Tokyo Olympics 2020 : ભારત-પાકિસ્તાનના ખેલાડી ઓલિમ્પિકમાં ટકરાશે, જાણો ક્યારે અને કઈ રમતમાં થશે ટક્કર

Tokyo Olympics 2020 : નીરજ ચોપરા પાસેથી ભારતને મેડલની આશા છે. ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics) માં 7 ઓગસ્ટના રોજ ભારત-પાકિસ્તાન આમને સામને ટકરાશે.

Tokyo Olympics 2020 : ભારત-પાકિસ્તાનના ખેલાડી ઓલિમ્પિકમાં ટકરાશે, જાણો ક્યારે અને કઈ રમતમાં થશે ટક્કર
ભારત-પાકિસ્તાનના ખેલાડી ઓલિમ્પિકમાં ટકરાશે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 05, 2021 | 12:29 PM

Tokyo Olympics 2020 : 7 ઓગસ્ટના રોજ ભારત અને પાકિસ્તાન (India Vs Pakistan) ના ખેલાડીઓ પોતાના દેશ માટે ગોલ્ડ મેડલ માટે લડશે. આ જંગ ક્રિકેટ (Cricket) ના મેદાન પર નહીં પરંતુ જૈવેલિન થ્રોના મેદાન પર થશે. જ્યાં ભારતના નીરજ (Neeraj Chopra) અને પાકિસ્તાનના અરશદ નદીમે (Arshad Nadeem) શાનદાર પ્રદર્શન કરીને ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે. નીરજ એ ફાઇનલ માટે ક્વોલીફાય કર્યું છે.

નીરજ (Neeraj Chopra) એ ફાઈનલમાં સ્થાન મેળવ્યું છે. તેમણે શાનદાર શરુઆત કરી તેમના પ્રથમ પ્રયાસમાં જ શાનદાર થ્રો કર્યો હતો અને ફાઇનલની ટિકિટ મેળવી. એશિયન ગેમમાં મેડલ વિજેતા નીરજે પહેલા જ પ્રયાસમાં 86.65 મીટરના થ્રો સાથે ફાઈનલમાં સ્થાન મેળવ્યું હતુ.

આ સાથે જ પાકિસ્તાનના નદીમે પણ ફાઇનલ માટે ક્વોલિફાય કર્યું છે. નદીમે 85.16 નો જૈવેલિન થ્રો ફેંકીને ફાઇનલની ટિકિટ મેળવી છે. તેણે તેના ગ્રુપ બીમાં પ્રથમ સ્થાન મેળવ્યું. તેણે પ્રથમ પ્રયાસમાં 78.50નો સ્કોર કર્યો છે, જ્યારે બીજામાં તેણે વધુ સારું પ્રદર્શન કર્યું અને ફાઇનલની ટિકિટ મેળવી છે. જૈવેલિન થ્રોમાં, ટોચના 12 ખેલાડીઓએ ફાઈનલમાં સ્થાન મેળવ્યું છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

7 ઓગસ્ટે ફાઇનલ મેચ યોજાશે

ભારત અને પાકિસ્તાન બંનેની આ મેચ પર દરેકની નજર રહેશે. નીરજ પાસે ભારતને મેડલની આશા છે.આખો દેશ આશા રાખી રહ્યો છે કે નીરજ એથ્લેટિક્સમાં મેડલ જીતીને ઈતિહાસ રચશે અને પાકિસ્તાનને પણ તેમના ખેલાડી પાસે મેડલ જીતવાની આશા છે. 7 ઓગસ્ટના રોજ જાપાનની રાજધાનીમાં જૈવેલિન થ્રો ફાઇનલ રમાશે. ભારત-પાકિસ્તાનના આ બે દિગ્ગજ ખેલાડીઓ એકબીજા સામે પડકાર ફેકશે.

નીરજ અરશદની પ્રેરણા છે

પાકિસ્તાન (Pakistan) ના નદીમ (Arshad Nadeem) પહેલા ક્રિકેટ (Cricket) રમતા હતા, પરંતુ તેમણે આ રમત છોડીને એથ્લેટિક્સમાં હાથ અજમાવવાનું નક્કી કર્યું. 2018 એશિયન ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યા બાદ નદીમે કહ્યું હતું કે, નીરજને જોયા બાદ જ તેણે જૈવેલિન થ્રો રમવાનું નક્કી કર્યું હતું. હવે 7 ઓગસ્ટે આ પાકિસ્તાની ખેલાડી તેના આદર્શની વિરુદ્ધ મેદાનમાં ઉતરશે.

ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ રસપ્રદ અને અનોખી મેચ પર દરેકની નજર રહેશે. નીરજે ઓવરઓલ પ્રથમ સ્થાને રહીને ફાઇનલમાં જગ્યા બનાવી છે, જ્યારે નદીમ ત્રીજા સ્થાને રહીને ફાઇનલમાં પહોંચ્યો છે. બીજા સ્થાને નીરજનો સારો મિત્ર અને કટ્ટર હરીફ જોહાન્સ વેટર છે જેણે 85.64 મીટરના થ્રો સાથે ફાઇનલ માટે ક્વોલિફાય કર્યું છે.

આ પણ વાંચો : Tokyo Olympic: નીરજ ચોપડાએ એ વર્લ્ડ ચેમ્પિયનને હરાવ્યો, જેમણે કહ્યું હતુ મને હરાવવો મુશ્કેલ છે

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">