો અહીં

જો ચોરી થઈ જાય તમારો મોબાઈલ ફોન તો સૌથી પહેલા આટલું કરો કામ, સરળતાથી મળી જશે પાછો
If your mobile phone is stolen then do this first thing
| Updated on: Apr 06, 2024 | 1:04 PM
Share

સ્માર્ટફોન એ ડિજિટલ વિશ્વમાં કુટુંબ અને મિત્રો સાથે જોડાયેલા રહેવાનો સૌથી સરળ રસ્તો છે. અને જો તમે તમારો સ્માર્ટફોન ગુમાવો છો, તો તેનાથી વધુ ખરાબ કંઈ હોઈ શકે નહીં. હવે ફોનનો ઉપયોગ માત્ર કૉલ કરવા અથવા SMS મોકલવા માટે થતો નથી પરંતુ તે આપણા રોજિંદા જીવનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જો તમારો સ્માર્ટફોન ખોવાઈ જાય કે ચોરાઈ જાય તો તેને કેવી રીતે શોધવો? આવી સ્થિતિમાં, જો કોઈ સ્માર્ટફોન ચોરાઈ જાય, તો ભારત સરકારના ટેલિકોમ્યુનિકેશન વિભાગ હેઠળ કામ કરતા CEIR પોર્ટલ પર ફરિયાદ નોંધાવવી જોઈએ, જેથી ખોવાયેલો ફોન પાછો સરળતાથી મેળવી શકાય.

CEIR પોર્ટલ શું છે?

CEIR પોર્ટલ વપરાશકર્તાઓને IMEI નંબર દ્વારા તેમના સ્થાનિક પોલીસ સ્ટેશનમાં સ્માર્ટફોન જેવા ખોવાયેલા અથવા ચોરાયેલા ઇલેક્ટ્રોનિક ઉપકરણોની જાણ કરવાની મંજૂરી આપે છે. CEIR પોર્ટલ ખોવાયેલા કે ચોરાયેલા ફોનને બ્લોક કરવાની સુવિધા પૂરી પાડે છે. તે અનેક પ્રકારની સેવાઓ પણ આપે છે. યૂઝર્સ ચોરાયેલા કે ખોવાયેલા મોબાઈલને માત્ર બ્લોક કરી શકતા નથી પણ તેને પુનઃપ્રાપ્ત પણ કરી શકે છે.

  1. ચોરાયેલા અથવા ખોવાયેલા ફોનની જાણ કરો
  2. CEIR સેવા સમગ્ર દેશમાં ઉપલબ્ધ છે. ચોરીની જાણ કરવા માટે મોબાઈલ નંબર અને IMEI નંબરની જરૂર પડશે.
  3. આ પછી તમારે નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવી પડશે.
  4. ફોનને બ્લોક કરવા માટે, પોલીસ ફરિયાદની ડિજિટલ કોપી સાથે સ્માર્ટફોનની વિગતોની જરૂર પડશે. એકવાર CEIR વેબસાઇટ પર બ્લોક થઈ ગયા પછી, ઉપકરણ કેન્દ્રીય ડેટાબેઝમાં ઉમેરવામાં આવશે.
  5. આ પછી ચોરાયેલ ફોનનો ઉપયોગ કરી શકાશે નહીં.
  6. જો ચોરાયેલો અથવા ખોવાયેલો મોબાઈલ પાછો મળી જાય, તો તેને CEIR પોર્ટલ પરથી અનબ્લોક કરી શકાય છે. અનબ્લોક કરવા માટે આઈડી અને મોબાઈલ નંબર નાખવો પડશે.
  7. CEIR પોર્ટલ દ્વારા ખોવાયેલા અથવા ચોરાયેલા ફોનને પુનઃપ્રાપ્ત કરી શકાય છે. તમારે ફક્ત પોર્ટલ પર ઉપકરણનો IMEI નંબર રજીસ્ટર કરવો પડશે અને જરૂરી માહિતી દાખલ કરવી પડશે. આ ઉપકરણના રિપોર્ટિંગ અને ટ્રેકિંગ સાથે રિયુઝ થતા અટકાવે છે.

CEIR વેબસાઈટ ઉપરાંત, એક મફત Android અને iOS એપ્લિકેશન KYM પણ છે જે તમારા સ્માર્ટફોનને લગતી માહિતી પ્રદાન કરી શકે છે. આ એપથી યુઝરના ફોનનો IMEI નંબર, મોબાઈલ ઉત્પાદકનું નામ, મોડલ નંબર અને ઉપકરણનો પ્રકાર જેવી માહિતી મેળવી શકાય છે. આ બધા માટે તમારે ફક્ત ફોનનો IMEI નંબર અને કયા ફોન પર OTP આવશે તે જાણવાની જરૂર છે. તમને જણાવી દઈએ કે ફોન બોક્સ સિવાય હેન્ડસેટ પર *#06# ડાયલ કરીને IEMI નંબર મેળવી શકાય છે.

Follow Us
મેઘરાજાની તોફાની બેટિંગ! 24 કલાકમાં 95 તાલુકા ધમરોળાયા
મેઘરાજાની તોફાની બેટિંગ! 24 કલાકમાં 95 તાલુકા ધમરોળાયા
અંબાલાલ પટેલે આગામી દિવસોમાં ભારે વરસાદને લઈને કરી મોટી આગાહી!
અંબાલાલ પટેલે આગામી દિવસોમાં ભારે વરસાદને લઈને કરી મોટી આગાહી!
જુઓ પંકજ ત્રિપાઠીનું 'રૂપકથા' હોલિડે હોમ, સાદગીમાં જ છે ખાસિયત! Video
જુઓ પંકજ ત્રિપાઠીનું 'રૂપકથા' હોલિડે હોમ, સાદગીમાં જ છે ખાસિયત! Video
કાશ આવી ટીચર આપણને મળી હોત! ગાઝિયાબાદની ‘કૂલ ટીચર’નો વીડિયો થયો વાયરલ
કાશ આવી ટીચર આપણને મળી હોત! ગાઝિયાબાદની ‘કૂલ ટીચર’નો વીડિયો થયો વાયરલ
મોટી સફળતા કે સન્માન મળી શકે છે, તમારી યોગ્યતાની પ્રશંસા થશે
મોટી સફળતા કે સન્માન મળી શકે છે, તમારી યોગ્યતાની પ્રશંસા થશે
ભાવનગરના મહુવા શહેરમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત
ભાવનગરના મહુવા શહેરમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત
ગુજરાત ATS દ્વારા ભરૂચમાં જૈશ-એ-મોહમ્મદના સ્લીપર સેલનો પર્દાફાશ
ગુજરાત ATS દ્વારા ભરૂચમાં જૈશ-એ-મોહમ્મદના સ્લીપર સેલનો પર્દાફાશ
અમદાવાદ ફટાકડા ફેક્ટરીમાં ભીષણ દુર્ઘટના કેસમાં 2ની અટકાયત
અમદાવાદ ફટાકડા ફેક્ટરીમાં ભીષણ દુર્ઘટના કેસમાં 2ની અટકાયત
કચ્છના પશુપાલકો માટે રાહત: માત્ર ₹2માં મળશે ઘાસચારો, જુઓ નિયમો
કચ્છના પશુપાલકો માટે રાહત: માત્ર ₹2માં મળશે ઘાસચારો, જુઓ નિયમો
થરાદમાં SOGની રેડ: રૂ. 6.89 કરોડની ટ્રામાડોલ દવાઓનો જથ્થો જપ્ત
થરાદમાં SOGની રેડ: રૂ. 6.89 કરોડની ટ્રામાડોલ દવાઓનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">